પાટણમાં સમાજ પ્રત્યે જાગૃતિનો સંદેશ, અધ્યક્ષ દિનેશભાઈ સેંધાની અપીલ પાટણમાં સમાજ પ્રત્યે જાગૃતિનો સંદેશ, અધ્યક્ષ દિનેશભાઈ સેંધાની અપીલ પાટણ, ગુજરાત: પાટણ ખાતે સમાજમાં એકતા, શિક્ષણ અને જાગૃતિ વધારવા માટે અધ્યક્ષ દિનેશભાઈ સેંધા દ્વારા સમાજના લોકોને મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો. તેમણે જણાવ્યું કે સમાજના વિકાસ માટે દરેક વ્યક્તિએ જાગૃત બનીને શિક્ષણ અને એકતાને પ્રાથમિકતા આપવી જરૂરી છે. તેમણે યુવાનોને શિક્ષણ તરફ આગળ વધવા અને સમાજને મજબૂત બનાવવા માટે સક્રિય ભાગ લેવા અપીલ કરી. સાથે જ સમાજમાં ભાઈચારો જાળવી રાખવા અને સકારાત્મક વિચારધારા સાથે આગળ વધવા માટે પણ લોકોને પ્રેરિત કર્યા. અધ્યક્ષ દિનેશભાઈ સેંધાએ જણાવ્યું કે જો સમાજના બધા લોકો સાથે મળીને કાર્ય કરશે તો સમાજને નવી દિશા અને ઓળખ મળશે. અંતે તેમણે સમાજના લોકોને એકતા જાળવી રાખીને વિકાસના માર્ગે આગળ વધવા માટે આહ્વાન કર્યું.
પાટણમાં સમાજ પ્રત્યે જાગૃતિનો સંદેશ, અધ્યક્ષ દિનેશભાઈ સેંધાની અપીલ પાટણમાં સમાજ પ્રત્યે જાગૃતિનો સંદેશ, અધ્યક્ષ દિનેશભાઈ સેંધાની અપીલ પાટણ, ગુજરાત: પાટણ ખાતે સમાજમાં એકતા, શિક્ષણ અને જાગૃતિ વધારવા માટે અધ્યક્ષ દિનેશભાઈ સેંધા દ્વારા સમાજના લોકોને મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો. તેમણે જણાવ્યું કે સમાજના વિકાસ માટે દરેક વ્યક્તિએ જાગૃત બનીને શિક્ષણ અને એકતાને પ્રાથમિકતા આપવી જરૂરી છે. તેમણે યુવાનોને શિક્ષણ તરફ આગળ વધવા અને સમાજને મજબૂત બનાવવા માટે સક્રિય ભાગ લેવા અપીલ કરી. સાથે જ સમાજમાં ભાઈચારો જાળવી રાખવા અને સકારાત્મક વિચારધારા સાથે આગળ વધવા માટે પણ લોકોને પ્રેરિત કર્યા. અધ્યક્ષ દિનેશભાઈ સેંધાએ જણાવ્યું કે જો સમાજના બધા લોકો સાથે મળીને કાર્ય કરશે તો સમાજને નવી દિશા અને ઓળખ મળશે. અંતે તેમણે સમાજના લોકોને એકતા જાળવી રાખીને વિકાસના માર્ગે આગળ વધવા માટે આહ્વાન કર્યું.
- विशेष खबर दिनेश सिंह सोमवंशी, लखीमपुर खीरी लखीमपुर खीरी में सीडीओ अभिषेक कुमार की पहल पर बुनियादी शिक्षा को रचनात्मक बनाने की दिशा में नई शुरुआत हुई। विकास खंड नकहा के कंपोजिट विद्यालय धोबाहा में विंटर आर्ट किट वितरण कार्यक्रम का शुभारंभ किया गया। अभियान के तहत जिले के 83 परिषदीय विद्यालयों के करीब 4,150 बच्चों को ‘ज्ञान का पिटारा’ लर्निंग किट दी जाएंगी। कार्यक्रम में सीडीओ ने बालिकाओं के साथ वाहन को हरी झंडी दिखाकर अभियान की शुरुआत की और बच्चों को रचनात्मक शिक्षा के लिए प्रेरित किया।1
- અમદાવાદ ગીતા મંદિર નવા બસ સ્ટેન્ડ નો વિડિઓ છે3
- પોણા બે વર્ષ પછી કડક ચુકાદો : વિજાપુર હસ્નાપુરમાં મહિલા હત્યા, બે આરોપીને આજીવન જેલ વિજાપુર તાલુકાના હસ્નાપુર ગામની સીમમાં આવેલા એક ખેતરમાં પોણા બે વર્ષ અગાઉ મજૂરીના પૈસાની વસૂલાતને લઈને થયેલી તકરારમાં ઉશ્કેરાઈને બે શખ્સોએ આધેડ મહિલાના માથામાં લાકડાનો મરણતોલ ફટકો મારી હત્યા કરી નાખી હતી. આ ઘટનામાં સંડોવાયેલા બંને આરોપીઓને મહેસાણા સેશન્સ કોર્ટે કસૂરવાર ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે. એટલે કે જીવનના છેલ્લા શ્વાસ સુધી જેલમાં રાખવાનો હુકમ કર્યો છે. સાથે જ પ્રત્યેક આરોપીને રૂપિયા ૧.૧૦ લાખનો દંડ પણ લગાવ્યો છે. ઘટનાની વિગતો અનુસાર, દાહોદ જિલ્લાના મારગળા ગામના વતની સુભાષ રાકેશભાઈ ભાભોરે લાડોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ પોતાની માતા લલિબેન, પત્ની અરૂણા સહિત પરિવારના અન્ય સભ્યો અને બીજા મળીને કુલ ૧૪ મજૂરો સાથે વિજાપુર તાલુકાના હસ્નાપુર ગામની સીમમાં ભરતભાઈ પટેલના ખેતરમાં ઘઉંની કાપણી માટે આવ્યા હતા. બધા જ મજૂરો ખેતરના કૂવા પાસે રહેતા હતા. તા. ૧-૪-૨૦૨૪ના રોજ રાત્રે મજૂરી માટે આવેલા રાજુ બાબુભાઈ બારીયા (રહે. સાગડાપાડા, તા. ફતેપુરા, દાહોદ) અને કમલેશ કાંતીભાઈ ગરાસિયા (મૂળ વતની ગણેશપુર, બાસવાડા, રાજસ્થાન)એ સુભાષભાઈ પાસે મજૂરીના પૈસા માગ્યા હતા. સુભાષભાઈએ પૈસા આપવાની વાત ટાળતાં તકરાર વધી ગઈ હતી. ત્યારે લલિબેન (૪૫) ગાળો બોલવાની ના પાડતાં કમલેશ ગરાસિયા ઉશ્કેરાઈ ગયો અને નજીક પડેલું લાકડું ઉઠાવીને તેમના માથામાં જોરદાર ફટકો માર્યો હતો. જેનાથી લલિબેનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. લાડોલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી અને બંને આરોપીઓ સામે કેસ નોંધ્યો હતો. આ કેસની સુનાવણી મહેસાણા સેશન્સ કોર્ટના જજ એમ.એફ. ખત્રી સમક્ષ ચાલી હતી. ટ્રાયલ દરમિયાન સરકારી વકીલ પરેશકુમાર દવેએ ૧૮ સાક્ષીઓની જુબાની અને ૨૬ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. અદાલતે આ તમામ પુરાવાઓને ગ્રાહ્ય રાખીને બંને આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. સાથે જ ભોગ બનેલી મહિલાના વારસદારોને દંડની રકમમાંથી રૂપિયા બે લાખનું વળતર આપવાનો પણ આદેશ કર્યો હતો.1
- Post by RAMESH ZALA1
- સાબરકાંઠા ઈડરના ગઢ નજીક ડુંગર પાસે આગ લાગી કાળઝાળ ગરમી વચ્ચે ગઢ વિસ્તારમાં આગ પ્રસરી આગ પ્રસરતા સ્થાનિક લોકોએ બુઝાવવા પ્રયાસ હાથ ધર્યાં સ્થાનિક ફાયર ટીમને જાણ કરી આગને કાબૂમાં લેવા પ્રયાસ કર્યો વિસ્તારમાં આગને લઈ ભારે ધુમાડો ફેલાયો1
- 🌺 *અરવલ્લીના જંગલોમાં કેસુડાના ફૂલોથી કુદરત રંગાઈ – વસંત ઋતુનું સુંદર સ્વાગત* જંગલોમાં ખીલા કેસુડાના ફૂલો પર્યાવરણ અને પ્રકૃતિપ્રેમીઓ માટે બન્યા આકર્ષણનું કેન્દ્ર અરવલ્લી જિલ્લામાં વસંત ઋતુના આગમન સાથે જંગલ વિસ્તારમાં કેસુડાના વૃક્ષો પર ખીલા તેજસ્વી કેસરિયા રંગના ફૂલો કુદરતની અદભુત સુંદરતા દર્શાવી રહ્યા છે. પહાડો અને જંગલોમાં જ્યાં નજર જાય ત્યાં કેસુડાના ફૂલોથી આખું પર્યાવરણ રંગીન બની ગયું છે. કેસુડાનું વૃક્ષ માત્ર સૌંદર્ય માટે જ નહીં પરંતુ ઔષધીય ગુણો માટે પણ મહત્વ ધરાવે છે. સ્થાનિક લોકો દ્વારા કેસુડાના ફૂલોનો ઉપયોગ પરંપરાગત ઔષધિ તેમજ તહેવારોમાં રંગ બનાવવા માટે કરવામાં આવે છે. ખાસ કરીને વસંત ઋતુમાં જંગલ વિસ્તારોમાં કેસુડાના ફૂલોના ખીલવાથી પક્ષીઓ અને પર્યટકો માટે આકર્ષણ વધ્યું છે. પ્રકૃતિપ્રેમીઓ અને ફોટોગ્રાફરો માટે અરવલ્લીના જંગલો આ દિવસોમાં કુદરતી સૌંદર્યનો અનોખો નજારો બની ગયા છે. સ્થાનિક વન વિભાગ દ્વારા પણ લોકોને જંગલોની સંભાળ રાખવા અને કુદરતી સંપત્તિનું રક્ષણ કરવા અપીલ કરવામાં આવી છે. કેસુડાના ફૂલોથી રંગાયેલા અરવલ્લીના જંગલો હાલ કુદરતના ઉત્સવ જેવી ઝલક આપી રહ્યા છે. જવાનસિંહ ઠાકોર અરવલ્લી. મોં. 96385006502
- विल्लुपुरम डिस्ट्रिक्ट पुलिस 100% वोटिंग पर ज़ोर देते हुए फ्लैग परेड रैली: आने वाले असेंबली इलेक्शन – 2026 में 100% वोटिंग पर ज़ोर देते हुए, यह पक्का करने के लिए कि जनता आज़ादी से और सुरक्षित रूप से अपनी डेमोक्रेटिक ड्यूटी पूरी कर सके, विलुपुरम डिस्ट्रिक्ट पुलिस की ओर से, डिस्ट्रिक्ट सुपरिटेंडेंट ऑफ़ पुलिस के ऑर्डर के अनुसार, 11.03.2026 को विल्लुपुरम न्यू बस स्टैंड के पास म्युनिसिपल ग्राउंड से शुरू होकर सिग्नल से होते हुए विल्लुपुरम सिटी पुलिस स्टेशन तक फ्लैग परेड जुलूस निकाला गया। डिस्ट्रिक्ट सुपरिटेंडेंट ऑफ़ पुलिस, विल्लुपुरम सब-फोर्ट असिस्टेंट सुपरिटेंडेंट ऑफ़ पुलिस, पुलिस इंस्पेक्टर, असिस्टेंट इंस्पेक्टर, पुलिस ऑफिसर और सेंट्रल बॉर्डर सिक्योरिटी फोर्स समेत 200 से ज़्यादा लोगों ने इस फ्लैग परेड में हिस्सा लिया और जनता में जागरूकता फैलाई।1
- મહેસાણા જિલ્લામાં ગેસ એજન્સી ધારકોની જિલ્લા કક્ષાની બેઠક યોજાઈ, ઘરેલુ LPG સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ મહેસાણા, ૧૧ માર્ચ ૨૦૨૬ મહેસાણા જિલ્લામાં ઘરેલુ LPG સિલિન્ડરની કોઈ અછત નથી તેમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે. વિવિધ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે જોડાયેલા ગેસ એજન્સી ધારકોની જિલ્લા કક્ષાની બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી, જેમાં કલેક્ટરશ્રી એસ.કે. પ્રજાપતીના માર્ગદર્શન હેઠળ નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.કે. જેગોડાએ અધ્યક્ષતા ભજવી હતી. આ બેઠકમાં જિલ્લાના ૧૦ તાલુકાઓમાં આવેલી કુલ ૩૮ ગેસ એજન્સીઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો, જેમાં HPCLની ૧૬, IOCLની ૧૧ અને BPCLની ૧૧ એજન્સીઓનો સમાવેશ થતો હતો. ઉપરાંત IOCL, HPCL તથા BPCLના સેલ્સ ઓફિસરો તેમજ સાબરમતી ગેસના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. રાજ્ય સરકારની સૂચનાઓ અનુસાર બેઠકમાં ઘરેલુ LPG સિલિન્ડરોના બિનજરૂરી સંગ્રહ તથા કાળાબજારી અટકાવવા માટે કડક તકેદારી રાખવાની સૂચનાઓ આપવામાં આવી હતી. સંબંધિત કંપનીઓના સેલ્સ ઓફિસરોએ જણાવ્યું હતું કે હાલના તબક્કે મહેસાણા જિલ્લામાં ઘરેલુ LPG કનેક્શન તેમજ CNG અને PNG માટે પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. ડોમેસ્ટિક LPG સિલિન્ડરની કોઈ અછત નથી અને કોમર્શિયલ ગેસ અંગે કેન્દ્ર સરકારની એડવાઇઝરી મુજબ કંપનીઓ કાર્યરત રહેશે. ગેસ એજન્સી ધારકોને ગ્રાહકોને નિશ્ચિત સમયમર્યાદામાં સિલિન્ડર ઉપલબ્ધ કરાવવા, નિયત ભાવ, નિયત રિસિપ્ટ તથા નિયત વજન મુજબ સિલિન્ડર આપવાની ખાતરી કરવા તેમજ પૂરતો જથ્થો સમયસર પહોંચાડવા માટે ખાસ ધ્યાન રાખવાની સૂચનાઓ આપવામાં આવી હતી. બેઠક દરમિયાન ઓનલાઇન માધ્યમથી જોડાયેલા તમામ તાલુકાના મામલતદારશ્રીઓ, નાયબ મામલતદાર (પુરવઠા) તથા નાયબ મામલતદાર (MDM)ને તાલુકા કક્ષાએ ગેસ એજન્સીઓની બેઠક યોજી દૈનિક ધોરણે ડિમાન્ડ અને સપ્લાયનું સઘન મોનીટરિંગ કરવા પણ તાકીદ કરવામાં આવી હતી. આ ઉપરાંત ગેસ એજન્સીઓની નિયમિત તપાસ કરવા તથા ગેરરીતિના કિસ્સાઓમાં આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯૫૫ તથા LPG કંટ્રોલ ઓર્ડર-૨૦૦૦ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. હાલના સંજોગોમાં ડિલિવરી સમયગાળો ૨૧ દિવસના બદલે ૨૫ દિવસ કરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સામાન્ય જનતાને બિનજરૂરી સંગ્રહ ન કરવા તથા જરૂરિયાત વગર બુકિંગ ન કરાવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. કાળાબજારી અને સંગ્રહખોરી અટકાવવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જિલ્લામાં ગેસ સપ્લાય ચેઇન સુચારૂ રીતે જળવાઈ રહે અને જનતાને કોઈ અગવડ ન પડે તે માટે વહીવટી તંત્ર તથા ઓઇલ માર્કેટિંગ કંપનીઓના પ્રતિનિધિઓ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જાહેર જનતાને ચિંતા ન કરવા પણ નમ્ર અનુરોધ કરવામાં આવ્યો છે. આ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, તમામ મામલતદારશ્રીઓ, નાયબ મામલતદારશ્રીઓ તેમજ ગેસ એજન્સીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.1
- જિલ્લા સમેત પોશીના તાલુકામાં કાળજાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે બપોર પછી ગરમીના લીધે બજારોમાં પણ લોકોની પાંખી હાજરી જોવા મળી રહી છે ત્યારે પોશીના તાલુકામાં આવેલ અને કુદરતી વાતાવરણની વચ્ચે મનને શાંતિ આપતું તાલુકાનું લાખીયા તળાવ આંખોને ઠંડક આપી રહ્યું છે તાલુકામાં આવેલ અમુક તળાવોમાં ચોમાસામાં સારા વરસાદને લઈ પાણીનો સંગ્રહ થયો હોય જો કાળજાળ ગરમીમાં સિંચાઈ વિભાગના આ તળાવોમાં રહેલું પાણી માનવીની સાથે પશુ પંખીને પણ ગરમી માંથી રાહત આપી રહ્યા છે.1