Shuru
Apke Nagar Ki App…
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ગઢડીયા ગામે 70 વર્ષીય વૃદ્ધ માવજી ગાંડા કાગડિયાનો કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પરિવારજનોએ આ ઘટનાને લઈને હત્યાની આશંકા વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા મુજબ, મૃતકના માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા હોવાની સંભાવના છે. મૃતદેહ ઘરની પથારીમાંથી મળી આવતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ જસદણ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. હાલ પોલીસે વિવિધ દિશાઓમાં તપાસ શરૂ કરી છે, અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ તથા પોલીસ તપાસ બાદ જ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.
કિશન પ્રજાપતી પત્રકાર જસદણ
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ગઢડીયા ગામે 70 વર્ષીય વૃદ્ધ માવજી ગાંડા કાગડિયાનો કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પરિવારજનોએ આ ઘટનાને લઈને હત્યાની આશંકા વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા મુજબ, મૃતકના માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા હોવાની સંભાવના છે. મૃતદેહ ઘરની પથારીમાંથી મળી આવતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ જસદણ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. હાલ પોલીસે વિવિધ દિશાઓમાં તપાસ શરૂ કરી છે, અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ તથા પોલીસ તપાસ બાદ જ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.
More news from ગુજરાત and nearby areas
- જસદણ તાલુકાના આટકોટ ગોચરમાં વહીવટીતંત્ર દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આટકોટના નવા ગામ તળ પર આવેલી આશરે ૨૦ વીઘા જમીન પર દબાણ થયું હતું, જે વાસ્તવમાં ગરીબ લોકોને ૧૦૦ ચોરસ વારના પ્લોટ ફાળવવા માટે હતી. તંત્ર દ્વારા આ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવતા, જમીન પર દબાણ કરનારાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. વહીવટીતંત્ર દ્વારા આટકોટ ગોચરમાં થયેલું દબાણ સફળતાપૂર્વક હટાવી દેવામાં આવ્યું છે.4
- આજે સમગ્ર દેશમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે બોટાદ જિલ્લામાં પણ જિલ્લા કક્ષાએ યોગ દિવસની વિશેષ ઉજવણીનું આયોજન કરાયું હતું. બોટાદ શહેરની સરકારી હાઈસ્કૂલ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનપ્રતિનિધિઓ, અધિકારીઓ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ અવસરે સૌએ યોગના મહત્વ અંગે સંદેશ આપી યોગના ફાયદાઓ પર ભાર મૂક્યો હતો.1
- બોટાદ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીમાં 75 હજારથી વધુ લોકોએ યોગાભ્યાસ કર્યો હતો. જિલ્લામાં કુલ 250થી વધુ સ્થળોએ આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.1
- અમરેલી સાયબર ક્રાઈમ પોલીસે એક સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે, જેમાં માત્ર ₹950 ના એક નાના ફ્રોડની તપાસ કરતાં દેશવ્યાપી ₹31 કરોડનું મ્યુલ અકાઉન્ટ કૌભાંડ સામે આવ્યું છે. આ મોટા કૌભાંડના સંબંધમાં બે આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.1
- અમરેલી, તા. ૨૧ જૂન, ૨૦૨૬ (રવિવાર) ના રોજ, અમરેલી જિલ્લામાં ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ઊર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને અમરેલી શહેર ખાતે જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો. ‘યોગા ફોર હેલ્ધી એજિંગ’ એટલે કે ‘સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ’ ના સંકલ્પ સાથે, મોટી સંખ્યામાં નાગરિકોએ સામૂહિક યોગાભ્યાસ કરીને સ્વસ્થ જીવન જીવવાનો સંકલ્પ લીધો. આ કાર્યક્રમમાં ૩૨૦૦થી વધુ સહભાગીઓએ ઉત્સાહભેર યોગ કર્યો હતો. જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.જે. જાડેજા, અને પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સહિત જિલ્લાના અનેક અધિકારીશ્રીઓએ યોગઅભ્યાસ કર્યો હતો. આ પ્રસંગે કોલકત્તા ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીનું તેમજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી રાજ્ય કક્ષાની ઉજવણીનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યયોગ બોર્ડના અમરેલી જિલ્લાના કોર્ડિનેટરશ્રી સાગર મહેતા અને યોગ શિક્ષકોની ટીમે ઉપસ્થિત યોગઅભ્યાસુઓને યોગ અભ્યાસ કરાવ્યો હતો. આ વર્ષની આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ ‘યોગા ફોર હેલ્ધી એજિંગ’ એટલે કે ‘સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ’ રાખવામાં આવી હતી, જે વધતી ઉંમર સાથે શરીર અને મનને તંદુરસ્ત, સક્રિય અને સંતુલિત રાખવામાં યોગના મહત્વ પર ભાર મૂકે છે. નિયમિત યોગાભ્યાસથી શરીરની લવચીકતા વધે છે, સ્નાયુઓ અને સાંધાઓ મજબૂત બને છે, શ્વસનતંત્રની કાર્યક્ષમતા સુધરે છે તેમજ માનસિક શાંતિ અને સકારાત્મકતા પ્રાપ્ત થાય છે. યોગ દ્વારા તણાવ, ચિંતા અને થાકમાં રાહત મળે છે, પ્રાણાયામ અને ધ્યાનથી એકાગ્રતા વધે છે, ઊંઘની ગુણવત્તા સુધરે છે તથા જીવનશૈલી સંબંધિત વિવિધ સમસ્યાઓના નિવારણમાં પણ સહાય મળે છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે યોગ દૈનિક જીવનમાં સ્વાવલંબન, સ્ફૂર્તિ અને આત્મવિશ્વાસ જાળવવાનું એક અસરકારક માધ્યમ છે. યોગાભ્યાસ દરમિયાન તાલીમબદ્ધ યોગ નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ સામાન્ય યોગ પ્રોટોકોલ મુજબ વિવિધ આસનો, પ્રાણાયામ અને ધ્યાન કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખશ્રી વૈશાલી બહેન માંગરોળીયા, શ્રી અતુલભાઈ કાનાણી, શ્રી મયૂરભાઈ માંજરીયા, શ્રી વિજયભાઈ ચોટલીયા, પ્રાંત અધિકારીશ્રી અમરેલી નાકિયા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ગોહિલ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી ગોહિલ, યુવા વિકાસ અધિકારીશ્રી વિક્રમસિંહ પરમાર, પ્રાંત યુવા અધિકાશ્રી કુરેશી, જિલ્લા રમતવિકાસ અધિકારીશ્રી પૂનમ બહેન ફૂમકીયા, જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ, વિદ્યાસભાના કેમ્પસ ડાયરેક્ટરશ્રી વસંતભાઈ પેથાણી અને અન્ય શહેરીજનો, વિદ્યાર્થીઓ, તથા વિવિધ સંસ્થાઓના યોગઅભ્યાસુઓ પણ જોડાયા હતા. ઉપસ્થિત સૌએ યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવી સ્વસ્થ, સક્રિય અને સુખમય જીવન જીવવાનો સંકલ્પ લીધો હતો.1
- આગામી સમયમાં મોહરમ તાજીયા અને હિંદુ તહેવારોની ઉજવણી પૂર્વે, બોટાદ શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલમાં બોટાદ ટાઉનના નવનિયુક્ત પીઆઇ વસાવા સહિત પીએસઆઇ, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલનો સ્ટાફ સામેલ હતો. તેમણે બોટાદના ટાવર રોડ, શાક માર્કેટ વિસ્તાર, આવડા ગેટ અને ભાવનગર સર્કલ સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. આ ફૂટ પેટ્રોલિંગનો મુખ્ય હેતુ શહેરના તમામ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાનો હતો, જેથી ધાર્મિક તહેવારો અને ઉત્સવોની ઉજવણી અનુશાસનમાં થઈ શકે. આ દરમિયાન, લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે પણ સૂચિત કરવામાં આવ્યા હતા. નવનિયુક્ત ટાઉન પીઆઇ વસાવા અને ટાઉન પોલીસ સ્ટાફ દ્વારા આયોજિત આ ફૂટ પેટ્રોલિંગ દ્વારા ધાર્મિક તહેવારોની ઉજવણી પૂર્વે વિસ્તારોનું નિરીક્ષણ કરીને શાંતિપૂર્ણ માહોલ જાળવવા પ્રયાસ કરવામાં આવ્યો.1
- આજે સમગ્ર દેશમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે બોટાદ શહેરમાં પણ સરકારી હાઈસ્કૂલ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનપ્રતિનિધિઓ, અધિકારીઓ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને યોગના મહત્વ અંગેનો સંદેશ સૌને પહોંચાડ્યો હતો.1
- જુનાગઢમાં ગ્રોફેડ પાસેના જર્જરીત ક્વાર્ટર નજીક 13 સિંહોએ શિકારની મોજ માણી, જેના અનેક વીડિયો વાયરલ થયા છે. આ ઘટના ફરી એકવાર સિંહોના ગેરકાયદેસર દર્શનનો મુદ્દો ઉઠાવે છે. સવાલ એ ઊભો થાય છે કે આ નિર્જન અને અવવારી જગ્યાએ સિંહોએ મારણ કર્યું તેની અનેક લોકોને કેવી રીતે ખબર પડી. માનવામાં આવે છે કે સિંહો દરરોજ આ જગ્યાએ આવે છે અને તેમને જોવા માટે અનેક લોકો પણ અહીં પહોંચે છે. આ સમગ્ર ગેરકાયદેસર સિંહ દર્શન વન વિભાગની આંખ નીચે ચાલી રહ્યું હોવા છતાં, કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. લોકો જર્જરીત ક્વાર્ટરમાં બેસીને સિંહ દર્શન કરતા હોય છે, ત્યારે ક્યારેક કોઈ અઘટિત ઘટના ન બને તે માટે સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે.4