દાહોદ નગરપાલિકા દ્વારા દાહોદ શહેરને સ્વચ્છ રાખવા અને સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અપીલ કરાઈ દાહોદનગરપાલિકા દ્વારા દાહોદ શહેરને સ્વચ્છ રાખવા અને સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અપીલ કરાઈ આજે તારીખ 21/04/2026 મંગળવારના રોજ સવારે 10 કલાકે આપેલ માહિતી અનુસાર દાહોદ નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને પર્યાવરણમિત્ર બનાવવાના હેતુસર નાગરિકોને મહત્વપૂર્ણ અપીલ કરવામાં આવી છે. નગરપાલિકા દ્વારા ખાસ કરીને સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને સ્વચ્છતા જાળવવા માટે સહયોગ આપવા અનુરોધ કર્યો છે. નગરપાલિકાના જણાવ્યા અનુસાર, પ્લાસ્ટિકનો વધતો ઉપયોગ પર્યાવરણ માટે ગંભીર ખતરો બની રહ્યો છે. નાળા-ગટરમાં અવરોધ ઉભો થવો, પશુઓના આરોગ્ય પર અસર અને પ્રદૂષણમાં વધારો જેવી સમસ્યાઓ સર્જાય છે. તેથી નાગરિકોને કપડાના થેલા, કાગળના બેગ અને અન્ય પુનઃઉપયોગ કરી શકાય તેવી વસ્તુઓનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. સાથે સાથે શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે કચરો નિર્ધારિત સ્થળે જ નાખવો, ગંદકી ન ફેલાવવી અને નગરપાલિકાના નિયમોનું પાલન કરવું જરૂરી છે. દાહોદ નગરપાલિકાએ જણાવ્યું છે કે, સ્વચ્છ શહેર બનાવવા માટે દરેક નાગરિકની ભાગીદારી અનિવાર્ય છે.
દાહોદ નગરપાલિકા દ્વારા દાહોદ શહેરને સ્વચ્છ રાખવા અને સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અપીલ કરાઈ દાહોદનગરપાલિકા દ્વારા દાહોદ શહેરને સ્વચ્છ રાખવા અને સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અપીલ કરાઈ આજે તારીખ 21/04/2026 મંગળવારના રોજ સવારે 10 કલાકે આપેલ માહિતી અનુસાર દાહોદ નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને પર્યાવરણમિત્ર બનાવવાના હેતુસર નાગરિકોને મહત્વપૂર્ણ અપીલ કરવામાં આવી છે. નગરપાલિકા દ્વારા ખાસ કરીને સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને સ્વચ્છતા જાળવવા માટે સહયોગ આપવા અનુરોધ કર્યો છે. નગરપાલિકાના જણાવ્યા અનુસાર, પ્લાસ્ટિકનો વધતો ઉપયોગ પર્યાવરણ માટે ગંભીર ખતરો બની રહ્યો છે. નાળા-ગટરમાં અવરોધ ઉભો થવો, પશુઓના આરોગ્ય પર અસર અને પ્રદૂષણમાં વધારો જેવી સમસ્યાઓ સર્જાય છે. તેથી નાગરિકોને કપડાના થેલા, કાગળના બેગ અને અન્ય પુનઃઉપયોગ કરી શકાય તેવી વસ્તુઓનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. સાથે સાથે શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે કચરો નિર્ધારિત સ્થળે જ નાખવો, ગંદકી ન ફેલાવવી અને નગરપાલિકાના નિયમોનું પાલન કરવું જરૂરી છે. દાહોદ નગરપાલિકાએ જણાવ્યું છે કે, સ્વચ્છ શહેર બનાવવા માટે દરેક નાગરિકની ભાગીદારી અનિવાર્ય છે.
- 📍 સંતરામપુર, મહીસાગર સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીએ જનસભાને સંબોધી. છેવાડાના માનવી સુધી પહોંચેલા વિકાસ અને સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ પર ભાર મૂકી, ભાજપના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા આહવાન કર્યું. 🦁🚩1
- છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-2026 પહેલા 100% મતદાન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય હ્યુમન ચેઈન યોજાઈ. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન અને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારે કાર્યક્રમને લીલી ઝંડી આપી.1
- હાલોલ ટાઉન પોલીસે ખાનગી ટ્રાવેલ્સ કંપનીની સ્લીપર બસમાંથી ₹. 2 લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે ડ્રાઇવરને ઝડપી પાડ્યો.. મિત્રો આવી તમામ પ્રકારની નાની મોટી અપડેટ માટે હમણાં જ અપના બજાર હાલોલ ના પેજ ને ફોલો કરી લો અને તમારા મિત્રોને પણ ફોલો કરાવો અને આ વિડીયો અને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..1
- હાલોલ પોલીસ દ્વારા વિદેશી દારૂની હેરફેરના મોટા રેકેટનો ભંડાફોડ કરવામાં આવ્યો છે રાજસ્થાનથી નીકળી ગોધરા–હાલોલ–વડોદરા માર્ગે સુરત જઈ રહેલી એક સ્લીપર કોચ લક્ઝરી બસમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, હાલોલ શહેર પોલીસને બાતમી મળી હતી કે ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં પાર્સલના આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરફેર થઈ રહી છે. બાતમીના આધારે પોલીસે હાલોલના ચંદ્રપુરા ચોકડી પાસે બસને અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બસમાંથી અલગ-અલગ બ્રાન્ડના વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પર જ કાર્યવાહી કરીને દારૂ સાથે સંડોવાયેલા એક આરોપીને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપીની ઓળખ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પટેલ ફળિયામાં રહેતા દીપકકુમાર નરેશભાઈ જોશી તરીકે થઈ છે. જ્યારે આ રેકેટમાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે બસમાંથી અંદાજે ₹1,92,000થી વધુ કિંમતનો દારૂ, ₹10,000નો મોબાઈલ અને ₹6,200 રોકડા સાથે લગભગ ₹20 લાખની લક્ઝરી બસ સહિત કુલ ₹22,08,920નો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલોલ શહેર પોલીસ દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે1
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી- ૨૦૨૬ મા છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ અને શહેરી વિસ્તારના મતદારોને લોકશાહીના પર્વમાં સહભાગી થવા અપીલ કરતા જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર1
- सावधान! आपके मोहल्ले में मौत का साया: आवारा कुत्तों का आतंक और प्रशासन की गहरी नींद।1
- દાહોદ દાહોદના અભલોડ ગામે લગ્ન જમણવાર બાદ 400થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ ભોજન કર્યા બાદ ગામમાં અચાનક લોકો બીમાર પડતા હાહાકાર દર્દીઓને 108 એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો દ્વારા હોસ્પિટલમાં ખસેડાયા 50થી વધુ દર્દીઓ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ 150થી વધુ લોકો ખાનગી હોસ્પિટલોમાં દાખલ 200 જેટલા લોકોને ગામમાં જ ડોક્ટરો દ્વારા સારવાર સાંજે 6 વાગ્યે શરૂ જમણવાર બાદ રાત્રે 11 વાગ્યે લક્ષણો દેખાયા દાળ-ભાત, શાકપુરી, પનીર અને કેરીના રસ ખાધા બાદ અસરની શંકા કેરીનો રસ અથવા પનીરની સબ્જી કારણે ઝેરની આશંકા લગ્ન પ્રસંગ ભરતભાઈ રાઠોડના ઘરે યોજાયો હતો આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગ ઘટનાસ્થળે દોડી આવ્યું સ્થાનિક ધારાસભ્ય પણ ઘટનાની માહિતી મળતા પહોંચ્યા હાલ સુધી કોઈ જાનહાનિ નહીં, કેટલાકની હાલત ગંભીર ગામમાં દોડધામ અને ગભરાટનો માહોલ સર્જાયો તંત્ર દ્વારા ખોરાકના સેમ્પલ લઈને તપાસ શરૂ બાઈટ-ડો.રાજીવ ડામોર (RMO ઝાયડસ હોસ્પિટલ દાહોદ) બાઈટ- જીતેન્દ્ર પંચાલ (અભલોડ સ્થાનિક)1
- Post by ALL INDIA TIME1
- Post by THE BEALERT1