જૂનાગઢ મહાનગરપાલિકાને પી.એમ.સ્વનિધિ પ્રેઈઝ એવોર્ડ એનાયત કરતા નાણામંત્રી કનુભાઈ દેશાઈ જૂનાગઢ તા.૯ ભારત સરકારની પી.એમ સ્વનિધિ યોજના અંતર્ગત માર્ગ વેચાણકારો (સ્ટ્રીટ વેન્ડર્સ)ના કલ્યાણ અને આત્મ નિર્ભરતા માટે કરવામાં આવેલા ઉત્તમ કાર્ય બદલ ગુજરાત સરકાર દ્વારા વર્ષ-૨૦૨૩-૨૪ માટે પી.એમ.સ્વનિધિ પ્રેઈઝ એવોર્ડ (P.M.SVANIDHI PRAISE AWARD) હેઠળ જૂનાગઢ મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખાની એન.યુ.એલ.એમ.શાખાની ટીમને રાજ્યકક્ષાએથી એવોર્ડ પ્રદાન કરી સન્માનિત કરવામાં આવ્યા છે. સ્વનિધિ સમારોહ - ૨૦૨૬ સન્માન સમારંભમાં નાણામંત્રી કનુભાઈ દેશાઈના વરદ હસ્તે જૂનાગઢ મહાનગરપાલિકાની પી.એમ સ્વનિધિ યોજના હેઠળ શ્રેષ્ઠ કામગીરીની પ્રશંસા કરી અને ઉત્તમ અમલીકરણ બદલ એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો હતો.આ સિદ્ધિ હાંસલ કરવા માટે કમિશનર તેજસ પરમાર અને મેયર ધર્મેશ ડી.પોંશીયાનો યુ.સી.ડી.શાખા ના પ્રોજેક્ટ ઓફિસર તથા કર્મચારીઓ દ્વારા સતત માર્ગદર્શન આપવા બદલ આભાર માનવામાં આવેલ. પી.એમ.સ્વનિધિ યોજના અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ફેરિયાઓ તથા માર્ગ વેચાણકારોને લોન સુવિધા, ડિજિટલ લેવડદેવડ પ્રોત્સાહન, માર્ગદર્શન તથા વિવિધ સહાય સેવાઓ અસરકારક રીતે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.આ યોજના દ્વારા અનેક નાના વેપારીઓને પોતાના વ્યવસાયને મજબૂત બનાવવા અને આર્થિક રીતે આત્મનિર્ભર બનવામાં મદદ મળી છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભવિષ્યમાં પણ માર્ગ વેચાણકારોના સર્વાંગી વિકાસ માટે પીએમ સ્વનિધિ સહિતની કલ્યાણકારી યોજનાઓને વધુ અસરકારક રીતે અમલમાં મૂકવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ આ પુરસ્કાર જૂનાગઢ મહાનગરપાલિકાની વિકાસલક્ષી, લોકગીતકારી અને સમર્પિત કામગીરીનું ઉત્તમ પ્રતિબિંબ છે. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
જૂનાગઢ મહાનગરપાલિકાને પી.એમ.સ્વનિધિ પ્રેઈઝ એવોર્ડ એનાયત કરતા નાણામંત્રી કનુભાઈ દેશાઈ જૂનાગઢ તા.૯ ભારત સરકારની પી.એમ સ્વનિધિ યોજના અંતર્ગત માર્ગ વેચાણકારો (સ્ટ્રીટ વેન્ડર્સ)ના કલ્યાણ અને આત્મ નિર્ભરતા માટે કરવામાં આવેલા ઉત્તમ કાર્ય બદલ ગુજરાત સરકાર દ્વારા વર્ષ-૨૦૨૩-૨૪ માટે પી.એમ.સ્વનિધિ પ્રેઈઝ એવોર્ડ (P.M.SVANIDHI PRAISE AWARD) હેઠળ જૂનાગઢ મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખાની એન.યુ.એલ.એમ.શાખાની ટીમને રાજ્યકક્ષાએથી એવોર્ડ પ્રદાન કરી સન્માનિત કરવામાં આવ્યા છે. સ્વનિધિ સમારોહ - ૨૦૨૬ સન્માન સમારંભમાં નાણામંત્રી કનુભાઈ દેશાઈના વરદ હસ્તે જૂનાગઢ મહાનગરપાલિકાની પી.એમ સ્વનિધિ યોજના હેઠળ શ્રેષ્ઠ કામગીરીની પ્રશંસા કરી અને ઉત્તમ અમલીકરણ બદલ એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો હતો.આ સિદ્ધિ હાંસલ કરવા માટે કમિશનર તેજસ પરમાર અને મેયર ધર્મેશ ડી.પોંશીયાનો યુ.સી.ડી.શાખા ના પ્રોજેક્ટ ઓફિસર તથા કર્મચારીઓ દ્વારા સતત માર્ગદર્શન આપવા બદલ આભાર માનવામાં આવેલ. પી.એમ.સ્વનિધિ યોજના અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ફેરિયાઓ તથા માર્ગ વેચાણકારોને લોન સુવિધા, ડિજિટલ લેવડદેવડ પ્રોત્સાહન, માર્ગદર્શન તથા વિવિધ સહાય સેવાઓ અસરકારક રીતે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.આ યોજના દ્વારા અનેક નાના વેપારીઓને પોતાના વ્યવસાયને મજબૂત બનાવવા અને આર્થિક રીતે આત્મનિર્ભર બનવામાં મદદ મળી છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભવિષ્યમાં પણ માર્ગ વેચાણકારોના સર્વાંગી વિકાસ માટે પીએમ સ્વનિધિ સહિતની કલ્યાણકારી યોજનાઓને વધુ અસરકારક રીતે અમલમાં મૂકવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ આ પુરસ્કાર જૂનાગઢ મહાનગરપાલિકાની વિકાસલક્ષી, લોકગીતકારી અને સમર્પિત કામગીરીનું ઉત્તમ પ્રતિબિંબ છે. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
- શાપુર ખાતે સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.. 598 લોકોએ કેમ્પનો લીધો લાભ.. 20 બોટલ રક્ત એકત્ર કરાયું.. વંથલી તાલુકાના શાપુર પટેલ સમાજ ખાતે સામાજિક વનીકરણ રેન્જ આયોજિત અને શાપુર ગ્રામ પંચાયતના સહકારથી વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ નિદાન કેમ્પમાં હૃદયરોગ, હાડકા,જનરલ સર્જન, કાન નાક ગળા, ડાયાબિટીસ,ફેફસા ,ચામડી,આંખ, દાંત, સ્ત્રી રોગ નિષ્ણાંત,બાળ રોગ નિષ્ણાંત જેવા નામાંકિત ડોક્ટરોએ સેવા આપી હતી આ કેમ્પમાં ૫૯૮ જેટલા લોકોએ આ નિદાન કેપ્મનો લાભ લીધો હતો જેમાં તપાસ દરમિયાન સ્થળ પર જ જરૂરિયાત મંદ લોકોને દવા આપવામાં આવી હતી આ તકે રક્તદાન કેમ્પમાં ૨૦ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું આ રક્ત થેલેસેમીયા પીડિત બાળકો માટે ઉપયોગ લેવામાં આવશે આ કેમ્પને સફળ બનાવવા આર.એફ. ઓ. સુત્રેજા, રાઉન્ડ ફોરેસ્ટર સી.એમ.ચૌહાણ વનખાતાના કર્મચારીઓ ,ગ્રામ પંચાયતના સરપંચ ટીનુભાઇ ફળદુ, મેડિકલ ઓફિસર ડો. નીલમ પોલરા, ડો. સતિષ પરમાર શાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી તેમજ આ આરોગ્ય કેમ્પમાં સેવા આપનાર તમામ ડોક્ટરો તેમજ કર્મચારીઓનો વનવિભાગના આર. એફ. ઓ.સુત્રેજા તેમજ સરપંચ ટીનુભાઈ ફળદુએ આભાર વ્યકત કર્યો હતો અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ4
- ગીર એટલેકે જંગલ ના રાજાઓ ઠંડીનો મૌસમ માણવા હાઇવે પર ચડી આવ્યા. અમરેલીજિલ્લાના જંગલોમાં વસવાટ કરતા સિહો રોડ પર લટાર મારતા નજરે ચડ્યા. દ્ર્શ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા વાહન ચાલકો સિંહોનું અનોખું રૂપ જોયું....1
- બેંકીંગ, અમરેલી...... જાફરાબાદ...... ભાવનગર- સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માત...... જાફરાબાદના હેમાળ અને છેલણા ગામ વચ્ચે ફોર વ્હીલર કાર પલ્ટી મારી...... સુરત થી સોમનાથ જતી ફોર વ્હીલર કારને નડ્યો અકસ્માત......... નેશનલ હાઈવેની ઘોર બેદરકારી આવી સામે........ હાઇવે પર માટીનો પાળો હોવાથી ફોર વ્હીલર કાર મારી પલ્ટી... ૪ લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી....... આ ધટના પગલે આસપાસના સ્થાનિકોએ કારમાંથી સવારોને બહાર કાઢયા....... ભાવનગર -સોમનાથ નેશનલ હાઇવે પર અવારનવાર અકસ્માતોની ધટના વધી....... બાઈટ ૧:- હર્ષદભાઇ પડસાલા, (સ્થાનિક) રિપોર્ટર..કરશન પરમાર નાગેશ્રી જાફરાબાદ2
- રાજુલાના ભેરાઈ રોડ ઉપર દબાણના આક્ષેપો સાથેનો એક વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે રાજુલાના ભેરાઈ રોડને પોળો કરવાની વાત ચાલી રહી છે એવામાં આ વિડીયો વાયરલ થતાં જ ચર્ચાઓ એ જોડ પકડ્યું છે1
- રાજુલાની 10 વર્ષની હેતવી રાયચાએ સુરત રાજ્યકક્ષાની એથલેટિક ટૂર્નામેન્ટમાં ટોપ-8માં સ્થાન મેળવી શહેરનું નામ રોશન કર્યું રાજુલા શહેરમાં રહેતા રાયચા પરિવાર માટે ગૌરવની વાત સામે આવી છે. રાજુલાના દિપકભાઈ રાયચાની પુત્રી હેતવી દિપકભાઈ રાયચા (ઉંમર 10 વર્ષ) એ સુરત ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની એથલેટિક ટૂર્નામેન્ટમાં ઊંચીકૂદ (High Jump) U-11 કેટેગરીમાં ટોપ-8માં સ્થાન મેળવી 8મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિથી હેતવી રાયચાએ સમગ્ર રાયચા પરિવાર, તેમજ સમગ્ર રઘુવંશી સમાજ તેમજ રાજુલા શહેરનું નામ ઉજાગર કર્યું છે. મળતી માહિતી મુજબ 9 જાન્યુઆરી 2026ના રોજ ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી દ્વારા રાજ્ય કક્ષાની એથલેટિક ટૂર્નામેન્ટનું આયોજન સુરત ખાતે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ખાતે કરવામાં આવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં હેતવી રાયચાએ ઉત્તમ રમત પ્રદર્શન કરી ટોપ-8માં સ્થાન મેળવ્યું અને રાજ્ય કક્ષાએ મેડલ પોતાના નામે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે હેતવી રાયચાએ અગાઉ પણ ખેલ મહાકુંભમાં શાનદાર પ્રદર્શન કરી અનેક મેડલ જીત્યા છે, તેમજ અમદાવાદમાં યોજાયેલા ખેલ મહાકુંભના ડિસ્ટ્રિક્ટ લેવલમાં પણ ટોપ-8માં સ્થાન મેળવ્યું હતું. હાલ હેતવી અમદાવાદ ખાતે ગ્લોબલ મિશન ઇન્ટર નેશનલ સ્કૂલ (સંસ્કાર ધામ) માં અભ્યાસ કરી રહી છે તેમજ ત્યાં તાલીમ પણ મેળવી રહી છે. હવે આગળ હેતવી રાયચા નેશનલ લેવલ પર પણ આવું જ ઉત્તમ પ્રદર્શન કરી વધુ સફળતા મેળવે તેવી શુભેચ્છાઓ સાથે સમગ્ર પરિવાર તેમજ શાળા પરિવાર દ્વારા તેને અભિનંદન પાઠવવામાં આવ્યા છે હેતવી રાયચાના કોચ પ્રવીણ સોલંકી (રાહી સ્પોર્ટ્સ એકેડેમી) તેમજ જણાવ્યું કે આજના આ સમયમાં દીકરીઓ દીકરાથી કંઈ કમ નથી તે આ હેતવી રાયચા એ સાબિત કરી બતાવ્યું છે2
- જય સોમનાથ1
- PM મોદી સાહેબનીસોમનાથ એન્ટ્રી1
- ગીર સોમનાથ ખાતે ના પ્રોગ્રામ માં નિરાલી ખોડિયાર ઉદાસીન આશ્રમ ના મહા માંડલેશ્વર બજરંગદાસ બાપુ ની પ્રતિક્રિયા ગીર સોમનાથ જિલ્લામાં ભગવાન સોમનાથ દાદાના સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે પધારી રહેલા ભારતના યસ્વશી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની હાજરીમાં ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે તેમાં સ્થાનિક વેરાવળ ભાજપ દ્વારા સ્થાનિક સંતોને જ આમંત્રણ ન આપવા બાબત નું દુઃખ વ્યક્ત કરતા નિરાલી ખોડીયાર ઉદાસીસંપ્રદાયના મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ બાપુ એ એક નિવેદનમાં આ કાર્યક્રમમાં સ્થાનિક સંતોની બાદબાકી કરેલ છે અને બહારથી જે જૂના અખાડાના સાધુને બોલાવી અને જે અમારી પરંપરા મુજબ કુંભમેળા અને શિવરાત્રી મેળા ભવનાથ તળેટીમાં જે નાગા સાધુઓની રવાડી નીકળે છે એવી જ રવાડી ત્યાં કાઢવાની વાત આવી છે જેનો અમે વિરોધ કરીએ છીએ જે વસ્તુ જ્યાં શોભતી હોય ત્યાં જ શોભે તો આ રીતના તરગાળા રમવા જતા હોય એવી રીતના નાગા સાધુઓને ત્યાં લઈ જવા અને આવી રવાડીઓ કાઢવી એ વ્યાજબી અને સનાતન વિરુદ્ધ છે જેનો પણ અમે વિરોધ કરીએ છીએ ભાજપે આ બાબતે વિચારવું રહ્યું હા સંતોને બોલાવાય સંતોના આશીર્વાદ લેવાય સંતોની હાજરીમાં કાર્યક્રમ કરાય પણ આવા નોટંકી તાયાફાન કરવા પૂજ્ય બાપુએ પોતાના એક નિવેદનમાં અનુરોધ કર્યો છે અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ2