Shuru
Apke Nagar Ki App…
सिरोही जिले में गांव जैला में हॉस्पिटल मेडिकल है
राजनीतिक युवा संगठन
सिरोही जिले में गांव जैला में हॉस्पिटल मेडिकल है
More news from ગુજરાત and nearby areas
- હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારના પાવાગઢ રોડ ફુટપાથ પરથી અપહરણ થયેલબાળક શોધી કાઢતી પંચમહાલ જિલ્લા પોલીસ1
- આમોદ તાલુકાના અનેક ગામડાઓના ખેડૂતો તાકીદના પાણી માટે સંઘર્ષ કરી રહ્યા છે. મુખ્ય નહેર, જે રોજા ટંકારીયા ગામ પાસેથી પસાર થઈને આછોદ, મછાસરા, હેતમપુરા, વલીપોર, માંગરોલ, દેણવા સહિતના ગામડાઓને જોડે છે, આજકાલ ઝાડ, ઝાંખર અને ગાદથી ભરાઈ જંગલ જેવી હાલતમાં પહોંચી ગઈ છે. નહેર સાફસફાઈ ન થવાના કારણે પાણીનો પ્રવાહ પૂરતા પ્રમાણમાં પહોંચતો નથી, અને ખેડૂતોના પાકો સુકાઈ રહ્યા છે. હજારો એકર જમીન સિંચાઈની કમીથી જોખમમાં આવી છે, જે ખેડૂતોની રોજબરોજની આર્થિક અને માનસિક સ્થિતિને ગંભીર અસર પહોંચાડી રહી છે. ખેડૂતો ઘણીવાર લેખિત અને મૌખિક રજૂઆતો આપી ચુક્યા હોવા છતાં નહેર વિભાગ તરફથી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. નહેરની જાળવણી માટે ફાળવાયેલા બજેટ અને જમીન પરની હકીકત વચ્ચે મોટો તફાવત જોવા મળે છે. સ્થાનિક મજૂરો જણાવે છે કે નહેર સાફ કરવા માટે ફાળવવામાં આવેલ દર અત્યંત ઓછો છે, જેના કારણે કામ શક્ય નથી. ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો આગામી ચાર–પાંચ દિવસમાં પાણી પૂરતું પ્રમાણમાં ન મળે, તો તેઓ ઉગ્ર આંદોલન માટે રસ્તા પર ઉતરશે. તેઓ પાલિકા, જિલ્લા અને રાજ્યના સંબંધિત વિભાગોને આવેદન પાઠવી રહ્યા છે અને સમયસર પગલાં ન લેવાય તો ઊભી થનારી ગંભીર પરિસ્થિતિ માટે સમગ્ર જવાબદારી નહેર વિભાગ અને સંબંધિત અધિકારીઓની રહેશે. આમોદના ગામડાઓમાંથી ઊઠેલા આક્રોશ હવે માત્ર ફરિયાદ નહીં, પરંતુ તંત્ર સામે ખુલ્લો પડકાર બની ગયો છે.1
- કઠલાલ પબ્લિક સ્કૂલમાં 'સ્કોલર સર્ચ ટેલેન્ટ એક્ઝામ' યોજાઈ: પીઠાઇ, લાલ માંડવા સહિતના ગામોના ૯૦થી વધુ વિદ્યાર્થીઓ સહભાગી કઠલાલ: કઠલાલ સ્થિત કઠલાલ પબ્લિક સ્કૂલ ખાતે આજરોજ વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા અને તેમની બૌદ્ધિક ક્ષમતાને ચકાસવાના ઉમદા હેતુથી 'સ્કોલર ટેલેન્ટ સર્ચ એક્ઝામ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષાનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને તેમને ભવિષ્યની મોટી પરીક્ષાઓ માટે અત્યારથી જ સજ્જ કરવાનો હતો. આ પરીક્ષામાં કઠલાલ શહેર ઉપરાંત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો જેવા કે દહીંઅપ, વડથલ, અનારા, પીઠાઇ, તોરણા, રુદણ, લાલ માંડવા અને જાળીયાના ૯૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સમગ્ર પરીક્ષા સંપૂર્ણ શિસ્તબદ્ધ વાતાવરણમાં સંપન્ન થઈ હતી. પરીક્ષા બાદ શાળા દ્વારા તમામ વિદ્યાર્થીઓ માટે નાસ્તાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. શાળાના ટ્રસ્ટી મંડળ, આચાર્ય અને શિક્ષકગણે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શાળા દ્વારા હાથ ધરાયેલા આ નવતર પ્રયોગને વાલીઓએ પણ બિરદાવ્યો હતો. વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ4
- આજરોજ કઠલાલ કપડવંજના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા નો લોક દરબાર નો કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાયો... કઠલાલના સર્કિટ હાઉસ ખાતે કપડવંજ કઠલાલ ના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાએ નક્કી કર્યા મુજબ દર રવિવારે સવારે 9 થી એક દરમિયાન લોકજાગૃતિ માટે અને લોકોના પ્રશ્નો નિવારણ માટે રૂબરૂ મુલાકાત થાય અને અમુક પ્રશ્નોનું સ્થળ ઉપર જ નિવારણ થાય તે માટે ભવ્ય આયોજન કર્યું. આજરોજ કઠલાલ નગર તેમજ કઠલાલ તાલુકાના 110 થી વધારે લોકોના પ્રશ્નો ને ન્યાય આપવા ઘનિષ્ઠ પ્રયત્ન કરવામાં આવ્યા જેમાં રોડ/ રસ્તા/ પાણી /જમીન/રેવન્યુ ને લગતા કાર્યો તેમજ વિદ્યુત બોર્ડ ને લગતા પ્રશ્નો ની રજૂઆત લોકો દ્વારા કરવામાં આવી આ પ્રસંગે ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાએ લાગતાવળતા અધિકારીઓને રૂબરૂ તેમ જ ફોન ઉપર ચર્ચા કરી આ પ્રશ્નો નિરાકરણ ત્વરિત કરી દેવામાં આવે તે માટે યોગ્ય માર્ગદર્શન આપ્યું તેમજ વિવિધ પ્રશ્નો લઈ આવેલા દરેક વ્યક્તિઓને આશ્વાસન આપવામાં આવ્યું ખેડૂતોને લગતા પ્રશ્નોને અગ્રીમતા આપવામાં આવી તેમજ લોકોની વેદના જેના હૈયે વસેલી છે તેવા ધારાસભ્યશ્રીના આવા શનિષ્ટ કાર્ય બદલ લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી આ પ્રશ્નોનો ત્વરિત નિર્ણય આવી જશે તેવા તમામ પ્રયત્નો હું કરીશ તેવી હૈયાધારણા તેઓએ નગરજનોને આપી હતી આમ લગભગ છ કલાક જેટલો સમય લોકો જોડે પ્રશ્નોની ચર્ચા કરી તેને યોગ્ય નિર્ણય આપવા અને દર રવિવારે કઠલાલ કપડવંજ બંને તાલુકાના પ્રશ્નોને વાચા આપવા તેઓએ ખાતરી આપી હતી જેથી લોકોને પડતી અગવડ દૂર થાય તેમજ તેમની સુખાકારી જળવાઈ તે બાબતે પ્રત્યક્ષ રીતે ધ્યાન આપવામાં આવશે તેવું તેઓએ જણાવ્યું હતું1
- Post by Alpesh Chauhan1
- પાનોલીમાં અંધશ્રદ્ધાના બહાને રૂ. ૨૭.૪૮ લાખની છેતરપિંડી1
- કઠલાલ: ઉતરાયણ પર્વ નિમિત્તે પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ, ચાઈનીઝ દોરીના ઉપયોગ પર પ્રતિબંધની તાકીદ કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ. જી.એન. પરમારની અધ્યક્ષતામાં ઉતરાયણ પર્વને લઈ શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં શહેરના વિવિધ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. તહેવાર દરમિયાન શહેરમાં શાંતિ અને કોમી એખલાસ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ખાસ તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવ્યો હતો. બેઠકમાં ડીજેના અવાજ અને સમય મર્યાદા અંગે તેમજ જીવલેણ ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા અંગે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. પોલીસે નાગરિકોને કાયદાનું પાલન કરી સુરક્ષિત રીતે ઉતરાયણની ઉજવણી કરવા અપીલ કરી હતી. વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ4
- ઉતરાયણ પૂર્વે શ્રી શંકર ચેરીટેબલ ટ્રસ્ટનું સેવાકાર્ય 300થી વધુ સેફટીતારનું વિતરણ1
- Post by BHARAT NEWS1