જેતપુર ઉદ્યોગનગર પોલીસે બે અલગ-અલગ દરોડામાં ₹૧૬.૯૫ લાખના મુદ્દામાલ સાથે ત્રણ રીઢા બુટલેગરોને દબોચ્યા: ૧,૧૫૨ દારૂના ચપલા અને ૪ કાર જપ્ત જેતપુર ઉદ્યોગનગર પોલીસે બે અલગ-અલગ દરોડામાં ₹૧૬.૯૫ લાખના મુદ્દામાલ સાથે ત્રણ રીઢા બુટલેગરોને દબોચ્યા: ૧,૧૫૨ દારૂના ચપલા અને ૪ કાર જપ્ત રાજકોટ જિલ્લાના જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનની ટીમે બે જુદી-જુદી જગ્યાએથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડવામાં મોટી સફળતા મેળવી છે. પોલીસે આ બેવડી કાર્યવાહીમાં કુલ ₹૧૬,૯૫,૮૪૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ રેઇડ દરમિયાન પોલીસે ત્રણ રીઢા આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે ચોટીલાના બે સપ્લાયરોને વોન્ટેડ જાહેર કરી તેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલિપ્ત રાય સાહેબ અને રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર સાહેબ દ્વારા પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંકુશમાં લેવા તથા સદંતર નેસ્તનાબૂદ કરવા સારૂ રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં લીસ્ટેડ બુટલેગરોને ચેક કરી અસરકારક કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. જે અન્વયે જેતપુર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક રોહિતસિંહ ડોડીયા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એચ.શર્માની ટીમો પેટ્રોલિંગમાં હતી. સર્વેલન્સ સ્કોડના પી.એસ.આઈ. કે.બી.ગઢવીની ટીમ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ સાંબળાને ચોક્કસ બાતમી મળી હતી કે, યુવરાજભાઈ ભીખુભાઈ લાલુ અને તેના સાગરીતો રબારીકા ગામે, ભરવાડ પા વિસ્તારમાં પાણીના ટાંકા પાસે એક ફોરવ્હીલ કારમાંથી બીજી કારમાં ઇંગ્લિશ દારૂની ફેરબદલી કરે છે. પોલીસે તુરંત રેઇડ પાડીને બે ઇસમો પ્રકાશ ઉર્ફે ગોપાલ રવજીભાઈ કંબોયા (રહે. આરાધના નગર સોસાયટી, બળદેવધાર, જેતપુર) અને યુવરાજભાઈ ભીખુભાઈ લાલુ (રહે. રબારીકા ગામ) ને ઝડપી લીધા હતા. તેમની પાસેથી પોલીસે ₹૧૩,૦૦,૦૦૦ ની કિંમતના ૩ વાહનો, ₹૭૩,૪૪૦ ની કિંમતના ૧૮૦ મી.લી. ના ૪૩૨ નંગ ઇંગ્લિશ દારૂના ચપલા અને ૨ મોબાઈલ મળી કુલ ₹૧૩,૮૩,૪૪૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બીજો દરોડોમાં ઉદ્યોગનગર પોલીસની બીજી ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક સિલ્વર કલરની સુઝુકી કંપનીની ડીઝાયર કાર (નંબર GJ 12 BF 8584) ને અટકાવી તલાશી લીધી હતી. કારમાંથી જુદી-જુદી બ્રાન્ડના વિદેશી દારૂના ૭૨૦ નંગ ચપલા (કિંમત ₹૧,૨૨,૪૦૦) મળી આવ્યા હતા. પોલીસે ₹૨,૦૦,૦૦૦ ની કાર અને ₹૫,૦૦૦ ના મોબાઈલ સાથે ત્રીજા આરોપી મહિપતભાઈ ભીખુભાઈ લાલુ (રહે. રબારીકા ગામ, તા. જેતપુર) ની અટકાયત કરી કુલ ₹૩,૨૭,૪૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે બંને ગુનામાં થઈને કુલ ૧,૧૫૨ વિદેશી દારૂના ચપલા (કિંમત ₹૧,૯૫,૮૪૦), ₹૧૫,૦૦,૦૦૦ ની કિંમતના ૪ ફોરવ્હીલ વાહનો અને ₹૧૫,૦૦૦ ની કિંમતના ૩ નંગ મોબાઈલ મળી કુલ ₹૧૬,૯૫,૮૪૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં દારૂનો જથ્થો સપ્લાય કરનાર આરોપી ભાભલુભાઈ ખાચર અને જયરાજભાઈ (બંને રહે. મોલડી, તા. ચોટીલા, જી. સુરેન્દ્રનગર) ને અટક કરવાના બાકી હોવાથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓ પૈકી યુવરાજભાઈ ભીખુભાઈ લાલુ વિરૂદ્ધ અગાઉ જેતપુર, વીરપુર અને ગોંડલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અને શારીરિક ગુના સહિતના કુલ ૧૬ ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે આરોપી મહિપતભાઈ ભીખુભાઈ લાલુ વિરૂદ્ધ પણ અગાઉ વીરપુર અને જેતપુર ઉદ્યોગનગરમાં ૫ ગુનાઓ દાખલ થયેલા છે.
જેતપુર ઉદ્યોગનગર પોલીસે બે અલગ-અલગ દરોડામાં ₹૧૬.૯૫ લાખના મુદ્દામાલ સાથે ત્રણ રીઢા બુટલેગરોને દબોચ્યા: ૧,૧૫૨ દારૂના ચપલા અને ૪ કાર જપ્ત જેતપુર ઉદ્યોગનગર પોલીસે બે અલગ-અલગ દરોડામાં ₹૧૬.૯૫ લાખના મુદ્દામાલ સાથે ત્રણ રીઢા બુટલેગરોને દબોચ્યા: ૧,૧૫૨ દારૂના ચપલા અને ૪ કાર જપ્ત રાજકોટ જિલ્લાના જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનની ટીમે બે જુદી-જુદી જગ્યાએથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડવામાં મોટી સફળતા મેળવી છે. પોલીસે આ બેવડી કાર્યવાહીમાં કુલ ₹૧૬,૯૫,૮૪૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ રેઇડ દરમિયાન પોલીસે ત્રણ રીઢા આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે ચોટીલાના બે સપ્લાયરોને વોન્ટેડ જાહેર કરી તેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલિપ્ત રાય સાહેબ અને રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર સાહેબ દ્વારા પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંકુશમાં લેવા તથા સદંતર નેસ્તનાબૂદ કરવા સારૂ રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં લીસ્ટેડ બુટલેગરોને ચેક કરી અસરકારક કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. જે અન્વયે જેતપુર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક રોહિતસિંહ ડોડીયા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એચ.શર્માની ટીમો પેટ્રોલિંગમાં હતી. સર્વેલન્સ સ્કોડના પી.એસ.આઈ. કે.બી.ગઢવીની ટીમ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ સાંબળાને ચોક્કસ બાતમી મળી હતી કે, યુવરાજભાઈ ભીખુભાઈ લાલુ અને તેના સાગરીતો રબારીકા ગામે, ભરવાડ પા વિસ્તારમાં પાણીના ટાંકા પાસે એક ફોરવ્હીલ કારમાંથી બીજી કારમાં ઇંગ્લિશ દારૂની ફેરબદલી કરે છે. પોલીસે તુરંત રેઇડ પાડીને બે ઇસમો પ્રકાશ ઉર્ફે ગોપાલ રવજીભાઈ કંબોયા (રહે. આરાધના નગર સોસાયટી, બળદેવધાર, જેતપુર) અને યુવરાજભાઈ ભીખુભાઈ લાલુ (રહે. રબારીકા ગામ) ને ઝડપી લીધા હતા. તેમની પાસેથી પોલીસે ₹૧૩,૦૦,૦૦૦ ની કિંમતના ૩ વાહનો, ₹૭૩,૪૪૦ ની કિંમતના ૧૮૦ મી.લી. ના ૪૩૨ નંગ ઇંગ્લિશ દારૂના ચપલા અને ૨ મોબાઈલ મળી કુલ ₹૧૩,૮૩,૪૪૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બીજો દરોડોમાં ઉદ્યોગનગર પોલીસની બીજી ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક સિલ્વર કલરની સુઝુકી કંપનીની ડીઝાયર કાર (નંબર GJ 12 BF 8584) ને અટકાવી તલાશી લીધી હતી. કારમાંથી જુદી-જુદી બ્રાન્ડના વિદેશી દારૂના ૭૨૦ નંગ ચપલા (કિંમત ₹૧,૨૨,૪૦૦) મળી આવ્યા હતા. પોલીસે ₹૨,૦૦,૦૦૦ ની કાર અને ₹૫,૦૦૦ ના મોબાઈલ સાથે ત્રીજા આરોપી મહિપતભાઈ ભીખુભાઈ લાલુ (રહે. રબારીકા ગામ, તા. જેતપુર) ની અટકાયત કરી કુલ ₹૩,૨૭,૪૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે બંને ગુનામાં થઈને કુલ ૧,૧૫૨ વિદેશી દારૂના ચપલા (કિંમત ₹૧,૯૫,૮૪૦), ₹૧૫,૦૦,૦૦૦ ની કિંમતના ૪ ફોરવ્હીલ વાહનો અને ₹૧૫,૦૦૦ ની કિંમતના ૩ નંગ મોબાઈલ મળી કુલ ₹૧૬,૯૫,૮૪૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં દારૂનો જથ્થો સપ્લાય કરનાર આરોપી ભાભલુભાઈ ખાચર અને જયરાજભાઈ (બંને રહે. મોલડી, તા. ચોટીલા, જી. સુરેન્દ્રનગર) ને અટક કરવાના બાકી હોવાથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓ પૈકી યુવરાજભાઈ ભીખુભાઈ લાલુ વિરૂદ્ધ અગાઉ જેતપુર, વીરપુર અને ગોંડલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અને શારીરિક ગુના સહિતના કુલ ૧૬ ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે આરોપી મહિપતભાઈ ભીખુભાઈ લાલુ વિરૂદ્ધ પણ અગાઉ વીરપુર અને જેતપુર ઉદ્યોગનગરમાં ૫ ગુનાઓ દાખલ થયેલા છે.
- જૂનાગઢના રામવાડી-૧ સ્થિત મોકેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ભક્તિમય માહોલ : ૪૨ કિલોના દિવ્ય પારદ શિવલિંગના દર્શને ઉમટ્યા શ્રદ્ધાળુઓ જૂનાગઢ : પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ગિરિનારી તીર્થ ક્ષેત્ર જૂનાગઢના ભવનાથ તીર્થ ક્ષેત્રમાં આવેલાં શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. ભવનાથ સ્થિત રામવાડી - ૧ માં બિરાજમાન મોકેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના અવસરે શિવજીની વિશેષ પૂજા-અર્ચના અને અલૌકિક શૃંગાર કરવામાં આવ્યો હતો. ૪૨ કિલોના દિવ્ય પારદ શિવલિંગના દર્શન અને ભવ્ય શણગાર: મોકેશ્વર મહાદેવ મંદિરનું મુખ્ય આકર્ષણ અહીં સ્થાપિત વિશાળ અને દિવ્ય ૪૨ કિલોગ્રામ વજનનું પારદ શિવલિંગ છે. શાસ્ત્રોમાં પારદ શિવલિંગના દર્શન અને પૂજનનું અનંત પુણ્ય અને વિશેષ ધાર્મિક મહત્વ જણાવવામાં આવ્યું છે. શ્રાવણ માસના બીજા સોમવારે આ દિવ્ય પારદ શિવલિંગ તથા સમગ્ર મંદિર પરિસરને વિવિધ પ્રકારે ફૂલો અને તોરણોથી ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શિવભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. સન ૧૯૬૩ થી અવિરત ચાલતું નિશુલ્ક અન્નક્ષેત્ર: સમર્થશ્રી પ્રાગદાસબાપા ગોદડિયા અન્નક્ષેત્ર ટ્રસ્ટ, રામવાડી-૧ અંતર્ગત આસ્થા અને સેવાનું અદ્ભુત સંગમ જોવા મળે છે. અહીં સન ૧૯૬૩ થી નિશુલ્ક અન્નક્ષેત્ર અવિરતપણે કાર્યરત છે, જ્યાં દર્શનાર્થીઓ અને સાધુ-સંતોને મહાપ્રસાદનો લાભ મળે છે. ધાર્મિક આસ્થાની સાથે પર્યાવરણ જતન અને સામાજિક સેવા: સમર્થશ્રી પ્રાગદાસબાપા ગોદડિયા અન્નક્ષેત્ર ટ્રસ્ટ રામવાડી-૧ ના મેનેજીંગ ટ્રસ્ટી ડો. એન. પી. પટેલના માર્ગદર્શન હેઠળ માત્ર ધાર્મિક કાર્યો જ નહીં, પરંતુ સામાજિક અને પર્યાવરણીય ઉત્તરદાયિત્વ પણ ઉત્સાહભેર નિભાવવામાં આવે છે. ડો. એન. પી. પટેલના માર્ગદર્શન હેઠળ છેલ્લા સાત વર્ષથી જૂનાગઢ તેમજ ગાંધીનગર ખાતે 'નેચર ફર્સ્ટ' નામે પ્લાસ્ટિક મુક્તિ અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. આ અભિયાન દ્વારા નાગરિકોમાં પર્યાવરણ જાગૃતિ લાવવાની સાથે પ્રકૃતિના જતનની મહત્વપૂર્ણ કામગીરી થઈ રહી છે. વધુમાં, ટ્રસ્ટના સ્વયંસેવકો છેલ્લા ૭ વર્ષથી નિ:સ્વાર્થ ભાવે મંદિરની વ્યવસ્થા, સ્વચ્છતા અને સજાવટની અવિરત સેવા આપી રહ્યા છે. આ સેવાકીય પ્રવૃત્તિઓ ધાર્મિક આસ્થાની સાથે સમાજમાં એકતા, સેવાભાવ અને પર્યાવરણ પ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે.4
- ઉપલા દાતાર દીપમાળા પ્રસંગે દીપ સે દીપ જ્યોત જલાવી એકતા નો સંદેશ આપવામાં આવ્યો જુનાગઢ કોમી એકતા ના પ્રતિક સમી ઉપલાદાતારની ધાર્મિક જગ્યામાં મહાપર્વ ઉર્સના આજે ત્રીજા દિવસે દાતારની જગ્યા ખાતે દીપમાળા મહેંદી નો કાર્યક્રમ હતો ગુફા ની અંદર જે અખંડ જ્યોત જલી રહી છે એની જ્યોતથી આખી જગ્યામાં ભાવિકો દ્વારા દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા અને આખી જગ્યાને રોશનીથી જળહળી ઉઠી હતી. જગ્યાના મહંત શ્રી ભીમ બાપુ દ્વારા આ દિવસે દીપ સે દીપ જલાઓના સંદેશ સાથે સર્વે જન ની સુખાકારી અને સમગ્ર દેશમાં સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી દીપમાળા ના આ પાવન પ્રસંગે ઉપલા દાતાર ની જગ્યા ના મહંત દ્વારા જગ્યામાં પધારેલા ભાવિક ભક્તોના હાથે દરેક જગ્યાએ દીપ પ્રગટાવી હજારો દીવડા પ્રગટાવ વા આવ્યા હતા અને આખી જગ્યાને રોશની થી જળ હળી ઊઠી હતી. તમામ લાઈટો બંધ કરી અને આ સુંદર મજાનો નજારો ઉપસ્થિત ભાવિકોએ નિહાળીઓ હતો ત્યારબાદ દરેક ભાવિકો માટે ચોખા ઘીનો સિરો નો પ્રસાદ અને ડ્રાય ફ્રુટ મા કાજુ બદામ કીસ મીસ નો પ્રસાદ બધાને અર્પણ કરાયો હતો દાતાર બાપુ મહાપર્વ ઉર્સ નો રવિવાર થીરારંભ થયો છે અને આવતીકાલે વહેલી સવારે પુર્ણાહુતી થશે પાંચ દિવસના આ વર્ષના મેળામાં હજારો ભાવિક ભક્તોએ નાથ જાતના ભેદભાવ વગર દાતાર બાપુના દર્શન કરી મને મહાપ્રસાદ લઈ ધન્ય બન્યા હતા.1
- કણજા ગામમાં ઈદ-એ-મિલાદની ભવ્ય ઉજવણીનિમિત્તે ભવ્ય જુલૂસ કાઢવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. કણજા ગામમાં ઈદ-એ-મિલાદની ભવ્ય ઉજવણી વંથલી તાલુકાના કણજા ગામમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા પવિત્ર ઈદ-એ-મિલાદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે ભવ્ય જુલૂસ કાઢવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. જુલૂસ કણજા ગામથી નીકળી ગામના વિવિધ મુખ્ય માર્ગો અને બજારોમાંથી પસાર થઈ પરત ફર્યો હતો. સમગ્ર જુલૂસ દરમિયાન તહેવારનો માહોલ જોવા મળ્યો હતો અને સમાજના લોકોએ એકબીજાને ઈદ-એ-મિલાદની મુબારકબાદ પાઠવી હતી. ઉજવણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે વંથલી પોલીસ દ્વારા મુખ્ય માર્ગો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો.આ મેટર અખબાર માટે હેડલાઈન + બે ટૂંકા ફકરામાં પણ વધુ ટૂંકું કરી શકાય.3
- શ્રી વીરપુર જુથ સેવા સહકારી મંડળીની ૭૧મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ... શ્રી વીરપુર જુથ સેવા સહકારી મંડળીની ૭૧મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ1
- _ભારત સરકારના યુવા કાર્યક્રમ મંત્રાલય અંતર્ગત: કે કે પારેખ કોમર્સ કોલેજ અમરેલી અને સંઘવી કોલેજ રાજુલા ખાતે ખેલો ઈન્ડિયા સંવાદ યોજાશે_ ભારત સરકાર, યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, અંતર્ગત માય ભારત અમરેલી ,રાકેશ બિસનોઈ, જિલ્લા યુવા અધિકારી, જે પ્રથમ પોસ્ટિંગ હાલમાં જ અમરેલી હાજર થયેલ છે હાલમાં તારીખ 27 /08 /2026 ના રોજ સવારે 10:30 કલાકે થી ભારતના યશસ્વી માનનિય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ખેલો ઇન્ડિયા યુવાઓ સાથે સંવાદ , ખેલ કી બાત પીએમ મોદી કે સાથ, એન એસ એસ ઓફિસર શ્રી તથા પ્રિન્સિપાલ શ્રી ના માર્ગદર્શન હેઠળ એનએસએસ વોલિએન્ટર રૂબરૂ સંવાદમાં ભાગ લેશે ત્યારબાદ સ્પોર્ટ્સ પર્સન સાથે આ અંગે સંવાદ થશે આ સંવાદ માં મેન આશય યુવાઓને નશામુક્ત ભારત તથા શરીર તંદુરસ્ત બનાવી ભાગ લેવા માટે મોટીવેટ કરવાનો છે ,કે કે પારેખ કોમર્સ કોલેજ અમરેલી તથા સંઘવી કોલેજ રાજુલા માં આચાર્યશ્રી તથા એન એસ એસ ઓફિસર તથા વોલિએન્ટર્સ રૂબરૂ માં વડાપ્રધાન શ્રી સાથે સંવાદમાં ભાગ લેશે ત્યારબાદ સ્પોર્ટ્સ પર્સન સાથે આ અંગે સંવાદ થાશે .1
- 🦁GiR GiR1
- બોટાદ બ્રેકીંગ બોટાદમાં રક્ષાબંધનને લઈને મહત્વની જાહેરાત. બોટાદ નગરપાલિકા સંચાલિત સિટી બસમાં રક્ષાબંધન પર્વે બહેનો માટે મફત મુસાફરી સુવિધા. રઘુવીર સિટી બસ સર્વિસ દ્વારા રક્ષાબંધનના પવિત્ર તહેવારને લઈને બહેનો માટે ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 28 ઓગસ્ટ 2026 શુક્રવારના રોજ રક્ષાબંધન નિમિત્તે બોટાદ શહેરમાં દોડતી તમામ સિટી બસોમાં બહેનોને મફત મુસાફરીની સુવિધા આપવામાં આવશે. રક્ષાબંધનના દિવસે બહેનોને પોતાના ભાઈઓને રાખડી બાંધવા જવા-આવવામાં સરળતા રહે તે હેતુથી નગરપાલિકા દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. બોટાદ શહેરમાં રઘુવીર સિટી બસ સર્વિસનો ઉપયોગ કરતી બહેનોને આ ખાસ સુવિધાનો લાભ મળશે. રક્ષાબંધનના પાવન પર્વે બહેનો માટે બોટાદ નગરપાલિકા સંચાલિત સિટી બસ દ્વારા વિશેષ ભેટ. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮4
- વિપક્ષની રજૂઆતની અસર: બાબરા-લીલવડા-વાંકીયા રોડનું કામ શરૂ... વિપક્ષની રજૂઆતની અસર: બાબરા-લીલવડા-વાંકીયા રોડનું કામ શરૂ...1