અરવલ્લી જિલ્લામાં વર્ષ ૨૦૨૬ના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અભિયાનનો ભવ્ય પ્રારંભ થયો છે. ગુજરાત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત આ વ્યાપક જાગૃતિ અને પ્રવેશ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના દરેક બાળક, ખાસ કરીને છોકરીઓને શાળામાં પ્રવેશ અપાવીને ૧૦૦% નોંધણી અને શૂન્ય ડ્રોપઆઉટનું લક્ષ્ય હાંસલ કરવાનો છે. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યકક્ષાના મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને જિલ્લા વહીવટી તંત્ર ગામડાઓમાં જઈને નાના બાળકોને શાળામાં પ્રવેશ આપે છે, વાલીઓને જાગૃત કરે છે અને કન્યા કેળવણીને વિશેષ પ્રોત્સાહન પૂરું પાડે છે. આ અભિયાન શિક્ષણ સાથે પોષણ અને આરોગ્ય સેવાઓને પણ જોડે છે. પ્રથમ દિવસે, રાજ્યકક્ષાના મંત્રી પી.સી. બરંડા (આદિજાતિ વિકાસ, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા)એ ભિલોડા તાલુકાના દેવમોરી હિંમતપુર અને વાઘપુર ખાતેની શાળાઓમાં હાજરી આપીને નાના ભૂલકાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ડો. ટી. નટરાજન, એડિશનલ ચીફ સેક્રેટરી, ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ, સચિવાલય ગાંધીનગર, વી.એમ. બારીયા, સહાયક રાજ્ય વેરા કમિશનર, મોડાસા સાથે મોડાસા તાલુકાની વરથુ રાજલી અને જીતપુરની શાળાઓમાં ઉપસ્થિત રહીને બાળકોને પ્રવેશ અપાવ્યો હતો. એમ.આઈ. પટેલ, કમિશનર, ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ, ગાંધીનગર દ્વારા મોડાસા તાલુકાના લીંભોઇ, મોટી ચિચણો અને લીંભોઈ હાઈસ્કૂલમાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો. આ ઉપરાંત, અજયકુમાર ચૌધરી, ADGP ગાંધીનગર દ્વારા માલપુર તાલુકાના નાથાવાસ મેવડા અને સરસ્વતી હાઈસ્કૂલ જાલમપુર ખાતે નાના ભૂલકાઓને શાળા પ્રવેશ અપાવવામાં આવ્યો હતો. અરવલ્લી જિલ્લા કલેક્ટર ઝાલોદર ખાતેની ઝાલોદર હાઈસ્કૂલ, ફરેડી હાઈસ્કૂલ અને ઝાલોદર પ્રાથમિક શાળામાં બાળકોને પ્રવેશ આપીને તેઓનું સ્વાગત કર્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી મહેક જૈને મેઘરજ તાલુકાના કુણોલ ભાટકોટા અને રત્નદીપ હાઈસ્કૂલ ખાતે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને નાના બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું. આ કાર્યક્રમો દ્વારા જિલ્લામાં દરેક બાળક, ખાસ કરીને કન્યાઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા અને ૧૦૦% પ્રવેશનો લક્ષ્ય સિદ્ધ કરવાના સંકલ્પ સાથે અભિયાનને વેગ આપવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ અભિયાનને સફળ બનાવવા માટે તમામ તાલુકાઓમાં વ્યાપક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
અરવલ્લી જિલ્લામાં વર્ષ ૨૦૨૬ના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અભિયાનનો ભવ્ય પ્રારંભ થયો છે. ગુજરાત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત આ વ્યાપક જાગૃતિ અને પ્રવેશ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના દરેક બાળક, ખાસ કરીને છોકરીઓને શાળામાં પ્રવેશ અપાવીને ૧૦૦% નોંધણી અને શૂન્ય ડ્રોપઆઉટનું લક્ષ્ય હાંસલ કરવાનો છે. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યકક્ષાના મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને જિલ્લા વહીવટી તંત્ર ગામડાઓમાં જઈને નાના બાળકોને શાળામાં પ્રવેશ આપે છે, વાલીઓને જાગૃત કરે
છે અને કન્યા કેળવણીને વિશેષ પ્રોત્સાહન પૂરું પાડે છે. આ અભિયાન શિક્ષણ સાથે પોષણ અને આરોગ્ય સેવાઓને પણ જોડે છે. પ્રથમ દિવસે, રાજ્યકક્ષાના મંત્રી પી.સી. બરંડા (આદિજાતિ વિકાસ, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા)એ ભિલોડા તાલુકાના દેવમોરી હિંમતપુર અને વાઘપુર ખાતેની શાળાઓમાં હાજરી આપીને નાના ભૂલકાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ડો. ટી. નટરાજન, એડિશનલ ચીફ સેક્રેટરી, ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ, સચિવાલય ગાંધીનગર, વી.એમ. બારીયા, સહાયક રાજ્ય વેરા કમિશનર, મોડાસા સાથે મોડાસા તાલુકાની વરથુ
રાજલી અને જીતપુરની શાળાઓમાં ઉપસ્થિત રહીને બાળકોને પ્રવેશ અપાવ્યો હતો. એમ.આઈ. પટેલ, કમિશનર, ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ, ગાંધીનગર દ્વારા મોડાસા તાલુકાના લીંભોઇ, મોટી ચિચણો અને લીંભોઈ હાઈસ્કૂલમાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો. આ ઉપરાંત, અજયકુમાર ચૌધરી, ADGP ગાંધીનગર દ્વારા માલપુર તાલુકાના નાથાવાસ મેવડા અને સરસ્વતી હાઈસ્કૂલ જાલમપુર ખાતે નાના ભૂલકાઓને શાળા પ્રવેશ અપાવવામાં આવ્યો હતો. અરવલ્લી જિલ્લા કલેક્ટર ઝાલોદર ખાતેની ઝાલોદર હાઈસ્કૂલ, ફરેડી હાઈસ્કૂલ અને ઝાલોદર પ્રાથમિક શાળામાં બાળકોને પ્રવેશ આપીને તેઓનું સ્વાગત
કર્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી મહેક જૈને મેઘરજ તાલુકાના કુણોલ ભાટકોટા અને રત્નદીપ હાઈસ્કૂલ ખાતે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને નાના બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું. આ કાર્યક્રમો દ્વારા જિલ્લામાં દરેક બાળક, ખાસ કરીને કન્યાઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા અને ૧૦૦% પ્રવેશનો લક્ષ્ય સિદ્ધ કરવાના સંકલ્પ સાથે અભિયાનને વેગ આપવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ અભિયાનને સફળ બનાવવા માટે તમામ તાલુકાઓમાં વ્યાપક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
- અરવલ્લી જિલ્લામાં આરોગ્ય સેવાનો પાયો ગણાતી આશા બહેનોને છેલ્લા છ મહિનાથી બાકી રહેલા ઇન્સેન્ટિવ અને માનદ વેતનની ચુકવણી ન થતા પોતાના હક માંગવા રસ્તા પર ઉતરવાની ફરજ પડી છે. જિલ્લા વિકાસ અધિકારી કચેરી આગળ આક્રોશિત આશા બહેનોએ ભારે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું. આશા વર્કરોએ જણાવ્યું કે તેઓ HBYC, HBNC, PMMVY, PMJAY, ABHA સહિત આરોગ્ય વિભાગની અનેક મહત્વપૂર્ણ યોજનાઓમાં સતત મેદાનમાં રહીને કામગીરી કરે છે. તેઓ ગર્ભવતી મહિલાઓથી લઈને નવજાત બાળકોની સંભાળ, રસીકરણ અને વિવિધ આરોગ્ય અભિયાનોમાં ખડેપગે સેવા આપે છે, છતાં તેમના મહેનતના નાણાં મહિનાઓથી અટવાયેલા છે. આશા બહેનોનો આક્ષેપ છે કે ઇન્સેન્ટિવના 50 ટકા, ટોપ અપ, વર્ષ 2023થી PMMVYનું ચૂકવણું તેમજ ઓક્ટોબર 2025થી સી-બેક યોજના હેઠળની રકમ હજુ સુધી ચૂકવાઈ નથી. આ ઉપરાંત, માર્ચ મહિનાથી માનદ વેતન પણ મળ્યું નથી, જેના કારણે અનેક પરિવારો ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. આક્રોશિત આશા બહેનોએ સરકાર અને આરોગ્ય વિભાગને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો તાત્કાલિક બાકી ચૂકવણાં નહીં કરવામાં આવે તો આગામી પોલિયો અભિયાન સહિતની તમામ આરોગ્ય યોજનાઓમાં તેઓ કામગીરીથી દૂર રહેશે, જેની સંપૂર્ણ જવાબદારી સરકાર અને આરોગ્ય તંત્રની રહેશે. તેમણે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારી અને સંબંધિત અધિકારીઓને લેખિત આવેદનપત્ર પાઠવી તાત્કાલિક તમામ બાકી રકમ ચૂકવવા અને સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની માંગ કરીને હડતાળની જાહેરાત કરી હતી. હવે સવાલ એ છે કે જેઓ સરકારની આરોગ્ય યોજનાઓને ઘર-ઘર સુધી પહોંચાડે છે, શું તેમની પોતાની માંગણીઓ સરકાર સુધી પહોંચશે? શું જવાબદાર અધિકારીઓ આ આશા બહેનોની પીડા સાંભળશે કે પછી ફરી એકવાર માત્ર આશ્વાસનો જ મળશે? સૌની નજર સરકાર અને આરોગ્ય વિભાગના આગામી નિર્ણય પર ટકેલી છે.3
- અરવલ્લી જિલ્લાના વડાગામમાં લુખ્ખા તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. આ ઘટનામાં એક હોટલ માલિકના પુત્ર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. હુમલામાં ઇજાગ્ર્રસ્ત થયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.1
- અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના મેવડા ગામમાં ખાનગી જમીનમાંથી મોટા પાયે માટીની ચોરીનો મામલો સામે આવ્યો છે. આ ઘટના જિલ્લામાં ગૌચર, પડતર અને સરકારી જમીનમાંથી થતી ચોરીઓ બાદ સામે આવી છે, જે સવાલ ઉભો કરે છે કે શું હવે ખાનગી જમીનો પણ સુરક્ષિત રહી નથી.1
- મહેસાણા જિલ્લા કલેકટરશ્રી એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને ૨૨ જૂન, ૨૦૨૬ના રોજ કલેકટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રીશ્રી તરફથી મળેલી સૂચના અનુસાર, જિલ્લા કક્ષાના પ્રશ્નો માટે પ્રજાજનોએ ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી જવું ન પડે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં કુલ ૧૨૬ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. કલેકટરશ્રીએ ઉપસ્થિત અધિકારીઓને લોકોના પ્રશ્નો અને રજૂઆત રૂબરૂ સાંભળી કેટલાક રચનાત્મક સલાહ-સૂચનો આપી સમસ્યાનું ત્વરિત નિરાકરણ લાવવા જણાવ્યું હતું. અરજદારો દ્વારા દબાણ, જમીન માપણી, રીસર્વેની કામગીરી, મફત પ્લોટ ફાળવવા બાબત, નમોશ્રી યોજનાનો લાભ મેળવવા બાબત, ગટરના પાણીના પ્રદૂષણ બાબત, બસ રૂટ પુન: શરૂ કરવા બાબત, વરસાદી પાણીના નિકાલ બાબત, પીએમ કિસાન યોજનાના બંધ થયેલ પૈસા ચાલુ કરવા બાબત, અને ઓ.એન.જી.સી.માં જમીન સંપાદન અને વળતર સહિતના વિવિધ મુદ્દાઓ પર પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. કલેકટરશ્રીએ પ્રજાજનોના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી અંચુ વિલ્સન, નિવાસી અધિક કલેક્ટર શ્રી મયંક પટેલ, ડીવાયએસપી શ્રી મિલાપ પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.1
- જ્યોર્જિયાની રાજધાની ટબિલિસીમાં એક અનોખો અને ચમત્કારિક દૃશ્ય જોવા મળે છે, જ્યાં બે પૂતળાં સાંજે 7 વાગ્યા પછી એક બની જાય છે. આ ઘટનાને ઇજનેરી કૌશલ્યનો એક અજોડ અને બેજોડ નમૂનો ગણાવવામાં આવી છે. આ પૂતળાંમાંથી એક મહત્વપૂર્ણ શીખ લેવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે, કે માણસોએ ભલે દિવસભરના કામકાજ કે અન્ય બાબતોમાં કોઈ પણ મતભેદ હોય, પરંતુ સાંજ પડ્યે તે મતભેદોને નિવારીને એક થઈ જવું જોઈએ.1
- અમદાવાદ શહેરના ગરીબ નગર વિસ્તારમાં સોમવારે, 23 જૂને, એક તેજ રફ્તાર કાર અનિયંત્રિત થઈને એક ઓટો-રિક્ષા, ત્રણ સ્કૂટર, એક મોટરસાયકલ અને એક દુકાન સાથે અથડાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય પાંચ વ્યક્તિઓ ઘાયલ થયા હતા. એચ ડિવિઝન ટ્રાફિક પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) એચ. વી. ધંધુકિયાએ જણાવ્યું હતું કે કાર ચાલક પોતાના પરિવાર સાથે અજીત નગર બ્રિજથી બાયપાસ તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન ચાલકને કથિત રીતે ખેંચ (સીઝર) આવી હતી, જેના કારણે તેણે વાહન પરનો કાબૂ ગુમાવી દીધો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, અનિયંત્રિત કાર પહેલા એક ઓટો-રિક્ષા અને મોટરસાયકલ સાથે અથડાઈ હતી. ચાલક વાહનને નિયંત્રિત ન કરી શકતા, કાર આગળ વધીને ત્રણ સ્કૂટરમાં અને પછી રસ્તા કિનારે આવેલી એક દુકાનમાં ઘૂસી ગઈ હતી. આ ઘટના બાદ વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાં એક મહિલાને મૃત જાહેર કરવામાં આવી હતી અને અન્ય ઘાયલોની સારવાર ચાલી રહી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. પ્રાથમિક તપાસમાં કાર ચાલકને ખેંચ આવવાની વાત સામે આવી છે, જોકે ઘટનાના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.1
- અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય બેઠક દરમિયાન ભારે હોબાળો થયો હતો. આ વિવાદ કોંગ્રેસની બહુમતી હોવા છતાં કારોબારી અધ્યક્ષ તરીકે ભાજપના ઉમેદવારની પસંદગી થવાને કારણે ઊભો થયો હતો. સભામાં સ્પીકરની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી સભ્યો સુધી અવાજ સ્પષ્ટ પહોંચી શક્યો ન હોવાનું સભ્યો દ્વારા જણાવાયું હતું. આ ગેરસમજને કારણે કોંગ્રેસના કેટલાક સભ્યોએ ભાજપના ઉમેદવારના સમર્થનમાં હાથ ઊંચા કરી દીધા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે કોંગ્રેસના 13 તાલુકા સભ્યોએ સામાન્ય સભા મોકૂફ રાખવાની માંગણી કરી હતી અને બહુમતીના આધારે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત પણ કરી હતી. આ બેઠક દરમિયાન પ્રમુખના પતિ કાંતિ હોથા પણ સભામાં બેઠા હતા, જેના કારણે કેટલાક સભ્યોમાં નારાજગી જોવા મળી હતી. આ સમગ્ર ઘટનાક્રમને લીધે તાલુકા પંચાયતના રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે અને આ મામલો હાલ ચર્ચાનો વિષય બન્યો છે.4
- ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌના અલીગંજ વિસ્તારમાં ગઈ કાલે, 22 જૂનના રોજ, 'લર્નિંગ સ્પેસ' નામની લાઈબ્રેરી-કોચિંગ સેન્ટરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.1