logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

તા. 20 જૂન, 2026ના રોજ બોટાદ રેલવે સ્ટેશન પર રેલવે સુરક્ષા બળ (RPF) દ્વારા એક પ્રશંસનીય કામગીરી કરવામાં આવી. RPF ઇન્સ્પેક્ટર શ્રી અનિલ કુમારના નિર્દેશનમાં, પ્લેટફોર્મ નંબર 4/5 પર ફરજ પર હાજર હેડ કોન્સ્ટેબલ સુનીલ ચૌધરીને એક કાળા રંગની બિનવારસી બેગ મળી હતી. તેમણે તરત જ ડ્યુટી ઓફિસરને જાણ કરી અને બેગને RPF ઓફિસમાં લાવીને તપાસ કરી. બેગ તપાસતા તેમાંથી રોકડા ₹50,000 તેમજ નવા અને જૂના કપડાં મળી આવ્યા. થોડા સમય બાદ, ગાંધીગ્રામ રેલવે સ્ટેશનથી એક ફોન આવ્યો જેમાં એક યાત્રી, નિતીનભાઈ ઇશ્વરભાઇ, રહેવાસી-ચુવાલીયા પરા, બોટાદના ઝાપા પાસે ગઢડા, તેમનો મોબાઈલ નંબર 7984330333 સાથે માહિતી આપવામાં આવી હતી. RPF જવાન દ્વારા આપેલા નંબર પર સંપર્ક કરીને નિતીનભાઈની ખરાઈ કરવામાં આવી અને તેમને બેગ વિશે જાણ કરવામાં આવી. નિતીનભાઈએ જણાવ્યું કે તેઓ ગાંધીગ્રામથી બોટાદ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા અને બોટાદ સ્ટેશને ઉતર્યા પછી ઘરે પહોંચતા તેમને પોતાની કાળા કલરની બેગ ગાયબ હોવાનું જાણવા મળ્યું, જેની જાણ તેમણે ગાંધીગ્રામ રેલવે સ્ટેશનમાં કરી હતી. તેમણે પુષ્ટિ કરી કે બેગમાં ₹50,000 રોકડા અને નવા-જૂના કપડાં હતા. આ માહિતીની ખરાઈ થયા બાદ નિતીનભાઈને બોટાદ રેલવે સ્ટેશન પર રૂબરૂ આવીને પોતાની બેગ તથા પૈસા સુરક્ષિત લઈ જવા માટે બોલાવવામાં આવ્યા. ત્યારબાદ, યાત્રી નિતીનભાઈ બોટાદ રેલવે સ્ટેશન પર RPF ઓફિસમાં આવ્યા અને પોતાની બેગને ઓળખી બતાવી. હેડ કોન્સ્ટેબલ સુનીલ ચૌધરીએ ASI લક્ષ્મણસિંહ સાહેબની હાજરીમાં નિતીનભાઈને તેમની બેગ સહી સલામત પરત કરી. યાત્રીએ રેલવે સુરક્ષા બળ, બોટાદ તથા સ્ટાફની આ ઉમદા અને પ્રશંસનીય કામગીરી બદલ ખૂબ પ્રશંસા કરી.

3 hrs ago
user_Vagadiya chintan dilipbhai
Vagadiya chintan dilipbhai
બોટાદ, બોટાદ, ગુજરાત•
3 hrs ago
9977b6b2-7a8a-41d2-a70d-4939962ff635

તા. 20 જૂન, 2026ના રોજ બોટાદ રેલવે સ્ટેશન પર રેલવે સુરક્ષા બળ (RPF) દ્વારા એક પ્રશંસનીય કામગીરી કરવામાં આવી. RPF ઇન્સ્પેક્ટર શ્રી અનિલ કુમારના નિર્દેશનમાં, પ્લેટફોર્મ નંબર 4/5 પર ફરજ પર હાજર હેડ કોન્સ્ટેબલ સુનીલ ચૌધરીને એક કાળા રંગની બિનવારસી બેગ મળી હતી. તેમણે તરત જ ડ્યુટી ઓફિસરને જાણ કરી અને બેગને RPF ઓફિસમાં લાવીને તપાસ કરી. બેગ તપાસતા તેમાંથી રોકડા ₹50,000 તેમજ નવા અને જૂના કપડાં મળી આવ્યા. થોડા સમય બાદ, ગાંધીગ્રામ રેલવે સ્ટેશનથી એક ફોન આવ્યો જેમાં એક યાત્રી, નિતીનભાઈ ઇશ્વરભાઇ, રહેવાસી-ચુવાલીયા પરા, બોટાદના ઝાપા પાસે ગઢડા, તેમનો મોબાઈલ નંબર 7984330333 સાથે માહિતી આપવામાં આવી હતી. RPF જવાન દ્વારા આપેલા નંબર પર સંપર્ક કરીને નિતીનભાઈની ખરાઈ કરવામાં આવી અને તેમને બેગ વિશે જાણ કરવામાં આવી. નિતીનભાઈએ જણાવ્યું કે તેઓ ગાંધીગ્રામથી બોટાદ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા અને બોટાદ સ્ટેશને ઉતર્યા પછી ઘરે પહોંચતા તેમને પોતાની કાળા કલરની બેગ ગાયબ હોવાનું જાણવા મળ્યું, જેની જાણ તેમણે ગાંધીગ્રામ રેલવે સ્ટેશનમાં કરી હતી. તેમણે પુષ્ટિ કરી કે બેગમાં ₹50,000 રોકડા અને નવા-જૂના કપડાં હતા. આ માહિતીની ખરાઈ થયા બાદ નિતીનભાઈને બોટાદ રેલવે સ્ટેશન પર રૂબરૂ આવીને પોતાની બેગ તથા પૈસા સુરક્ષિત લઈ જવા માટે બોલાવવામાં આવ્યા. ત્યારબાદ, યાત્રી નિતીનભાઈ બોટાદ રેલવે સ્ટેશન પર RPF ઓફિસમાં આવ્યા અને પોતાની બેગને ઓળખી બતાવી. હેડ કોન્સ્ટેબલ સુનીલ ચૌધરીએ ASI લક્ષ્મણસિંહ સાહેબની હાજરીમાં નિતીનભાઈને તેમની બેગ સહી સલામત પરત કરી. યાત્રીએ રેલવે સુરક્ષા બળ, બોટાદ તથા સ્ટાફની આ ઉમદા અને પ્રશંસનીય કામગીરી બદલ ખૂબ પ્રશંસા કરી.

More news from Gujarat and nearby areas
  • બોટાદ જિલ્લામાં ફોરેસ્ટ વિભાગ સામે ગેરકાયદેસર પાણીના વપરાશનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે સત્તાવાળાઓ દ્વારા કલેક્ટરને રજૂઆત પણ કરવામાં આવી છે.
    1
    બોટાદ જિલ્લામાં ફોરેસ્ટ વિભાગ સામે ગેરકાયદેસર પાણીના વપરાશનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે સત્તાવાળાઓ દ્વારા કલેક્ટરને રજૂઆત પણ કરવામાં આવી છે.
    user_ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    Botad, Gujarat•
    8 hrs ago
  • રાજકોટના હિંગળાજ નગરના રહીશો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. મીડિયાના અહેવાલ બાદ નિંદ્રાધીન રાજકોટ મનપા તંત્ર જાગૃત થયું છે અને નિર્ણય લીધો છે કે ચોમાસા દરમિયાન ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવશે નહીં. આ નિર્ણય સુપ્રીમ કોર્ટના જજમેન્ટને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, જેના કારણે મનપા હવે મકાન નહીં તોડે. મનપાએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે ચોમાસા દરમિયાન નોટિસ આપવી કે ન આપવી તેવી કોઈ જોગવાઈ નથી. જોકે, નવ વર્ષ બાદ જમીનની કિંમતમાં થયેલ વધારો મનપા વસૂલશે કે કેમ તે અંગે હજુ અસમંજસતા પ્રવર્તી રહી છે. આ મામલે મેયર નેહલ શુક્લે જણાવ્યું છે કે તમામ વિકલ્પો ઉપલબ્ધ છે.
    4
    રાજકોટના હિંગળાજ નગરના રહીશો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. મીડિયાના અહેવાલ બાદ નિંદ્રાધીન રાજકોટ મનપા તંત્ર જાગૃત થયું છે અને નિર્ણય લીધો છે કે ચોમાસા દરમિયાન ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવશે નહીં.

આ નિર્ણય સુપ્રીમ કોર્ટના જજમેન્ટને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, જેના કારણે મનપા હવે મકાન નહીં તોડે. મનપાએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે ચોમાસા દરમિયાન નોટિસ આપવી કે ન આપવી તેવી કોઈ જોગવાઈ નથી.

જોકે, નવ વર્ષ બાદ જમીનની કિંમતમાં થયેલ વધારો મનપા વસૂલશે કે કેમ તે અંગે હજુ અસમંજસતા પ્રવર્તી રહી છે. આ મામલે મેયર નેહલ શુક્લે જણાવ્યું છે કે તમામ વિકલ્પો ઉપલબ્ધ છે.
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    18 hrs ago
  • અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના વાસણા ગામની શાળામાં આગામી ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છરજન્ય અને વાહકજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા માટે એક આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જિલ્લા મેલેરિયા અધિકારી ડૉ. નરેન્દ્રસિંહ રાઠોડ અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. મેહુલ જાદવના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. આરોગ્ય કર્મચારી ગિરીશ સોલંકી અને શાળાના આચાર્યશ્રી સહદેવસિંહ વાળા દ્વારા વિદ્યાર્થીઓને મેલેરિયા, ડેન્ગ્યુ, અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોથી પોતાનો બચાવ કેવી રીતે કરવો તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે, ઉપસ્થિત સૌને "મેલેરિયા મુક્ત અભિયાન"માં સહભાગી બની સ્વચ્છ અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે સહયોગ આપવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ અને જવાબદારીની ભાવના વિકસાવવાનો હતો, જે સફળતાપૂર્વક સિદ્ધ થયો હોવાનું જણાવાયું છે.
    1
    અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના વાસણા ગામની શાળામાં આગામી ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છરજન્ય અને વાહકજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા માટે એક આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જિલ્લા મેલેરિયા અધિકારી ડૉ. નરેન્દ્રસિંહ રાઠોડ અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. મેહુલ જાદવના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. આરોગ્ય કર્મચારી ગિરીશ સોલંકી અને શાળાના આચાર્યશ્રી સહદેવસિંહ વાળા દ્વારા વિદ્યાર્થીઓને મેલેરિયા, ડેન્ગ્યુ, અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોથી પોતાનો બચાવ કેવી રીતે કરવો તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમના અંતે, ઉપસ્થિત સૌને "મેલેરિયા મુક્ત અભિયાન"માં સહભાગી બની સ્વચ્છ અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે સહયોગ આપવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ અને જવાબદારીની ભાવના વિકસાવવાનો હતો, જે સફળતાપૂર્વક સિદ્ધ થયો હોવાનું જણાવાયું છે.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    18 hrs ago
  • અમરેલી સાયબર ક્રાઈમ પોલીસે એક સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે, જેમાં માત્ર ₹950 ના એક નાના ફ્રોડની તપાસ કરતાં દેશવ્યાપી ₹31 કરોડનું મ્યુલ અકાઉન્ટ કૌભાંડ સામે આવ્યું છે. આ મોટા કૌભાંડના સંબંધમાં બે આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.
    1
    અમરેલી સાયબર ક્રાઈમ પોલીસે એક સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે, જેમાં માત્ર ₹950 ના એક નાના ફ્રોડની તપાસ કરતાં દેશવ્યાપી ₹31 કરોડનું મ્યુલ અકાઉન્ટ કૌભાંડ સામે આવ્યું છે. આ મોટા કૌભાંડના સંબંધમાં બે આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.
    user_Pratik savaliya
    Pratik savaliya
    Salesperson અમરેલી, અમરેલી, ગુજરાત•
    2 hrs ago
  • અમરેલી, તા. ૨૧ જૂન, ૨૦૨૬ (રવિવાર) ના રોજ, અમરેલી જિલ્લામાં ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ઊર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને અમરેલી શહેર ખાતે જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો. ‘યોગા ફોર હેલ્ધી એજિંગ’ એટલે કે ‘સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ’ ના સંકલ્પ સાથે, મોટી સંખ્યામાં નાગરિકોએ સામૂહિક યોગાભ્યાસ કરીને સ્વસ્થ જીવન જીવવાનો સંકલ્પ લીધો. આ કાર્યક્રમમાં ૩૨૦૦થી વધુ સહભાગીઓએ ઉત્સાહભેર યોગ કર્યો હતો. જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.જે. જાડેજા, અને પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સહિત જિલ્લાના અનેક અધિકારીશ્રીઓએ યોગઅભ્યાસ કર્યો હતો. આ પ્રસંગે કોલકત્તા ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીનું તેમજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી રાજ્ય કક્ષાની ઉજવણીનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યયોગ બોર્ડના અમરેલી જિલ્લાના કોર્ડિનેટરશ્રી સાગર મહેતા અને યોગ શિક્ષકોની ટીમે ઉપસ્થિત યોગઅભ્યાસુઓને યોગ અભ્યાસ કરાવ્યો હતો. આ વર્ષની આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ ‘યોગા ફોર હેલ્ધી એજિંગ’ એટલે કે ‘સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ’ રાખવામાં આવી હતી, જે વધતી ઉંમર સાથે શરીર અને મનને તંદુરસ્ત, સક્રિય અને સંતુલિત રાખવામાં યોગના મહત્વ પર ભાર મૂકે છે. નિયમિત યોગાભ્યાસથી શરીરની લવચીકતા વધે છે, સ્નાયુઓ અને સાંધાઓ મજબૂત બને છે, શ્વસનતંત્રની કાર્યક્ષમતા સુધરે છે તેમજ માનસિક શાંતિ અને સકારાત્મકતા પ્રાપ્ત થાય છે. યોગ દ્વારા તણાવ, ચિંતા અને થાકમાં રાહત મળે છે, પ્રાણાયામ અને ધ્યાનથી એકાગ્રતા વધે છે, ઊંઘની ગુણવત્તા સુધરે છે તથા જીવનશૈલી સંબંધિત વિવિધ સમસ્યાઓના નિવારણમાં પણ સહાય મળે છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે યોગ દૈનિક જીવનમાં સ્વાવલંબન, સ્ફૂર્તિ અને આત્મવિશ્વાસ જાળવવાનું એક અસરકારક માધ્યમ છે. યોગાભ્યાસ દરમિયાન તાલીમબદ્ધ યોગ નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ સામાન્ય યોગ પ્રોટોકોલ મુજબ વિવિધ આસનો, પ્રાણાયામ અને ધ્યાન કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખશ્રી વૈશાલી બહેન માંગરોળીયા, શ્રી અતુલભાઈ કાનાણી, શ્રી મયૂરભાઈ માંજરીયા, શ્રી વિજયભાઈ ચોટલીયા, પ્રાંત અધિકારીશ્રી અમરેલી નાકિયા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ગોહિલ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી ગોહિલ, યુવા વિકાસ અધિકારીશ્રી વિક્રમસિંહ પરમાર, પ્રાંત યુવા અધિકાશ્રી કુરેશી, જિલ્લા રમતવિકાસ અધિકારીશ્રી પૂનમ બહેન ફૂમકીયા, જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ, વિદ્યાસભાના કેમ્પસ ડાયરેક્ટરશ્રી વસંતભાઈ પેથાણી અને અન્ય શહેરીજનો, વિદ્યાર્થીઓ, તથા વિવિધ સંસ્થાઓના યોગઅભ્યાસુઓ પણ જોડાયા હતા. ઉપસ્થિત સૌએ યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવી સ્વસ્થ, સક્રિય અને સુખમય જીવન જીવવાનો સંકલ્પ લીધો હતો.
    1
    અમરેલી, તા. ૨૧ જૂન, ૨૦૨૬ (રવિવાર) ના રોજ, અમરેલી જિલ્લામાં ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ઊર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને અમરેલી શહેર ખાતે જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો. ‘યોગા ફોર હેલ્ધી એજિંગ’ એટલે કે ‘સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ’ ના સંકલ્પ સાથે, મોટી સંખ્યામાં નાગરિકોએ સામૂહિક યોગાભ્યાસ કરીને સ્વસ્થ જીવન જીવવાનો સંકલ્પ લીધો.

આ કાર્યક્રમમાં ૩૨૦૦થી વધુ સહભાગીઓએ ઉત્સાહભેર યોગ કર્યો હતો. જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.જે. જાડેજા, અને પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સહિત જિલ્લાના અનેક અધિકારીશ્રીઓએ યોગઅભ્યાસ કર્યો હતો. આ પ્રસંગે કોલકત્તા ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીનું તેમજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી રાજ્ય કક્ષાની ઉજવણીનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યયોગ બોર્ડના અમરેલી જિલ્લાના કોર્ડિનેટરશ્રી સાગર મહેતા અને યોગ શિક્ષકોની ટીમે ઉપસ્થિત યોગઅભ્યાસુઓને યોગ અભ્યાસ કરાવ્યો હતો.

આ વર્ષની આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ ‘યોગા ફોર હેલ્ધી એજિંગ’ એટલે કે ‘સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ’ રાખવામાં આવી હતી, જે વધતી ઉંમર સાથે શરીર અને મનને તંદુરસ્ત, સક્રિય અને સંતુલિત રાખવામાં યોગના મહત્વ પર ભાર મૂકે છે. નિયમિત યોગાભ્યાસથી શરીરની લવચીકતા વધે છે, સ્નાયુઓ અને સાંધાઓ મજબૂત બને છે, શ્વસનતંત્રની કાર્યક્ષમતા સુધરે છે તેમજ માનસિક શાંતિ અને સકારાત્મકતા પ્રાપ્ત થાય છે. યોગ દ્વારા તણાવ, ચિંતા અને થાકમાં રાહત મળે છે, પ્રાણાયામ અને ધ્યાનથી એકાગ્રતા વધે છે, ઊંઘની ગુણવત્તા સુધરે છે તથા જીવનશૈલી સંબંધિત વિવિધ સમસ્યાઓના નિવારણમાં પણ સહાય મળે છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે યોગ દૈનિક જીવનમાં સ્વાવલંબન, સ્ફૂર્તિ અને આત્મવિશ્વાસ જાળવવાનું એક અસરકારક માધ્યમ છે.

યોગાભ્યાસ દરમિયાન તાલીમબદ્ધ યોગ નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ સામાન્ય યોગ પ્રોટોકોલ મુજબ વિવિધ આસનો, પ્રાણાયામ અને ધ્યાન કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખશ્રી વૈશાલી બહેન માંગરોળીયા, શ્રી અતુલભાઈ કાનાણી, શ્રી મયૂરભાઈ માંજરીયા, શ્રી વિજયભાઈ ચોટલીયા, પ્રાંત અધિકારીશ્રી અમરેલી નાકિયા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ગોહિલ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી ગોહિલ, યુવા વિકાસ અધિકારીશ્રી વિક્રમસિંહ પરમાર, પ્રાંત યુવા અધિકાશ્રી કુરેશી, જિલ્લા રમતવિકાસ અધિકારીશ્રી પૂનમ બહેન ફૂમકીયા, જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ, વિદ્યાસભાના કેમ્પસ ડાયરેક્ટરશ્રી વસંતભાઈ પેથાણી અને અન્ય શહેરીજનો, વિદ્યાર્થીઓ, તથા વિવિધ સંસ્થાઓના યોગઅભ્યાસુઓ પણ જોડાયા હતા. ઉપસ્થિત સૌએ યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવી સ્વસ્થ, સક્રિય અને સુખમય જીવન જીવવાનો સંકલ્પ લીધો હતો.
    user_Gaurang sodha
    Gaurang sodha
    અમરેલી, અમરેલી, ગુજરાત•
    3 hrs ago
  • આપણા સમાજમાં શિક્ષણના મહત્વને સંપૂર્ણપણે અવગણવામાં આવ્યું છે. પરિણામે, દરેક જગ્યાએ પૈસાના જોરે જ જીવનને ખરીદવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
    1
    આપણા સમાજમાં શિક્ષણના મહત્વને સંપૂર્ણપણે અવગણવામાં આવ્યું છે. પરિણામે, દરેક જગ્યાએ પૈસાના જોરે જ જીવનને ખરીદવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    6 hrs ago
  • રાજકોટમાં લગ્નની લાલચ આપીને એક યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. ભોગ બનનાર યુવતી અને આરોપી ભરત ચંદ્રપાલ બંને કેટરર્સમાં સાથે કામ કરતા હતા, જ્યાં તેમની વચ્ચે પરિચય થતાં પ્રેમ સંબંધ બંધાયો હતો. આ સંબંધના આધારે, ભરત ચંદ્રપાલે યુવતીને લગ્નની લાલચ આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ શારીરિક સંબંધોના કારણે યુવતી ગર્ભવતી બની હતી અને હાલ તેણીને ત્રણ માસની દીકરી છે. આ મામલે આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી ભરત ચંદ્રપાલની ધરપકડ કરી છે અને આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે રાજકોટના એસીપી ભાવેશ જાદવ દ્વારા માહિતી આપવામાં આવી હતી.
    4
    રાજકોટમાં લગ્નની લાલચ આપીને એક યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. ભોગ બનનાર યુવતી અને આરોપી ભરત ચંદ્રપાલ બંને કેટરર્સમાં સાથે કામ કરતા હતા, જ્યાં તેમની વચ્ચે પરિચય થતાં પ્રેમ સંબંધ બંધાયો હતો. આ સંબંધના આધારે, ભરત ચંદ્રપાલે યુવતીને લગ્નની લાલચ આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.

આ શારીરિક સંબંધોના કારણે યુવતી ગર્ભવતી બની હતી અને હાલ તેણીને ત્રણ માસની દીકરી છે. આ મામલે આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી ભરત ચંદ્રપાલની ધરપકડ કરી છે અને આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે રાજકોટના એસીપી ભાવેશ જાદવ દ્વારા માહિતી આપવામાં આવી હતી.
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    18 hrs ago
  • પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ પ્રાકૃતિક કૃષિને મળેલા પ્રોત્સાહનના પરિણામે દેશભરના ખેડૂતોમાં નવી આશાનો સંચાર થયો છે. બોટાદ જિલ્લાના બે ખેડૂતોની સાફલ્યગાથા આ વાતનો જીવંત પુરાવો છે કે પ્રાકૃતિક કૃષિ માત્ર ખેતીની પદ્ધતિ નથી, પરંતુ તે આત્મનિર્ભરતા અને સમૃદ્ધ જીવન તરફ દોરી જતો એક વિશ્વસનીય માર્ગ છે. રસાયણિક ખેતીથી પ્રાકૃતિક કૃષિ તરફના પોતાના પરિવર્તન વિશે વાત કરતા, ખસ ગામના ખેડૂત શ્રી ભરતભાઈ ડાભી જણાવે છે કે તેઓ વર્ષ ૨૦૧૯થી પોતાના ખેતરમાં પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે. તેઓ દૃઢતાપૂર્વક કહે છે કે પ્રાકૃતિક કૃષિએ ખરેખર તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન આણ્યું છે.
    1
    પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ પ્રાકૃતિક કૃષિને મળેલા પ્રોત્સાહનના પરિણામે દેશભરના ખેડૂતોમાં નવી આશાનો સંચાર થયો છે. બોટાદ જિલ્લાના બે ખેડૂતોની સાફલ્યગાથા આ વાતનો જીવંત પુરાવો છે કે પ્રાકૃતિક કૃષિ માત્ર ખેતીની પદ્ધતિ નથી, પરંતુ તે આત્મનિર્ભરતા અને સમૃદ્ધ જીવન તરફ દોરી જતો એક વિશ્વસનીય માર્ગ છે.

રસાયણિક ખેતીથી પ્રાકૃતિક કૃષિ તરફના પોતાના પરિવર્તન વિશે વાત કરતા, ખસ ગામના ખેડૂત શ્રી ભરતભાઈ ડાભી જણાવે છે કે તેઓ વર્ષ ૨૦૧૯થી પોતાના ખેતરમાં પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે. તેઓ દૃઢતાપૂર્વક કહે છે કે પ્રાકૃતિક કૃષિએ ખરેખર તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન આણ્યું છે.
    user_Asvin makwana
    Asvin makwana
    Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
    18 hrs ago
  • બોટાદ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવાને કારણે ખેડૂતોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. આ પદ્ધતિથી બે ખેડૂતો પ્રેરણાસ્ત્રોત બન્યા છે, જેમણે અન્ય ખેડૂતોને પણ આ દિશામાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા છે.
    1
    બોટાદ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવાને કારણે ખેડૂતોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. આ પદ્ધતિથી બે ખેડૂતો પ્રેરણાસ્ત્રોત બન્યા છે, જેમણે અન્ય ખેડૂતોને પણ આ દિશામાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા છે.
    user_ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    Botad, Gujarat•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.