Shuru
Apke Nagar Ki App…
અમદાવાદના વાટવા વિસ્તારમાં કુશવાહા પરિવારે પોતાના જીવનનો એક નવો અધ્યાય શરૂ કર્યો છે. તેઓ પ્રેમ અને આનંદ સાથે પોતાના આ 'નવા જીવન'ને સ્વીકારી રહ્યા છે.
GEETA B S KUSHWAHA
અમદાવાદના વાટવા વિસ્તારમાં કુશવાહા પરિવારે પોતાના જીવનનો એક નવો અધ્યાય શરૂ કર્યો છે. તેઓ પ્રેમ અને આનંદ સાથે પોતાના આ 'નવા જીવન'ને સ્વીકારી રહ્યા છે.
More news from Kheda and nearby areas
- ખેડાના કપડવંજ તાલુકાના અબોચ ગામમાં બ્રહ્મભટ્ટ પરિવારે કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજીનો ૧૬મો પાટોત્સવ નવચંડી યજ્ઞ સાથે ભક્તિભાવપૂર્વક ઉજવ્યો. આ પ્રસંગે મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું, જેમાં ગ્રામજનો અને બહારના ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધો. યુવાન મિત્રોના સહયોગથી આ ભક્તિમય પ્રસંગ સફળ બન્યો.4
- વિજાપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજનો પાંચમો સમૂહ લગ્નોત્સવ સંપન્ન: 24 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડ્યા *વિજાપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજનો પાંચમો સમૂહ લગ્નોત્સવ સંપન્ન: 24 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડ્યા* વિજાપુર: વિજાપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ વિકાસ યાત્રા અને એકતા સમિતિ દ્વારા ખરોડના શ્રી રામદેવપીર મંદિર ખાતે આજે રવિવાર તા. 10/05/2026 ના રોજ પાંચમો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. સમિતિના પ્રમુખ મહેશજી ગાંડાજી ઠાકોરની આગેવાની અને કનુભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ નટુજી હાલાજી ઠાકોરે કર્યું હતું. કનુભાઈ ચૌધરી ભોજનના દાતા રહ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય નિતીનભાઈ સી. પટેલ, યુવા ક્ષત્રિય સેના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અભિજીતસિંહ બારડ, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય શંકાબેન મહેશજી ઠાકોર, ઓ.બી.સી. વર્ગીકરણ ગુજરાતના પ્રદેશ કન્વીનર તારક ઠાકોર અને વિજાપુરના ધારાસભ્ય ડૉ. સી.જે. ચાવડા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સમૂહ લગ્નોત્સવમાં 24 નવદંપતીઓએ લગ્નગ્રંથીથી જોડાઈને જીવનયાત્રાનો પ્રારંભ કર્યો હતો. હસ્ત મેળાપ બાદ દાતાઓ અને મહેમાનોને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રમુખ મહેશભાઈ ઠાકોર, સમિતિના સદસ્યો અને સમાજના આગેવાનોની સખત મહેનતથી કાર્યક્રમ સફળ રહ્યો હતો. ખોટા ખર્ચા ટાળીને મધ્યમ અને ગરીબ પરિવારોની દીકરીઓના લગ્ન સન્માનભેર યોજવાના હેતુથી આયોજિત ઉત્સવમાં મોટી સંખ્યામાં સ્વજનો અને સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.1
- ખેડા-નડિયાદ LCB સ્ટાફ દ્વારા બાતમીના આધારે નડિયાદ રૂલર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા શેઢી નદીના પુલ પાસે વોચ ગોઠવી તરબૂચના જથ્થા નીચે છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી પાડ્યો..1
- દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કાળમુખો અકસ્માત: પૂરપાટ ઝડપે દોડતી કારનું ટાયર ફાટતા ઓવરબ્રિજ પરથી નીચે ખાબકી, એક જ પરિવારના 5 સભ્યો ગંભીર ઇજાગ્રસ્ત દેશના સૌથી આધુનિક ગણાતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કાલોલ નજીક આજે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. રવિવારની રજાના માહોલ વચ્ચે પૂરપાટ ઝડપે જઈ રહેલી એક ખાનગી કારનું ટાયર અચાનક ફાટતા ગોઝારો અકસ્માત નડ્યો હતો. આ દુર્ઘટનામાં કાર ઓવરબ્રિજની સુરક્ષા દિવાલ તોડીને સીધી નીચે ખાબકી હતી, જેમાં સવાર એક જ પરિવારના પાંચ સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, એક પરિવાર પોતાની કારમાં દિલ્હી-મુંબઈ કોરિડોર પરથી પસાર થઈ રહ્યો હતો. કાલોલ પાસેના ઓવરબ્રિજ પર જ્યારે કાર પહોંચી, ત્યારે અચાનક ગાડીનું ટાયર ધડાકાભેર ફાટ્યું હતું. ટાયર ફાટવાના કારણે ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. બેકાબૂ બનેલી કાર હાઈવેની રેલિંગ સાથે અથડાઈને જોતજોતામાં ઓવરબ્રિજ પરથી નીચે પટકાઈ હતી. સ્થાનિકોની સમયસૂચકતા અને બચાવ કામગીરી કાર જેવી નીચે પટકાઈ, તેવો જ પ્રચંડ અવાજ આવતા આસપાસના ખેતરોમાં કામ કરતા લોકો અને અન્ય વાહનચાલકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હોવાથી અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ઈજાગ્રસ્તો પરિવારના 5 સભ્યો (જેમાં મહિલાઓ અને બાળકો હોવાની પણ આશંકા છે).તમામ ઈજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં નજીકની હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાં આવ્યા છે. પોલીસને ઘટનાની જાણ થતા જ હાઈવે પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી.2
- આજ ના યુવાનો માટે પોલીસ અધિકારી ની ખાસ શીખ જુઓ અમરેલી ના પી આઈ સાહેબે શું શીખ આપી આરોપી ના રિકન્સ્ટ્રક્શન સમયે1
- જંબુસર તાલુકાના નહાર ગામે શક્તિ મંદિરનો 29મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો 🚩1
- મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના રામપુર કોટના ખેડૂત જગદીશભાઈ પટેલે 9 વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી બમણો નફો મેળવ્યો છે. તેઓ 10 પ્રકારની ઝેરમુક્ત શાકભાજી અને ઘઉં ઉગાડી ગામલોકોને તાજી ઉપલબ્ધ કરાવી રહ્યા છે. તેમની આ પ્રેરણાદાયક સફળતા જોઈને અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે.1
- ભચાઉમાં રૂ. 1 કરોડથી વધુના મુદ્દામાલ સાથે રૂ. 28.80 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, એલસીબીનો મોટો સપાટો1
- બાજવા ગામ પંચાયત ના સામાન્ય સભા માં સદસ્યો તથા તલાટી ક્રમ મંત્રી ની રજુવાત ના આધારે જે કામ ના થવા જોઈ તેવા કામ ચાલુ થતા પંચાયત ચૂંટાયેલા પ્રતિનિધિ ઓ નો વિરોધ.બાજવા ગામ પંચાયત ના સદસ્યો દ્વારા છેલ્લા પાંચ વર્ષ થી અરજી આપી હોવા છતાં ચૂંટાયેલા પ્રતિનિધિ ના જનતા કામ થતા નથી પણ જે જગ્યા કામ નથી કરવા ના ત્યાં કામ કરે છૅ પંચાયત ની સામાન્ય સભા માં સદસ્યો અને તલાટી ક્રમ તલાટી ક્રમમંત્રી દ્વારા બરોડા સેન્ટ્રલ શોપિંગ સેન્ટર માં જ્યાં પંચાયત ના ઠરાવ હોય તૉ કામ કેમ ચાલુ કર્યું પંચાયત ના સદસ્યો ના કામ થતા નથી તૉ આ કોણ ઇસારે કામ થાય છૅ બાજવા ગામ ની જનતા કામ કેમ નથી થતા બાજવા ગામ ના તલાટી ને રજુવાત કરી છતાં કામ બંધ કરવામાં આવ્યું નથી આવનારા દિવસે જો જનતા કામ કરવામાં નય આવે તૉ પંચાયત ને તાળા બધી કરવામાં આવશે ચૂંટાયેલા સભ્યો બના કામ કેમ નથી થતા તેના અનુંસંધાન માં TDO અને DDO ને લેખિત માં અરજી કરી રજુવાત કરવામાં આવશે અને ગાંધી ચિંધ્યા માર્ગે આદોલન કરવામાં આવશે અને જનતા સાથે રાખી ને વિરોધ કરવા માં આવશે..1