હાલોલના કણજરી નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી વડોદરાના આધેડનો મૂર્તદેહ મળ્યો,મૃત્યુ પાછળનું કારણ અકબંધ હાલોલમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં કણજરી નજીક રાજપુરા વિસ્તારમાં 21 માર્ચ શનિવારના રોજ એક પુરુષનો મૃતદેહ દેખાતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા હાલોલ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી ફાયર વિભાગની મદદથી મૃતદેહને બહાર કાઢ્યો હતો. બાદમાં મૃતદેહને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ વડોદરાના બરાનપુરા વિસ્તાર, શિવાજી ચોક ખાતે રહેતા 51 વર્ષીય સંજય ખાંડેકર તરીકે થઈ છે. સંજયભાઈ મોટર વાઈન્ડિંગના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. મળતી માહિતી મુજબ, તેઓ રોજની જેમ સવારે પોતાની દુકાને ગયા હતા અને શનિવારે બપોરે આશરે 1:52 વાગ્યે પોતાના પુત્રને ફોન કરી ઘરે જમવા આવવાની જાણ કરી હતી.પરંતુ તેઓ ઘરે ન પહોંચતા પરિવારજનોને શંકા ગઈ હતી. ત્યારબાદ જાણવા મળ્યું કે તેઓ પોતાનું સ્કૂટર લઈને હાલોલ તરફ આવ્યા હતા. રાજપુરા નહેર નજીક સ્કૂટર પાર્ક કરેલું મળી આવ્યું હતું. પોલીસે સ્કૂટરની તપાસ કરતાં લાયસન્સ મળતા મૃતકની ઓળખ થઇ હતી.પરિવારજનોને જાણ કરતા તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને મૃતદેહ સંજયભાઈનો હોવાની પુષ્ટિ કરી હતી.હાલ સમગ્ર ઘટનાને લઈને અનેક સવાલો ઉભા થયા છે — સંજયભાઈ હાલોલ એકલા આવ્યા હતા કે કોઈ સાથે? તેમણે નહેરમાં જાતે છલાંગ મારી કે કોઈએ ધક્કો માર્યો? આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને હાલોલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
હાલોલના કણજરી નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી વડોદરાના આધેડનો મૂર્તદેહ મળ્યો,મૃત્યુ પાછળનું કારણ અકબંધ હાલોલમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં કણજરી નજીક રાજપુરા વિસ્તારમાં 21 માર્ચ શનિવારના રોજ એક પુરુષનો મૃતદેહ દેખાતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા હાલોલ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી ફાયર વિભાગની મદદથી મૃતદેહને બહાર કાઢ્યો હતો. બાદમાં મૃતદેહને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ વડોદરાના બરાનપુરા વિસ્તાર, શિવાજી ચોક ખાતે રહેતા 51 વર્ષીય સંજય ખાંડેકર તરીકે થઈ છે. સંજયભાઈ મોટર વાઈન્ડિંગના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. મળતી માહિતી મુજબ, તેઓ રોજની જેમ સવારે પોતાની દુકાને ગયા હતા અને શનિવારે બપોરે આશરે 1:52 વાગ્યે પોતાના પુત્રને ફોન કરી ઘરે જમવા આવવાની જાણ કરી હતી.પરંતુ તેઓ ઘરે ન પહોંચતા પરિવારજનોને શંકા ગઈ હતી. ત્યારબાદ જાણવા મળ્યું કે તેઓ પોતાનું સ્કૂટર લઈને હાલોલ તરફ આવ્યા હતા. રાજપુરા નહેર નજીક સ્કૂટર પાર્ક કરેલું મળી આવ્યું હતું. પોલીસે સ્કૂટરની તપાસ કરતાં લાયસન્સ મળતા મૃતકની ઓળખ થઇ હતી.પરિવારજનોને જાણ કરતા તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને મૃતદેહ સંજયભાઈનો હોવાની પુષ્ટિ કરી હતી.હાલ સમગ્ર ઘટનાને લઈને અનેક સવાલો ઉભા થયા છે — સંજયભાઈ હાલોલ એકલા આવ્યા હતા કે કોઈ સાથે? તેમણે નહેરમાં જાતે છલાંગ મારી કે કોઈએ ધક્કો માર્યો? આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને હાલોલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
- યાત્રાધામ પાવાગઢ ખાતે આજે રવિવારે દર્શન કરવા આવેલા આણંદ જિલ્લાના એક પરિવારના મોભી ને ચક્કર આવતા તેઓ ખીણમાં લપસી પડતા બુમાબુમ મચી હતી. બનાવ બાદ પોલીસ અને ફાયર ના જવાનોએ ખીણ માં અધવચ્ચે ફસાયેલા ઇસમ ને બહાર કાઢ્યો હતો.આણંદ જિલ્લાના વડતાલ ગામના ખોડિયાર નગર ફળિયાના 22 વર્ષીય તુષારભાઈ અરવિંદભાઈ પરમાર પાવાગઢ ખાતે પરિવાર સાથે દર્શન કરવા આવ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ તુષારભાઈ પરિવાર સાથે ભદ્રકાળી માતાના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે ભારે તાપ અને ગરમી લાગતા તેઓ ઢળી પડ્યા અને નજીકની ખીણમાં ઢસડાઈ ગયા હોવાની જાણકારી મળી છે.ઘટના બનતા જ પરિવારજનો તેમજ અન્ય દર્શનાર્થીઓ દ્વારા તાત્કાલિક પોલીસ ને અને હાલોલ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને વાય કે પટેલ, ઉત્સવભાઈ, રાકેશભાઈ સહિત ચાર ટ્રેનરોએ બચાવ કામગીરી હાથ ધરી હતી.ફાયર ટીમે મુશ્કેલ પરિસ્થિતિમાં ખીણમાં અધવચ્ચે ફસાયેલા તુષારભાઈ ને સુરક્ષિત બહાર કાઢી સ્ટ્રેચર દ્વારા રોપવે સુધી પહોંચાડ્યો હતો. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે યુવકને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.અકસ્માતમાં યુવકના માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમની તત્પર કામગીરીના કારણે યુવકનો જીવ બચી ગયો હોવાનું જાણવા મળ્યું છે.1
- Post by THE BEALERT NEWS1
- ડો પાર્થિવરાજસિંહ કઠવાડિયા પ્રવક્તા કોંગ્રેસ.. UAE-ઓમાન પોર્ટ પર 29,000 કન્ટેનર અટવાયા, ભારતના 5500થી વધુ કન્ટેનર અટવાયા.. ભારતના અટવાયેલા કન્ટેનર પાછા લાવવા ₹275 કરોડનો વધારાનો ખર્ચ.. પેરિશેબલ ગુડ્સના 800થી વધુ કન્ટેનર ગલ્ફમાં મોકલેલા , માલ બગડવાનો ભય.. ગલ્ફમાં એક્સપોર્ટ થતી ગુજરાતની ₹500 કરોડની કેરી પર નુકસાનની આશંકા ઈદ ના સમયે ગલ્ફ દેશમાં ગારમેન્ટ કન્ટેનર અટવાતા ₹1500 કરોડના બિઝનેસ પર અસર સરકારને માંગ કે રિટર્ન લાવવાનો ચાર્જ માફ કરવામાં આવે.. કેન્દ્ર સરકાર એક્સપોટર ને ધ્યાનમાં રાખીને પેકેજ જાહેર કરે..1
- જબુગામ રામેશ્વર મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા નો કાર્યક્રમ અને ચંદીપાઠ યજ્ઞ નો પાઠ કરવામાં આવ્યો1
- Post by CITIZEN BEALERT1
- વિશ્વ વન દિવસે છોટાઉદેપુર ના પ્રકૃતિ સાથે જોડાયેલા એવા જનપ્રિય સાંસદ જશુભાઈ રાઠવા એ ડોલરીયા રેન્જ વિસ્તાર માં વન ભ્રમણ કરીને વન વગડાનો વૈભવ જાણ્યો અને માણ્યો હતો. વન ભ્રમણ દરમ્યાન તેઓ સાથે વનકર્મી પણ હાજર રહ્યા હતા ત્યારે તેમણે છોટાઉદેપુર જિલ્લામાં આવેલા જંગલોમાં વૃક્ષો, ઔષધીઓ, વન્ય પ્રાણીઓ નું રક્ષણ અને કરવા અને સંવર્ધન કરવા માટે પણ અપીલ કરી હતી અને વનભોજન ના લાહ્વો માન્યો હતો વિશ્વ વન દિવસ: છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાએ ડોલરીયા રેન્જમાં માણ્યો પ્રકૃતિનો વૈભવ. જંગલ ભ્રમણ અને વનભોજન: સાંસદ જશુભાઈ રાઠવાએ વન્ય જીવો અને ઔષધીઓના જતન માટે કરી અપીલ. વિશ્વ વન દિવસે જનપ્રિય સાંસદ પહોંચ્યા પ્રકૃતિના ખોળે, વનકર્મીઓ સાથે કરી ખાસ ચર્ચા. આજે વિશ્વ વન દિવસ છે. પ્રકૃતિ અને પર્યાવરણના જતનનો સંદેશ આપવા માટે છોટાઉદેપુરના લોકપ્રિય સાંસદ જશુભાઈ રાઠવા આજે એક અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. વિશ્વ વન દિવસ નિમિત્તે સાંસદ જશુભાઈ રાઠવા દ્વારા કરવામાં આવેલ આ વન ભ્રમણ પ્રકૃતિ પ્રત્યેની તેમની વિશેષ રુચિ દર્શાવે છે. છોટાઉદેપુર જિલ્લો કુદરતી સંપદાથી સમૃદ્ધ છે, ત્યારે લોકપ્રતિનિધિ જ્યારે પોતે જંગલની મુલાકાત લે છે, ત્યારે વન સંરક્ષણના સંદેશની અસર વ્યાપક થાય છે. સાંસદશ્રીએ ડોલરીયા રેન્જ વિસ્તારમાં જામલી જંગલ માં વન ભ્રમણ કરી કુદરતી સૌંદર્યને નજીકથી નિહાળ્યું હતું. આ મુલાકાત દરમિયાન તેમણે જંગલમાં જોવા મળતી અમૂલ્ય ઔષધીઓ, વૃક્ષો અને વન્ય પ્રાણીઓના રક્ષણ માટે વન વિભાગના કર્મચારીઓ સાથે વિચાર-વિમર્શ કર્યો હતો. મહત્વનું છે કે, તેમણે વન વિસ્તારમાં જ 'વનભોજન'નો આનંદ માણી પ્રકૃતિ સાથેનો પોતાનો અતૂટ નાતો વ્યક્ત કર્યો હતો. સાંસદશ્રીએ જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરી છે કે આપણે સૌ સાથે મળીને આ વન વગડાના વૈભવનું સંવર્ધન કરીએ અને આવનારી પેઢી માટે જંગલોને સુરક્ષિત રાખીએ.1
- Post by Yunis Parmar1
- પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આજે ચૈત્રી નવરાત્રીના ચોથા નોરતે માતાજીના દર્શન કરવા માટે ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું હતું આજે રવિવાર અને ચૈત્રી નવરાત્રીના સંયોગ સાથે જ વહેલી સવારે મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી જ્યારે નિજ મંદિર તેમજ પ્રાંગણ અને પગથિયા પર માઈભક્તોનું કીડિયારું ઉભરાયું હતું.ચૈત્ર નોરતાના રવિવારે માતાજીના દર્શનનો વિશેષ મહિમા રહેલો છે જેને લઈ ને શનિવાર ની રાત્રિ થી જ પાવાગઢ ખાતે ભક્તો ઉમટ્યા હતા જેમાં અમદાવાદ, વડોદરા ઉપરાંત મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના માઇભક્તો પણ ઉમટ્યા હતા અને મહાકાળી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી જોકે ભક્તોના ધસારાને ધ્યાનમાં રાખીને તંત્ર ધ્વારા વિશેષ વ્યવસ્થાઓ પણ ગોઠવાઈ હતી અને ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકાયો હતો જ્યારે આજે ભક્તોએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી1