Shuru
Apke Nagar Ki App…
Rohit kirtanbhai
More news from ગુજરાત and nearby areas
- આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ નિમિત્તે, એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) વડોદરા ઝોન અને પવિત્રધામ ગ્લોબલ વેલફેર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે MS યુનિવર્સિટીના M Com વિભાગ ખાતે ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય સંદેશ "એક જ સંકલ્પ -ડ્રગ્સ મુક્ત સમાજ, સ્વસ્થ અને સુરક્ષિત ભારત" રહ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ વ્યસનમુક્ત જીવન જીવવાનો સંકલ્પ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન, વિદ્યાર્થીઓને ડ્રગ્સના વિવિધ પ્રકારો, તેના સ્વાસ્થ્ય પર થતી ગંભીર અસરો, માનસિક પ્રભાવો, સામાજિક અને આર્થિક નુકસાન તેમજ NDPS એક્ટ હેઠળની કાનૂની જોગવાઈઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. યુવાનોને ખોટી સંગતથી દૂર રહી સકારાત્મક જીવનશૈલી અપનાવવા અને સમાજમાં જાગૃતિ ફેલાવવા માટે પ્રેરણા પણ આપવામાં આવી. વક્તાઓએ ભારપૂર્વક જણાવ્યું કે ડ્રગ્સનું વધતું દૂષણ માત્ર વ્યક્તિ માટે જ નહીં, પરંતુ સમગ્ર પરિવાર, સમાજ અને દેશ માટે એક ગંભીર પડકાર છે, અને દેશના ભવિષ્ય એવા યુવાનોને યોગ્ય માર્ગદર્શન તથા સમયસર જાગૃતિ આપવી એ સમયની સૌથી મોટી જરૂરિયાત છે. કાર્યક્રમના સમાપ્તિએ, તમામ વિદ્યાર્થીઓએ "નશામુક્ત ભારત - વિકસિત ભારત"ના સંકલ્પ સાથે ડ્રગ્સથી દૂર રહેવા અને પોતાના મિત્રો તેમજ સમાજમાં પણ નશા વિરોધી જાગૃતિ ફેલાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. ANTF વડોદરા ઝોને પણ ભવિષ્યમાં શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ અને સમાજના વિવિધ વર્ગોમાં આવા જનજાગૃતિ કાર્યક્રમો યોજીને નશામુક્ત સમાજના નિર્માણ માટે સતત કાર્ય કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી. આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ ANTF વડોદરા ઝોનના PI શ્રીમતી J.Z. વસાવા, PI શ્રી D.J. રાણા, PSI શ્રી V.K. ગરાસિયા, PSI શ્રી J.P. મેવાડા, PSI શ્રી H.M. ગઢવી સહિત સમગ્ર સ્ટાફ, MS યુનિવર્સિટીના ડીન શ્રી પ્રજ્ઞેશ શાહ, પૂર્વ સેનેટ સભ્ય શ્રી જિજ્ઞેશ શાહ તેમજ પવિત્રધામ ગ્લોબલ વેલફેર ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી નયનકુમાર પટેલ અને તેમની ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.1
- gift siti gadinagar Gujarat msmdhfjfjfjkfkrkrhfjfjfjjfjjdjfjd1
- વડોદરાના પંડ્યા બ્રિજ મેઈન રોડ પર ડી-માર્ટ ગ્રુપ દ્વારા એક અનોખી અને સરાહનીય પહેલ હાથ ધરવામાં આવી હતી. રવિભાઈ રાવતના નેતૃત્વ હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં, ઉનાળાની ગરમીમાં પસાર થઈ રહેલા રાહદારીઓને ઠંડુ લીંબુ પાણી પીવડાવવામાં આવ્યું હતું.1
- વડોદરા શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા દસમા ચાંદે તાજીયાનું વિસર્જન કરીને તેને ઠંડા કરવામાં આવી રહ્યા છે. આ પર્વ નિમિત્તે, ઈમામવાડાના તાજીયાને એક જુલુસ સ્વરૂપે બહુચરાજી મંદિરે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પાણીનો છંટકાવ કરીને તેને ઠંડો કરવામાં આવ્યો. પરંપરા અનુસાર, શહેરના ઈમામવાડાના તાજીયાને પૌરાણિક બહુચરાજી મંદિરે ખોલવામાં આવ્યા હતા. મંદિરના પૂજારીએ શ્રીફળ વધેરી અને જળનો છંટકાવ કરીને તાજીયાને ટાઢા કર્યા હતા. હઝરત ઇમામ હુસેનની શહાદતની યાદમાં મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવે છે, અને મુસ્લિમો માટે આ નવા વર્ષનો પર્વ શોકનો પર્વ ગણાય છે. છેલ્લા ઘણા વર્ષોથી, ખાટકીવાડા ગૌસિયા મસ્જિદ પાસે તાજીયાની સ્થાપના કરવામાં આવે છે. આ તાજીયાને ઈમામવાડામાં ગુલાબજળનો છંટકાવ કરી પાછા મૂકી દેવાય છે અને પછી બીજા વર્ષે ફરીથી બેસાડવામાં આવે છે. આજના ધાર્મિક કાર્યક્રમ બાદ, તાજીયાને તૈયબી મસ્જિદની પાછળના મેદાને લઈ જઈ દફનવિધી કરવામાં આવશે.1
- વડોદરા જિલ્લાની સાવલી નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ગટરના દૂષિત પાણીને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. ગ્રામજનોએ એકઠા થઈને નારા લગાવ્યા હતા, કારણ કે તેમનો આક્ષેપ છે કે ગટરના સંપનું દૂષિત પાણી વરસાદી કાંસમાં છોડવામાં આવી રહ્યું છે. આ દૂષિત પાણીને કારણે ફેલાતી અસહ્ય દુર્ગંધથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જેના લીધે મહિલાઓ અને બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગંભીર પરિસ્થિતિમાં રોગચાળો ફેલાવવાની પણ ભીતિ સેવાઈ રહી છે. આ સમસ્યા માટે જવાબદાર કોણ છે, તેવા સવાલો ગ્રામજનો દ્વારા ઉઠાવવામાં આવ્યા છે. સ્થાનિકોનો ગંભીર આક્ષેપ છે કે નગરસેવકો તેમના ફોન ઉપાડતા નથી અને તેમની સમસ્યાઓ પર ધ્યાન આપતા નથી. એટલું જ નહીં, જ્યારે મીડિયા દ્વારા આ મામલે ચીફ ઓફિસરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે તેમની પાસેથી પણ કોઈ જવાબ મળ્યો ન હતો. સાવલી નગરપાલિકાની કામગીરી સામે વોર્ડ નંબર 1ના રહેવાસીઓમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી છે. તેમણે સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરવા માટે મજબૂર બનશે. દૂષિત પાણીથી ફેલાતી દુર્ગંધ અને રોગચાળાની ભીતિ વચ્ચે વહીવટી તંત્ર ક્યારે જાગશે તેવો સવાલ સ્થાનિકો દ્વારા ઉઠાવવામાં આવ્યો છે.1
- માંજલપુર ખાતે આવેલા બ્રહ્માકુમારીઝ સેન્ટર દ્વારા આંતરરાષ્ટ્રીય નશા તથા ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.1
- વડોદરાના માજપુરમાં આવેલા બ્રહ્મકુમારી કેન્દ્ર ખાતે નશા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિસ્તારના લોકો સાથે સ્થાનિક કોર્પોરેટરો અને અન્ય મહાનુભાવોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.1
- ઇન્ડિયા બિગ પાઈન મર્ડર કેસ અંગે નવી અપડેટ સામે આવી છે. આ કેસમાં આરોપી સિયા ગોયલના પિતાએ નિવેદન આપ્યું છે.1
- વડોદરામાં અઢી સદીથી વધુ સમયથી કોમી એકતાની એક અનોખી પરંપરા આજે પણ અવિરત જળવાઈ રહી છે, જે શહેરની ગંગા-જમુની સંસ્કૃતિનું જીવંત પ્રતિક છે. મુહર્રમ પર્વ નિમિત્તે, નાગરવાડાના હકીમવાડાના તાજિયાને બહુચરાજી માતાના મંદિરે મહંત દ્વારા પવિત્ર જળ, ગુલાબની પાંખડીઓ અને અત્તરથી ઠંડક આપવામાં આવી હતી. આ વિધિ બાદ શ્રીફળ અર્પણ કરીને તાજિયાને સરસિયા તળાવ તરફ લઈ જવામાં આવ્યો. મહારાજા સયાજીરાવ ગાયકવાડના સમયથી ચાલી આવતી આ પરંપરા હિન્દુ-મુસ્લિમ એકતા અને ધાર્મિક સૌહાર્દનું પ્રેરણાદાયી પ્રતિક બની રહી છે.1