logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના ભરડવા ગામે આંગણવાડી કેન્દ્ર-4 ની બાજુમાં આવેલ UGVCL નો વીજપોલ અને તેમાંથી પસાર થતી વીજલાઇન સ્થાનિકો માટે ગંભીર ચિંતાનો વિષય બની છે. આ વીજપોલ અને વીજલાઇન લીલા બાવળના ઝાડની વચ્ચેથી પસાર થઈ રહ્યા છે, જેના કારણે ચોમાસાની ઋતુમાં શોર્ટ સર્કિટ કે વીજ કરંટ જેવી દુર્ઘટના થવાની આશંકા સેવાઈ રહી છે. આ સ્થળ નાના બાળકોના આંગણવાડી કેન્દ્રની નજીક હોવાથી તેમના જીવ પર સતત જોખમ તોળાઈ રહ્યું છે. ગામના કસ્ટમ રોડથી કોરેટી તરફ જતા માર્ગ પર આવેલા આ જોખમી વીજપોલ અંગે ગ્રામજનોમાં ભારે રોષ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, સુઈગામ UGVCL કચેરીમાં અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. નાગજીભાઈ રાજપૂત નામના જાગૃત નાગરિકે પણ જવાબદાર અધિકારીઓનું ધ્યાન આ ગંભીર સમસ્યા તરફ દોર્યું હતું, પરંતુ તંત્રની ઉદાસીનતા યથાવત છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે આ બેદરકારીને કારણે આંગણવાડીમાં આવતા બાળકો, કર્મચારીઓ અને રાહદારીઓના જીવ જોખમમાં છે. ગ્રામજનોએ તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરી ઝાડની ડાળીઓની કાપકૂપ કરવા અને સુરક્ષાના જરૂરી પગલાં લેવાની માંગ કરી છે.

13 hrs ago
user_કિરણ ઠાકોર ભાભર પત્રકાર
કિરણ ઠાકોર ભાભર પત્રકાર
Local News Reporter સુઈગામ, બનાસકાંઠા, ગુજરાત•
13 hrs ago
33474011-760d-4d77-8fce-0c4bcf31c0d2

બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના ભરડવા ગામે આંગણવાડી કેન્દ્ર-4 ની બાજુમાં આવેલ UGVCL નો વીજપોલ અને તેમાંથી પસાર થતી વીજલાઇન સ્થાનિકો માટે ગંભીર ચિંતાનો વિષય બની છે. આ વીજપોલ અને વીજલાઇન લીલા બાવળના ઝાડની વચ્ચેથી પસાર થઈ રહ્યા છે, જેના કારણે ચોમાસાની ઋતુમાં શોર્ટ સર્કિટ કે વીજ કરંટ જેવી દુર્ઘટના થવાની આશંકા સેવાઈ રહી છે.

7665c4d9-55e5-461a-8344-0cf32feb94c6

આ સ્થળ નાના બાળકોના આંગણવાડી કેન્દ્રની નજીક હોવાથી તેમના જીવ પર સતત જોખમ તોળાઈ રહ્યું છે. ગામના કસ્ટમ રોડથી કોરેટી તરફ જતા માર્ગ પર આવેલા આ જોખમી વીજપોલ અંગે ગ્રામજનોમાં ભારે રોષ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, સુઈગામ UGVCL કચેરીમાં અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.

24d2dceb-82fe-4f8e-a823-67b537a1f692

નાગજીભાઈ રાજપૂત નામના જાગૃત નાગરિકે પણ જવાબદાર અધિકારીઓનું ધ્યાન આ ગંભીર સમસ્યા તરફ દોર્યું હતું, પરંતુ તંત્રની ઉદાસીનતા યથાવત છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે આ બેદરકારીને કારણે આંગણવાડીમાં આવતા બાળકો, કર્મચારીઓ અને રાહદારીઓના જીવ જોખમમાં છે. ગ્રામજનોએ તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરી ઝાડની ડાળીઓની કાપકૂપ કરવા અને સુરક્ષાના જરૂરી પગલાં લેવાની માંગ કરી છે.

More news from ગુજરાત and nearby areas
  • સુઈગામ ખાતે યોજાયેલી સંકલન બેઠક દરમિયાન પાણી અને રસ્તાના ગંભીર મુદ્દે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. મંત્રી સ્વરૂપજી ઠાકોર અને ત્યાં હાજર અધિકારીઓ સમક્ષ એક અરજદારે વર્ષોથી વણઉકેલ્યા રહેલા આ પ્રશ્નો અંગે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. અરજદારે સ્થાનિક લોકોને પડતી હાલાકીનો ઉલ્લેખ કરતા સ્પષ્ટ શબ્દોમાં આક્રોશ ઠાલવ્યો હતો કે, "તમારાથી થતું હોય તો કરો, નહીં તો અમે પાકિસ્તાન જઈએ." અરજદારે પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે, વારંવાર રજૂઆતો કરવા છતાં આ સમસ્યાઓનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે અસંતોષ છે. તેમણે સરકાર અને સંબંધિત વિભાગો પાસે તાત્કાલિક કામગીરીની માંગ કરી હતી. આ રજૂઆત બાદ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓએ આ પ્રશ્નો અંગે જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
    1
    સુઈગામ ખાતે યોજાયેલી સંકલન બેઠક દરમિયાન પાણી અને રસ્તાના ગંભીર મુદ્દે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. મંત્રી સ્વરૂપજી ઠાકોર અને ત્યાં હાજર અધિકારીઓ સમક્ષ એક અરજદારે વર્ષોથી વણઉકેલ્યા રહેલા આ પ્રશ્નો અંગે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. અરજદારે સ્થાનિક લોકોને પડતી હાલાકીનો ઉલ્લેખ કરતા સ્પષ્ટ શબ્દોમાં આક્રોશ ઠાલવ્યો હતો કે, "તમારાથી થતું હોય તો કરો, નહીં તો અમે પાકિસ્તાન જઈએ."

અરજદારે પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે, વારંવાર રજૂઆતો કરવા છતાં આ સમસ્યાઓનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે અસંતોષ છે. તેમણે સરકાર અને સંબંધિત વિભાગો પાસે તાત્કાલિક કામગીરીની માંગ કરી હતી. આ રજૂઆત બાદ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓએ આ પ્રશ્નો અંગે જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
    user_કિરણ ઠાકોર ભાભર પત્રકાર
    કિરણ ઠાકોર ભાભર પત્રકાર
    Local News Reporter સુઈગામ, બનાસકાંઠા, ગુજરાત•
    13 hrs ago
  • પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કાલમપુર ગામે પ્રગતિશીલ ખેડૂત શ્રી ગણેશભાઈ ચૌધરીના ‘શ્રી ગણેશ ખારેક ફાર્મ’ની મુલાકાત લેવામાં આવી છે. આ મુલાકાત દરમિયાન કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી અને વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.
    1
    પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કાલમપુર ગામે પ્રગતિશીલ ખેડૂત શ્રી ગણેશભાઈ ચૌધરીના ‘શ્રી ગણેશ ખારેક ફાર્મ’ની મુલાકાત લેવામાં આવી છે. આ મુલાકાત દરમિયાન કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી અને વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.
    user_Ramesh Chaudhary
    Ramesh Chaudhary
    Local News Reporter વાવ, બનાસકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • બનાસકાંઠાના સુઈગામ ખાતે યોજાયેલી સંકલન બેઠકમાં પાણી અને રસ્તાની ગંભીર સમસ્યાને લઈને ભારે આક્રોશ જોવા મળ્યો હતો. બેઠક દરમિયાન એક અરજદારે મંત્રી સ્વરૂપજી ઠાકોર અને ઉપસ્થિત અધિકારીઓ સમક્ષ આ મુદ્દે અત્યંત ઉગ્ર રજૂઆત કરી હતી. સ્થાનિક લોકો વર્ષોથી પાણી અને રસ્તાની સુવિધાથી વંચિત હોવાની ફરિયાદ કરતા અરજદારે તંત્રને આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે, 'તમારાથી થતું હોય તો કરો, નહીં તો અમે પાકિસ્તાન જઈએ.' અરજદારે આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે ઉગ્ર માંગણી કરી હતી.
    1
    બનાસકાંઠાના સુઈગામ ખાતે યોજાયેલી સંકલન બેઠકમાં પાણી અને રસ્તાની ગંભીર સમસ્યાને લઈને ભારે આક્રોશ જોવા મળ્યો હતો. બેઠક દરમિયાન એક અરજદારે મંત્રી સ્વરૂપજી ઠાકોર અને ઉપસ્થિત અધિકારીઓ સમક્ષ આ મુદ્દે અત્યંત ઉગ્ર રજૂઆત કરી હતી.

સ્થાનિક લોકો વર્ષોથી પાણી અને રસ્તાની સુવિધાથી વંચિત હોવાની ફરિયાદ કરતા અરજદારે તંત્રને આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે, 'તમારાથી થતું હોય તો કરો, નહીં તો અમે પાકિસ્તાન જઈએ.' અરજદારે આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે ઉગ્ર માંગણી કરી હતી.
    user_BANAS TV HD
    BANAS TV HD
    Classified ads newspaper publisher ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    14 hrs ago
  • અમદાવાદના શહેર કોટડા વિસ્તારમાં ભિક્ષાવૃત્તિ કરતા મૂળ બિહારી પરિવારની ૫ વર્ષની સગીર બાળકીનું એક અજાણી મહિલાએ અપહરણ કરી તેને રાજ્ય બહાર લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. આ ગંભીર કેસમાં પાલનપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે ઝડપી અને અસરકારક કામગીરી કરીને નોંધપાત્ર સફળતા મેળવી છે. ઘટનાની જાણ થતાં જ પાલનપુર એલસીબીની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને વિવિધ ટેકનિકલ તેમજ માનવ ગુપ્તચર માહિતીના આધારે આરોપીની હિલચાલ પર સતત નજર રાખી હતી. પોલીસની સચોટ બાતમી અને ઝડપી કાર્યવાહીના આધારે અપહરણકર્તા મહિલાને અમીરગઢ-આબુરોડ હાઇવે પરથી ફિલ્મી ઢબે ઝડપી પાડવામાં આવી હતી અને ગણતરીના કલાકોમાં જ ૫ વર્ષની બાળકીને હેમખેમ મુક્ત કરાવી લેવાઈ હતી. આ સફળ ઓપરેશનથી બાળકીનો સુરક્ષિત બચાવ થતાં તેના પરિવારજનોમાં રાહતની લાગણી વ્યાપી ગઈ છે, જ્યારે આરોપી મહિલા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાલનપુર એલસીબીની આ કામગીરી બાળ સુરક્ષા અને માનવ તસ્કરી વિરોધી અભિયાનમાં પોલીસની પ્રતિબદ્ધતા અને વ્યાવસાયિક કુશળતાનું ઉત્તમ ઉદાહરણ સાબિત થઈ છે.
    1
    અમદાવાદના શહેર કોટડા વિસ્તારમાં ભિક્ષાવૃત્તિ કરતા મૂળ બિહારી પરિવારની ૫ વર્ષની સગીર બાળકીનું એક અજાણી મહિલાએ અપહરણ કરી તેને રાજ્ય બહાર લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. આ ગંભીર કેસમાં પાલનપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે ઝડપી અને અસરકારક કામગીરી કરીને નોંધપાત્ર સફળતા મેળવી છે.

ઘટનાની જાણ થતાં જ પાલનપુર એલસીબીની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને વિવિધ ટેકનિકલ તેમજ માનવ ગુપ્તચર માહિતીના આધારે આરોપીની હિલચાલ પર સતત નજર રાખી હતી. પોલીસની સચોટ બાતમી અને ઝડપી કાર્યવાહીના આધારે અપહરણકર્તા મહિલાને અમીરગઢ-આબુરોડ હાઇવે પરથી ફિલ્મી ઢબે ઝડપી પાડવામાં આવી હતી અને ગણતરીના કલાકોમાં જ ૫ વર્ષની બાળકીને હેમખેમ મુક્ત કરાવી લેવાઈ હતી.

આ સફળ ઓપરેશનથી બાળકીનો સુરક્ષિત બચાવ થતાં તેના પરિવારજનોમાં રાહતની લાગણી વ્યાપી ગઈ છે, જ્યારે આરોપી મહિલા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાલનપુર એલસીબીની આ કામગીરી બાળ સુરક્ષા અને માનવ તસ્કરી વિરોધી અભિયાનમાં પોલીસની પ્રતિબદ્ધતા અને વ્યાવસાયિક કુશળતાનું ઉત્તમ ઉદાહરણ સાબિત થઈ છે.
    user_વિક્રમ પ્રજાપતિ પત્રકાર થરાદ
    વિક્રમ પ્રજાપતિ પત્રકાર થરાદ
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • બુલંદશહર જિલ્લા પંચાયતના પ્રમુખ ડૉ. અંતુલ તેવતિયાએ આજે નગર સ્થિત જિલ્લા પંચાયત સભાગૃહમાં પત્રકાર પરિષદ યોજીને પોતાના 5 વર્ષના કાર્યકાળનો હિસાબ જનતા સમક્ષ રજૂ કર્યો છે. ડૉ. તેવતિયાએ જણાવ્યું કે છેલ્લા 5 વર્ષ દરમિયાન જિલ્લા પંચાયત દ્વારા જિલ્લાના દરેક ગામ સુધી વિકાસ કાર્યો પહોંચાડવામાં આવ્યા છે. જનતાએ જે વિશ્વાસ સાથે તેમને આ પદ પર બેસાડ્યા છે, તે આશા પર ખરા ઉતરવું તેમનું કર્તવ્ય છે. તેમણે માહિતી આપી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના "અંતિમ વ્યક્તિ સુધી વિકાસ"ના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને તમામ કાર્યો કરવામાં આવ્યા છે. છેલ્લા 5 વર્ષમાં જિલ્લામાં કુલ ₹199 કરોડ 79 લાખ 85 હજારના ખર્ચે વિવિધ વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે. જિલ્લા પંચાયત દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ તમામ કામો રસ્તા, શિક્ષણ, આરોગ્ય અને ગ્રામીણ પાયાની સુવિધાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને પૂર્ણ કરવામાં આવ્યા છે. ડૉ. અંતુલ તેવતિયાએ વધુમાં ઉમેર્યું હતું કે જનતાની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા છે. જિલ્લાના દરેક ગામ સુધી વિકાસ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને જે વિકાસ કામો હાલમાં અધૂરા રહી ગયા છે, તેને પણ આગામી સમયમાં વહેલી તકે પૂરા કરવામાં આવશે.
    1
    બુલંદશહર જિલ્લા પંચાયતના પ્રમુખ ડૉ. અંતુલ તેવતિયાએ આજે નગર સ્થિત જિલ્લા પંચાયત સભાગૃહમાં પત્રકાર પરિષદ યોજીને પોતાના 5 વર્ષના કાર્યકાળનો હિસાબ જનતા સમક્ષ રજૂ કર્યો છે. ડૉ. તેવતિયાએ જણાવ્યું કે છેલ્લા 5 વર્ષ દરમિયાન જિલ્લા પંચાયત દ્વારા જિલ્લાના દરેક ગામ સુધી વિકાસ કાર્યો પહોંચાડવામાં આવ્યા છે. જનતાએ જે વિશ્વાસ સાથે તેમને આ પદ પર બેસાડ્યા છે, તે આશા પર ખરા ઉતરવું તેમનું કર્તવ્ય છે.

તેમણે માહિતી આપી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના "અંતિમ વ્યક્તિ સુધી વિકાસ"ના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને તમામ કાર્યો કરવામાં આવ્યા છે. છેલ્લા 5 વર્ષમાં જિલ્લામાં કુલ ₹199 કરોડ 79 લાખ 85 હજારના ખર્ચે વિવિધ વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે. જિલ્લા પંચાયત દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ તમામ કામો રસ્તા, શિક્ષણ, આરોગ્ય અને ગ્રામીણ પાયાની સુવિધાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને પૂર્ણ કરવામાં આવ્યા છે.

ડૉ. અંતુલ તેવતિયાએ વધુમાં ઉમેર્યું હતું કે જનતાની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા છે. જિલ્લાના દરેક ગામ સુધી વિકાસ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને જે વિકાસ કામો હાલમાં અધૂરા રહી ગયા છે, તેને પણ આગામી સમયમાં વહેલી તકે પૂરા કરવામાં આવશે.
    user_Ramesh Chaudhary
    Ramesh Chaudhary
    Local News Reporter વાવ, બનાસકાંઠા, ગુજરાત•
    6 hrs ago
  • ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)ની ટીમે વાવ-થરાદ જિલ્લાના સુઈગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારત માલા નેશનલ હાઇવે પર મોટી કાર્યવાહી હાથ ધરી છે. રામપુરા-એટા રોડ પર થરાદ-ભાભર પટ્ટા વિસ્તારમાં પાડવામાં આવેલા આ દરોડા દરમિયાન રૂ. ૧૪,૫૯,૩૪૨ની કિંમતનો ભારતીય તેમજ આયાતી વિદેશી દારૂની કુલ ૪,૫૫૮ બોટલો જપ્ત કરવામાં આવી છે. આ દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલા રૂ. ૫૦ લાખની કિંમતના ટોયોટા ઇનોવા ક્રિસ્ટા, ટોયોટા ફોર્ચ્યુનર અને સ્કોર્પિયો સહિતના ત્રણ લક્ઝુરિયસ વાહનો, એક મોબાઈલ ફોન અને અન્ય દસ્તાવેજો મળી કુલ રૂ. ૬૪,૫૯,૮૪૨નો મુદ્દામાલ એસએમસીએ જપ્ત કર્યો છે. આ સમગ્ર મામલે ગુજરાત દારૂબંધી અધિનિયમ હેઠળ સુઈગામ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને તપાસ હાથ ધરાઈ છે. આ સફળ રેડની કાર્યવાહી એસએમસીના પી.એસ.આઈ. શ્રી કે.ડી. રવિયાના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં દારૂ ભરેલી ઇનોવા ક્રિસ્ટા અને ફોર્ચ્યુનરના ડ્રાઇવર તેમજ ક્લીનર, પાયલટિંગ કરી રહેલી સ્કોર્પિયોના ડ્રાઇવર તેમજ ક્લીનર, દારૂનો જથ્થો મોકલનાર તથા મંગાવનાર વ્યક્તિઓ અને ત્રણેય વાહનોના માલિકો સહિત કુલ આઠ આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. હાલ પોલીસ દ્વારા આ તમામ આરોપીઓની શોધખોળ અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. એસએમસીની આ કાર્યવાહી બાદ સ્થાનિક વાવ-થરાદ જિલ્લા પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આંતરરાજ્ય રાજસ્થાન અને આંતરરાષ્ટ્રીય ભારત-પાક સરહદ પર આવેલા વાવ-થરાદ જિલ્લામાં નવા એસ.પી. દ્વારા દારૂબંધીની ઝુંબેશ હેઠળ માત્ર ગ્રામીણ વિસ્તારોમાં દેશી દારૂના ભઠ્ઠા પર રેઇડ કરી નજીવો દારૂ પકડી પોલીસ સંતોષ માની લે છે. પરંતુ ભારત માલા હાઈવે પર થરાદના વાંતડાઉ નજીક પોલીસ ચોકી હોવા છતાં તેમજ એસઓજી અને એલસીબી જેવી સ્પેશિયલ ટીમો કાર્યરત હોવા છતાં વિદેશી દારૂ ભરેલા આ લક્ઝુરિયસ વાહનો ગુજરાતમાં કેવી રીતે ઘૂસી ગયા, તે મોટો સણસણતો સવાલ છે. આ પરિસ્થિતિ 'ખાળે ડૂચા અને દરવાજા મોકળા' જેવો ઘાટ દર્શાવે છે. પ૦ ગ્રામ ડ્રગ્સ પકડનારી પોલીસને આ લક્ઝરી વાહનો ન દેખાયા હોવાથી લોકોમાં ભારે ચર્ચા છે કે સ્થાનિક પોલીસની મહેરબાની અને આંખ આડા કાનના કારણે જ આ દારૂ ગુજરાતમાં ઘૂસી રહ્યો છે, જે વાત એસએમસીના આ દરોડાથી સાબિત થઈ રહી છે.
    1
    ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)ની ટીમે વાવ-થરાદ જિલ્લાના સુઈગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારત માલા નેશનલ હાઇવે પર મોટી કાર્યવાહી હાથ ધરી છે. રામપુરા-એટા રોડ પર થરાદ-ભાભર પટ્ટા વિસ્તારમાં પાડવામાં આવેલા આ દરોડા દરમિયાન રૂ. ૧૪,૫૯,૩૪૨ની કિંમતનો ભારતીય તેમજ આયાતી વિદેશી દારૂની કુલ ૪,૫૫૮ બોટલો જપ્ત કરવામાં આવી છે. આ દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલા રૂ. ૫૦ લાખની કિંમતના ટોયોટા ઇનોવા ક્રિસ્ટા, ટોયોટા ફોર્ચ્યુનર અને સ્કોર્પિયો સહિતના ત્રણ લક્ઝુરિયસ વાહનો, એક મોબાઈલ ફોન અને અન્ય દસ્તાવેજો મળી કુલ રૂ. ૬૪,૫૯,૮૪૨નો મુદ્દામાલ એસએમસીએ જપ્ત કર્યો છે. આ સમગ્ર મામલે ગુજરાત દારૂબંધી અધિનિયમ હેઠળ સુઈગામ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને તપાસ હાથ ધરાઈ છે.

આ સફળ રેડની કાર્યવાહી એસએમસીના પી.એસ.આઈ. શ્રી કે.ડી. રવિયાના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં દારૂ ભરેલી ઇનોવા ક્રિસ્ટા અને ફોર્ચ્યુનરના ડ્રાઇવર તેમજ ક્લીનર, પાયલટિંગ કરી રહેલી સ્કોર્પિયોના ડ્રાઇવર તેમજ ક્લીનર, દારૂનો જથ્થો મોકલનાર તથા મંગાવનાર વ્યક્તિઓ અને ત્રણેય વાહનોના માલિકો સહિત કુલ આઠ આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. હાલ પોલીસ દ્વારા આ તમામ આરોપીઓની શોધખોળ અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

એસએમસીની આ કાર્યવાહી બાદ સ્થાનિક વાવ-થરાદ જિલ્લા પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આંતરરાજ્ય રાજસ્થાન અને આંતરરાષ્ટ્રીય ભારત-પાક સરહદ પર આવેલા વાવ-થરાદ જિલ્લામાં નવા એસ.પી. દ્વારા દારૂબંધીની ઝુંબેશ હેઠળ માત્ર ગ્રામીણ વિસ્તારોમાં દેશી દારૂના ભઠ્ઠા પર રેઇડ કરી નજીવો દારૂ પકડી પોલીસ સંતોષ માની લે છે. પરંતુ ભારત માલા હાઈવે પર થરાદના વાંતડાઉ નજીક પોલીસ ચોકી હોવા છતાં તેમજ એસઓજી અને એલસીબી જેવી સ્પેશિયલ ટીમો કાર્યરત હોવા છતાં વિદેશી દારૂ ભરેલા આ લક્ઝુરિયસ વાહનો ગુજરાતમાં કેવી રીતે ઘૂસી ગયા, તે મોટો સણસણતો સવાલ છે. આ પરિસ્થિતિ 'ખાળે ડૂચા અને દરવાજા મોકળા' જેવો ઘાટ દર્શાવે છે. પ૦ ગ્રામ ડ્રગ્સ પકડનારી પોલીસને આ લક્ઝરી વાહનો ન દેખાયા હોવાથી લોકોમાં ભારે ચર્ચા છે કે સ્થાનિક પોલીસની મહેરબાની અને આંખ આડા કાનના કારણે જ આ દારૂ ગુજરાતમાં ઘૂસી રહ્યો છે, જે વાત એસએમસીના આ દરોડાથી સાબિત થઈ રહી છે.
    user_હસમુખ બઢિયા પ્રતિનિધિ
    હસમુખ બઢિયા પ્રતિનિધિ
    Photographer સુઈગામ, બનાસકાંઠા, ગુજરાત•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.