*બગોદરા તારાપુર નેશનલ હાઇ વે પર કારની ઠોકરે ગાયને ગંભીર ઇજા પોહચતા જુનાગઢ ના પત્રકાર ભાવિન કિશોરભાઇ દવે ઘટના સ્થળે 2 કલાક હાજર રહી સારવાર કરવી.* *બગોદરા તારાપુર નેશનલ હાઇ વે પર કારની ઠોકરે ગાયને ગંભીર ઇજા પોહચતા જુનાગઢ ના પત્રકાર ભાવિન કિશોરભાઇ દવે ઘટના સ્થળે 2 કલાક હાજર રહી સારવાર કરવી.* જૂનાગઢ જિલ્લા ના જાણીતા પત્રકાર ભાવિન કિશોરભાઈ દવે કામ સંજોગ આણંદ જતા હોય તે દરમ્યાન આણંદ જિલ્લા ના તારાપુર ગામ નજીક આવેલ મયારી ગામ પાસે પસાર થતા બગોદરા તારાપુર નેશનલ હાઈ વે પર એક વેગનાર કાર અચાનક હાઈ વે પર ચડી આવતા ગાય અને કાર વચ્ચે જોરદાર ટક્કર લાગતા કાર માં બેઠલ મુસાફરો ને ઇજા થતાં 108 મારફત સારવાર હેઠળ ખસેડેલ હતા. ત્યારે ઇજાગ્રસ્ત બેભાન ગાય પર ભાવિન ભાઈ દવે દ્વારા પાણી નો છટકાવ કરી ગાય ભાન માં આવેલ પરંતુ ઇજાગ્રસ્ત થતા નેશનલ હાઇ વે પર વચ્ચે જ બેસી રહેતા ફરી અકસ્માત નો ભય દેખાતા તાત્કાલીક 1962 ગુજરાત પશુ સેવા હેલ્પલાઈન પર સંપર્ક કરેલ પરંતુ આ વિસ્તાર માં તેમની સેવા ન આવવા નું જણાવેલ જેથી પત્રકાર ભાવિન કિશોરભાઈ દવે દ્વારા પશુપાલન વિભાગ ગાંધીનગર માં અધિકારી સાથે સિક્સ લાઇન હાઇ વે પર અનેક વાહનો મારમ માર પસાર થતા હોય જેથી ગાય ને ફરી ટક્કર લાગી શકે અને બીજો અકસ્માત ન બને તેથી વાતચીત કરી અને સેવા ઉપલબ્ધ કરાવેલ ત્યારે બાદ નેશનલ હાઈ વે ઓથોરિટી સ્ટાફ ને જાણ કરેલ એ પણ ઘટના સ્થળે પોહચેલ તેમજ ગુજરાત પશુ હેલ્પલાઈન ના ડોકટર ની સાથે સતત સંપર્ક માં રહી અંદાજે દોઠ થી બે કલાક ની ભારે જહેમત બાદ ગાય ને સારવાર આપવી. આ તકે પત્રકાર ભાવિન દવે દ્વારા ગાય પ્રત્ય જીવદયા દાખવી સારવાર માટે ની વ્યવસ્થા કરેલ. પશુ વિભાગ અધિકારી એ પણ ઘટના સમજી સેવા માં ન આવતા વિસ્તારમાં પણ ડોકટર ટિમ ને મોકલી ફરક અદા કરેલ.તેવી યાદી કેવિન કાનાબાર દ્વારા આપવામાં આવી હતી
*બગોદરા તારાપુર નેશનલ હાઇ વે પર કારની ઠોકરે ગાયને ગંભીર ઇજા પોહચતા જુનાગઢ ના પત્રકાર ભાવિન કિશોરભાઇ દવે ઘટના સ્થળે 2 કલાક હાજર રહી સારવાર કરવી.* *બગોદરા તારાપુર નેશનલ હાઇ વે પર કારની ઠોકરે ગાયને ગંભીર ઇજા પોહચતા જુનાગઢ ના પત્રકાર ભાવિન કિશોરભાઇ દવે ઘટના સ્થળે 2 કલાક હાજર રહી સારવાર કરવી.* જૂનાગઢ જિલ્લા ના જાણીતા પત્રકાર ભાવિન કિશોરભાઈ દવે કામ સંજોગ આણંદ જતા હોય તે દરમ્યાન આણંદ જિલ્લા ના તારાપુર ગામ નજીક આવેલ મયારી ગામ પાસે પસાર થતા બગોદરા તારાપુર નેશનલ હાઈ વે પર એક વેગનાર કાર અચાનક હાઈ વે પર ચડી આવતા ગાય અને કાર વચ્ચે જોરદાર ટક્કર લાગતા કાર માં બેઠલ મુસાફરો ને ઇજા થતાં 108 મારફત સારવાર હેઠળ ખસેડેલ હતા. ત્યારે ઇજાગ્રસ્ત બેભાન ગાય પર ભાવિન ભાઈ દવે દ્વારા પાણી નો છટકાવ કરી ગાય ભાન માં આવેલ પરંતુ ઇજાગ્રસ્ત થતા નેશનલ હાઇ વે પર વચ્ચે જ બેસી રહેતા ફરી અકસ્માત નો ભય દેખાતા
તાત્કાલીક 1962 ગુજરાત પશુ સેવા હેલ્પલાઈન પર સંપર્ક કરેલ પરંતુ આ વિસ્તાર માં તેમની સેવા ન આવવા નું જણાવેલ જેથી પત્રકાર ભાવિન કિશોરભાઈ દવે દ્વારા પશુપાલન વિભાગ ગાંધીનગર માં અધિકારી સાથે સિક્સ લાઇન હાઇ વે પર અનેક વાહનો મારમ માર પસાર થતા હોય જેથી ગાય ને ફરી ટક્કર લાગી શકે અને બીજો અકસ્માત ન બને તેથી વાતચીત કરી અને સેવા ઉપલબ્ધ કરાવેલ ત્યારે બાદ નેશનલ હાઈ વે ઓથોરિટી સ્ટાફ ને જાણ કરેલ એ પણ ઘટના સ્થળે પોહચેલ તેમજ ગુજરાત પશુ હેલ્પલાઈન ના ડોકટર ની સાથે સતત સંપર્ક માં રહી અંદાજે દોઠ થી બે કલાક ની ભારે જહેમત બાદ ગાય ને સારવાર આપવી. આ તકે પત્રકાર ભાવિન દવે દ્વારા ગાય પ્રત્ય જીવદયા દાખવી સારવાર માટે ની વ્યવસ્થા કરેલ. પશુ વિભાગ અધિકારી એ પણ ઘટના સમજી સેવા માં ન આવતા વિસ્તારમાં પણ ડોકટર ટિમ ને મોકલી ફરક અદા કરેલ.તેવી યાદી કેવિન કાનાબાર દ્વારા આપવામાં આવી હતી
- જૂનાગઢમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા નકલી દૂધના રેકેટનો પર્દાફાશ : ક્રાઇમ બ્રાન્ચ અને ફૂડ વિભાગની મોટી કાર્યવાહી જૂનાગઢ : જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા તથા સમગ્ર ગુજરાત રાજ્યમાં નકલી દૂધ, ઘી અને પનીર બનાવતી અસામાજિક પ્રવૃત્તિઓ ડામી દેવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવેલ છે. આ જ સૂચનાઓના અનુસંધાનમાં જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમને ખાનગી બાતમીદારો દ્વારા ચોક્કસ હકીકત મળી હતી કે, જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામના ચાંદની ચોક વિસ્તારમાં રહેતો ઇકબાલ ઇબ્રાહિમ ચૌહાણ પોતાના રહેણાંક મકાને દૂધ બનાવવાનો પાવડર તથા પામોલીન તેલનો ઉપયોગ કરી નકલી દૂધ બનાવી રહ્યો છે અને તેનું વેચાણ કરે છે. આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ તથા ફૂડ ઇન્સ્પેક્ટરશ્રીની ટીમે સંયુક્ત રીતે બાતમીવાળી જગ્યાએ રેડ કરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપી ઇકબાલ ઇબ્રાહિમ ચૌહાણ હાજર મળી આવ્યો હતો અને તેના ઘરમાંથી નકલી દૂધ તેમજ દૂધ બનાવવાની સામગ્રીનો જથ્થો મળી આવ્યો હતો. પૂછપરછ દરમિયાન ચોંકાવનારા ખુલાસા: પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તે છેલ્લા ચાર-પાંચ મહિનાથી આ ગેરકાયદેસર ધંધો ચલાવે છે. તે મેંદરડા ખાતે આવેલા 'મયુર ટ્રેડર્સ' વાળા મહેશભાઈ પાસેથી પામોલીન તેલ અને દૂધનો પાવડર ખરીદતો હતો. ત્યારબાદ તેલ અને પાવડરમાં પાણી મિક્સ કરી મિક્સરમાં ઘટ્ટ બનાવી નકલી દૂધ તૈયાર કરતો હતો. આ ડુપ્લિકેટ દૂધને ઓરિજિનલ દૂધમાં ભેળવીને સવાર અને સાંજ મળીને દિવસના કુલ ૨૦ થી ૨૨ કેન (આશરે ૮૦૦ થી ૮૮૦ લીટર) નકલી દૂધ તૈયાર કરી નાગલપુર ગામે પ્રાઈવેટ ડેરી ચલાવતા ડાયાભાઈ રબારી તથા નાંદરખી ગામે પ્રાઈવેટ ડેરી ચલાવતા મિતુલભાઈ પટેલને વેચાણ કરતો હતો. આ ઉપરાંત, નાંદરખી ગામના મિતુલભાઈ પટેલ પાસે આજુબાજુના ગામોમાંથી રોજ સરેરાશ ૧૨૦૦ થી ૧૫૦૦ લીટર દૂધ ભેગું થતું હતું, જે તેઓ ઠંડુ કરી માળીયા ચીલિંગ સેન્ટરમાં મોકલતા હતા. તેમજ નાગલપુરના ડાયાભાઈ રબારી પાસે રોજ સરેરાશ ૧૫૦૦ થી ૨૦૦૦ લીટર દૂધ ભેગું થતું હતું, જે વાડલા ફાટક પાસે સોરઠ ડેરીમાં મોકલવામાં આવતું હતું. આ બાબતે ફૂડ ઇન્સ્પેક્ટરશ્રી દ્વારા બનાવટી દૂધના સેમ્પલ મેળવી એફ.એસ.એલ. (FSL) કચેરી ખાતે પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે અને જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સ્ટેશન ડાયરી નોંધ કરવામાં આવી છે.1
- નોકરીમાંથી નિવૃત્ત, સેવામાંથી નહીં! શિક્ષણ માટે સમર્પિત ધીરુભાઈ સાદરીયાની પ્રેરણાદાયી કહાની ૭૦ વર્ષની ઉંમરે પણ વિદ્યાર્થીઓના ઘડતર માટે સતત કાર્યરત નિવૃત્ત પ્રિન્સિપાલ ધીરુભાઈ સાદરીયા વંથલી: શિક્ષકની સાચી નિવૃત્તિ કાગળ પરની તારીખથી થતી નથી, પરંતુ જ્યારે જ્ઞાન વહેંચવાનું બંધ થાય ત્યારે થાય છે—આ વાતને સાર્થક કરી રહ્યા છે વંથલીનગર પંચાયત હાઈસ્કૂલના નિવૃત્ત પ્રિન્સિપાલ ધીરુભાઈ સાદરીયા. વર્ષ ૨૦૧૪માં નિવૃત્ત થયા બાદ પણ આજે ૭૦ વર્ષની ઉંમરે તેઓ શિક્ષણ અને વિદ્યાર્થીઓના ઘડતર સાથે સતત જોડાયેલા છે. શિક્ષણ ક્ષેત્રે પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર ધીરુભાઈએ અનેક પડકારો વચ્ચે અભ્યાસ પૂર્ણ કર્યો અને શિક્ષક તરીકે સેવા શરૂ કરી હતી. મોટી કુકાવાવની હાઈસ્કૂલમાં મનોવિજ્ઞાન વિષયના શિક્ષક તરીકે ફરજ બજાવ્યા બાદ વંથલીનગર હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે જવાબદારી સંભાળી હતી. આ દરમિયાન શિક્ષણ ઉપરાંત વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ વિકાસને પણ તેમણે વિશેષ મહત્વ આપ્યું. નિવૃત્તિ બાદ સામાન્ય રીતે લોકો પોતાની વ્યસ્તતા ઓછી કરે છે, પરંતુ ધીરુભાઈએ તેના વિપરીત શિક્ષણક્ષેત્ર સાથેનો નાતો વધુ મજબૂત કર્યો. સૌરાષ્ટ્રની વિવિધ શાળાઓ, કોલેજો અને શિક્ષણ સંસ્થાઓમાં જઈને પોતાના અનુભવો વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વહેંચી રહ્યા છે. તેમણે શિક્ષણને માત્ર પાઠ્યપુસ્તક પૂરતું મર્યાદિત રાખવાને બદલે વિચારશક્તિ, વ્યક્તિત્વ વિકાસ, મનોબળ અને જીવનમૂલ્યોના ઘડતર સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે. વિદ્યાર્થીઓને વાંચન તરફ વાળવા તેમજ જીવનમાં સકારાત્મક વિચારધારા વિકસાવવા માટે તેઓ સતત પ્રેરણા આપતા રહે છે. વિવિધ પુસ્તકોના વાંચન અને જીવનપ્રસંગોમાંથી પ્રેરણા મેળવીને યુવાનોને માર્ગદર્શન આપતા ધીરુભાઈનું માનવું છે કે મનુષ્યની અંદર રહેલી શક્તિઓ અને સંભાવનાઓને યોગ્ય દિશા મળે તો વ્યક્તિ જીવનમાં અનેક ઊંચાઈઓ સર કરી શકે છે. આજના ઝડપી બદલાતા સમયમાં બાળકો અને વાલીઓ વચ્ચેના સંબંધો, શિક્ષણ પ્રત્યેનો અભિગમ અને યુવાનોની વિચારસરણી જેવા મુદ્દાઓ અંગે પણ તેઓ ચિંતન કરે છે. પ્રવાસ, વાંચન અને પ્રકૃતિ સાથે જોડાયેલું જીવન તેમના જીવનનો મહત્વનો હિસ્સો છે. ધ્યાન ખેંચે તેવી વાત એ છે કે ઉંમર વધતી જાય છે તેમ તેમ તેમનો શિક્ષણ પ્રત્યેનો ઉત્સાહ ઘટવાને બદલે વધુ મજબૂત બન્યો છે. વિદ્યાર્થીઓને સતત મળતા રહેવું, તેમને સાંભળવું અને જીવનમાં યોગ્ય દિશા મળે તે માટે માર્ગદર્શન આપવું—આજે પણ તેમના જીવનનું મહત્વનું ધ્યેય છે. નિવૃત્ત પ્રિન્સિપાલમાંથી ‘હરતી-ફરતી શિક્ષણ સંસ્થા’ બનેલા ધીરુભાઈ સાદરીયા સાબિત કરે છે કે સાચો શિક્ષક વર્ગખંડમાંથી નિવૃત્ત થઈ શકે, પરંતુ શિક્ષણના કાર્યમાંથી ક્યારેય નહીં.1
- જુનાગઢ ઉપલા દાતાર ની ધાર્મિક જગ્યા ઉપરથી વરસાદ લાઈવ મેઘરાજાની જોરદાર બેટિંગ જુનાગઢ ઉપલા દાતાર ની ધાર્મિક જગ્યા ખાતે આજે વહેલી સવારથી ધોધમાર વરસાદનું આગમન થયું છે આજે વહેલી સવારથી ઉપલા દાતાર ની જગ્યા ઉપર ધોધમાર વરસાદ પડતા સીડી ઉપર પાણી ફરી વળ્યા હતા. રીપોર્ટ મેહુલ સિંગલ1
- ઉનાના રેવદ ગામે ધામધૂમથી ગણેશ સ્થાપના કરાઈ: મહિલાઓએ ધૂન અને ગરબા સાથે બાપ્પાનું સ્વાગત કર્યુ. ઉના તાલુકાના રેવદ ગામે સમસ્ત ગામ દ્વારા ગણેશ ચતુર્થીના પવિત્ર પર્વ નિમિત્તે ધામધૂમથી ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. ગણેશજીના આગમન પ્રસંગે ગામમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે ગામની મહિલાઓ એ ભક્તિભાવપૂર્વક ધૂન બોલાવી હતી. ત્યારબાદ મહિલાઓએ ગરબા રમીને ગણેશજીના આગમનને વધાવ્યું હતું. આખું વાતાવરણ 'ગણપતિ બાપ્પા મોરિયા'ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ગણેશજીના આગમન પ્રસંગે અબીલ -ગુલાલ ઉડાડવામાં આવ્યા હતા. ઢોલ-નગારાના તાલે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગણેશ સ્થાપના પ્રસંગે ગામના યુવાનો, મહિલાઓ અને બાળકો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. આયોજકોએ જણાવ્યું કે, આગામી દિવસોમાં પણ ગણેશ મહોત્સવ દરમિયાન અલગ અલગ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.1
- ઉપલેટા તાલુકાના ઢાંક ગામે આવેલું અતિ પૌરાણિક અને સ્વયંભૂ શ્રી સિદ્ધિવિનાયક ગણેશ મંદિર આજે આસ્થાનું મોટું કેન્દ્ર બન્યું એન્કર : રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઢાંક ગામે આવેલું અતિ પૌરાણિક અને સ્વયંભૂ શ્રી સિદ્ધિવિનાયક ગણેશ મંદિર આજે આસ્થાનું મોટું કેન્દ્ર બન્યું છે. વિઘ્નહર્તા ગણેશજીના આ ધામની સૌથી અનોખી વિશેષતા એ છે કે, અહીં ભક્તો પોતાની મનોકામના અને દુઃખ-દર્દ દૂર કરવા માટે બાપ્પાને ટપાલ લખે છે! આજે ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. આવો જોઈએ અમારો આ ખાસ અહેવાલ... વોઇસ : કુદરતી સૌંદર્ય અને શાંત વાતાવરણ વચ્ચે ઘેરાયેલું ઉપલેટા તાલુકાનું ઢાંક ગામ... અહીં બિરાજમાન સ્વયંભૂ શ્રી સિદ્ધિવિનાયક ગણેશજી સમગ્ર દેશ-વિદેશમાં શ્રદ્ધાળુઓ માટે અતૂટ આસ્થાનું કેન્દ્ર છે. વિઘ્નહર્તા તરીકે ઓળખાતા આ પૌરાણિક મંદિરમાં વર્ષો જૂની લોકવાયકા જોડાયેલી છે. જે ભક્તો મંદિરે રૂબરૂ દર્શન કરવા આવી શકતા નથી, તેઓ ફક્ત એક પત્ર એટલે કે ટપાલ લખીને ગણેશજીના ચરણે પોસ્ટ કરે છે. મંદિરના મહંત દ્વારા આ તમામ ટપાલો ગણેશજી સમક્ષ શ્રદ્ધાપૂર્વક વાંચી સંભળાવવામાં આવે છે. ભક્તોની અતૂટ શ્રદ્ધા છે કે આ પત્ર વાંચ્યા બાદ બાપ્પા તેમના તમામ કષ્ટો હરી લે છે અને મનોકામનાઓ પૂર્ણ કરે છે. આજે ગણેશ ચતુર્થી નિમિત્તે ઢાંક ગણેશ મંદિરે વિશેષ પૂજા-અર્ચના અને ધાર્મિક ઉત્સવોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દૂર-દૂરથી આવેલા હજારો શ્રદ્ધાળુઓએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તેમજ મંદિર પરિસરમાં પ્રસાદીનો લાભ લીધો હતો. સમગ્ર વાતાવરણ 'ગણપતિ બાપ્પા મોરિયા'ના નારાથી ગુંજી ઉઠ્યું છે :1
- ધારી હોસ્પિટલમાં બેડ ક્ષમતા 30થી વધીને 80 થશે: રૂ. 4.50 કરોડના ખર્ચે મળશે આધુનિક આરોગ્ય સેવાઓ ધારી હોસ્પિટલમાં બેડ ક્ષમતા 30થી વધીને 80 થશે: રૂ. 4.50 કરોડના ખર્ચે મળશે આધુનિક આરોગ્ય સેવાઓ1
- વડોદરાના આજવા રોડ પર ડર અને ભક્તિનો અનોખો સંગમ! શ્રીજી યુવક મંડળ દ્વારા 30 ફૂટ લાંબી હોરર ગુફા તૈયાર : ભૂતો અને ડરામણા દ્રશ્યો વચ્ચે લાઈવ હોરર શો, અંતે બાપ્પાના દર્શનથી મળશે શાંતિનો અનુભવ... વડોદરાના આજવા રોડ પર ડર અને ભક્તિનો અનોખો સંગમ! શ્રીજી યુવક મંડળ દ્વારા 30 ફૂટ લાંબી હોરર ગુફા તૈયાર : ભૂતો અને ડરામણા દ્રશ્યો વચ્ચે લાઈવ હોરર શો, અંતે બાપ્પાના દર્શનથી મળશે શાંતિનો અનુભવ...1
- જૂનાગઢ : ગિરનાર અને દાતારના પર્વતો પર ભારે વરસાદ વરસતા જૂનાગઢમાં ચોમાસાનો માહોલ જામ્યો છે. ભારે વરસાદના પગલે દામોદર કુંડ સહિત નદીઓમાં પાણી વહેવા લાગ્યું છે. વરસાદથી ગિરનાર-દાતાર પર્વત વિસ્તાર અને આસપાસના વિસ્તારોમાં ઠંડક પ્રસરી છે. રીપોર્ટ મેહુલ સિંગલ જૂનાગઢ1