‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય’ યોજનાના લાભાર્થીઓને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા ઘરબેઠાં સહાય મળશે રાજ્ય સરકાર દ્વારા વિધવા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા હેતુ અમલી ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’ હેઠળ હવે સહાયની રકમ સીધી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB)ના ખાતામાં જમા કરવામાં આવશે. આ નવી વ્યવસ્થાથી લાભાર્થીઓને આધાર આધારિત ડી.બી.ટી (DBT) દ્વારા નાણાં સીધા ખાતામાં જમા થશે. પોસ્ટમેન દ્વારા ઘરબેઠાં જ આ રોકડ ઉપાડવાની સુવિધા પણ પ્રાપ્ત થશે. આ સુવિધાથી ગંગા સ્વરૂપા બહેનોને આર્થિક વ્યવહારોમાં વધુ સરળતા અને સુરક્ષા પ્રાપ્ત થશે. પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે વધુ વિગતો આપતા કહ્યું કે, ઉત્તર ગુજરાતમાં આશરે ૧.૪૭ લાખથી વધુ લાભાર્થીઓ હાલ પોસ્ટ ઓફિસના ખાતાઓ દ્વારા આર્થિક સહાય મેળવી રહ્યા છે. આ તમામ લાભાર્થીઓને આધુનિક બેંકિંગ સુવિધા સાથે જોડવા માટે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લાઓમાં તા. ૧૪ થી ૨૦ ફેબ્રુઆરી,૨૦૨૬ સુધી વિશેષ અભિયાન ચલાવીને નવા IPPB ખાતાઓ ખોલવામાં આવશે. શ્રી યાદવે વધુમાં જણાવ્યું કે, આ IPPB ખાતું શૂન્ય બેલેન્સથી ખોલી શકાશે. પોસ્ટમેન કે ગ્રામીણ ડાક સેવક વિનંતી પર ઘરે આવીને ખાતું પણ ખોલી આપશે અને નાણાં પણ ચૂકવશે. લાભાર્થીઓએ પૈસા ઉપાડવા માટે બેંક કે પોસ્ટ ઓફિસ જવાની જરૂર રહેશે નહી. જે લાભાર્થીઓ પાસે પહેલેથી IPPB ખાતું છે, તેમણે માત્ર આધાર સીડિંગ કરાવવાનું રહેશે. IPPB ખાતું પહેલેથી જ ઉપલબ્ધ પોસ્ટ ઓફીસ બચત ખાતા સાથે લીંક કરી શકાશે, જેથી પોસ્ટ ઓફીસ બચત ખાતા અને IPPB બન્નેના લાભ એક સાથે મેળવી શકાય. આ ખાતું ખોલાવવા માટે આધાર કાર્ડ, આધાર સાથે લિંક થયેલ મોબાઈલ નંબર અને જૂના બચત ખાતાની પાસબુક અનિવાર્ય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં અંદાજે ૧૮,૧૫૫ લાભાર્થીઓ પોસ્ટ ઓફીસ ખાતા મારફતે આ સેવાનો લાભ લઈ રહ્યા છે. જો કોઈ લાભાર્થીને ખાતું ખોલવામાં મુશ્કેલી જણાય, તો તેઓ નજીકની પોસ્ટ ઓફીસનો અથવા હેલ્પલાઇન નંબર ૯૨૧૮૩૦૨૧૪૩, ૯૯૭૮૬૭૫૭૫૩, ૯૨૧૮૩૦૨૧૩૨ પર સંપર્ક કરી શકે છે.
‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય’ યોજનાના લાભાર્થીઓને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા ઘરબેઠાં સહાય મળશે રાજ્ય સરકાર દ્વારા વિધવા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા હેતુ અમલી ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’ હેઠળ હવે સહાયની રકમ સીધી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB)ના ખાતામાં જમા કરવામાં આવશે. આ નવી વ્યવસ્થાથી લાભાર્થીઓને આધાર આધારિત ડી.બી.ટી (DBT) દ્વારા નાણાં સીધા ખાતામાં જમા થશે. પોસ્ટમેન દ્વારા ઘરબેઠાં જ આ રોકડ ઉપાડવાની સુવિધા પણ પ્રાપ્ત થશે. આ સુવિધાથી ગંગા સ્વરૂપા બહેનોને આર્થિક વ્યવહારોમાં વધુ સરળતા અને સુરક્ષા પ્રાપ્ત થશે. પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે વધુ વિગતો આપતા કહ્યું કે, ઉત્તર ગુજરાતમાં આશરે ૧.૪૭ લાખથી વધુ લાભાર્થીઓ હાલ પોસ્ટ ઓફિસના ખાતાઓ દ્વારા આર્થિક સહાય મેળવી રહ્યા છે. આ તમામ લાભાર્થીઓને આધુનિક બેંકિંગ સુવિધા સાથે જોડવા માટે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લાઓમાં તા. ૧૪ થી ૨૦ ફેબ્રુઆરી,૨૦૨૬ સુધી વિશેષ અભિયાન ચલાવીને નવા IPPB ખાતાઓ ખોલવામાં આવશે. શ્રી યાદવે વધુમાં જણાવ્યું કે, આ IPPB ખાતું શૂન્ય બેલેન્સથી ખોલી શકાશે. પોસ્ટમેન કે ગ્રામીણ ડાક સેવક વિનંતી પર ઘરે આવીને ખાતું પણ ખોલી આપશે અને નાણાં પણ ચૂકવશે. લાભાર્થીઓએ પૈસા ઉપાડવા માટે બેંક કે પોસ્ટ ઓફિસ જવાની જરૂર રહેશે નહી. જે લાભાર્થીઓ પાસે પહેલેથી IPPB ખાતું છે, તેમણે માત્ર આધાર સીડિંગ કરાવવાનું રહેશે. IPPB ખાતું પહેલેથી જ ઉપલબ્ધ પોસ્ટ ઓફીસ બચત ખાતા સાથે લીંક કરી શકાશે, જેથી પોસ્ટ ઓફીસ બચત ખાતા અને IPPB બન્નેના લાભ એક સાથે મેળવી શકાય. આ ખાતું ખોલાવવા માટે આધાર કાર્ડ, આધાર સાથે લિંક થયેલ મોબાઈલ નંબર અને જૂના બચત ખાતાની પાસબુક અનિવાર્ય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં અંદાજે ૧૮,૧૫૫ લાભાર્થીઓ પોસ્ટ ઓફીસ ખાતા મારફતે આ સેવાનો લાભ લઈ રહ્યા છે. જો કોઈ લાભાર્થીને ખાતું ખોલવામાં મુશ્કેલી જણાય, તો તેઓ નજીકની પોસ્ટ ઓફીસનો અથવા હેલ્પલાઇન નંબર ૯૨૧૮૩૦૨૧૪૩, ૯૯૭૮૬૭૫૭૫૩, ૯૨૧૮૩૦૨૧૩૨ પર સંપર્ક કરી શકે છે.
- Post by BHARAT NEWS1
- अस्सलामु अलैकुम आदाब नमस्कार जय हिन्द जय भारत4
- ભારતીય જનતા પાટી ગુજરાત અમદાવાદ કર્ણાવતી મહાનગર ભાજપ કાર્યાલય, ખાનપુર ખાતે નવનિયુક્ત મહામંત્રીશ્રીઓએ પદભાર ગ્રહણ કર્યો. રિપોર્ટ :પટેલ નીલ ભાઈ1
- રાયણુવાળા મેલડી માતા જવાના રસ્તે આવેલ બાલા હનુમાન ખાતે ગઈ કાલે બે વિધાર્થીઓ સ્કૂલ પતાવ્યા બાદ નહવા ગયા હતા. જેમાં બંને યુવકો ડુબાવા લાગ્યા તેમાં એક વિધાર્થી ભાવેશ નાયક બચીને બહાર નીકળવામાં સફળ થયો હતો જયારે બીજો વિદ્યાર્થી સુજલ પરમાર ગરકાવ થઇ ગયો હતો. જેની ગઈ કાલથી ધંધુકા પોલીસ તથા ફાયર બ્રિગેડની ટિમ શોધ ખોળ કરી હતી પરંતુ વિધાર્થી મળ્યો નતો. જે આજ સવારથી ફરી શોધ ખોળ કરતા હાલ થોડી વાર પહેલ જ વિધાર્થી સુજલ પરમારની લાશ મળી હતી. બંને વિધાર્થીઓ બિરલા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા હતા. ઘટનાની જાણ થતા મામલતદાર તથા પીઆઇ, પીએસઆઈ સહિતના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પરિવારજનો દીકરાના મૃત્યુને લઈને શોકની લાગણી અનુભવી રહ્યા છે. માહિતી પ્રમાણે વિધાર્થી ભણવામાં ખુબ હોશિયાર હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ તથા ફાયર બ્રિગેડની ટિમની સતત કામગીરીના સફર પ્રયતનોથી આજ થોડી વાર પહેલા લાશ મળી આવી.1
- બજેટ સત્ર માં ગોપાલ ઇટાલિયા એ સાત પક્ષ સામે સવાલો કર્યા1
- Post by Safik Khan3
- સુરતના કુખ્યાત ચિરાગ ગોટીનો વરઘોડો સુરત શહેર એસ ઓ જી દ્વારા કાઢવામાં આવ્યો ગુજસીટોક કરવાના બેનર બતાડવામાં આવ્યા પોલીસ ની કામગીરીને લોકોએ બિરદાવી #surat #sog #viralnews #explore #explorepage2
- Post by BHARAT NEWS1