logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ગામડાઓમાં તેમજ વાવ વિસ્તારમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. વરસાદ ન થવાના કારણે ખેડૂતો ભારે હેરાન-પરેશાન થઈ રહ્યા હતા. આવા કપરા સમયમાં ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ ખેડૂતોની વહારે આવ્યા છે. સિંચાઈ માટે નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. કેનાલમાં પાણી છોડાતા જ ખેડૂતોમાં ભારે હરખ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે.

1 hr ago
user_Vikram Rajgor
Vikram Rajgor
થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
1 hr ago
ab85a69d-a0aa-4e5d-8fa4-130945812257
01d94364-27c3-431d-a411-bed646988a0b
fceaeb71-37f0-494e-94c9-ff5bed587ccd
5fdd8176-7b20-4bf8-81e7-e49eefc7c60b

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ગામડાઓમાં તેમજ વાવ વિસ્તારમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. વરસાદ ન થવાના કારણે ખેડૂતો ભારે હેરાન-પરેશાન થઈ રહ્યા હતા. આવા કપરા સમયમાં ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ ખેડૂતોની વહારે આવ્યા છે. સિંચાઈ માટે નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. કેનાલમાં પાણી છોડાતા જ ખેડૂતોમાં ભારે હરખ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે.

More news from ગુજરાત and nearby areas
  • બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ઈઢાટા સીમ વિસ્તારમાં એક આખલો ઢીમા બ્રાંચમાં ખાબક્યો હતો. આ ઘટના સામે આવ્યા બાદ સ્થાનિક ગૌ ભક્તોએ તાત્કાલિક ભારે મહેનત હાથ ધરીને આ આખલાને સુરક્ષિત રીતે બહાર કાઢી તેનો જીવ બચાવી લીધો હતો.
    4
    બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ઈઢાટા સીમ વિસ્તારમાં એક આખલો ઢીમા બ્રાંચમાં ખાબક્યો હતો. આ ઘટના સામે આવ્યા બાદ સ્થાનિક ગૌ ભક્તોએ તાત્કાલિક ભારે મહેનત હાથ ધરીને આ આખલાને સુરક્ષિત રીતે બહાર કાઢી તેનો જીવ બચાવી લીધો હતો.
    user_Vikram Rajgor
    Vikram Rajgor
    થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા થરાદ શહેર માટે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી છે. થરાદ મુકામે ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવનના નિર્માણની જાહેરાત થતાં જ આંબેડકરવાદી સમાજ સહિત સ્થાનિક લોકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. થરાદ ખાતે લાંબા સમયથી ડૉ. બાબાસાહેબ આંબેડકરના નામે ભવન બનાવવાની માંગણી ઉઠતી હતી, જે આ મહત્વપૂર્ણ જાહેરાત બાદ હવે પૂર્ણ થવાની આશા વધુ મજબૂત બની છે. સ્થાનિક આગેવાનો અને સમાજના પ્રતિનિધિઓએ આ નિર્ણયને આવકારતાં જણાવ્યું છે કે આ આંબેડકર ભવન સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક તેમજ વિવિધ જનહિતના કાર્યક્રમો માટે એક ઉપયોગી કેન્દ્ર અને મહત્વપૂર્ણ સુવિધા સાબિત થશે. હવે સ્થાનિક લોકોમાં એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સરકાર દ્વારા જરૂરી વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરી ટૂંક સમયમાં જ આ ભવનના નિર્માણની કામગીરીનો પ્રારંભ કરવામાં આવે.
    1
    ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા થરાદ શહેર માટે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી છે. થરાદ મુકામે ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવનના નિર્માણની જાહેરાત થતાં જ આંબેડકરવાદી સમાજ સહિત સ્થાનિક લોકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. થરાદ ખાતે લાંબા સમયથી ડૉ. બાબાસાહેબ આંબેડકરના નામે ભવન બનાવવાની માંગણી ઉઠતી હતી, જે આ મહત્વપૂર્ણ જાહેરાત બાદ હવે પૂર્ણ થવાની આશા વધુ મજબૂત બની છે.

સ્થાનિક આગેવાનો અને સમાજના પ્રતિનિધિઓએ આ નિર્ણયને આવકારતાં જણાવ્યું છે કે આ આંબેડકર ભવન સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક તેમજ વિવિધ જનહિતના કાર્યક્રમો માટે એક ઉપયોગી કેન્દ્ર અને મહત્વપૂર્ણ સુવિધા સાબિત થશે. હવે સ્થાનિક લોકોમાં એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સરકાર દ્વારા જરૂરી વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરી ટૂંક સમયમાં જ આ ભવનના નિર્માણની કામગીરીનો પ્રારંભ કરવામાં આવે.
    user_Pravinbhai Chauhan press
    Pravinbhai Chauhan press
    Photographer થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    3 hrs ago
  • બનાસકાંઠાના થરાદ તાલુકાના ઈઢાટા ગામની સીમમાંથી પસાર થતી ઢીમા બ્રાંચ કેનાલમાં વિક્રમભાઈ રાજગોરના ખેતર નજીક એક આખલો પડી ગયો હોવાની જાણ થતાં જ સ્થાનિક ગૌભક્તો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં ગૌભક્ત વર્ધાભાઈ રાજપૂત, વિક્રમભાઈ રાજગોર, ચીમનભાઈ ઠાકોર, દશરથભાઈ રાજગોર, પુનમભાઈ વજીર, હીરાભાઈ વ્યાસ અને માધાભાઈ રબારી સહિતના સેવાભાવી યુવાનોએ એકઠા થઈને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ સેવાભાવી યુવાનોએ ભારે જહેમત ઉઠાવીને સંયુક્ત પ્રયાસો દ્વારા આખલાને કેનાલમાંથી સલામત રીતે બહાર કાઢ્યો હતો. સમયસર કરવામાં આવેલા આ સફળ રેસ્ક્યૂના કારણે એક નિર્દોષ પશુનો જીવ બચી ગયો હતો. ગૌભક્તોના આ જીવદયા, સેવા અને માનવતાભર્યા કાર્યની સ્થાનિક લોકો દ્વારા હૃદયપૂર્વક પ્રશંસા કરવામાં આવી રહી છે. આ ઘટનાએ સમાજમાં પશુપ્રેમ અને જીવદયાનો એક ઉત્તમ સંદેશ આપ્યો છે.
    3
    બનાસકાંઠાના થરાદ તાલુકાના ઈઢાટા ગામની સીમમાંથી પસાર થતી ઢીમા બ્રાંચ કેનાલમાં વિક્રમભાઈ રાજગોરના ખેતર નજીક એક આખલો પડી ગયો હોવાની જાણ થતાં જ સ્થાનિક ગૌભક્તો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં ગૌભક્ત વર્ધાભાઈ રાજપૂત, વિક્રમભાઈ રાજગોર, ચીમનભાઈ ઠાકોર, દશરથભાઈ રાજગોર, પુનમભાઈ વજીર, હીરાભાઈ વ્યાસ અને માધાભાઈ રબારી સહિતના સેવાભાવી યુવાનોએ એકઠા થઈને બચાવ કામગીરી શરૂ કરી હતી.

આ સેવાભાવી યુવાનોએ ભારે જહેમત ઉઠાવીને સંયુક્ત પ્રયાસો દ્વારા આખલાને કેનાલમાંથી સલામત રીતે બહાર કાઢ્યો હતો. સમયસર કરવામાં આવેલા આ સફળ રેસ્ક્યૂના કારણે એક નિર્દોષ પશુનો જીવ બચી ગયો હતો. ગૌભક્તોના આ જીવદયા, સેવા અને માનવતાભર્યા કાર્યની સ્થાનિક લોકો દ્વારા હૃદયપૂર્વક પ્રશંસા કરવામાં આવી રહી છે. આ ઘટનાએ સમાજમાં પશુપ્રેમ અને જીવદયાનો એક ઉત્તમ સંદેશ આપ્યો છે.
    user_MOHAN SUTHAR
    MOHAN SUTHAR
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    5 hrs ago
  • ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના લોકપ્રિય ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ તાજેતરમાં તબીબી ક્ષેત્રના નવદીક્ષિત યુવાનો અને અગ્રણીઓને સંબોધન કરતા ડૉક્ટરોના ઉમદા વ્યવસાય અને માનવ સેવા અંગે અત્યંત પ્રેરણાદાયી અને મનનીય વિચારો વ્યક્ત કર્યા છે. થરાદ અને વાવ પંથકના લોકોના કલ્યાણ માટે રાત-દિવસ કાર્યરત રહેતા શંકરભાઈ ચૌધરીના આ સંવેદનશીલ અભિગમ અને વિચારોને સમગ્ર પંથકમાં ભારે આવકાર મળી રહ્યો છે. વિધાનસભા અધ્યક્ષશ્રીએ ડૉક્ટરોના વ્યવસાયની ગરિમા સમજાવતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ડૉક્ટરનો વ્યવસાય માત્ર વેલ્થ ક્રિએશન (સંપત્તિનું સર્જન) કરવા માટેનો વ્યવસાય નથી, પરંતુ તે સમાજના દુખી અને પીડિત લોકોને સુખ પ્રાપ્ત કરાવવા અને સુખ આપવા માટેનો એક અત્યંત પવિત્ર વ્યવસાય છે. તેમણે વધુમાં ઉમેર્યું કે સુખ એ માત્ર ધન-દૌલતનું સુખ નથી, પરંતુ મનનું સુખ, બુદ્ધિનું સુખ અને આત્માનું સુખ છે. જ્યારે કોઈ દુખી અને રડતો દર્દી ડૉક્ટર પાસે આવે છે અને સારવાર બાદ હસતો-હસતો ઘરે જાય છે, ત્યારે તે જોઈને ડૉક્ટર પોતે પણ અંદરથી પ્રફુલ્લિત થાય છે અને તેમનામાં એક નવો જ આનંદ પ્રગટે છે. સમાજમાં ડૉક્ટરો અને તેમના પરિવારોની ખુશહાલી પાછળનું રહસ્ય સમજાવતા શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે દર્દીઓના હૃદયમાંથી નીકળતા સાચા આશીર્વાદ અને બ્લેસિંગ્સ જ ડૉક્ટરોની સાચી ખુશીનું કારણ છે. ઈશ્વરે ડૉક્ટરોને આ પરમ પવિત્ર કાર્ય અને માનવતાની સૌથી મોટી સેવા માટે પસંદ કર્યા છે. થરાદ મત વિસ્તારના ધારાસભ્ય તરીકે શંકરભાઈ ચૌધરી હંમેશાં લોકોનું ભલું કઈ રીતે થાય અને અંતરિયાળ વિસ્તારના લોકોને શ્રેષ્ઠ સુવિધાઓ કઈ રીતે મળે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે.
    1
    ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના લોકપ્રિય ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ તાજેતરમાં તબીબી ક્ષેત્રના નવદીક્ષિત યુવાનો અને અગ્રણીઓને સંબોધન કરતા ડૉક્ટરોના ઉમદા વ્યવસાય અને માનવ સેવા અંગે અત્યંત પ્રેરણાદાયી અને મનનીય વિચારો વ્યક્ત કર્યા છે. થરાદ અને વાવ પંથકના લોકોના કલ્યાણ માટે રાત-દિવસ કાર્યરત રહેતા શંકરભાઈ ચૌધરીના આ સંવેદનશીલ અભિગમ અને વિચારોને સમગ્ર પંથકમાં ભારે આવકાર મળી રહ્યો છે.

વિધાનસભા અધ્યક્ષશ્રીએ ડૉક્ટરોના વ્યવસાયની ગરિમા સમજાવતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ડૉક્ટરનો વ્યવસાય માત્ર વેલ્થ ક્રિએશન (સંપત્તિનું સર્જન) કરવા માટેનો વ્યવસાય નથી, પરંતુ તે સમાજના દુખી અને પીડિત લોકોને સુખ પ્રાપ્ત કરાવવા અને સુખ આપવા માટેનો એક અત્યંત પવિત્ર વ્યવસાય છે. તેમણે વધુમાં ઉમેર્યું કે સુખ એ માત્ર ધન-દૌલતનું સુખ નથી, પરંતુ મનનું સુખ, બુદ્ધિનું સુખ અને આત્માનું સુખ છે. જ્યારે કોઈ દુખી અને રડતો દર્દી ડૉક્ટર પાસે આવે છે અને સારવાર બાદ હસતો-હસતો ઘરે જાય છે, ત્યારે તે જોઈને ડૉક્ટર પોતે પણ અંદરથી પ્રફુલ્લિત થાય છે અને તેમનામાં એક નવો જ આનંદ પ્રગટે છે.

સમાજમાં ડૉક્ટરો અને તેમના પરિવારોની ખુશહાલી પાછળનું રહસ્ય સમજાવતા શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે દર્દીઓના હૃદયમાંથી નીકળતા સાચા આશીર્વાદ અને બ્લેસિંગ્સ જ ડૉક્ટરોની સાચી ખુશીનું કારણ છે. ઈશ્વરે ડૉક્ટરોને આ પરમ પવિત્ર કાર્ય અને માનવતાની સૌથી મોટી સેવા માટે પસંદ કર્યા છે. થરાદ મત વિસ્તારના ધારાસભ્ય તરીકે શંકરભાઈ ચૌધરી હંમેશાં લોકોનું ભલું કઈ રીતે થાય અને અંતરિયાળ વિસ્તારના લોકોને શ્રેષ્ઠ સુવિધાઓ કઈ રીતે મળે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે.
    user_Laxman Solanki
    Laxman Solanki
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    17 hrs ago
  • અમદાવાદના શહેર કોટડા વિસ્તારમાં ભિક્ષાવૃત્તિ કરતા મૂળ બિહારી પરિવારની ૫ વર્ષની સગીર બાળકીનું એક અજાણી મહિલાએ અપહરણ કરી તેને રાજ્ય બહાર લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. આ ગંભીર કેસમાં પાલનપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે ઝડપી અને અસરકારક કામગીરી કરીને નોંધપાત્ર સફળતા મેળવી છે. ઘટનાની જાણ થતાં જ પાલનપુર એલસીબીની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને વિવિધ ટેકનિકલ તેમજ માનવ ગુપ્તચર માહિતીના આધારે આરોપીની હિલચાલ પર સતત નજર રાખી હતી. પોલીસની સચોટ બાતમી અને ઝડપી કાર્યવાહીના આધારે અપહરણકર્તા મહિલાને અમીરગઢ-આબુરોડ હાઇવે પરથી ફિલ્મી ઢબે ઝડપી પાડવામાં આવી હતી અને ગણતરીના કલાકોમાં જ ૫ વર્ષની બાળકીને હેમખેમ મુક્ત કરાવી લેવાઈ હતી. આ સફળ ઓપરેશનથી બાળકીનો સુરક્ષિત બચાવ થતાં તેના પરિવારજનોમાં રાહતની લાગણી વ્યાપી ગઈ છે, જ્યારે આરોપી મહિલા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાલનપુર એલસીબીની આ કામગીરી બાળ સુરક્ષા અને માનવ તસ્કરી વિરોધી અભિયાનમાં પોલીસની પ્રતિબદ્ધતા અને વ્યાવસાયિક કુશળતાનું ઉત્તમ ઉદાહરણ સાબિત થઈ છે.
    1
    અમદાવાદના શહેર કોટડા વિસ્તારમાં ભિક્ષાવૃત્તિ કરતા મૂળ બિહારી પરિવારની ૫ વર્ષની સગીર બાળકીનું એક અજાણી મહિલાએ અપહરણ કરી તેને રાજ્ય બહાર લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. આ ગંભીર કેસમાં પાલનપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે ઝડપી અને અસરકારક કામગીરી કરીને નોંધપાત્ર સફળતા મેળવી છે.

ઘટનાની જાણ થતાં જ પાલનપુર એલસીબીની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને વિવિધ ટેકનિકલ તેમજ માનવ ગુપ્તચર માહિતીના આધારે આરોપીની હિલચાલ પર સતત નજર રાખી હતી. પોલીસની સચોટ બાતમી અને ઝડપી કાર્યવાહીના આધારે અપહરણકર્તા મહિલાને અમીરગઢ-આબુરોડ હાઇવે પરથી ફિલ્મી ઢબે ઝડપી પાડવામાં આવી હતી અને ગણતરીના કલાકોમાં જ ૫ વર્ષની બાળકીને હેમખેમ મુક્ત કરાવી લેવાઈ હતી.

આ સફળ ઓપરેશનથી બાળકીનો સુરક્ષિત બચાવ થતાં તેના પરિવારજનોમાં રાહતની લાગણી વ્યાપી ગઈ છે, જ્યારે આરોપી મહિલા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાલનપુર એલસીબીની આ કામગીરી બાળ સુરક્ષા અને માનવ તસ્કરી વિરોધી અભિયાનમાં પોલીસની પ્રતિબદ્ધતા અને વ્યાવસાયિક કુશળતાનું ઉત્તમ ઉદાહરણ સાબિત થઈ છે.
    user_વિક્રમ પ્રજાપતિ પત્રકાર થરાદ
    વિક્રમ પ્રજાપતિ પત્રકાર થરાદ
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    19 hrs ago
  • થરાદ વાવ રોડ પર આવેલા ગોકુળ ગામમાં ગુરુ બ્રાહ્મણ સમાજની વાડીમાં એક સામાજિક પ્રસંગ દરમિયાન સસરા અને જમાઈ વચ્ચે ભારે હોબાળો અને ઝઘડો થયો હતો. આ વિવાદમાં જમાઈ અને તેમના કાકાને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ હુમલા બાદ ઈજાગ્રસ્ત થયેલા બંને લોકોને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે થરાદની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.
    3
    થરાદ વાવ રોડ પર આવેલા ગોકુળ ગામમાં ગુરુ બ્રાહ્મણ સમાજની વાડીમાં એક સામાજિક પ્રસંગ દરમિયાન સસરા અને જમાઈ વચ્ચે ભારે હોબાળો અને ઝઘડો થયો હતો. આ વિવાદમાં જમાઈ અને તેમના કાકાને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ હુમલા બાદ ઈજાગ્રસ્ત થયેલા બંને લોકોને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે થરાદની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.
    user_Jitubhai barot
    Jitubhai barot
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    32 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.