Shuru
Apke Nagar Ki App…
ભરૂચમાં ચાંદીપુરા વાયરસનો ખતરો તોળાઈ રહ્યો છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સિવિલ હોસ્પિટલ સંપૂર્ણપણે સજ્જ થઈ ગઈ છે અને હોસ્પિટલમાં એક ખાસ વોર્ડ પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે.
Gujarat Introverted day
ભરૂચમાં ચાંદીપુરા વાયરસનો ખતરો તોળાઈ રહ્યો છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સિવિલ હોસ્પિટલ સંપૂર્ણપણે સજ્જ થઈ ગઈ છે અને હોસ્પિટલમાં એક ખાસ વોર્ડ પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે.
More news from ગુજરાત and nearby areas
- ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે VHP અધ્યક્ષ આલોક કુમારે સંતો સાથે એક બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન તેમણે ડ્રગ્સના મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.1
- વિશ્વ હિંદુ પરિષદ (VHP) ના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારે સુરતની મુલાકાત દરમિયાન એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદને સંબોધિત કરી છે. તેઓ સંગઠનાત્મક પ્રવાસ અંતર્ગત ત્રણ દિવસીય દક્ષિણ ગુજરાતના પ્રવાસે સુરત પહોંચ્યા છે. સુરતમાં લાંબા સમય બાદ વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષની આવી કોઈ મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ છે. દિલ્હી ગેટ સ્થિત VHP કાર્યાલય ખાતે આલોક કુમારની અધ્યક્ષતામાં આ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ મીડિયા સંબોધન દરમિયાન અધ્યક્ષ આલોક કુમાર દ્વારા રામ મંદિરમાં થયેલ ચોરી બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ તેમણે લવ જિહાદના મુદ્દા પર પણ પોતાનું નિવેદન આપ્યું છે.1
- સૂરત ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીઝ ઓથોરિટી (DLSA) દ્વારા સૂરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં નેશનલ લોક અદાલતનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમ સૂરતના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ અને DLSA ના ચેરમેન શ્રી રાહુલ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયો હતો. લોક અદાલત દરમિયાન લાંબા સમયથી પેન્ડિંગ કેસોના ઝડપી અને પરસ્પર સંમતિથી નિકાલ માટે ખાસ પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ આયોજન અંતર્ગત મોટર એક્સિડેન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ અને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ સાથે જોડાયેલા 50થી વધુ કેસોનો બંને પક્ષોની સંમતિથી સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો છે.1
- આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના વટાદરા ખાતે આવેલી શ્રી કે. એસ. શાહ પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે ૧૧/૦૭/૨૦૨૬ (શનિવાર) ના રોજ "વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ" તથા સ્વચ્છતા રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓના ઉત્સાહ, અનોખી પ્રતિભા અને શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવીને તેમનું ગૌરવપૂર્ણ સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન કાર્યક્રમની સાથે જ ગામમાં એક વિશેષ સ્વચ્છતા રેલી પણ કાઢવામાં આવી હતી, જેના દ્વારા સમગ્ર ગામમાં "સ્વચ્છતા જ સેવા"નો પ્રેરણાદાયી સંદેશ આપીને સ્વચ્છ અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. શાળાનો આ ભગીરથ પ્રયાસ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવાની સાથે સાથે સામાજિક જવાબદારીની ભાવના પણ વિકસાવે છે. આવા શ્રેષ્ઠ આયોજન બદલ શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ, આયોજકો અને સહભાગી બનેલા તમામ વિદ્યાર્થીઓ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે, કારણ કે વિદ્યાર્થીઓનું સન્માન એ જ ઉજ્જવળ ભવિષ્યનું સન્માન છે.3
- બનારસ પોતાની વિશ્વપ્રસિદ્ધ બનારસી સાડીઓ, ગુલાબી મીનાકારી અને લાકડાના રમકડાં માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. હવે અહીંના સ્થાનિક કારીગરોને એક નવી અને ભવ્ય ઓળખ મળવા જઈ રહી છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના દૂરદર્શી નેતૃત્વ હેઠળ, બનારસમાં એક અત્યંત શાનદાર 'યુનિટી મોલ' (Unity Mall) નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ કોઈ સામાન્ય મોલ નહીં હોય, પરંતુ અહીં દેશભરના 'વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ' (ODOP) અને બનારસની તમામ સ્થાનિક હસ્તકળાઓ માટે એક જ છત નીચે સૌથી મોટું બજાર સજશે. આ ભવ્ય પહેલના કારણે વિશ્વભરમાંથી આવતા પ્રવાસીઓ હવે કોઈપણ વચેટિયા વિના સીધા જ સ્થાનિક કારીગરો પાસેથી તેમની અદભુત કળા ખરીદી શકશે. આ આત્મનિર્ભર બની રહેલી કાશીની એક નવી ઉડાન છે. હર હર મહાદેવ!1
- ભરૂચના આંબેડકર હોલ ખાતે 'શિક્ષણની પરબ' શરૂ કરવામાં આવી છે. આ વિશેષ પહેલ દ્વારા વિદ્યાર્થીઓને ખૂબ જ મોટી મદદ મળી રહી છે, જે તેમના શિક્ષણ માટે ઉપયોગી સાબિત થઈ રહી છે.1
- સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા રાજમહેલ મોલમાં થયેલી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. પૈસાની લેતીદેતીની બાબતમાં મિત્રોએ જ આ મોતનું કાવતરું ઘડ્યું હોવાનું સામે આવ્યું છે. આ ગુનામાં સામેલ 3 આરોપીઓની ધરપકડ કરીને તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.1