logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

વિજાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, વિજાપુરના ટીબી રોડ પર આવેલા લીલા શાહ મોલ નજીક ૨૦ જૂન, ૨૦૨૬ ના રોજ બપોરે આશરે સાડા બાર વાગ્યે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક મહિલાનું દુઃખદ અવસાન થયું હતું, અને સમગ્ર બનાવ સીસીટીવી ફૂટેજમાં પણ કેદ થયો છે. વિજાપુરના પંડ્યાવાસમાં રહેતા સંદિપભાઈ અરવિંદભાઈ પંડ્યાએ ફરિયાદ નોંધાવી હતી કે તેઓ તેમની પત્ની મનોરમા ઉર્ફે મનિષાબેન સાથે એક્ટીવા નંબર GJ.01.UV.0822 પર બજારમાં જઈ રહ્યા હતા. લીલા શાહ મોલ આગળ તેમની આગળ એક ટ્રેક્ટર જઈ રહ્યું હતું. તે જ સમયે, સામેથી એક અજાણી મહિલા એક્ટીવા ચાલક પોતાનું વાહન રોંગ સાઈડે, બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવીને આવી હતી. સામેથી આવતી એક્ટીવાથી બચવા માટે સંદિપભાઈએ પોતાની એક્ટીવાને બ્રેક મારી હતી. બ્રેક મારતા પાછળ બેઠેલાં તેમનાં પત્ની મનિષાબેન નીચે પડી ગયા હતા અને તે જ ક્ષણે આગળ જઈ રહેલા ટ્રેક્ટરના ટ્રેઇલરના ટાયર નીચે આવી જતા તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. સારવાર માટે તેમને વિજાપુર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અકસ્માતમાં ફરિયાદી સંદિપભાઈને પણ શરીરે ઈજાઓ પહોંચી હતી. ફરિયાદીના જણાવ્યા મુજબ, અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક પોતાનું વાહન લઈને ત્યાંથી નાસી ગયો હતો. પત્નીના મૃત્યુ અને પોતાની ઈજાઓના કારણે સંદિપભાઈએ ૨૧ જૂન, ૨૦૨૬ ના રોજ ફરિયાદ નોંધાવી હતી. વિજાપુર પોલીસે આ બનાવ અંગે અજાણી એક્ટીવા ચાલક મહિલા વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૨૮૧, ૧૦૬(૧), ૧૨૫(એ) તથા મોટર વાહન અધિનિયમની કલમ ૧૭૭, ૧૮૪ હેઠળ ગુનો નોંધીને પીએસઆઈ નિલેશકુમાર પરમારે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ પણ કબજે કર્યા છે અને તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

1 day ago
user_BABA SAIYAD
BABA SAIYAD
Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
1 day ago

વિજાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, વિજાપુરના ટીબી રોડ પર આવેલા લીલા શાહ મોલ નજીક ૨૦ જૂન, ૨૦૨૬ ના રોજ બપોરે આશરે સાડા બાર વાગ્યે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક મહિલાનું દુઃખદ અવસાન થયું હતું, અને સમગ્ર બનાવ સીસીટીવી ફૂટેજમાં પણ કેદ થયો છે. વિજાપુરના પંડ્યાવાસમાં રહેતા સંદિપભાઈ અરવિંદભાઈ પંડ્યાએ ફરિયાદ નોંધાવી હતી કે તેઓ તેમની પત્ની મનોરમા ઉર્ફે મનિષાબેન સાથે એક્ટીવા નંબર GJ.01.UV.0822 પર બજારમાં જઈ રહ્યા હતા. લીલા શાહ મોલ આગળ તેમની આગળ એક ટ્રેક્ટર જઈ રહ્યું હતું. તે જ સમયે, સામેથી એક અજાણી મહિલા એક્ટીવા ચાલક પોતાનું વાહન રોંગ સાઈડે, બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવીને આવી હતી. સામેથી આવતી એક્ટીવાથી બચવા માટે સંદિપભાઈએ પોતાની એક્ટીવાને બ્રેક મારી હતી. બ્રેક મારતા પાછળ બેઠેલાં તેમનાં પત્ની મનિષાબેન નીચે પડી ગયા હતા અને તે જ ક્ષણે આગળ જઈ રહેલા ટ્રેક્ટરના ટ્રેઇલરના ટાયર નીચે આવી જતા તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. સારવાર માટે તેમને વિજાપુર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અકસ્માતમાં ફરિયાદી સંદિપભાઈને પણ શરીરે ઈજાઓ પહોંચી હતી. ફરિયાદીના જણાવ્યા મુજબ, અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક પોતાનું વાહન લઈને ત્યાંથી નાસી ગયો હતો. પત્નીના મૃત્યુ અને પોતાની ઈજાઓના કારણે સંદિપભાઈએ ૨૧ જૂન, ૨૦૨૬ ના રોજ ફરિયાદ નોંધાવી હતી. વિજાપુર પોલીસે આ બનાવ અંગે અજાણી એક્ટીવા ચાલક મહિલા વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૨૮૧, ૧૦૬(૧), ૧૨૫(એ) તથા મોટર વાહન અધિનિયમની કલમ ૧૭૭, ૧૮૪ હેઠળ ગુનો નોંધીને પીએસઆઈ નિલેશકુમાર પરમારે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ પણ કબજે કર્યા છે અને તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

More news from ગુજરાત and nearby areas
  • અરવલ્લી જિલ્લાના શામળાજીમાં કિડનીની ગંભીર બીમારી દૂર કરવાની વિધિ કરાવવાના બહાને એક પરિવાર સાથે ₹2.06 લાખની છેતરપિંડી થઈ હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એલસીબી અરવલ્લીએ આ કેસમાં ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓને ઝડપી પાડી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. હિંમતનગર તાલુકાના ઇલોલ ગામના વિશાલભાઈ રાઠોડ, જે છેલ્લા બે વર્ષથી બંને કિડની ફેઇલ થવાને કારણે ડાયાલિસિસની સારવાર લઈ રહ્યા છે, તેમને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. થોડા દિવસો પહેલા ત્રણ અજાણ્યા શખ્સો વિશાલભાઈના સાસરિયા ગામે પહોંચ્યા હતા. તેમણે વિશાલભાઈને રૂદ્રાક્ષ આપીને જણાવ્યું કે તેમની બીમારી દેવદોષના કારણે છે અને એક વિશેષ વિધિ કરાવવાથી રોગ દૂર થઈ જશે. આ વાતો કરીને ઠગોએ પરિવારનો વિશ્વાસ જીત્યો હતો. આરોપીઓના કહેવા મુજબ, ૨૩ જૂનના રોજ વિશાલભાઈ, તેમની માતા અલ્પાબેન અને પત્ની આરતીબેન શામળાજી પહોંચ્યા હતા. ત્યાં ત્રણેય શખ્સો તેમને મળ્યા અને ડુંગરની બાજુમાં આવેલા રામ-સીતા ચોળીના મંદિર સુધી લઈ ગયા. મંદિરમાં વિધિ શરૂ કર્યા બાદ, આરોપીઓએ દેવને પ્રસન્ન કરવા માટે તમામ સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ વિધિમાં મુકવી જરૂરી હોવાનું કહી પરિવારને વિશ્વાસમાં લીધો. પરિવારજનોએ સોનાની બુટ્ટી, સોનાની નથ, ચાંદીના કોબીયા તેમજ ₹૨૦ હજાર રોકડા સહિત કુલ ₹૨.૦૬ લાખનો મુદ્દામાલ આરોપીઓને સોંપી દીધો. ત્યારબાદ આરોપીઓ બીજા મંદિરે વિધિ પૂર્ણ કરીને ત્રણ કલાકમાં પરત આવવાનું કહી સ્થળ પરથી નીકળી ગયા. લાંબા સમય સુધી રાહ જોયા છતાં આરોપીઓ પરત ન ફરતા, પરિવારને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ. આ બનાવ અંગે શામળાજી પોલીસ મથકે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવાઈ હતી. એલસીબી અરવલ્લીએ ત્વરિત તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીઓને પકડી પાડ્યા અને તેમની પાસેથી ચોરી ગયેલા દાગીના અને રોકડ સહિતનો મુદ્દામાલ પણ કબજે કર્યો. આ ઘટનાએ અંધશ્રદ્ધાના નામે લોકોને છેતરતા ઠગોથી સાવચેત રહેવાની જરૂરિયાત ફરી એકવાર દર્શાવી છે.
    3
    અરવલ્લી જિલ્લાના શામળાજીમાં કિડનીની ગંભીર બીમારી દૂર કરવાની વિધિ કરાવવાના બહાને એક પરિવાર સાથે ₹2.06 લાખની છેતરપિંડી થઈ હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એલસીબી અરવલ્લીએ આ કેસમાં ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓને ઝડપી પાડી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

હિંમતનગર તાલુકાના ઇલોલ ગામના વિશાલભાઈ રાઠોડ, જે છેલ્લા બે વર્ષથી બંને કિડની ફેઇલ થવાને કારણે ડાયાલિસિસની સારવાર લઈ રહ્યા છે, તેમને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. થોડા દિવસો પહેલા ત્રણ અજાણ્યા શખ્સો વિશાલભાઈના સાસરિયા ગામે પહોંચ્યા હતા. તેમણે વિશાલભાઈને રૂદ્રાક્ષ આપીને જણાવ્યું કે તેમની બીમારી દેવદોષના કારણે છે અને એક વિશેષ વિધિ કરાવવાથી રોગ દૂર થઈ જશે. આ વાતો કરીને ઠગોએ પરિવારનો વિશ્વાસ જીત્યો હતો.

આરોપીઓના કહેવા મુજબ, ૨૩ જૂનના રોજ વિશાલભાઈ, તેમની માતા અલ્પાબેન અને પત્ની આરતીબેન શામળાજી પહોંચ્યા હતા. ત્યાં ત્રણેય શખ્સો તેમને મળ્યા અને ડુંગરની બાજુમાં આવેલા રામ-સીતા ચોળીના મંદિર સુધી લઈ ગયા. મંદિરમાં વિધિ શરૂ કર્યા બાદ, આરોપીઓએ દેવને પ્રસન્ન કરવા માટે તમામ સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ વિધિમાં મુકવી જરૂરી હોવાનું કહી પરિવારને વિશ્વાસમાં લીધો. પરિવારજનોએ સોનાની બુટ્ટી, સોનાની નથ, ચાંદીના કોબીયા તેમજ ₹૨૦ હજાર રોકડા સહિત કુલ ₹૨.૦૬ લાખનો મુદ્દામાલ આરોપીઓને સોંપી દીધો. ત્યારબાદ આરોપીઓ બીજા મંદિરે વિધિ પૂર્ણ કરીને ત્રણ કલાકમાં પરત આવવાનું કહી સ્થળ પરથી નીકળી ગયા.

લાંબા સમય સુધી રાહ જોયા છતાં આરોપીઓ પરત ન ફરતા, પરિવારને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ. આ બનાવ અંગે શામળાજી પોલીસ મથકે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવાઈ હતી. એલસીબી અરવલ્લીએ ત્વરિત તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીઓને પકડી પાડ્યા અને તેમની પાસેથી ચોરી ગયેલા દાગીના અને રોકડ સહિતનો મુદ્દામાલ પણ કબજે કર્યો. આ ઘટનાએ અંધશ્રદ્ધાના નામે લોકોને છેતરતા ઠગોથી સાવચેત રહેવાની જરૂરિયાત ફરી એકવાર દર્શાવી છે.
    user_Patel Hitendra M
    Patel Hitendra M
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    1 hr ago
  • અરવલ્લી જિલ્લામાં ICDS વિભાગના શંકાસ્પદ બાલભોગ જથ્થાની હેરાફેરીના કેસ મામલે DYSP દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. આ સમગ્ર પ્રકરણને લઈને લોકોમાં એવી ચર્ચા વ્યાપી છે કે જો આ કેસમાં નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે તો મોટા પાયે ભ્રષ્ટાચારનો પર્દાફાશ થઈ શકે છે.
    1
    અરવલ્લી જિલ્લામાં ICDS વિભાગના શંકાસ્પદ બાલભોગ જથ્થાની હેરાફેરીના કેસ મામલે DYSP દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે.

આ સમગ્ર પ્રકરણને લઈને લોકોમાં એવી ચર્ચા વ્યાપી છે કે જો આ કેસમાં નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે તો મોટા પાયે ભ્રષ્ટાચારનો પર્દાફાશ થઈ શકે છે.
    user_Arvalli city news
    Arvalli city news
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    12 hrs ago
  • અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં નકલી બ્લડ પ્લાઝમાનો મામલો સામે આવતા રાજ્યના આરોગ્ય વિભાગે કડક વલણ અપનાવ્યું છે. આ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા તત્વો સામે સખત કાર્યવાહી કરવાની રાજ્યના આરોગ્ય મંત્રી Prafull Pansheriyaએ ચેતવણી આપી છે. આરોગ્ય મંત્રીએ અમદાવાદ SOGની ટીમ દ્વારા કરવામાં આવેલી કામગીરીને બિરદાવી પોલીસ અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે રાજ્યભરની બ્લડ બેન્કો, પ્લાઝમા કલેક્શન સેન્ટરો અને સંબંધિત આરોગ્ય એકમો પર વિશેષ દેખરેખ રાખવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. મંત્રીશ્રીએ વધુમાં સ્પષ્ટ કર્યું કે કૌભાંડમાં સંડોવાયેલા તમામ લોકોની ભૂમિકા ગંભીરતાથી તપાસવામાં આવી રહી છે અને પારદર્શક તથા નિષ્પક્ષ તપાસના આધારે જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, “બ્લડ પ્લાઝમા જેવી જીવનરક્ષક સામગ્રીમાં ભેળસેળ કરવી એ માનવતાવિરોધી પ્રવૃત્તિ છે. દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરનાર કોઈને પણ છોડવામાં નહીં આવે.” રાજ્ય સરકાર દર્દીઓની સુરક્ષા અને આરોગ્ય સેવાઓની ગુણવત્તા જાળવવા સંપૂર્ણ પ્રતિબદ્ધ હોવાનું જણાવતા આરોગ્ય મંત્રીએ આરોગ્ય વિભાગને મોનીટરીંગ વધુ કડક બનાવવા નિર્દેશ આપ્યા છે.
    1
    અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં નકલી બ્લડ પ્લાઝમાનો મામલો સામે આવતા રાજ્યના આરોગ્ય વિભાગે કડક વલણ અપનાવ્યું છે. આ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા તત્વો સામે સખત કાર્યવાહી કરવાની રાજ્યના આરોગ્ય મંત્રી Prafull Pansheriyaએ ચેતવણી આપી છે.

આરોગ્ય મંત્રીએ અમદાવાદ SOGની ટીમ દ્વારા કરવામાં આવેલી કામગીરીને બિરદાવી પોલીસ અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે રાજ્યભરની બ્લડ બેન્કો, પ્લાઝમા કલેક્શન સેન્ટરો અને સંબંધિત આરોગ્ય એકમો પર વિશેષ દેખરેખ રાખવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. મંત્રીશ્રીએ વધુમાં સ્પષ્ટ કર્યું કે કૌભાંડમાં સંડોવાયેલા તમામ લોકોની ભૂમિકા ગંભીરતાથી તપાસવામાં આવી રહી છે અને પારદર્શક તથા નિષ્પક્ષ તપાસના આધારે જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, “બ્લડ પ્લાઝમા જેવી જીવનરક્ષક સામગ્રીમાં ભેળસેળ કરવી એ માનવતાવિરોધી પ્રવૃત્તિ છે. દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરનાર કોઈને પણ છોડવામાં નહીં આવે.”

રાજ્ય સરકાર દર્દીઓની સુરક્ષા અને આરોગ્ય સેવાઓની ગુણવત્તા જાળવવા સંપૂર્ણ પ્રતિબદ્ધ હોવાનું જણાવતા આરોગ્ય મંત્રીએ આરોગ્ય વિભાગને મોનીટરીંગ વધુ કડક બનાવવા નિર્દેશ આપ્યા છે.
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર Asarva, Ahmadabad•
    13 hrs ago
  • આજે અમદાવાદમાં DYFI અમદાવાદ દ્વારા રાખીયાલ ઉર્દૂ સ્કૂલના આચાર્ય શ્રી સાહેબને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું. આ પ્રસંગે DYFI અમદાવાદના પ્રમુખ ફૈઝલ અલી સિદ્દીકી, જનરલ સેક્રેટરી મનીષભાઈ પરમાર, ગુલનાઝ અંસારી અને અન્ય DYFI સભ્યોની સાથે મોટી સંખ્યામાં બાળકોના માતા-પિતા પણ ઉપસ્થિત રહ્યા હતા. વાલીઓએ આચાર્યશ્રીને સવાલ પૂછતાં, તેમણે 2014 થી 2025 સુધીના પોતાના આવેદનપત્રો દર્શાવ્યા, જેમાં તેમણે વારંવાર શિક્ષકોની નિયુક્તિની માંગણી કરી હતી. જોકે, આરોપ છે કે ભ્રષ્ટ સરકારે આજ સુધી કોઈ જવાબ આપ્યો નથી, ન તો અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે કોઈ પગલું ભર્યું, ન શિક્ષણ મંત્રીએ કે ન ગુજરાત સરકારે. આ બાબતે અફસોસ વ્યક્ત કરતા કહેવાયું કે ગુજરાતમાં 3000 થી વધુ શાળાઓ બંધ થઈ ગઈ છે, જ્યારે 10,000 થી વધુ દારૂના અડ્ડા ખુલી ગયા છે. ચરસ, ગાંજા, અફીણ અને હેરોઈન જેવા નશીલા પદાર્થો કરિયાણાની દુકાનની જેમ વેચાઈ રહ્યા છે. આરોપ લગાવવામાં આવ્યો કે ગૃહમંત્રીનું કાર્ય કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે, અને શિક્ષણ મંત્રીનું કાર્ય એ સુનિશ્ચિત કરવાનું છે કે કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે, પરંતુ આ લોકો ફક્ત પૈસા કમાવવાના ધંધામાં જ વ્યસ્ત છે. DYFI અમદાવાદના પ્રમુખ ફૈઝલ અલી સિદ્દીકીએ ચેતવણી આપતા જણાવ્યું કે અમદાવાદના તમામ શિક્ષણ અધિકારીઓએ તેમના આ પત્રનો જવાબ સાત દિવસની અંદર આપવો જોઈએ. જો સાત દિવસમાં કોઈ જવાબ નહીં મળે, તો તેઓ મજબૂરન ધરણા-પ્રદર્શન કરવા માટે વિવશ થશે.
    1
    આજે અમદાવાદમાં DYFI અમદાવાદ દ્વારા રાખીયાલ ઉર્દૂ સ્કૂલના આચાર્ય શ્રી સાહેબને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું. આ પ્રસંગે DYFI અમદાવાદના પ્રમુખ ફૈઝલ અલી સિદ્દીકી, જનરલ સેક્રેટરી મનીષભાઈ પરમાર, ગુલનાઝ અંસારી અને અન્ય DYFI સભ્યોની સાથે મોટી સંખ્યામાં બાળકોના માતા-પિતા પણ ઉપસ્થિત રહ્યા હતા.

વાલીઓએ આચાર્યશ્રીને સવાલ પૂછતાં, તેમણે 2014 થી 2025 સુધીના પોતાના આવેદનપત્રો દર્શાવ્યા, જેમાં તેમણે વારંવાર શિક્ષકોની નિયુક્તિની માંગણી કરી હતી. જોકે, આરોપ છે કે ભ્રષ્ટ સરકારે આજ સુધી કોઈ જવાબ આપ્યો નથી, ન તો અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે કોઈ પગલું ભર્યું, ન શિક્ષણ મંત્રીએ કે ન ગુજરાત સરકારે. આ બાબતે અફસોસ વ્યક્ત કરતા કહેવાયું કે ગુજરાતમાં 3000 થી વધુ શાળાઓ બંધ થઈ ગઈ છે, જ્યારે 10,000 થી વધુ દારૂના અડ્ડા ખુલી ગયા છે. ચરસ, ગાંજા, અફીણ અને હેરોઈન જેવા નશીલા પદાર્થો કરિયાણાની દુકાનની જેમ વેચાઈ રહ્યા છે. આરોપ લગાવવામાં આવ્યો કે ગૃહમંત્રીનું કાર્ય કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે, અને શિક્ષણ મંત્રીનું કાર્ય એ સુનિશ્ચિત કરવાનું છે કે કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે, પરંતુ આ લોકો ફક્ત પૈસા કમાવવાના ધંધામાં જ વ્યસ્ત છે.

DYFI અમદાવાદના પ્રમુખ ફૈઝલ અલી સિદ્દીકીએ ચેતવણી આપતા જણાવ્યું કે અમદાવાદના તમામ શિક્ષણ અધિકારીઓએ તેમના આ પત્રનો જવાબ સાત દિવસની અંદર આપવો જોઈએ. જો સાત દિવસમાં કોઈ જવાબ નહીં મળે, તો તેઓ મજબૂરન ધરણા-પ્રદર્શન કરવા માટે વિવશ થશે.
    user_Faisal Ali Siddiki Siddiki
    Faisal Ali Siddiki Siddiki
    Local Politician મણિનગર, અમદાવાદ, ગુજરાત•
    5 hrs ago
  • મોડાસા-મેઘરજ હાઇવે રોડ પર ધોળેશ્વર બસ સ્ટેન્ડ છેલ્લા 15 થી 20 વર્ષથી દયનીય હાલતમાં છે. આ બસ સ્ટેન્ડ 15 થી 20 વર્ષ જૂનું છે, પરંતુ આટલા લાંબા સમયથી તેનું કોઈ પણ પ્રકારનું રીપેરીંગ કરવામાં આવ્યું નથી. અગાઉ આવેલા વાવાઝોડા પછીથી જ આ બસ સ્ટેન્ડની કોઈ સંભાળ રાખતું નથી, જેના કારણે ગ્રામજનોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે અને તેઓ સતત આ અંગે ફરિયાદ કરી રહ્યા છે.
    1
    મોડાસા-મેઘરજ હાઇવે રોડ પર ધોળેશ્વર બસ સ્ટેન્ડ છેલ્લા 15 થી 20 વર્ષથી દયનીય હાલતમાં છે. આ બસ સ્ટેન્ડ 15 થી 20 વર્ષ જૂનું છે, પરંતુ આટલા લાંબા સમયથી તેનું કોઈ પણ પ્રકારનું રીપેરીંગ કરવામાં આવ્યું નથી. અગાઉ આવેલા વાવાઝોડા પછીથી જ આ બસ સ્ટેન્ડની કોઈ સંભાળ રાખતું નથી, જેના કારણે ગ્રામજનોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે અને તેઓ સતત આ અંગે ફરિયાદ કરી રહ્યા છે.
    user_ Bharada
    Bharada
    બાયડ, અરવલ્લી, ગુજરાત•
    5 hrs ago
  • દેશનું પ્રથમ હેરિટેજ શહેર અને 'સ્માર્ટ સિટી' તરીકે ઓળખાતા અમદાવાદના બહેરામપુરા, વૉર્ડ નંબર 35માં 'ડિજિટલ ઈન્ડિયા'ના નારાની પોલ ખુલી ગઈ છે. અહીં છેલ્લા ઘણા દિવસોથી સરકારી પાણીની મુખ્ય પાઈપલાઈનમાં મોટું લીકેજ છે, જેના કારણે હજારો-લાખો લિટર પીવાનું સ્વચ્છ પાણી રસ્તાઓ પર વહીને ગટરોમાં ભળી રહ્યું છે. જોકે, ડિજિટલ ફરિયાદ નોંધાવ્યા પછી પણ તંત્રના કાને વાત પહોંચી નથી અને કોઈ કાર્યવાહી થઈ નથી. આ બેદરકારીની તસવીરો જાહેર જનતાના પૈસા અને પ્રકૃતિની સૌથી કિંમતી સંપત્તિ એટલે કે પાણી સાથે થઈ રહેલા મોટા ચેડાની સાબિતી છે. એક તરફ ગુજરાતનો મોટો હિસ્સો પાણીની અછતનો સામનો કરી રહ્યો છે અને સરકારો પાણી બચાવવા માટે કરોડો રૂપિયાના જાહેરાતો પાછળ ખર્ચે છે, ત્યારે બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની નાક નીચે પીવાનું શુદ્ધ પાણી આ રીતે રસ્તાઓ પર વેડફાઈ રહ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, સ્થાનિક નાગરિકોએ આ અંગે બकायदा ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી અને તાત્કાલિક સુનાવણીની અપેક્ષા રાખી હતી. પરંતુ અમદાવાદના બહેરામપુરા વૉર્ડ નંબર 35ના અધિકારીઓએ આ ડિજિટલ ફરિયાદોની ધજ્જીયા ઉડાવી દીધી, અને આજદિન સુધી કોઈ લાઈનમેન પણ સ્થળ પર પહોંચ્યો નથી. આ બાબત સ્પષ્ટ દર્શાવે છે કે, જનતાની ફરિયાદો આ અધિકારીઓ માટે હવે રદ્દીનો ટુકડો બની ગઈ છે, જ્યારે તેઓ AMCની ઓફિસોમાં સરકારી ACની ઠંડી હવા ખાઈને મોજ માણી રહ્યા છે. અહમદાબાદના મ્યુનિસિપલ કમિશનરને આ સવાલ પૂછવામાં આવ્યો છે કે શું તેમને જાણ છે કે તેમના તાબા હેઠળ કામ કરતા બહેરામપુરા વૉર્ડ નંબર 35ના અધિકારીઓ ડિજિટલ ફરિયાદોને કચરાપેટીમાં ફેંકી રહ્યા છે? જ્યારે સરકાર પેપરલેસ અને ડિજિટલ સિસ્ટમનો પ્રચાર કરે છે, ત્યારે ઓનલાઈન ફરિયાદ પર અઠવાડિયાઓ સુધી કાર્યવાહી કેમ થતી નથી? આ સરકારી સંપત્તિ અને અમૂલ્ય પાણીના મહા-બર્બાદી માટે જવાબદાર અધિકારીઓ સામે કમિશનર સાહેબ શું દંડાત્મક કાર્યવાહી કરશે, કે પછી તેમને ACમાં બેસીને મોજ કરવાની ખુલ્લી છૂટ મળતી રહેશે? આથી અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર પાસે તાત્કાલિક સંજ્ઞાન લેવાની, બહેરામપુરા વૉર્ડ નંબર 35ની પાઈપલાઈનને યુદ્ધના ધોરણે ઠીક કરાવવાની અને જવાબદાર અધિકારીઓની જવાબદેહી નક્કી કરીને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ સમાચારને વધુમાં વધુ શેર કરવા વિનંતી કરવામાં આવી છે જેથી ઊંઘતા અધિકારીઓની ઊંઘ તૂટે.
    1
    દેશનું પ્રથમ હેરિટેજ શહેર અને 'સ્માર્ટ સિટી' તરીકે ઓળખાતા અમદાવાદના બહેરામપુરા, વૉર્ડ નંબર 35માં 'ડિજિટલ ઈન્ડિયા'ના નારાની પોલ ખુલી ગઈ છે. અહીં છેલ્લા ઘણા દિવસોથી સરકારી પાણીની મુખ્ય પાઈપલાઈનમાં મોટું લીકેજ છે, જેના કારણે હજારો-લાખો લિટર પીવાનું સ્વચ્છ પાણી રસ્તાઓ પર વહીને ગટરોમાં ભળી રહ્યું છે. જોકે, ડિજિટલ ફરિયાદ નોંધાવ્યા પછી પણ તંત્રના કાને વાત પહોંચી નથી અને કોઈ કાર્યવાહી થઈ નથી.

આ બેદરકારીની તસવીરો જાહેર જનતાના પૈસા અને પ્રકૃતિની સૌથી કિંમતી સંપત્તિ એટલે કે પાણી સાથે થઈ રહેલા મોટા ચેડાની સાબિતી છે. એક તરફ ગુજરાતનો મોટો હિસ્સો પાણીની અછતનો સામનો કરી રહ્યો છે અને સરકારો પાણી બચાવવા માટે કરોડો રૂપિયાના જાહેરાતો પાછળ ખર્ચે છે, ત્યારે બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની નાક નીચે પીવાનું શુદ્ધ પાણી આ રીતે રસ્તાઓ પર વેડફાઈ રહ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, સ્થાનિક નાગરિકોએ આ અંગે બकायदा ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી અને તાત્કાલિક સુનાવણીની અપેક્ષા રાખી હતી. પરંતુ અમદાવાદના બહેરામપુરા વૉર્ડ નંબર 35ના અધિકારીઓએ આ ડિજિટલ ફરિયાદોની ધજ્જીયા ઉડાવી દીધી, અને આજદિન સુધી કોઈ લાઈનમેન પણ સ્થળ પર પહોંચ્યો નથી. આ બાબત સ્પષ્ટ દર્શાવે છે કે, જનતાની ફરિયાદો આ અધિકારીઓ માટે હવે રદ્દીનો ટુકડો બની ગઈ છે, જ્યારે તેઓ AMCની ઓફિસોમાં સરકારી ACની ઠંડી હવા ખાઈને મોજ માણી રહ્યા છે.

અહમદાબાદના મ્યુનિસિપલ કમિશનરને આ સવાલ પૂછવામાં આવ્યો છે કે શું તેમને જાણ છે કે તેમના તાબા હેઠળ કામ કરતા બહેરામપુરા વૉર્ડ નંબર 35ના અધિકારીઓ ડિજિટલ ફરિયાદોને કચરાપેટીમાં ફેંકી રહ્યા છે? જ્યારે સરકાર પેપરલેસ અને ડિજિટલ સિસ્ટમનો પ્રચાર કરે છે, ત્યારે ઓનલાઈન ફરિયાદ પર અઠવાડિયાઓ સુધી કાર્યવાહી કેમ થતી નથી? આ સરકારી સંપત્તિ અને અમૂલ્ય પાણીના મહા-બર્બાદી માટે જવાબદાર અધિકારીઓ સામે કમિશનર સાહેબ શું દંડાત્મક કાર્યવાહી કરશે, કે પછી તેમને ACમાં બેસીને મોજ કરવાની ખુલ્લી છૂટ મળતી રહેશે? આથી અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર પાસે તાત્કાલિક સંજ્ઞાન લેવાની, બહેરામપુરા વૉર્ડ નંબર 35ની પાઈપલાઈનને યુદ્ધના ધોરણે ઠીક કરાવવાની અને જવાબદાર અધિકારીઓની જવાબદેહી નક્કી કરીને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ સમાચારને વધુમાં વધુ શેર કરવા વિનંતી કરવામાં આવી છે જેથી ઊંઘતા અધિકારીઓની ઊંઘ તૂટે.
    user_Shaikh Mohammadrashid
    Shaikh Mohammadrashid
    Classified ads newspaper publisher મણિનગર, અમદાવાદ, ગુજરાત•
    9 hrs ago
  • માલપુર તાલુકાના કોયલિયા ગામે યોજાયેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનું ઘોડા પર બેસાડી ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધોરણ 9 અને 10 ની મંજૂરી મળતા ગામ તેમજ આસપાસના વિસ્તારોના ગ્રામજનોએ ભારે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યએ પ્રાથમિક તથા માધ્યમિક શાળાના પ્રવેશોત્સવમાં હાજરી આપી નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સંવાદ કરી શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમજ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સતત અભ્યાસ અને સંસ્કારપૂર્ણ શિક્ષણ મેળવવા પ્રેરણા આપી હતી. આ પ્રસંગે ધારાસભ્યએ કોયલિયા ગામ સ્થિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની દીકરીઓ સાથે પ્રીતિભોજન ગ્રહણ કર્યું હતું. તેમણે વિદ્યાર્થીનીઓ સાથે હળવા સંવાદ કરી તેમની શૈક્ષણિક પ્રવૃત્તિઓ, સુવિધાઓ અને ભવિષ્યના સપનાઓ અંગે જાણકારી મેળવી હતી. ધારાસભ્યએ જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજના વિકાસનો પાયો છે અને દીકરીઓનું શિક્ષણ રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, આગેવાનો, શિક્ષકો, એસ.એમ.સી.ના સભ્યો, વાલીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, અને સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ તથા આનંદના માહોલમાં સંપન્ન થયો હતો.
    4
    માલપુર તાલુકાના કોયલિયા ગામે યોજાયેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનું ઘોડા પર બેસાડી ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધોરણ 9 અને 10 ની મંજૂરી મળતા ગામ તેમજ આસપાસના વિસ્તારોના ગ્રામજનોએ ભારે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યએ પ્રાથમિક તથા માધ્યમિક શાળાના પ્રવેશોત્સવમાં હાજરી આપી નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સંવાદ કરી શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમજ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સતત અભ્યાસ અને સંસ્કારપૂર્ણ શિક્ષણ મેળવવા પ્રેરણા આપી હતી.

આ પ્રસંગે ધારાસભ્યએ કોયલિયા ગામ સ્થિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની દીકરીઓ સાથે પ્રીતિભોજન ગ્રહણ કર્યું હતું. તેમણે વિદ્યાર્થીનીઓ સાથે હળવા સંવાદ કરી તેમની શૈક્ષણિક પ્રવૃત્તિઓ, સુવિધાઓ અને ભવિષ્યના સપનાઓ અંગે જાણકારી મેળવી હતી. ધારાસભ્યએ જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજના વિકાસનો પાયો છે અને દીકરીઓનું શિક્ષણ રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, આગેવાનો, શિક્ષકો, એસ.એમ.સી.ના સભ્યો, વાલીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, અને સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ તથા આનંદના માહોલમાં સંપન્ન થયો હતો.
    user_Patel Hitendra M
    Patel Hitendra M
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    5 hrs ago
  • વડગામમાં એક અપહરણ કેસને લઈને ફરિયાદીનું નિવેદન સામે આવ્યું છે. આ મામલામાં ન્યાય મળે તેવી માંગ ઉઠી રહી છે.
    1
    વડગામમાં એક અપહરણ કેસને લઈને ફરિયાદીનું નિવેદન સામે આવ્યું છે. આ મામલામાં ન્યાય મળે તેવી માંગ ઉઠી રહી છે.
    user_Arvalli city news
    Arvalli city news
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    12 hrs ago
  • શ્રદ્ધાળુઓને શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કર્યા બાદ પોતાના દૈનિક કામધંધાની શરૂઆત કરવાની પ્રેરણા આપવામાં આવી છે.
    1
    શ્રદ્ધાળુઓને શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કર્યા બાદ પોતાના દૈનિક કામધંધાની શરૂઆત કરવાની પ્રેરણા આપવામાં આવી છે.
    user_સરદાર સંદેશ ન્યુઝ
    સરદાર સંદેશ ન્યુઝ
    Newsstand વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.