સાળંગપુરમાં ગુજરાતની સૌથી ભવ્ય “શ્રી હનુમાન જયંતી” ભવ્ય ઉજવણી: વિશ્વ શાંતિ મારુતિ યજ્ઞ, 1 લાખ બલૂન ડ્રોપિંગ અને મહાઅન્નકૂટનું દિવ્ય આયોજન 02-04-2026 શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીના રૂડા આશીર્વાદથી પ.પૂ.શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા શ્રી વડતાલધામ ટેમ્પલ બોર્ડ એવં સંપ્રદાયના મૂર્ધન્ય સંતો દ્વારા તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી ગુરુ પુરાણી શ્રી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી(અથાણાવાળા)ના માર્ગદર્શનથી “શ્રી હનુમાન જયંતી” કૃતજ્ઞતાનો મહામહોત્સવ અંતર્ગત મંગળા-શણગાર આરતી, લોકડાયરો, ભવ્ય રાજોપચાર, પુષ્પવર્ષા, કિંગ ઓફ સાળંગપુરની સમૂહ આરતી અને આતશબાજી, દાદાને દિવ્ય અન્નકૂટ, મારા દાદાને 108 ધજા, વિશ્વશાંતિ મારુતિ યજ્ઞ, હનુમાન જન્મોત્સવ(બર્થ ડે સેલિબ્રેશન) વગેરે અનેકવિધ કાર્યક્રમનું ભવ્યાતિભવ્ય આયોજન તા.01 થી 02 એપ્રિલ 2026ના રોજ કરવામાં આવેલ છે. વિશ્વવિખ્યાત યાત્રાધામ સાળંગપુર ખાતે શ્રીકષ્ટભંજન દેવના સાનિધ્યમાં આજે 2 એપ્રિલ, 2026 અને ગુરુવારના રોજ હનુમાન જયંતીના પાવન અવસરે અત્યંત ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ પવિત્ર દિવસે દાદાના દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. હનુમાન જયંતીના આ મંગલ પર્વને અનુલક્ષીને મંદિર પ્રશાસન દ્વારા ભક્તો માટે વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને દર્શનની વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેનાથી સમગ્ર મંદિર પરિસર અને સાળંગપુર ગામમાં ભારે ભક્તિમય અને ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. શ્રી હનુમાન જયંતી 02 એપ્રિલ 2026, ગુરુવારના રોજ મંગળા આરતી ડૉ. સંતસ્વામી દ્વારા અને શણગાર આરતી પરમ પૂજ્ય ૧૦૮ લાલજી શ્રી સૌરભપ્રસાદજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી, રે શ્રી કષ્ટભંજનદેવ સુવર્ણ વાઘા ધારણ કરી ભક્તોને દર્શન આપી રહ્યા છે . સવારે 07:30 કલાકે 1,00,000 બલુન ડ્રોપથી ભક્તોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 151 કિલો કેકનું કટિંગ કરી હજારો ભક્તો હનુમાન ભક્તિમાં ડી.જેના તાલે ઝૂમી ઉઠયા હતા. આજના ધાર્મિક કાર્યક્રમોની વિગતવાર વાત કરીએ તો, વહેલી સવારે 7 કલાકે 'વિશ્વ શાંતિ મારુતિ યજ્ઞ'નો ભક્તિભાવપૂર્વક પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં 1000થી વધારે ભક્તોએ દાદાના દરબારમાં સમૂહ યજ્ઞમાં બેસવાનો અદભુત લાભ લીધો હતો. યજ્ઞની ધુમ્રસેરમાં રહેલી પવિત્રતા અને વૈદિક મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણમાં દિવ્ય ઉર્જાનો સંચાર થયો છે. ભક્તો માટે આસ્થા અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન આ ઉત્સવમાં 29 માર્ચથી જ કીર્તન આરાધનાના સૂર રેલાઈ રહ્યા છે. દર્શનાર્થે આવનાર દરેક ભક્તને પ્રસાદનો લાભ મળી રહે તે હેતુથી સવારે 10 કલાકે મહા અન્નક્ષેત્ર ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ ઉપરાંત, બપોરે 11 કલાકે શ્રીકષ્ટભંજન દેવને વિશેષ મહાઅન્નકૂટ અર્પણ કરવામાં આવશે, જેમાં દાદાને શ્રદ્ધાપૂર્વક અનેક પ્રકારની વિવિધ વાનગીઓનો થાળ ધરાવીને તેમની વિશેષ આરાધના કરવામાં આવશે. આ ઉત્સવની ભવ્યતામાં અભિવૃદ્ધિ કરતા, આજે સાંજે 7 કલાકે સાળંગપુર ખાતે શ્રીકષ્ટભંજન દેવની એક અદભુત મહા સંધ્યા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 1.50 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ભક્તિભાવપૂર્વક જોડાશે. આ ઐતિહાસિક સામૂહિક આરતીમાં સંતો અને ભક્તોની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે તાસા ગ્રુપ અને નાસિક ઢોલના તાલે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠશે. હજારો પ્રજ્વલિત દીવડાઓના દિવ્ય પ્રકાશ અને આકાશને ઝળહળતી કરતી ભવ્ય આતશબાજી સાથે થનારી આ મહા આરતીનો નજારો અત્યંત નયનરમ્ય અને અવિસ્મરણીય બની રહેશે, જે હનુમાન જયંતીની આ દિવ્ય ઉજવણીને વધુ ચરમસીમાએ પહોંચાડશે. #salangpur #salangpurdham #swaminarayan #hanuman #hanumanji #hariprakashswami #vadtal #hinduism #spirituality #gujarat #hindutemple #ram #divine #kingofsalangpur #Shangar #Hanuman 🚩 જય શ્રી કષ્ટભંજન દેવ 🚩 🚩 જય શ્રી રામ🚩
સાળંગપુરમાં ગુજરાતની સૌથી ભવ્ય “શ્રી હનુમાન જયંતી” ભવ્ય ઉજવણી: વિશ્વ શાંતિ મારુતિ યજ્ઞ, 1 લાખ બલૂન ડ્રોપિંગ અને મહાઅન્નકૂટનું દિવ્ય આયોજન 02-04-2026 શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીના રૂડા આશીર્વાદથી પ.પૂ.શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા શ્રી વડતાલધામ ટેમ્પલ બોર્ડ એવં સંપ્રદાયના મૂર્ધન્ય સંતો દ્વારા તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી ગુરુ પુરાણી શ્રી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી(અથાણાવાળા)ના માર્ગદર્શનથી “શ્રી હનુમાન જયંતી” કૃતજ્ઞતાનો મહામહોત્સવ અંતર્ગત મંગળા-શણગાર આરતી, લોકડાયરો, ભવ્ય રાજોપચાર, પુષ્પવર્ષા, કિંગ ઓફ સાળંગપુરની સમૂહ આરતી અને આતશબાજી, દાદાને દિવ્ય અન્નકૂટ, મારા દાદાને 108 ધજા, વિશ્વશાંતિ મારુતિ યજ્ઞ, હનુમાન જન્મોત્સવ(બર્થ ડે સેલિબ્રેશન) વગેરે અનેકવિધ કાર્યક્રમનું ભવ્યાતિભવ્ય
આયોજન તા.01 થી 02 એપ્રિલ 2026ના રોજ કરવામાં આવેલ છે. વિશ્વવિખ્યાત યાત્રાધામ સાળંગપુર ખાતે શ્રીકષ્ટભંજન દેવના સાનિધ્યમાં આજે 2 એપ્રિલ, 2026 અને ગુરુવારના રોજ હનુમાન જયંતીના પાવન અવસરે અત્યંત ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ પવિત્ર દિવસે દાદાના દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. હનુમાન જયંતીના આ મંગલ પર્વને અનુલક્ષીને મંદિર પ્રશાસન દ્વારા ભક્તો માટે વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને દર્શનની વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેનાથી સમગ્ર મંદિર પરિસર અને સાળંગપુર ગામમાં ભારે ભક્તિમય અને ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. શ્રી હનુમાન જયંતી 02 એપ્રિલ 2026, ગુરુવારના રોજ મંગળા આરતી ડૉ. સંતસ્વામી દ્વારા અને શણગાર આરતી પરમ પૂજ્ય ૧૦૮ લાલજી શ્રી સૌરભપ્રસાદજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી, રે શ્રી કષ્ટભંજનદેવ સુવર્ણ વાઘા ધારણ
કરી ભક્તોને દર્શન આપી રહ્યા છે . સવારે 07:30 કલાકે 1,00,000 બલુન ડ્રોપથી ભક્તોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 151 કિલો કેકનું કટિંગ કરી હજારો ભક્તો હનુમાન ભક્તિમાં ડી.જેના તાલે ઝૂમી ઉઠયા હતા. આજના ધાર્મિક કાર્યક્રમોની વિગતવાર વાત કરીએ તો, વહેલી સવારે 7 કલાકે 'વિશ્વ શાંતિ મારુતિ યજ્ઞ'નો ભક્તિભાવપૂર્વક પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં 1000થી વધારે ભક્તોએ દાદાના દરબારમાં સમૂહ યજ્ઞમાં બેસવાનો અદભુત લાભ લીધો હતો. યજ્ઞની ધુમ્રસેરમાં રહેલી પવિત્રતા અને વૈદિક મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણમાં દિવ્ય ઉર્જાનો સંચાર થયો છે. ભક્તો માટે આસ્થા અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન આ ઉત્સવમાં 29 માર્ચથી જ કીર્તન આરાધનાના સૂર રેલાઈ રહ્યા છે. દર્શનાર્થે આવનાર દરેક ભક્તને પ્રસાદનો લાભ મળી રહે તે હેતુથી સવારે 10 કલાકે મહા અન્નક્ષેત્ર ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ ઉપરાંત, બપોરે 11 કલાકે શ્રીકષ્ટભંજન દેવને
વિશેષ મહાઅન્નકૂટ અર્પણ કરવામાં આવશે, જેમાં દાદાને શ્રદ્ધાપૂર્વક અનેક પ્રકારની વિવિધ વાનગીઓનો થાળ ધરાવીને તેમની વિશેષ આરાધના કરવામાં આવશે. આ ઉત્સવની ભવ્યતામાં અભિવૃદ્ધિ કરતા, આજે સાંજે 7 કલાકે સાળંગપુર ખાતે શ્રીકષ્ટભંજન દેવની એક અદભુત મહા સંધ્યા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 1.50 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ભક્તિભાવપૂર્વક જોડાશે. આ ઐતિહાસિક સામૂહિક આરતીમાં સંતો અને ભક્તોની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે તાસા ગ્રુપ અને નાસિક ઢોલના તાલે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠશે. હજારો પ્રજ્વલિત દીવડાઓના દિવ્ય પ્રકાશ અને આકાશને ઝળહળતી કરતી ભવ્ય આતશબાજી સાથે થનારી આ મહા આરતીનો નજારો અત્યંત નયનરમ્ય અને અવિસ્મરણીય બની રહેશે, જે હનુમાન જયંતીની આ દિવ્ય ઉજવણીને વધુ ચરમસીમાએ પહોંચાડશે. #salangpur #salangpurdham #swaminarayan #hanuman #hanumanji #hariprakashswami #vadtal #hinduism #spirituality #gujarat #hindutemple #ram #divine #kingofsalangpur #Shangar #Hanuman 🚩 જય શ્રી કષ્ટભંજન દેવ 🚩 🚩 જય શ્રી રામ🚩
- Post by THE BEALERT NEWS1
- पॉपुलर कॉमेडी शो Bhabhi Ji Ghar Par Hain एक बार फिर चर्चा में है, लेकिन इस बार वजह निराशाजनक है। रिपोर्ट्स के मुताबिक, शो का नया वर्जन ‘भाभी जी घर पर हैं 2.0’ जल्द ही ऑफ एयर हो सकता है। इस शो में Shilpa Shinde ने ‘अंगूरी भाभी’ के किरदार में वापसी की थी, जिसे दर्शकों ने खूब पसंद किया। हालांकि, चैनल में हो रहे बदलावों के चलते इसे बंद करने का फैसला लिया गया है। करीब 11 साल तक दर्शकों को हंसाने वाला ये शो अब खत्म होने की कगार पर है, जिससे फैंस काफी निराश हैं। अब सभी की नजर इस बात पर है कि क्या ये शो किसी नए प्लेटफॉर्म पर लौटेगा या हमेशा के लिए अलविदा कह देगा। #BhabhiJiGharParHain #BGPH #ShilpaShinde #AngooriBhabhi #TVShow #IndianTelevision #ComedyShow #TVNews #EntertainmentNews #BreakingNews #TrendingNews #ViralNews #TVSerial #AndTV #HindiTV #LatestUpdate #FansReaction #ShowOffAir Bhabhi Ji Ghar Par Hain off air, BGPH 2.0 update, Shilpa Shinde comeback show, Angoori Bhabhi latest news, Indian comedy TV shows, AndTV serial news, TV शो बंद क्यों हुआ, Bhabhi Ji Ghar Par Hain latest episode, TV industry updates India, Hindi television breaking news1
- હાલોલ-બોડેલી નેશનલ હાઇવે પર પાવાગઢ બાયપાસ રોડ ઉપર વિરાસતવન નજીક ગત રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.મળતી માહિતી મુજબ એક મોટરસાયકલ અચાનક સ્લીપ ખાઈ જતા ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. મૃતકની ઓળખ ઘોઘંબા તાલુકાના વાવ ગામના મંદિર ફળિયામાં રહેતા 45 વર્ષીય સંજયભાઈ અમરસીંગભાઈ બારીઆ તરીકે થઈ છે. જાણવા મળ્યું છે કે સંજયભાઈ બારીઆ રાત્રિના સમયે પોતાની મોટરસાયકલ લઈને નજીક આવેલી જૂની કેમેરોક કંપની તેમજ હાલની રિલાયન્સ કંપનીમાં નોકરી માટે જઈ રહ્યા હતા, તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ મૃતકના પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ પોલીસને કરતા પાવાગઢ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને કબ્જામાં લઈ પોસ્ટમોર્ટમ માટે હાલોલની સરકારી હોસ્પિટલ ખાતે મોકલ્યો હતો. આ બનાવ અંગે હાલોલના આરાદ રોડ ઉપર રહેતા મૃતકના પુત્ર અક્ષય બારીઆની ફરિયાદના આધારે પોલીસે બીએનએસ અને એલએમ એક્ટ હેઠળ વધુ તપાસ હાથ ધરી છે.1
- શ્રી કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત ધીએમ. જી.એસ હાઇસ્કુલ અને સી.બી. ગર્લ્સ હાઇસ્કુલ નો વાર્ષિકોત્સવ યોજાયો શ્રી કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત એમ જી એસ હાઇસ્કુલ ખાતે ખાતે એમજીએસ અને સી બી ગર્લ્સ હાઇસ્કુલ નાં વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે જીલ્લા શિક્ષણાધિકારી કચેરીના ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ જીગરભાઈ પટેલ તથા શિક્ષણ નિરીક્ષક જીગ્નેશભાઈ પટેલ ઉપસ્થીત રહ્યા હતા . મુખ્ય મહેમાન તરીકે હાલોલ મોડેલ સ્કૂલના આચાર્ય એન કે વાઘેલા અને દુનિયાં મોડલ સ્કૂલના આચાર્ય હાર્દિકભાઈ પટેલ તેમજ વિવિધ સરકારી શાળા ના આચાર્ય હાજર રહ્યા હતા.કેળવણી મંડળ ના પ્રમુખ પ્રકાશભાઈ ગાંધી, ઉપપ્રમુખ જયંતભાઈ મહેતા, મંત્રી વિરેન્દ્ર મહેતા સહ મંત્રી યોગેશભાઈ મહેતા અને ખજાનચી મનોજભાઈ પરીખ બન્ને શાળાના આચાર્ય કે પી પટેલ અને એન પી પટેલ શાળા નો સ્ટાફ વિધાર્થીઓ અને વાલીગણ હાજર રહ્યા હતા.મુખ્ય મહેમાન તરીકે બન્ને શાળા ના વિધાર્થીઓ એ કુલ ૨૦ કૃતિઓ રજુ કરી હતી જેમા મુખ્યત્વે ખેડૂત ની વેદના, છાવા શંભાજી મહારાજ, ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્ર ની કૃતિ લાલો ફિલ્મ આધારિત કૃતિ, ભક્ત પ્રહલાદ નરસિંહ અવતાર, લોક ગીત, ગરબા અને નૃત્ય, ટીમલી નૃત્ય, ગણેશ વંદના, કૉમેડી શો, આદિવાસી નૃત્ય ની કૃતિઓ રજુ કરી હતી.કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ શિક્ષકો હાજર રહ્યા હતા.કાર્યક્રમનું સુંદર અને સફળ આયોજન બંને શાળાના શિક્ષકગણ દ્વારા કરવામાં આવ્યું હતું.4
- Post by Mr BHIl Vishnubhai kalidash2
- ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા1
- CRIME PATROLING NEWS1
- Post by Mr BHIl Vishnubhai kalidash1