Shuru
Apke Nagar Ki App…
સાવરકુંડલા નજીક ગમખ્વાર અકસ્માત! સર્જાયો ST બસની અડફેટે આધેડનું ઘટનાસ્થળે જ મોત સ્થળ: સાવરકુંડલા સૂચિત અમરેલી-મહુવા બાયપાસ. દુર્ઘટના: મહુવા-જામનગર રૂટની ST બસની અડફેટે વ્હિકલ ચાલકનું કરૂણ મૃત્યુ. મૃતક: સાવરકુંડલાના રહેવાસી કનુભાઈ ખીમજીભાઈ નગવાડિયા (ઉં.વ. 55). અકસ્માતનું કારણ: ST બસ ચાલકે વ્હિકલ ચાલકને આશરે 30 ફૂટ જેટલા આગળ સુધી ઢસડતા ઘટનાસ્થળે જ કનુભાઈનું મોત નીપજ્યું. શોકજનક: કનુભાઈ નગવાડિયા સાવરકુંડલાથી મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે જ કાળનો ભેટો થયો. પોલીસ કાર્યવાહી: સાવરકુંડલા ટાઉન પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે. તસ્વીર " રેહાન ધાનાણી.
સત્ય સમાચાર સચોટ અહેવાલ બે ધડક સવાલ
સાવરકુંડલા નજીક ગમખ્વાર અકસ્માત! સર્જાયો ST બસની અડફેટે આધેડનું ઘટનાસ્થળે જ મોત સ્થળ: સાવરકુંડલા સૂચિત અમરેલી-મહુવા બાયપાસ. દુર્ઘટના: મહુવા-જામનગર રૂટની ST બસની અડફેટે વ્હિકલ ચાલકનું કરૂણ મૃત્યુ. મૃતક: સાવરકુંડલાના રહેવાસી કનુભાઈ ખીમજીભાઈ નગવાડિયા (ઉં.વ. 55). અકસ્માતનું કારણ: ST બસ ચાલકે વ્હિકલ ચાલકને આશરે 30 ફૂટ જેટલા આગળ સુધી ઢસડતા ઘટનાસ્થળે જ કનુભાઈનું મોત નીપજ્યું. શોકજનક: કનુભાઈ નગવાડિયા સાવરકુંડલાથી મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે જ કાળનો ભેટો થયો. પોલીસ કાર્યવાહી: સાવરકુંડલા ટાઉન પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે. તસ્વીર " રેહાન ધાનાણી.
More news from ગુજરાત and nearby areas
- ગીર એટલેકે જંગલ ના રાજાઓ ઠંડીનો મૌસમ માણવા હાઇવે પર ચડી આવ્યા. અમરેલીજિલ્લાના જંગલોમાં વસવાટ કરતા સિહો રોડ પર લટાર મારતા નજરે ચડ્યા. દ્ર્શ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા વાહન ચાલકો સિંહોનું અનોખું રૂપ જોયું....1
- રાજુલાની 10 વર્ષની હેતવી રાયચાએ સુરત રાજ્યકક્ષાની એથલેટિક ટૂર્નામેન્ટમાં ટોપ-8માં સ્થાન મેળવી શહેરનું નામ રોશન કર્યું રાજુલા શહેરમાં રહેતા રાયચા પરિવાર માટે ગૌરવની વાત સામે આવી છે. રાજુલાના દિપકભાઈ રાયચાની પુત્રી હેતવી દિપકભાઈ રાયચા (ઉંમર 10 વર્ષ) એ સુરત ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની એથલેટિક ટૂર્નામેન્ટમાં ઊંચીકૂદ (High Jump) U-11 કેટેગરીમાં ટોપ-8માં સ્થાન મેળવી 8મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિથી હેતવી રાયચાએ સમગ્ર રાયચા પરિવાર, તેમજ સમગ્ર રઘુવંશી સમાજ તેમજ રાજુલા શહેરનું નામ ઉજાગર કર્યું છે. મળતી માહિતી મુજબ 9 જાન્યુઆરી 2026ના રોજ ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી દ્વારા રાજ્ય કક્ષાની એથલેટિક ટૂર્નામેન્ટનું આયોજન સુરત ખાતે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ખાતે કરવામાં આવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં હેતવી રાયચાએ ઉત્તમ રમત પ્રદર્શન કરી ટોપ-8માં સ્થાન મેળવ્યું અને રાજ્ય કક્ષાએ મેડલ પોતાના નામે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે હેતવી રાયચાએ અગાઉ પણ ખેલ મહાકુંભમાં શાનદાર પ્રદર્શન કરી અનેક મેડલ જીત્યા છે, તેમજ અમદાવાદમાં યોજાયેલા ખેલ મહાકુંભના ડિસ્ટ્રિક્ટ લેવલમાં પણ ટોપ-8માં સ્થાન મેળવ્યું હતું. હાલ હેતવી અમદાવાદ ખાતે ગ્લોબલ મિશન ઇન્ટર નેશનલ સ્કૂલ (સંસ્કાર ધામ) માં અભ્યાસ કરી રહી છે તેમજ ત્યાં તાલીમ પણ મેળવી રહી છે. હવે આગળ હેતવી રાયચા નેશનલ લેવલ પર પણ આવું જ ઉત્તમ પ્રદર્શન કરી વધુ સફળતા મેળવે તેવી શુભેચ્છાઓ સાથે સમગ્ર પરિવાર તેમજ શાળા પરિવાર દ્વારા તેને અભિનંદન પાઠવવામાં આવ્યા છે હેતવી રાયચાના કોચ પ્રવીણ સોલંકી (રાહી સ્પોર્ટ્સ એકેડેમી) તેમજ જણાવ્યું કે આજના આ સમયમાં દીકરીઓ દીકરાથી કંઈ કમ નથી તે આ હેતવી રાયચા એ સાબિત કરી બતાવ્યું છે2
- સુરત રાજ્યકક્ષાની એથલેટિક ટૂર્નામેન્ટમાં ટોપ-8માં સ્થાન મેળવી શહેરનું નામ રોશન કર્યું રાજુલા શહેર માટે ગૌરવની વાત સામે આવી છે. રાજુલામાં રહેતા દિપકભાઈ રાયચાની પુત્રી હેતવી દિપકભાઈ રાયચા (ઉંમર 10 વર્ષ) એ સુરત ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની એથલેટિક ટૂર્નામેન્ટમાં ઊંચીકૂદ (High Jump) U-11 કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ટોપ-8માં સ્થાન મેળવ્યું હતું અને 8મું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ સિદ્ધિથી હેતવી રાયચાએ રાયચા પરિવાર સાથે-સાથ સમગ્ર રઘુવંશી સમાજ તથા રાજુલા શહેરનું નામ રાજ્યસ્તરે ઉજાગર કર્યું છે. મળતી માહિતી મુજબ, 9 જાન્યુઆરી 2026ના રોજ ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી દ્વારા સુરત ખાતે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ના મેદાન પર રાજ્યકક્ષાની એથલેટિક ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં હેતવી રાયચાએ શાનદાર રમતકૌશલ્ય દાખવી ટોપ-8માં સ્થાન મેળવી રાજ્યકક્ષાનો મેડલ પોતાના નામે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે હેતવી રાયચાએ અગાઉ પણ ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અનેક મેડલ જીત્યા છે. તેમજ અમદાવાદ ખાતે યોજાયેલા ખેલ મહાકુંભના ડિસ્ટ્રિક્ટ લેવલમાં પણ ટોપ-8માં સ્થાન મેળવી પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો હતો. હાલ હેતવી અમદાવાદ સ્થિત ગ્લોબલ મિશન ઇન્ટરનેશનલ સ્કૂલ (સંસ્કાર ધામ) માં અભ્યાસ સાથે રમતગમતની તાલીમ પણ મેળવી રહી છે. આગામી સમયમાં હેતવી રાયચા નેશનલ લેવલ પર પણ આવું જ ઉત્તમ પ્રદર્શન કરી વધુ સફળતા મેળવે તેવી શુભેચ્છાઓ સાથે સમગ્ર પરિવાર, શાળા પરિવાર તેમજ રમતપ્રેમીઓ દ્વારા તેને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. હેતવીના કોચ પ્રવીણ સોલંકી (રાહી સ્પોર્ટ્સ એકેડેમી) તથા સ્પોર્ટ્સ ટીચર હેતલબેનએ જણાવ્યું હતું કે, “આજના સમયમાં દીકરીઓ દીકરાથી કોઈ રીતે ઓછી નથી, અને હેતવી રાયચાએ તે સાબિત કરી બતાવ્યું છે.”4
- મોડી મોડી પણ કાર્ય વાહી શરૂઆત થઈ છે1
- PM મોદી સાહેબનીસોમનાથ એન્ટ્રી1
- ગીર સોમનાથ ખાતે ના પ્રોગ્રામ માં નિરાલી ખોડિયાર ઉદાસીન આશ્રમ ના મહા માંડલેશ્વર બજરંગદાસ બાપુ ની પ્રતિક્રિયા ગીર સોમનાથ જિલ્લામાં ભગવાન સોમનાથ દાદાના સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે પધારી રહેલા ભારતના યસ્વશી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની હાજરીમાં ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે તેમાં સ્થાનિક વેરાવળ ભાજપ દ્વારા સ્થાનિક સંતોને જ આમંત્રણ ન આપવા બાબત નું દુઃખ વ્યક્ત કરતા નિરાલી ખોડીયાર ઉદાસીસંપ્રદાયના મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ બાપુ એ એક નિવેદનમાં આ કાર્યક્રમમાં સ્થાનિક સંતોની બાદબાકી કરેલ છે અને બહારથી જે જૂના અખાડાના સાધુને બોલાવી અને જે અમારી પરંપરા મુજબ કુંભમેળા અને શિવરાત્રી મેળા ભવનાથ તળેટીમાં જે નાગા સાધુઓની રવાડી નીકળે છે એવી જ રવાડી ત્યાં કાઢવાની વાત આવી છે જેનો અમે વિરોધ કરીએ છીએ જે વસ્તુ જ્યાં શોભતી હોય ત્યાં જ શોભે તો આ રીતના તરગાળા રમવા જતા હોય એવી રીતના નાગા સાધુઓને ત્યાં લઈ જવા અને આવી રવાડીઓ કાઢવી એ વ્યાજબી અને સનાતન વિરુદ્ધ છે જેનો પણ અમે વિરોધ કરીએ છીએ ભાજપે આ બાબતે વિચારવું રહ્યું હા સંતોને બોલાવાય સંતોના આશીર્વાદ લેવાય સંતોની હાજરીમાં કાર્યક્રમ કરાય પણ આવા નોટંકી તાયાફાન કરવા પૂજ્ય બાપુએ પોતાના એક નિવેદનમાં અનુરોધ કર્યો છે અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ2
- Post by Dave Dhamendra1
- રાજુલા-મહુવા ડુંગર રોડ પર રેલવે ફાટક અચાનક બંધ, ગુડ્સ ટ્રેન વચ્ચે અટકતા 30 મિનિટથી ટ્રાફિક જામ રાજુલા-મહુવા ડુંગર રોડ ઉપર આવેલ રેલવે ફાટક આજે અચાનક બંધ થઈ જતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. માહિતી મુજબ, ગુડ્સ ટ્રેન પસાર થઈ રહી હતી તે સમયે નિયમ મુજબ રેલવે ફાટક બંધ કરવામાં આવ્યું હતું, પરંતુ ટ્રેન ફાટકની વચ્ચે જ અચાનક ઉભી રહી જતા માર્ગ પર બંને તરફથી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. સ્થળ પર હાજર લોકોના જણાવ્યા અનુસાર, છેલ્લા સતત 30 મિનિટથી રાજુલા-મહુવા વાયા ડુંગરનો મુખ્ય રસ્તો સંપૂર્ણ બંધ હાલતમાં રહ્યો છે. પરિણામે ફાટકના બંને બાજુ વાહનો અટવાઈ ગયા હતા અને ટ્રાફિક સ્થિતિ વધુ ગંભીર બની હતી. રેલવે ફાટક મેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ટ્રેનના એન્જિનમાં કરંટ જતો રહેતા ગુડ્સ ટ્રેન અચાનક બંધ થઈ ગઈ છે અને તેથી ટ્રેન આગળ વધી શકતી નથી. આ ઘટનાનો સમય શાળા છૂટવાના સમયે થતાં હજારો વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ પણ ફાટક પાસે અટવાઈ ગયા હતા. વિદ્યાર્થીઓને સમયસર ઘરે પહોંચવામાં મુશ્કેલી પડતા ભારે હેરાનગતિ જોવા મળી હતી. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે રાજુલા રેલવે સ્ટેશનના અધિકારીઓ ઘટના સમયે યોગ્ય રીતે સક્રિય નથી અને પરિસ્થિતિનો તાત્કાલિક ઉકેલ લાવવા કોઈ સ્પષ્ટ પ્રયાસ દેખાતો નથી. સૌથી મોટી ચિંતા એ છે કે એન્જિન ક્યારે શરૂ થશે તે અંગે તંત્ર પાસે કોઈ જવાબ નથી, જેના કારણે લોકોમાં રોષ ફેલાયો છે. હાલ સ્થિતિ પર રેલવે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.1