Shuru
Apke Nagar Ki App…
વડોદરા:માંજલપુર માં મતદાન વચ્ચે હુરિયો ભાજપ ના કાર્યકરો નો હુરિયો અલવા નાકા ખાતે ભાજપ કાર્યકરો પહોંચ્યા હતા વડોદરા:માંજલપુર માં મતદાન વચ્ચે હુરિયો ભાજપ ના કાર્યકરો નો હુરિયો અલવા નાકા ખાતે ભાજપ કાર્યકરો પહોંચ્યા હતા #vadodara #manjalpur #newsupdate #newstoday #news
Nayan valand
વડોદરા:માંજલપુર માં મતદાન વચ્ચે હુરિયો ભાજપ ના કાર્યકરો નો હુરિયો અલવા નાકા ખાતે ભાજપ કાર્યકરો પહોંચ્યા હતા વડોદરા:માંજલપુર માં મતદાન વચ્ચે હુરિયો ભાજપ ના કાર્યકરો નો હુરિયો અલવા નાકા ખાતે ભાજપ કાર્યકરો પહોંચ્યા હતા #vadodara #manjalpur #newsupdate #newstoday #news
More news from ગુજરાત and nearby areas
- યુરિયાની કાળાબજારી સામે દેવગઢ બારિયાના ખેડૂતોમાં રોષ, મામલતદારને આવેદનપત્ર યુરિયાની કાળાબજારી સામે દેવગઢ બારિયાના ખેડૂતોમાં રોષ, મામલતદારને આવેદનપત્ર #dahod #devgadhbaria #newsupdate #newstoday #news1
- ચાટકા બેલી બારીયા ફળિયું તાલુકો લુણાવાડા જીલ્લો મહીસાગર ગામ ચાટ કાપેલી તાલુકો લુણાવાડા જીલ્લો મહીસાગર સરકારને એટલી વિનંતી છે કે ચાટકામાં રસ્તા નો કોઈ આયોજન નહીં તો સરકાર શું કરે છે ઉગે છે કે જાગે છે ડેરીમાં જવા માટે રસ્તો નહીં ઇમર્જન છે માટે કોઈ ગાડી આવી શકતી નથી1
- જયા પાર્વતી વ્રતની ભાવભેર પૂર્ણાહુતિ: તળાવો પર જવારા વિસર્જન માટે ઉમટી મહિલાઓ મહીસાગર લુણાવાડા સહિત સમગ્ર ગુજરાતમાં જયા પાર્વતી વ્રતની આજે ભાવભેર પૂર્ણાહુતિ કરવામાં આવી. અષાઢ સુદ તેરસથી શરૂ થયેલા પાંચ દિવસના આ કઠોર અલૂણા વ્રતનું આજે પાંચમા દિવસે વિસર્જન સાથે સમાપન થયું. વહેલી સવારથી જ શહેરના વિવિધ તળાવો અને નદી કિનારે સૌભાગ્યવતી મહિલાઓ અને કુંવારી કન્યાઓની ભીડ જોવા મળી હતી. પાંચ દિવસ સુધી ઘરમાં ઉગાડેલા ઘઉંના જવારાની પૂજા કરી, મહિલાઓએ તેને પવિત્ર જળમાં પધરાવ્યા હતા. વરસાદી માહોલ વચ્ચે પણ શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ અકબંધ રહ્યો હતો. માન્યતા મુજબ, માતા પાર્વતીએ ભગવાન શિવને પામવા આ વ્રત કર્યું હતું. આજે પણ કુંવારિકાઓ સારા વર માટે અને પરિણીતાઓ પતિની લાંબી ઉંમર તથા અખંડ સૌભાગ્ય અને સંતાન સુખ માટે આ વ્રત કરે છે. વ્રતધારીઓએ પાંચ દિવસ મીઠા વગર ભોજન કરી, રાત્રિ જાગરણ અને શિવ-પાર્વતીની કથા સાંભળી હતી. અંતે સૌભાગ્યની વસ્તુઓનું દાન કરી વ્રત પૂર્ણ કરાયું. સ્થાનિક કોર્પોરેટર અને સામાજિક સંસ્થાઓ દ્વારા તળાવ કિનારે સ્વચ્છતા અને સુરક્ષા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. મહિલાઓએ એકબીજાને અખંડ સૌભાગ્યના આશીર્વાદ આપી, પ્રસાદ વહેંચ્યો હતો. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. જયા પાર્વતી વ્રત માત્ર ધાર્મિક પરંપરા નથી, પણ નારી શક્તિ, શ્રદ્ધા અને પરિવાર કલ્યાણની ભાવનાનું પ્રતીક છે. દર વર્ષે હજારો મહિલાઓ આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરે છે અને સમાજમાં એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.2
- કાલોલ ખાતે મુશળધાર વરસાદ: નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ, જનજીવન અસ્તવ્યસ્ત કાલોલ નગરમાં આજે બપોરના સમયે અચાનક હવામાનમાં પલટો આવ્યા બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી. ટૂંક જ સમયમાં પડેલા મુશળધાર વરસાદને કારણે સમગ્ર કાલોલ નગરમાં પાણી પાણી થઈ ગયું હતું. વરસાદના કારણે નગરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતાં સ્થાનિક જનજીવન પર માઠી અસર પડી હતી અચાનક શરુ થયેલા ધોધમાર વરસાદને કારણે નગરપાલિકા કાર્યાલય પાસે, મહાલક્ષ્મી ચોક, કચેરી રોડ તેમજ મુખ્ય બસ સ્ટેશન જેવા ધમધમતા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા દ્વિચક્રી વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. કેટલાક વાહનો પાણીમાં બંધ પડી જતાં વાહનચાલકો અટવાઈ પડ્યા હતા અને વાહનો ઢસડીને લઈ જવાની ફરજ પડી હતી. નગરના મુખ્ય ચાર રસ્તા અને મુખ્ય બજાર વિસ્તારોમાં પાણીનો નિકાલ ન થતાં વેપારીઓના ધંધા-રોજગારને પણ અસર પહોંચી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ આ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, ત્યારે નગરપાલિકા દ્વારા કરવામાં આવતી પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ફરી એકવાર ખુલ્લી પડી ગઈ છે. હાલમાં પણ વરસાદી પાણી ભરાયેલા હોવાથી વાહનચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અપીલ કરવામાં આવી છે.2
- હાલોલ તાલુકાના મોટી ઉભરવાણ ગામે કોતરના પાણીમા એક વ્યક્તિ તણાઈ જતા નીપજ્યુ મોત હાલોલ તાલુકાના મોટી ઉભરવાણ ગામે કોતરના પાણીમા એક વ્યક્તિ તણાઈ જતા નીપજ્યુ મોત પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં ભારે વરસાદ વચ્ચે વધુ એક કરુણ ઘટના સામે આવી છે.તા.31 જુલાઈ શુક્રવારના રોજ મોટી ઉભરવાણ ગામે કોતરના વધેલા પાણીમાં તણાઈ જતા 46 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું છે.મળતી માહિતી મુજબ, મૃતકનું નામ રેવજીભાઈ કાળુભાઈ રાઠવા હોવાનું જાણવા મળ્યું છે. તેઓ મૂળ ઘોઘંબા તાલુકાના જીંજરી ગામના રહેવાસી હતા અને છેલ્લા એક સપ્તાહથી પોતાની બહેનના ઘરે મોટી ઉભરવાણ ગામે રહેતા હતા.ઘટનાના દિવસે રેવજીભાઈ ગામમાં દુકાને સામાન લેવા ગયા હતા. પરત ઘરે ફરી રહ્યા હતા ત્યારે ભારે વરસાદને કારણે કોતરમાં પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો હતો. પાણીના જોરદાર પ્રવાહમાં તેઓ તણાઈ ગયા હતા અને આગળ નાળામાં ફસાઈ જતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું.ઘટનાની જાણ થતાં પાવાગઢ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.1
- દ્વારકા:GSPL કંપનીની ગેસ પાઇપ લાઈન સામે ખેડૂતોનો વિરોધ દ્વારકા:GSPL કંપનીની ગેસ પાઇપ લાઈન સામે ખેડૂતોનો વિરોધ #dwarka #gspl #newstoday #newsupdate #news1
- વિરપુર-બારોડા કેનાલ પાસે ભારે પવનમાં કન્ટેનર હાઉસ ઉડી ખાડામાં ખાબક્યું, એક મજૂરનું મોત, પાંચ ઈજાગ્રસ્ત વિરપુર તાલુકામાં શુક્રવારે મોડી રાત્રે ભારે પવન, વીજળીના કડાકા-ભડાકા અને ધોધમાર વરસાદ વચ્ચે એક કરુણ દુર્ઘટના સર્જાઈ હતી. વિરપુર-બારોડા કેનાલ પાસે આવેલ સીમ વિસ્તારમાં કામ કરી રહેલા મજૂરો માટે રાખવામાં આવેલા કન્ટેનર હાઉસમાં કુલ છ મજૂરો હાજર હતા. અચાનક ભારે પવનના ઝાપટાથી કન્ટેનર હાઉસ ઉખડીને બાજુમાં આવેલા પાણી ભરેલા ખાડામાં ખાબક્યું હતું.આ દુર્ઘટનામાં એક મજૂરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય પાંચ મજૂરોને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સૌપ્રથમ વિરપુર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે તેમની સ્થિતિ ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે તમામને લુણાવાડા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.પ્રાથમિક માહિતી મુજબ, કન્ટેનર હાઉસમાં રહેલા તમામ છ મજૂરો મૂળ જુનાગઢ જિલ્લાના રહેવાસી હતા અને મજૂરી કામ માટે વિરપુર તાલુકામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને સ્થાનિક તંત્ર ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ભારે વરસાદ અને પવનને કારણે સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો... રીપોર્ટર- વિપુલ જોષી વિરપુર1