આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે, ૨૧મી જૂનને સમગ્ર વિશ્વમાં સ્વાસ્થ્ય, શાંતિ અને એકતાનો સંદેશ આપતા તથા યોગને વિશ્વ સુધી લઈ જતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિ અને ઋષિમુનિઓની માનવજાતને આપેલી આ અનમોલ ભેટને વૈશ્વિક ફલક પર લાવવાના ઉમદા હેતુથી, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૪ માં સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભા સમક્ષ ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. વિશ્વના ૧૯૩ દેશોએ આ પ્રસ્તાવને સહમતિ આપી સ્વીકાર્યો હતો, જેના પરિણામે ત્યારથી દર વર્ષે ૨૧મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ની થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ ઉજવણી અંતર્ગત કાલોલ તાલુકાના શામળદેવી ગામ નજીક આવેલી શાંતિનિકેતન સ્કૂલમાં તાલુકા કક્ષાના ૧૨માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કાલોલ મામલતદાર વિકાસભાઇ પટેલ, કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા અને ઉપપ્રમુખ ગૌરાંગભાઈ દરજી, કાલોલ ભાજપ મંડળના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ, કાલોલ શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઇ પારેખ, ડો. યોગેશ પંડ્યા સહિત સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો તેમજ નગરના આગેવાનોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. યોગ પ્રશિક્ષકો દ્વારા ઉપસ્થિત સૌને વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓ કરાવવામાં આવી હતી. આ સામૂહિક યોગમાં ભાગ લઈને સૌએ તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ કર્યો હતો. કાલોલની એમજીએસ હાઈસ્કુલ અને સી બી ગર્લ્સ હાઈસ્કુલ સહિતની વિવિધ શાળા કોલેજોમાં પણ વિદ્યાર્થીઓએ યોગ, પ્રાણાયામ અને વિવિધ આસનો કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે, ૨૧મી જૂનને સમગ્ર વિશ્વમાં સ્વાસ્થ્ય, શાંતિ અને એકતાનો સંદેશ આપતા તથા યોગને વિશ્વ સુધી લઈ જતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિ અને ઋષિમુનિઓની માનવજાતને આપેલી આ અનમોલ ભેટને વૈશ્વિક ફલક પર લાવવાના ઉમદા હેતુથી, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૪ માં સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભા સમક્ષ ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. વિશ્વના ૧૯૩ દેશોએ આ પ્રસ્તાવને સહમતિ આપી સ્વીકાર્યો હતો, જેના પરિણામે ત્યારથી દર વર્ષે ૨૧મી
જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ની થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ ઉજવણી અંતર્ગત કાલોલ તાલુકાના શામળદેવી ગામ નજીક આવેલી શાંતિનિકેતન સ્કૂલમાં તાલુકા કક્ષાના ૧૨માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કાલોલ મામલતદાર વિકાસભાઇ પટેલ, કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા અને ઉપપ્રમુખ ગૌરાંગભાઈ દરજી, કાલોલ ભાજપ મંડળના પ્રમુખ
મહિદીપસિંહ ગોહિલ, કાલોલ શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઇ પારેખ, ડો. યોગેશ પંડ્યા સહિત સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો તેમજ નગરના આગેવાનોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. યોગ પ્રશિક્ષકો દ્વારા ઉપસ્થિત સૌને વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓ કરાવવામાં આવી હતી. આ સામૂહિક યોગમાં ભાગ લઈને સૌએ તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ કર્યો હતો. કાલોલની એમજીએસ હાઈસ્કુલ અને સી બી ગર્લ્સ હાઈસ્કુલ સહિતની વિવિધ શાળા કોલેજોમાં પણ વિદ્યાર્થીઓએ યોગ, પ્રાણાયામ અને વિવિધ આસનો કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી.
- પાવાગઢ ખાતે બનેલી કરુણ દુર્ઘટનામાં પોતાના સ્વજનો ગુમાવનાર પરિવારો માટે હાલોલ વહીવટી તંત્રએ સંવેદનશીલતા દાખવી છે. આજે હાલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે મૃતકોના પરિવારોને સરકારના નિયમ મુજબ મળવાપાત્ર આર્થિક સહાય વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત હાલોલ વહીવટી તંત્ર દ્વારા પ્રત્યેક મૃતકના આશ્રિત પરિવારને ₹4 લાખની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો. આ સહાય વિતરણ કાર્યક્રમમાં હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે શોકાતુર પરિવારોને સાંત્વના પાઠવી હતી. ધારાસભ્ય ઉપરાંત હાલોલના પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી (TDO), તાલુકા પંચાયત પ્રમુખ અને પાર્ટી પ્રમુખ સહિતના આગેવાનો અને અધિકારીઓ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. આ તમામ મહાનુભાવોની ઉપસ્થિતિમાં પીડિત પરિવારોને ચેક સુપરત કરીને વહીવટી તંત્રએ દુઃખની આ ઘડીમાં તેમની પડખે ઊભા રહેવાનો પ્રયાસ કર્યો.1
- વડોદરા શહેરમાં યોજાનારી રી-NEET પરીક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે. આ પરીક્ષામાં 6 હજારથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે, જે શહેરના 20 જુદા જુદા પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપશે. પરીક્ષા સુચારુ રૂપે અને સુરક્ષિત માહોલમાં સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા માટે, પોલીસ અને પ્રશાસન દ્વારા સઘન અને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.1
- વડોદરામાં યોજાનારી રી-NEET પરીક્ષા માટે વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે. શહેરના 20 પરીક્ષા કેન્દ્રો પર 6 હજારથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે, જેને ધ્યાનમાં રાખીને પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા અત્યંત કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.1
- વડોદરા જિલ્લાના બાજવા ખાતે રામાધણી ગ્રુપ અને જય ભીમ યુવા સંગઠન દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી હતી, જ્યાં સમાજસેવાના ઉમદા હેતુ સાથે પ્રથમ સમૂહલગ્નોત્સવનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે કુલ ૫ દીકરીઓના સમૂહલગ્ન સંપન્ન થયા હતા. આ આયોજનનો મુખ્ય હેતુ સમાજમાં સાદગીપૂર્ણ લગ્ન પ્રથાને પ્રોત્સાહન આપવા અને આર્થિક રીતે નબળા પરિવારોને લગ્ન ખર્ચમાં સહાયરૂપ થવાનો હતો. આ શુભ કાર્યક્રમમાં વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ, લખણ દરબાર, નરેન્દ્રસિંહ અણગઢ, નરેન્દ્ર રોહિત, ગિરીરાજસિંહ, બાજવા ગામના સરપંચ અને તાલુકા સભ્યો સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ નવદંપતીઓને આશીર્વાદ આપી સુખી દામ્પત્ય જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.1
- બામરોલી ખાતે સિકલ સેલ એનિમિયા નિદાન અને સારવાર કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવા કેન્દ્રના શુભારંભના પ્રથમ જ દિવસે 40 દર્દીઓને સારવાર પૂરી પાડવામાં આવી હતી.1
- છોટાઉદેપુર જિલ્લાનો વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ બોડેલી ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરમાં યોજાઈ હતી.1
- હાલોલમાં 21મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે, વી.એમ. સ્કૂલ કેમ્પસ ખાતે 20 થી 22 જૂન દરમિયાન વહેલી સવારે 5:30 થી 7:30 વાગ્યા સુધી નિશુલ્ક યોગ અને ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. 21મી જૂન એ વિશ્વની બે મહત્વપૂર્ણ અને અભૂતપૂર્વ ઘટનાઓનો સુવર્ણ દિવસ છે, જે સૃષ્ટિનો સૌથી લાંબો દિવસ અને વૈદિક સનાતન ધર્મનો અત્યંત પવિત્ર પર્વ એટલે કે યોગ દિવસ છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા યોગગુરુ યોગ ઋષિ એવા રામદેવજી મહારાજના પ્રચંડ, અથાક અને અભૂતપૂર્વ પ્રયાસોનું પરિણામ છે. ગયા વર્ષે લગભગ 173 દેશોએ 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ધામધૂમ, આનંદ અને ઉત્સાહથી ભવ્ય રીતે ઉજવણી કરી હતી, અને આ વર્ષે પણ તેનાથી વધુ દેશો ઉમંગ અને ઉત્સાહથી ઉજવણી કરી રહ્યા છે. જ્યારે આખું વિશ્વ યોગમય બની રહ્યું હોય, ત્યારે હાલોલ તાલુકો પણ પાછળ રહ્યો નથી. યોગગુરુ યોગ ઋષિ સ્વામી રામદેવજી મહારાજના આશીર્વાદ તથા પ્રેરણાથી, પતંજલિ યોગ સમિતિના લક્ષ્મણભાઈ ગુરવાણી તેમજ વી.એમ. સ્કૂલના અંગ્રેજી માધ્યમના આચાર્ય રજનીકાંત ધમાલ દ્વારા 20 થી 22 જૂન દરમિયાન સવારે 5:30 થી 7:30 કલાક સુધી વી.એમ. સ્કૂલ હાલોલના મેદાનમાં નિશુલ્ક યોગ અને ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આજે, 21મી જૂન રવિવારના રોજ, આ યોગ દિવસની ઉજવણીમાં હાલોલના તમામ બાળકો, યુવકો, યુવતીઓ, મહિલાઓ અને પુરુષોએ ભાગ લઈને સહભાગી થઈ પોતાના શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક લાભ મેળવ્યો હતો. આ ઉપરાંત, હાલોલના નગરના કણજરી રોડ પર આવેલી કલરવ સ્કૂલ ખાતે પણ આજે રવિવારના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પૂરી ધામધૂમથી અને આનંદ-ઉત્સાહના વાતાવરણમાં કરવામાં આવી હતી. જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રશિક્ષકો રેખાબેન શાહ, તેજસબેન પરીખ તેમજ સ્કૂલના શિક્ષક વિજયભાઈ અને તેમની ટીમ દ્વારા યોગ કરાવવામાં આવ્યો હતો. આ ઉજવણીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો હાજર રહ્યા હતા અને યોગ દિવસની ઉજવણી કરી હતી.1
- અરવલ્લીના વાસણીરેલ ગામમાં ભૂમાફિયાઓએ મહેસૂલ વિભાગના અધિકારીઓની મિલીભગતથી એક ચોંકાવનારો 'ભૂતિયા ખેલ' રચ્યો છે, જ્યાં ૫૩ વર્ષ પહેલાં અવસાન પામેલા એક વ્યક્તિના નામે આધારકાર્ડ બનાવી લાખોની જમીનનો સોદો કરી નાખવાનું કૌભાંડ સામે આવ્યું છે. સરકારી દસ્તાવેજો મુજબ, વાસણીરેલ ગામના ખેડૂત છગનભાઈ જીવણભાઈ પટેલનું અવસાન ૧૪ જાન્યુઆરી, ૧૯૭૨ના રોજ થયું હતું, જેનું પ્રમાણપત્ર કપડવંજ નગરપાલિકા દ્વારા અપાયું છે. તેમ છતાં, એપ્રિલ ૨૦૨૫માં, એટલે કે ભવિષ્યની તારીખમાં, આ મૃતક વ્યક્તિના નામે નકલી આધારકાર્ડ બનાવવામાં આવ્યું, જેમાં જન્મતારીખ ૦૧/૦૧/૧૯૭૧ દર્શાવવામાં આવી, જે તેમના મૃત્યુના એક વર્ષ પહેલાંનો જન્મ દર્શાવે છે. આ કૌભાંડમાં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે ૨૦૧૦ પછી શરૂ થયેલી આધારકાર્ડ સિસ્ટમમાં ૧૯૭૨માં અવસાન પામેલા વ્યક્તિનું આધારકાર્ડ કેવી રીતે બન્યું અને સબ-રજિસ્ટ્રાર કચેરીના સ્કેનરે આ 'ભૂતિયા' આંગળીઓના નિશાન કઈ રીતે સ્વીકારી લીધા? જમીન વેચવા માટે અમદાવાદના એક વ્યક્તિના નામે પાવર ઓફ એટર્ની કરવામાં આવી હતી, જેમાં સાક્ષી તરીકે ઠાસરા અને બાયડના એવા લોકો સામેલ હતા જેમને આ ગામ સાથે કોઈ સંબંધ નથી. આ કૌભાંડની વિચિત્રતા એ છે કે છગનભાઈના સાચા પ્રપૌત્ર રાજુભાઈ હાલ ૬૨ વર્ષના છે, જ્યારે નકલી દસ્તાવેજોમાં 'દાદા' છગનભાઈની ઉંમર માત્ર ૫૪ વર્ષ દર્શાવવામાં આવી છે. આ કૌભાંડને અંજામ આપવા માટે ૨૦ લાખ ૬૦ હજાર રૂપિયાના ચેકો પણ વટાવી લેવામાં આવ્યા છે. સૂત્રોના મતે, આ એકલો કિસ્સો નથી, પરંતુ આ સમગ્ર પંથકમાં આવા ૩૦ જેટલા બોગસ ખેડૂતો ઊભા કરીને જમીનો હડપવાનું એક મોટું સિન્ડિકેટ સક્રિય છે. યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ આ સમગ્ર કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ કરવાની અને જવાબદાર ભૂમાફિયાઓ તથા ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાયદાકીય પગલાં લેવાની માંગ કરી છે. જો આ 'ભૂતાવળ' સમાન સિન્ડિકેટ પર લગામ નહીં કસાય, તો આવનારા સમયમાં જીવતા ખેડૂતોએ પોતાની જમીન બચાવવા માટે 'હું જીવતો છું' તેવા પુરાવાઓ સાથે કચેરીઓના ધક્કા ખાવા પડશે તેવી ચેતવણી પણ અપાઈ છે. આ સમગ્ર ઘટના હાલ અરવલ્લી પંથકમાં મુખ્ય ચર્ચાનો વિષય બની છે અને લોકો વહીવટી તંત્ર આવા ભ્રષ્ટ જાદુગરો સામે કાયદાનો ડંડો પછાડશે કે નહીં તે અંગે સવાલો ઉઠાવી રહ્યા છે.3