Shuru
Apke Nagar Ki App…
ભાભર ખાતે PM કિસાન સન્માન નિધિ અંતર્ગત કિસાન ઉત્સવની ઉજવણી કરવામાં આવી.
વાધેલા પાંચાજી આર
ભાભર ખાતે PM કિસાન સન્માન નિધિ અંતર્ગત કિસાન ઉત્સવની ઉજવણી કરવામાં આવી.
More news from ગુજરાત and nearby areas
- વાવ થરાદ જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદના આગમનથી ખેડૂતો અત્યંત ખુશખુશાલ નજરે પડી રહ્યા છે.1
- ગુજરાતમાં અસાણા ખાતે સસ્તા અનાજની દુકાન ચલાવતા ઈશ્વરભાઈ મકવાણાનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં તેઓ એક ગ્રાહકને ઓછું અનાજ આપતા જોવા મળે છે. જ્યારે ગ્રાહકે તેમને પૂરતું અનાજ આપવા કહ્યું, ત્યારે ઈશ્વરભાઈ મકવાણાએ સ્પષ્ટ શબ્દોમાં 'આલવાનું નથી આલવાનું' કહીને અનાજ આપવાનો ઇનકાર કર્યો હતો.1
- સુરતમાં પાટીદાર સમાજની લોકગાયિકા રિદ્ધિ રાજપરાને લઈને એક મોટો વિવાદ ઊભો થયો છે. આ વિવાદને કારણે સોશિયલ મીડિયા પર ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ઘટનાના પગલે એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે સમાજ દ્વારા રિદ્ધિ રાજપરાને સ્ટેજ પર ‘નો એન્ટ્રી’ આપવાનો નિર્ણય લેવાયો છે. આ વિવાદની સાથે જ કડક કાયદા બનાવવાની માગ પણ ઉઠી છે.1
- બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાલનપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ, વાહનવ્યવહાર અને ક્લાયમેટ ચેન્જ રાજ્ય મંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને તથા રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના માર્ગદર્શન હેઠળ 'યોગ ફોર હેલ્ધી એજિંગ' થીમ સાથે કરવામાં આવી. આ પ્રસંગે રાજ્ય મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું કે, ૧૨ વર્ષ પહેલાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વિશ્વને યોગ વિષે ભવ્ય ઓળખ મળી હતી અને યુનાઇટેડ નેશન્સમાં તેમની અપીલ બાદ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સત્તાવાર જાહેરાત થઈ હતી. તેમણે ઉમેર્યું કે, આજે આ વૈશ્વિક અભિયાનને સફળતાપૂર્વક ૧૨ વર્ષ પૂર્ણ થયા છે અને વડાપ્રધાન દ્વારા પશ્ચિમ બંગાળની પવિત્ર ધરતી પરથી વર્ચ્યુઅલી માધ્યમથી સમગ્ર દેશને એકતાના તાંતણે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મંત્રીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, આજે વિશ્વભરમાં ૧૭૭થી વધુ દેશો આ યોગ દિવસની ઉજવણીમાં જોડાઈ રહ્યા છે, જે ભારત માટે ગૌરવની બાબત છે, અને ગુજરાતમાં મુખ્યમંત્રીના ગતિશીલ નેતૃત્વ હેઠળ દરેક જિલ્લામાં આ પર્વ ઉત્સાહપૂર્વક મનાવવામાં આવી રહ્યું છે. રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈએ આ પ્રસંગે જણાવ્યું કે, આજે સમગ્ર વિશ્વભરમાં યોગને શારીરિક અને માનસિક સુખાકારી માટે સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત થયું છે. આધુનિક જીવનશૈલીમાં સંતુલન લાવવા, સ્વસ્થ જીવન જીવવા અને સમગ્ર પૃથ્વી તથા માનવજાતિના કલ્યાણ માટે આ વર્ષે "Yoga for Healthy Ageing" (સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ) અને "સ્વસ્થ જીવન માટે યોગ" ના અનોખા સંદેશ સાથે આ ઉત્સવનું સફળ આયોજન કરાયું હતું. મંત્રી, સાંસદ, પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બે, નિવાસી અધિક જિલ્લા કલેકટર સી.પી.પટેલ સહિત જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ, વિવિધ વિભાગના કર્મચારીઓ, શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર ઉપસ્થિત રહી સામૂહિક યોગાભ્યાસ કરી શાંતિનો દિવ્ય અનુભવ કર્યો હતો.4
- પાલનપુરમાં રાજ્યના મંત્રી પ્રવીણભાઈ માળીની અધ્યક્ષતામાં “પી.એમ. કિસાન ઉત્સવ દિવસ સહ મિલેટ મેળો” સફળતાપૂર્વક સંપન્ન થયો. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના તારકેશ્વર ખાતેથી પીએમ-કિસાન યોજનાનો ૨૩મો હપ્તો દેશભરના જમીન ધારક ખેડૂતોના આધાર લિંક અને ડીબીટી ઇનેબલ ખાતામાં સીધો જમા કરવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં કુલ ૨.૪૫ લાખ ખેડૂતોને ૨૩મા હપ્તા તરીકે ₹૪૯.૦૮ કરોડની સહાય ચૂકવાઈ. આ કાર્યક્રમ, બનાસકાંઠાના ખેડૂતોમાં મિલેટના વાવેતરનો વિસ્તાર વધારવા અને મૂલ્ય વર્ધન દ્વારા આવક વધારવાની પ્રેરણા આપવાના હેતુથી પાલનપુરના નવા ગંજ બજાર સ્થિત 'ધી બનાસકાંઠા જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ' ખાતે યોજાયો હતો. જેમાં મંત્રી પ્રવીણભાઈ માળીની અધ્યક્ષતા અને પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. મંત્રી પ્રવીણભાઈ માળીએ આધુનિક પિયત પદ્ધતિઓ અપનાવવા હાકલ કરી હતી અને જણાવ્યું હતું કે, જે પ્રગતિશીલ ખેડૂતો તળાવ, નહેર કે ડેમના પાણીથી સિંચાઈ કરશે, તેમને પ્રોત્સાહન રૂપે સરકાર દ્વારા વધારાનું સ્પેશિયલ વીજ કનેક્શન આપવામાં આવશે. મંત્રી માળીએ જળ સંચય અને વરસાદી પાણીના રિચાર્જ પર ભાર મૂકતા ખેડૂતોને આ વર્ષે એકજૂટ થઈને વરસાદનું પાણી ફિલ્ટર કરી પોતાના જૂના ટ્યુબવેલ અને બોરવેલમાં ઉતારવા આહવાન કર્યું હતું. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે સિંચાઈ વ્યવસ્થા સુદ્રઢ કરવા લીધેલા ઐતિહાસિક નિર્ણયોની વિગતો આપતા જણાવ્યું કે, મુખ્ય પાઇપલાઇનની બંને બાજુ ૩ કિલોમીટરની મર્યાદામાં આવતા તળાવો ભરવાની નીતિમાં સુધારો કરીને હવે આ મર્યાદા ૭ કિલોમીટર સુધી વિસ્તારી દેવાઈ છે, જેથી વધુ તળાવો ભરી શકાશે. આ તળાવો ભરવા પૂરતા નથી, પરંતુ ખેડૂતો ત્યાંથી પોતાના ખેતર સુધી પાઇપલાઇન નાખીને ખેતી માટે પાણીનો સીધો ઉપયોગ કરી શકે તેવું આયોજન સરકાર દ્વારા કરાયું છે. તેમણે ડીસા તાલુકાના પ્રગતિશીલ ખેડૂતોનું ઉદાહરણ આપતા જણાવ્યું કે, તેમણે પરસ્પર સહયોગથી તળાવ પર ડીપી, મીટર રૂમ અને સીસીટીવી ગોઠવીને આધુનિક રિમોટ કંટ્રોલ સિસ્ટમ વિકસાવી છે, જેનાથી ખેડૂતો ઘરે બેઠા જ મોબાઈલથી મોટર ચાલુ કરી પાણી પોતાના ખેતર સુધી મેળવે છે. મંત્રીશ્રીએ ભૂગર્ભ જળની ગુણવત્તા (ક્ષાર, નાઈટ્રેટ, પોટેશિયમ અને સોડિયમયુક્ત) અને તેને ખેંચવાના ઊંચા ખર્ચ સામે તળાવના સપાટી પરના પાણીના ફાયદા સમજાવ્યા. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના 'ટીપે ટીપું પાણી બચાવવા'ના સંકલ્પને દોહરાવતા ખેડૂતોને ખુલ્લા પાણીથી પિયત પદ્ધતિ બંધ કરી માઈક્રો-ઈરીગેશન એટલે કે ફુવારા પદ્ધતિ અપનાવવા અપીલ કરી. તેમણે ઈઝરાયલ પદ્ધતિની જેમ પ્રેશરથી સીધું જ ફુવારા માટે પાણી આપવાનો એક આધુનિક પાયલોટ પ્રોજેક્ટ નક્કી થયાની જાણ કરી, જેનો લાભ દાંતીવાડાના કમાન્ડ એરિયા એટલે કે કેનાલ વિસ્તારના ખેડૂતોને ટૂંક સમયમાં મળશે. આ પ્રસંગે મંત્રી અને મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સહાય વિતરણ પણ કરાઈ હતી. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.2
- જિલ્લા કક્ષાએ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરે યોગના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે યોગ માત્ર શારીરિક વ્યાયામ નથી, પરંતુ શરીર, મન અને ચેતનાના સુભગ સમન્વયની એક સંપૂર્ણ જીવનશૈલી છે.1
- વન અને પર્યાવરણ, વાહનવ્યવહાર અને ક્લાયમેન્ટ ચેન્જ મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી દ્વારા જગોસર તળાવનું લોકાર્પણ કરવામાં આવ્યું.1
- બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના અસાણા ગામમાં આવેલી કંટ્રોલ (રેશન) દુકાનમાં લાભાર્થીઓને નિયમ મુજબનું સંપૂર્ણ અનાજ આપવામાં આવતું નથી. અહીં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને તેમના હક કરતાં ઓછું અનાજ આપવામાં આવી રહ્યું છે, જેના કારણે તેમને અન્યાયનો સામનો કરવો પડી રહ્યો છે. આ પ્રકારની અનિયમિતતા સામે લડવા માટે એક જાગૃત નાગરિકે વીડિયો ઉતાર્યો છે. જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે જ્યાં પણ આવી ઘટનાઓ બનતી હોય, ત્યાં દરેક નાગરિકે આવા વીડિયો ઉતારીને ગરીબોને પૂરતું અનાજ મળી રહે તે સુનિશ્ચિત કરવું જોઈએ. આ વીડિયો સંબંધિત અધિકારીઓને ફોરવર્ડ કરવા અથવા જનરલ ગ્રુપમાં શેર કરવા વિનંતી કરવામાં આવી છે. સંબંધિત અધિકારીઓને પણ નમ્ર વિનંતી કરાઈ છે કે આ બાબતની તાત્કાલિક તપાસ કરીને જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને તમામ લાભાર્થીઓને તેમનો હકનો જથ્થો સંપૂર્ણ આપવામાં આવે. આ મામલે ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે ગરીબોના હકનું અનાજ ગરીબોને જ મળવું જોઈએ, અને તેમાં કોઈ પણ પ્રકારની કપાત સ્વીકાર્ય નથી.1