રાજકોટ જિલ્લા મહિલા પ્રમુખ, શહેર અને તાલુકા પ્રમુખ દ્વારા ખાંડ અને આવશ્યક ચીજવસ્તુઓના ભાવ ઘટાડવા મામલતદારને આવેદનપત્ર રાજકોટ જિલ્લા મહિલા પ્રમુખ, શહેર અને તાલુકા પ્રમુખ દ્વારા ખાંડ અને આવશ્યક ચીજવસ્તુઓના ભાવ ઘટાડવા મામલતદારને આવેદનપત્ર દેશમાં અને રાજ્યમાં સતત વધી રહેલી કમરતોડ મોંઘવારી, ખાંડ તેમજ અન્ય આવશ્યક ખાદ્ય ચીજવસ્તુઓના અસહ્ય ભાવવધારાના વિરોધમાં જેતપુર ખાતે કોંગ્રેસ દ્વારા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લા મહિલા પ્રમુખ, જેતપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ગોવિંદભાઈ પી. ડોબરીયા તેમજ તાલુકા પ્રમુખની સંયુક્ત આગેવાની હેઠળ આજે જેતપુર તાલુકા સેવા સદન ખાતે મામલતદારને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને સંબોધીને પાઠવવામાં આવેલા આ આવેદનપત્ર વખતે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા. આવેદનમાં જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી સામાન્ય જનતા માટે રોજિંદી જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં દિન-પ્રતિદિન કૂદકે ને ભૂસકે તોતિંગ વધારો થઈ રહ્યો છે. મોંઘવારી કઈ હદે વધી રહી છે તેનો કોઈ ચોક્કસ માપદંડ રહ્યો નથી. ચાલુ વર્ષ દરમિયાન જ રસોડાના મુખ્ય અંગ ગણાતી ખાંડના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. અગાઉ પ્રતિકિલો આશરે રૂ. ૭૦/- ના ભાવે મળતી ખાંડના ભાવ ચાલુ વર્ષે બજારમાં આશરે રૂ. ૪૦/- જેટલા વધી ગયા છે. આમ, સીધો પ્રતિકિલો દીઠ અંદાજે રૂ. ૩૦/- નો તોતિંગ વધારો ઝીંકાયો છે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન રાજકોટ જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ મનીષાબા વાળાએ જણાવ્યું હતું કે, જ્યારે આ સરકાર સત્તા પર આવી ત્યારથી જ મોંઘવારી સતત વધી રહી છે અને આ સરકાર અછતની વાતો કરતી ખોટી સરકાર છે. તેમણે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે દૂધ, ગેસ સિલિન્ડર, કઠોળ, શાકભાજી, પેટ્રોલ તેમજ ડિઝલ સહિતની તમામ આવશ્યક વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા રક્ષાબંધનના તહેવાર પર બહનોને મોંઘવારીની ભેટ આપવામાં આવી છે, જ્યાં ડુંગળીના ભાવ ૭૦ થી ૮૦ રૂપિયા પ્રતિ કિલો અને ખાંડના ભાવ ૮૦ રૂપિયા સુધી પહોંચી ગયા છે. પાંચ વર્ષ અગાઉ ખાંડના ભાવ માત્ર ૨૩ રૂપિયા પ્રતિ કિલો હતા, જે આજે વધીને ત્રણ ગણા થઈ ગયા છે. ખેડૂતોને પાકના યોગ્ય ભાવ મળતા નથી અને સરકાર ગરીબો તથા મધ્યમવર્ગીય પરિવારોની મુશ્કેલીઓ વધારી રહી છે. જો આગામી દિવસોમાં મોંઘવારી નિયંત્રણમાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચેતવણી પણ તેમણે આપી હતી. જેતપુર શહેર કોગ્રેસ પ્રમુખ ગોવિંદ પી. ડોબરિયાએ જણાવ્યું હતું કે, વર્તમાન સરકારની નીતિઓ સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે. રોજબરોજ વપરાશની આવશ્યક ચીજવસ્તુઓ અને ખાદ્ય સામગ્રીઓમાં સતત અસહ્ય ભાવવધારો થઈ રહ્યો છે. અગાઉની કોંગ્રેસ સરકારના સમયમાં ભાવ વધતા વિરોધ પક્ષ તરીકે જે હોબાળો મચાવવામાં આવતો હતો, આજે મોંઘવારી બેકાબુ બનવા છતાં સરકાર કોઈ નક્કર પગલાં લેતી નથી. તેમણે ઉમેર્યું કે ખાંડ અને ડુંગળી જેવા મૂળભૂત ખાદ્ય પદાર્થોના ભાવ ડબલ કેસ ગણા વધી ગયા છે, જેના કારણે સામાન્ય અને ગરીબ પરિવારોનું ગુજરાન ચલાવવું અત્યંત મુશ્કેલ બન્યું છે. પ્રજાની કમર ભાંગી ચૂકી છે ત્યારે કોંગ્રેસની સ્પષ્ટ માંગ છે કે સરકાર મોંઘવારીને ડામવા માટે તાત્કાલિક અસરકારક પગલાં ભરે, અન્યથા જનતાના રોષનો સામનો કરવા તૈયાર રહે. ભાવવધારાના કારણે મધ્યમ અને ગરીબ વર્ગના લોકોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. લોકોની આવક સામે જાવકનો દર સતત વધી રહ્યો છે, જેના લીધે આ કમરતોડ મોંઘવારી સામાન્ય નાગરિકોને પોસાય તેમ નથી. કોંગ્રેસ સમિતિએ પત્ર દ્વારા ઉગ્ર માંગ કરી છે કે, પ્રજાના હિતમાં ખાંડ અને અન્ય તમામ આવશ્યક ખાદ્યચીજોના ભાવોને તાત્કાલિક નિયંત્રિત કરવા માટે સરકાર દ્વારા યોગ્ય અને કડક પગલાં ભરવામાં આવે.
રાજકોટ જિલ્લા મહિલા પ્રમુખ, શહેર અને તાલુકા પ્રમુખ દ્વારા ખાંડ અને આવશ્યક ચીજવસ્તુઓના ભાવ ઘટાડવા મામલતદારને આવેદનપત્ર રાજકોટ જિલ્લા મહિલા પ્રમુખ, શહેર અને તાલુકા પ્રમુખ દ્વારા ખાંડ અને આવશ્યક ચીજવસ્તુઓના ભાવ ઘટાડવા મામલતદારને આવેદનપત્ર દેશમાં અને રાજ્યમાં સતત વધી રહેલી કમરતોડ મોંઘવારી, ખાંડ તેમજ અન્ય આવશ્યક ખાદ્ય ચીજવસ્તુઓના અસહ્ય ભાવવધારાના વિરોધમાં જેતપુર ખાતે કોંગ્રેસ દ્વારા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લા મહિલા પ્રમુખ, જેતપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ગોવિંદભાઈ પી. ડોબરીયા તેમજ તાલુકા પ્રમુખની સંયુક્ત આગેવાની હેઠળ આજે જેતપુર તાલુકા સેવા સદન ખાતે મામલતદારને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને સંબોધીને પાઠવવામાં આવેલા આ આવેદનપત્ર વખતે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા. આવેદનમાં જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી સામાન્ય જનતા માટે રોજિંદી જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં દિન-પ્રતિદિન કૂદકે ને ભૂસકે તોતિંગ વધારો થઈ રહ્યો છે. મોંઘવારી કઈ હદે વધી રહી છે તેનો કોઈ ચોક્કસ માપદંડ રહ્યો નથી. ચાલુ વર્ષ દરમિયાન જ રસોડાના મુખ્ય અંગ ગણાતી ખાંડના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. અગાઉ પ્રતિકિલો આશરે રૂ. ૭૦/- ના ભાવે મળતી ખાંડના ભાવ ચાલુ વર્ષે બજારમાં આશરે
રૂ. ૪૦/- જેટલા વધી ગયા છે. આમ, સીધો પ્રતિકિલો દીઠ અંદાજે રૂ. ૩૦/- નો તોતિંગ વધારો ઝીંકાયો છે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન રાજકોટ જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ મનીષાબા વાળાએ જણાવ્યું હતું કે, જ્યારે આ સરકાર સત્તા પર આવી ત્યારથી જ મોંઘવારી સતત વધી રહી છે અને આ સરકાર અછતની વાતો કરતી ખોટી સરકાર છે. તેમણે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે દૂધ, ગેસ સિલિન્ડર, કઠોળ, શાકભાજી, પેટ્રોલ તેમજ ડિઝલ સહિતની તમામ આવશ્યક વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા રક્ષાબંધનના તહેવાર પર બહનોને મોંઘવારીની ભેટ આપવામાં આવી છે, જ્યાં ડુંગળીના ભાવ ૭૦ થી ૮૦ રૂપિયા પ્રતિ કિલો અને ખાંડના ભાવ ૮૦ રૂપિયા સુધી પહોંચી ગયા છે. પાંચ વર્ષ અગાઉ ખાંડના ભાવ માત્ર ૨૩ રૂપિયા પ્રતિ કિલો હતા, જે આજે વધીને ત્રણ ગણા થઈ ગયા છે. ખેડૂતોને પાકના યોગ્ય ભાવ મળતા નથી અને સરકાર ગરીબો તથા મધ્યમવર્ગીય પરિવારોની મુશ્કેલીઓ વધારી રહી છે. જો આગામી દિવસોમાં મોંઘવારી નિયંત્રણમાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચેતવણી પણ તેમણે આપી હતી. જેતપુર શહેર કોગ્રેસ પ્રમુખ
ગોવિંદ પી. ડોબરિયાએ જણાવ્યું હતું કે, વર્તમાન સરકારની નીતિઓ સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે. રોજબરોજ વપરાશની આવશ્યક ચીજવસ્તુઓ અને ખાદ્ય સામગ્રીઓમાં સતત અસહ્ય ભાવવધારો થઈ રહ્યો છે. અગાઉની કોંગ્રેસ સરકારના સમયમાં ભાવ વધતા વિરોધ પક્ષ તરીકે જે હોબાળો મચાવવામાં આવતો હતો, આજે મોંઘવારી બેકાબુ બનવા છતાં સરકાર કોઈ નક્કર પગલાં લેતી નથી. તેમણે ઉમેર્યું કે ખાંડ અને ડુંગળી જેવા મૂળભૂત ખાદ્ય પદાર્થોના ભાવ ડબલ કેસ ગણા વધી ગયા છે, જેના કારણે સામાન્ય અને ગરીબ પરિવારોનું ગુજરાન ચલાવવું અત્યંત મુશ્કેલ બન્યું છે. પ્રજાની કમર ભાંગી ચૂકી છે ત્યારે કોંગ્રેસની સ્પષ્ટ માંગ છે કે સરકાર મોંઘવારીને ડામવા માટે તાત્કાલિક અસરકારક પગલાં ભરે, અન્યથા જનતાના રોષનો સામનો કરવા તૈયાર રહે. ભાવવધારાના કારણે મધ્યમ અને ગરીબ વર્ગના લોકોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. લોકોની આવક સામે જાવકનો દર સતત વધી રહ્યો છે, જેના લીધે આ કમરતોડ મોંઘવારી સામાન્ય નાગરિકોને પોસાય તેમ નથી. કોંગ્રેસ સમિતિએ પત્ર દ્વારા ઉગ્ર માંગ કરી છે કે, પ્રજાના હિતમાં ખાંડ અને અન્ય તમામ આવશ્યક ખાદ્યચીજોના ભાવોને તાત્કાલિક નિયંત્રિત કરવા માટે સરકાર દ્વારા યોગ્ય અને કડક પગલાં ભરવામાં આવે.
- જૂનાગઢના રામવાડી-૧ સ્થિત મોકેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ભક્તિમય માહોલ : ૪૨ કિલોના દિવ્ય પારદ શિવલિંગના દર્શને ઉમટ્યા શ્રદ્ધાળુઓ જૂનાગઢ : પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ગિરિનારી તીર્થ ક્ષેત્ર જૂનાગઢના ભવનાથ તીર્થ ક્ષેત્રમાં આવેલાં શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. ભવનાથ સ્થિત રામવાડી - ૧ માં બિરાજમાન મોકેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના અવસરે શિવજીની વિશેષ પૂજા-અર્ચના અને અલૌકિક શૃંગાર કરવામાં આવ્યો હતો. ૪૨ કિલોના દિવ્ય પારદ શિવલિંગના દર્શન અને ભવ્ય શણગાર: મોકેશ્વર મહાદેવ મંદિરનું મુખ્ય આકર્ષણ અહીં સ્થાપિત વિશાળ અને દિવ્ય ૪૨ કિલોગ્રામ વજનનું પારદ શિવલિંગ છે. શાસ્ત્રોમાં પારદ શિવલિંગના દર્શન અને પૂજનનું અનંત પુણ્ય અને વિશેષ ધાર્મિક મહત્વ જણાવવામાં આવ્યું છે. શ્રાવણ માસના બીજા સોમવારે આ દિવ્ય પારદ શિવલિંગ તથા સમગ્ર મંદિર પરિસરને વિવિધ પ્રકારે ફૂલો અને તોરણોથી ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શિવભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. સન ૧૯૬૩ થી અવિરત ચાલતું નિશુલ્ક અન્નક્ષેત્ર: સમર્થશ્રી પ્રાગદાસબાપા ગોદડિયા અન્નક્ષેત્ર ટ્રસ્ટ, રામવાડી-૧ અંતર્ગત આસ્થા અને સેવાનું અદ્ભુત સંગમ જોવા મળે છે. અહીં સન ૧૯૬૩ થી નિશુલ્ક અન્નક્ષેત્ર અવિરતપણે કાર્યરત છે, જ્યાં દર્શનાર્થીઓ અને સાધુ-સંતોને મહાપ્રસાદનો લાભ મળે છે. ધાર્મિક આસ્થાની સાથે પર્યાવરણ જતન અને સામાજિક સેવા: સમર્થશ્રી પ્રાગદાસબાપા ગોદડિયા અન્નક્ષેત્ર ટ્રસ્ટ રામવાડી-૧ ના મેનેજીંગ ટ્રસ્ટી ડો. એન. પી. પટેલના માર્ગદર્શન હેઠળ માત્ર ધાર્મિક કાર્યો જ નહીં, પરંતુ સામાજિક અને પર્યાવરણીય ઉત્તરદાયિત્વ પણ ઉત્સાહભેર નિભાવવામાં આવે છે. ડો. એન. પી. પટેલના માર્ગદર્શન હેઠળ છેલ્લા સાત વર્ષથી જૂનાગઢ તેમજ ગાંધીનગર ખાતે 'નેચર ફર્સ્ટ' નામે પ્લાસ્ટિક મુક્તિ અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. આ અભિયાન દ્વારા નાગરિકોમાં પર્યાવરણ જાગૃતિ લાવવાની સાથે પ્રકૃતિના જતનની મહત્વપૂર્ણ કામગીરી થઈ રહી છે. વધુમાં, ટ્રસ્ટના સ્વયંસેવકો છેલ્લા ૭ વર્ષથી નિ:સ્વાર્થ ભાવે મંદિરની વ્યવસ્થા, સ્વચ્છતા અને સજાવટની અવિરત સેવા આપી રહ્યા છે. આ સેવાકીય પ્રવૃત્તિઓ ધાર્મિક આસ્થાની સાથે સમાજમાં એકતા, સેવાભાવ અને પર્યાવરણ પ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે.4
- ઉપલા દાતાર દીપમાળા પ્રસંગે દીપ સે દીપ જ્યોત જલાવી એકતા નો સંદેશ આપવામાં આવ્યો જુનાગઢ કોમી એકતા ના પ્રતિક સમી ઉપલાદાતારની ધાર્મિક જગ્યામાં મહાપર્વ ઉર્સના આજે ત્રીજા દિવસે દાતારની જગ્યા ખાતે દીપમાળા મહેંદી નો કાર્યક્રમ હતો ગુફા ની અંદર જે અખંડ જ્યોત જલી રહી છે એની જ્યોતથી આખી જગ્યામાં ભાવિકો દ્વારા દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા અને આખી જગ્યાને રોશનીથી જળહળી ઉઠી હતી. જગ્યાના મહંત શ્રી ભીમ બાપુ દ્વારા આ દિવસે દીપ સે દીપ જલાઓના સંદેશ સાથે સર્વે જન ની સુખાકારી અને સમગ્ર દેશમાં સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી દીપમાળા ના આ પાવન પ્રસંગે ઉપલા દાતાર ની જગ્યા ના મહંત દ્વારા જગ્યામાં પધારેલા ભાવિક ભક્તોના હાથે દરેક જગ્યાએ દીપ પ્રગટાવી હજારો દીવડા પ્રગટાવ વા આવ્યા હતા અને આખી જગ્યાને રોશની થી જળ હળી ઊઠી હતી. તમામ લાઈટો બંધ કરી અને આ સુંદર મજાનો નજારો ઉપસ્થિત ભાવિકોએ નિહાળીઓ હતો ત્યારબાદ દરેક ભાવિકો માટે ચોખા ઘીનો સિરો નો પ્રસાદ અને ડ્રાય ફ્રુટ મા કાજુ બદામ કીસ મીસ નો પ્રસાદ બધાને અર્પણ કરાયો હતો દાતાર બાપુ મહાપર્વ ઉર્સ નો રવિવાર થીરારંભ થયો છે અને આવતીકાલે વહેલી સવારે પુર્ણાહુતી થશે પાંચ દિવસના આ વર્ષના મેળામાં હજારો ભાવિક ભક્તોએ નાથ જાતના ભેદભાવ વગર દાતાર બાપુના દર્શન કરી મને મહાપ્રસાદ લઈ ધન્ય બન્યા હતા.1
- કણજા ગામમાં ઈદ-એ-મિલાદની ભવ્ય ઉજવણીનિમિત્તે ભવ્ય જુલૂસ કાઢવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. કણજા ગામમાં ઈદ-એ-મિલાદની ભવ્ય ઉજવણી વંથલી તાલુકાના કણજા ગામમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા પવિત્ર ઈદ-એ-મિલાદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે ભવ્ય જુલૂસ કાઢવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. જુલૂસ કણજા ગામથી નીકળી ગામના વિવિધ મુખ્ય માર્ગો અને બજારોમાંથી પસાર થઈ પરત ફર્યો હતો. સમગ્ર જુલૂસ દરમિયાન તહેવારનો માહોલ જોવા મળ્યો હતો અને સમાજના લોકોએ એકબીજાને ઈદ-એ-મિલાદની મુબારકબાદ પાઠવી હતી. ઉજવણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે વંથલી પોલીસ દ્વારા મુખ્ય માર્ગો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો.આ મેટર અખબાર માટે હેડલાઈન + બે ટૂંકા ફકરામાં પણ વધુ ટૂંકું કરી શકાય.3
- શ્રી વીરપુર જુથ સેવા સહકારી મંડળીની ૭૧મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ... શ્રી વીરપુર જુથ સેવા સહકારી મંડળીની ૭૧મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ1
- _ભારત સરકારના યુવા કાર્યક્રમ મંત્રાલય અંતર્ગત: કે કે પારેખ કોમર્સ કોલેજ અમરેલી અને સંઘવી કોલેજ રાજુલા ખાતે ખેલો ઈન્ડિયા સંવાદ યોજાશે_ ભારત સરકાર, યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, અંતર્ગત માય ભારત અમરેલી ,રાકેશ બિસનોઈ, જિલ્લા યુવા અધિકારી, જે પ્રથમ પોસ્ટિંગ હાલમાં જ અમરેલી હાજર થયેલ છે હાલમાં તારીખ 27 /08 /2026 ના રોજ સવારે 10:30 કલાકે થી ભારતના યશસ્વી માનનિય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ખેલો ઇન્ડિયા યુવાઓ સાથે સંવાદ , ખેલ કી બાત પીએમ મોદી કે સાથ, એન એસ એસ ઓફિસર શ્રી તથા પ્રિન્સિપાલ શ્રી ના માર્ગદર્શન હેઠળ એનએસએસ વોલિએન્ટર રૂબરૂ સંવાદમાં ભાગ લેશે ત્યારબાદ સ્પોર્ટ્સ પર્સન સાથે આ અંગે સંવાદ થશે આ સંવાદ માં મેન આશય યુવાઓને નશામુક્ત ભારત તથા શરીર તંદુરસ્ત બનાવી ભાગ લેવા માટે મોટીવેટ કરવાનો છે ,કે કે પારેખ કોમર્સ કોલેજ અમરેલી તથા સંઘવી કોલેજ રાજુલા માં આચાર્યશ્રી તથા એન એસ એસ ઓફિસર તથા વોલિએન્ટર્સ રૂબરૂ માં વડાપ્રધાન શ્રી સાથે સંવાદમાં ભાગ લેશે ત્યારબાદ સ્પોર્ટ્સ પર્સન સાથે આ અંગે સંવાદ થાશે .1
- 🦁GiR GiR1
- ઉનામાં શાનદાર જલસ સાથે ઉજવાઈ બારમી શરીફ અદબ અને એહતેરામ સાથે પવિત્ર તહેવાર ઉનામાં શાનદાર જલસ સાથે ઉજવાઈ બારમી શરી અદબ અને એહતેરામ સાથે પવિત્ર તહેવાર1
- વિપક્ષની રજૂઆતની અસર: બાબરા-લીલવડા-વાંકીયા રોડનું કામ શરૂ... વિપક્ષની રજૂઆતની અસર: બાબરા-લીલવડા-વાંકીયા રોડનું કામ શરૂ...1