ગુજરાત રાજ્યભરમાં શિક્ષણના વ્યાપ અને ગુણવત્તાને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે "કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬" નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાનના ભાગરૂપે, પંચમહાલ જિલ્લાના કાલોલ ખાતે આવેલી સી.બી. ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે આજરોજ ધોરણ ૯ અને ધોરણ ૧૧ ના વિદ્યાર્થીનીઓ માટે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઇન્ડેક્સ-સીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉ. એસ. જે. જોશી ખાસ ઉપસ્થિત રહીને ભૂલકાઓને શાળામાં પ્રવેશ કરાવી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. ડૉ. જોશીએ વિદ્યાર્થીનીઓને ઉચ્ચ શિક્ષણના મહત્વ વિશે પ્રેરણા આપતા જણાવ્યું હતું કે ઉચ્ચ શિક્ષણ મેળવવું એ સફળતાની ચાવી છે, જેનાથી જીવનના દરેક પગલે મદદ મળે છે. તેમણે બાળકોને સપના જોવા અને તેને સાકાર કરવા સખત મહેનત કરવા પ્રોત્સાહિત કર્યા, જેમાં ઉચ્ચ કારકિર્દી બનાવવાના લક્ષ્યાંક રાખવા પર ભાર મૂક્યો. આ ઉપરાંત, તેમણે માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં, પરંતુ રમતગમત, સંગીત અને કલા જેવા ક્ષેત્રોમાં પણ વિદ્યાર્થીનીઓ પોતાની પ્રતિભા ખીલવે અને શાળામાં નિયમિતતા જાળવી રાખે તેવી અપીલ કરી હતી. વધુમાં, ડૉ. જોશીએ 'વિકસિત ભારત'ની સંકલ્પનાને સાકાર કરવા માટે બાળકોને કચરો ન ફેલાવવા, વૃક્ષારોપણ કરવા અને વાવેલા વૃક્ષોને પાણી પીવડાવવા, વડીલો અને ગુરુજનોનું સન્માન કરવા, દેશના વિકાસમાં યોગદાન આપવા તેમજ નિયમિત રીતે પુસ્તક વાંચન કરવા માટે સંકલ્પબદ્ધ કર્યા હતા. આ પ્રસંગે, જીલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીનીઓને બુક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કાલોલ કેળવણી પ્રચારક મંડળના પ્રમુખ પ્રકાશભાઈ ગાંધી, ઉપપ્રમુખ જયંત મહેતા, મંત્રી વીરેન્દ્ર મહેતા, સહ મંત્રી યોગેશ મહેતા, ખજાનચી મનોજભાઈ પરીખ, શાળાના આચાર્ય એન. પી. પટેલ, શિક્ષકો, સ્થાનિક અગ્રણીઓ, વાલીઓ અને શિક્ષણ વિભાગના અધિકારી સુજીતભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત રાજ્યભરમાં શિક્ષણના વ્યાપ અને ગુણવત્તાને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે "કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬" નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાનના ભાગરૂપે, પંચમહાલ જિલ્લાના કાલોલ ખાતે આવેલી સી.બી. ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે આજરોજ ધોરણ ૯ અને ધોરણ ૧૧ ના વિદ્યાર્થીનીઓ માટે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઇન્ડેક્સ-સીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉ. એસ. જે. જોશી ખાસ ઉપસ્થિત રહીને ભૂલકાઓને શાળામાં પ્રવેશ કરાવી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. ડૉ. જોશીએ વિદ્યાર્થીનીઓને ઉચ્ચ શિક્ષણના મહત્વ વિશે પ્રેરણા આપતા જણાવ્યું હતું કે ઉચ્ચ
શિક્ષણ મેળવવું એ સફળતાની ચાવી છે, જેનાથી જીવનના દરેક પગલે મદદ મળે છે. તેમણે બાળકોને સપના જોવા અને તેને સાકાર કરવા સખત મહેનત કરવા પ્રોત્સાહિત કર્યા, જેમાં ઉચ્ચ કારકિર્દી બનાવવાના લક્ષ્યાંક રાખવા પર ભાર મૂક્યો. આ ઉપરાંત, તેમણે માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં, પરંતુ રમતગમત, સંગીત અને કલા જેવા ક્ષેત્રોમાં પણ વિદ્યાર્થીનીઓ પોતાની પ્રતિભા ખીલવે અને શાળામાં નિયમિતતા જાળવી રાખે તેવી અપીલ કરી હતી. વધુમાં, ડૉ. જોશીએ 'વિકસિત ભારત'ની સંકલ્પનાને સાકાર કરવા માટે બાળકોને કચરો ન ફેલાવવા, વૃક્ષારોપણ કરવા અને વાવેલા વૃક્ષોને
પાણી પીવડાવવા, વડીલો અને ગુરુજનોનું સન્માન કરવા, દેશના વિકાસમાં યોગદાન આપવા તેમજ નિયમિત રીતે પુસ્તક વાંચન કરવા માટે સંકલ્પબદ્ધ કર્યા હતા. આ પ્રસંગે, જીલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીનીઓને બુક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કાલોલ કેળવણી પ્રચારક મંડળના પ્રમુખ પ્રકાશભાઈ ગાંધી, ઉપપ્રમુખ જયંત મહેતા, મંત્રી વીરેન્દ્ર મહેતા, સહ મંત્રી યોગેશ મહેતા, ખજાનચી મનોજભાઈ પરીખ, શાળાના આચાર્ય એન. પી. પટેલ, શિક્ષકો, સ્થાનિક અગ્રણીઓ, વાલીઓ અને શિક્ષણ વિભાગના અધિકારી સુજીતભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.
- કાલોલ પોલીસે હાલોલ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા સાયલેન્સર ચોરીના એક અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા સાયલેન્સર ચોરોને સફળતાપૂર્વક પકડી પાડ્યા છે. આ કાર્યવાહી દરમિયાન, ચોરાયેલો સંપૂર્ણ મુદ્દામાલ પણ રીકવર કરવામાં આવ્યો છે.1
- કાલોલ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નં. 3 માં આવેલ આંગણવાડી કેન્દ્ર-10, તળાવની પાળ ઉપર “આંગણવાડી પ્રગતિ ઉત્સવ” અંતર્ગત બાળકોનો પ્રવેશોત્સવ ખૂબ જ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કાલોલ નગરપાલિકાના ઉપપ્રમુખ ગૌરાંગભાઈ દરજી અને વોર્ડ નંબર 3 ના કાઉન્સિલર પ્રતિકભાઈ ઉપાધ્યાય (મીન્ટુભાઈ) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બંને મહાનુભાવોના હસ્તે આંગણવાડીમાં નવા પ્રવેશ મેળવતા નાના ભૂલકાંઓને કુમકુમ તિલક કરી શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે આંગણવાડી કાર્યકર હેતલબેન કિરણભાઈ કોન્ટ્રાક્ટર, મંજુલાબેન, પૂજાબેન રાવલ સહિત આંગણવાડીના લાભાર્થી બાળકો અને તેમના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની એક વિશેષ વાત એ રહી કે નગરપાલિકાના ઉપપ્રમુખ ગૌરાંગભાઈ દરજી અને સભ્ય પ્રતિકભાઈ ઉપાધ્યાય દ્વારા આંગણવાડીના 30 લાભાર્થી બાળકોને પ્રોત્સાહન રૂપે સ્કૂલબેગ ભેટમાં આપવામાં આવી હતી, જે મળતાં બાળકોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી. આ અવસરે, ઉપપ્રમુખ ગૌરાંગભાઈ દરજીએ જણાવ્યું હતું કે, “બાળકો દેશનું ભવિષ્ય છે. તેમને શિક્ષણ તરફ વાળવા અને આંગણવાડીમાં નિયમિત આવવા પ્રોત્સાહિત કરવા આ પ્રકારના કાર્યક્રમો જરૂરી છે.” કાઉન્સિલર મીન્ટુભાઈએ પણ વાલીઓને તેમના બાળકોને નિયમિત આંગણવાડીએ મોકલવા માટે અપીલ કરી હતી.2
- હાલોલ નગરમાં મુસ્લિમ સમુદાયના પવિત્ર તહેવાર મોહરમની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આવતીકાલે, શુક્રવાર, 26 જૂનના રોજ મોહરમ પર્વ નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. આ અંતર્ગત, આજે ગુરુવારે હાલોલ ડીવાયએસપી વી.જે. રાઠોડ અને એસઆરપી પોલીસની અધ્યક્ષતામાં હાલોલ નગરના મુખ્ય માર્ગો પર એક ભવ્ય ફ્લેગ માર્ચ (ફૂટ પેટ્રોલિંગ) યોજવામાં આવી હતી. આ માર્ચ દરમિયાન, આવતીકાલે નગરના હુસેની ચોક, કસ્બા ખાતેથી નીકળનારા મોહરમના પરંપરાગત જુલૂસના સમગ્ર રૂટનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મોહરમ પર્વની ઉજવણી એકદમ શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેમજ કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પ્રશાસન એલર્ટ મોડ પર છે. આ ફ્લેગ માર્ચ દરમિયાન, હાલોલ ડીવાયએસપીએ સ્થાનિક મુસ્લિમ અગ્રણીઓ સાથે તહેવારના સુચારુ આયોજન અંગે વિગતવાર ચર્ચા-વિચારણા પણ કરી હતી. આમ, હાલોલ નગરમાં મોહરમ પર્વને લઈ શાંતિપૂર્ણ માહોલ જાળવવા માટે પોલીસ તંત્ર સંપૂર્ણપણે સજ્જ જોવા મળ્યું.1
- આજે જાંબુઘોડા સ્થિત પીએમ શ્રી તાલુકા શાળા ખાતે શિક્ષણના ઉત્સવ સમાન 'શાળા પ્રવેશોત્સવ' કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપા પ્રમુખ મયંકકુમાર દેસાઈએ વિશેષ ઉપસ્થિતિ રહી નાના ભૂલકાઓને શિક્ષણના પાયામાં પ્રવેશ અપાવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને કુલ ₹2,51,000ના ઈનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આંગણવાડી, બાળવાટિકા અને ધોરણ-1 માં નવા પ્રવેશ મેળવનાર બાળકોને તિલક કરી, શિક્ષણ કીટ અર્પણ કરી અને મોઢું મીઠું કરાવી આવકારવામાં આવ્યા હતા. આંગણવાડીમાં 20 કુમાર અને 18 કન્યા (કુલ 38), બાળવાટિકામાં 11 કુમાર અને 20 કન્યા (કુલ 31) અને ધોરણ-1 માં 21 કુમાર અને 13 કન્યા (કુલ 34) બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો. આ ઉપરાંત, 10 બાળકોએ પુનઃપ્રવેશ મેળવ્યો, જેથી આ શાળામાં કુલ 113 બાળકોએ પ્રવેશ લીધો હતો. શિક્ષણને પ્રોત્સાહન આપવાના ઉમદા આશયથી જિલ્લા ભાજપા પ્રમુખ મયંકકુમાર દેસાઈ દ્વારા તાલુકા શાળા અને અંગ્રેજી માધ્યમ શાળામાં બાળવાટિકા તેમજ ધોરણ 1 થી 8 માં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને ₹11,000 અને દ્વિતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને ₹5,000 ના ડ્રાફ્ટ ઈનામ સ્વરૂપે આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. આ અવસરે જિલ્લા ભાજપા પ્રમુખ મયંકકુમાર દેસાઈ ઉપરાંત જાંબુઘોડા મામલતદાર, તાલુકા ભાજપા પ્રમુખ, જાંબુઘોડાના ડેપ્યુટી સરપંચ નરેશભાઈ પંચોલી તેમજ અન્ય પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.1
- વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા એક ગ્રીમયાર્ડમાં તસ્કરોની એક ટોળકી સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઈ હતી.1
- ફતેહપુરથી એક વૃદ્ધ દંપતી ગુમ થતા ચિંતાનો માહોલ છવાયો છે. મળતી માહિતી મુજબ, આ દંપતી સવારે ખેતરે ગયા હતા, પરંતુ ત્યારથી તેઓ ઘરે પાછા ફર્યા નથી. દંપતી ગુમ થતા પરિવારજનોએ તેમની શોધખોળ માટે અને તેમને શોધી કાઢવા માટે મદદની વિનંતી કરી છે.1
- વડોદરાના યાકુતપુરા વિસ્તારમાંથી હફીજા મહેબૂબશા દિવાન નામની એક મહિલા કાલથી ગુમ થઈ ગઈ છે. ઉપલબ્ધ માહિતી મુજબ, તેમની ઉંમર અંદાજે 35 થી 40 વર્ષની છે, તેમનો રંગ ઘઉંવર્ણો છે, વાળ કાળા છે અને તેમનું કદ લગભગ 5 ફૂટ છે. તેમને છેલ્લે હજરત એપાર્ટમેન્ટ, યાકુતપુરા, વડોદરા વિસ્તારમાં જોવામાં આવ્યા હતા.1
- કાલોલ પોલીસે એક મોટી સફળતા પ્રાપ્ત કરી છે, જ્યાં પેટ્રોલિંગ દરમિયાન હાલોલ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલી સાયલેન્સર ચોરીના વણશોધાયેલા ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં બે આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ અધિકારીઓ દ્વારા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વણશોધાયેલા ગુનાઓને ઉકેલવા માટે આપવામાં આવેલી સૂચનાઓના આધારે આ સફળતા મળી છે. પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. ભરવાડ અને તેમની સર્વેલન્સ ટીમ નાઈટ રાઉન્ડ પર હતી, તે દરમિયાન મધવાસ ગામ પાસે હીરો કંપની નજીક એક આઇસર કન્ટેનર ટ્રક (રજી. નં. GJ-17-XX-4953) બંધ હાલતમાં ઊભેલી જોવા મળી હતી. આ ટ્રકમાંથી બે વ્યક્તિઓ અંધારામાં કંઈક સામાન નીચે ઉતારી રહ્યા હતા, જેનાથી પોલીસને શંકા ગઈ અને તેમણે બંનેની પૂછપરછ શરૂ કરી. સઘન પૂછપરછ દરમિયાન બંને આરોપીઓ ભાંગી પડ્યા હતા અને તેમણે સ્વીકાર્યું હતું કે આ સાયલેન્સર 'બડ-વે' કંપનીમાંથી ચોરવામાં આવ્યા હતા. પોલીસે તાત્કાલિક મોટરસાયકલના સાયલેન્સર અને ટ્રક કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેનાથી હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનો ડીટેક્ટ થયો છે. પકડાયેલા આરોપીઓની ઓળખ હરેશભાઈ ગુલાબસિંહ ચૌહાણ (ઉં.વ. ૨૫, ધંધો: ડ્રાઇવિંગ, રહે: મોકળ સાગોળ ફળિયું, તા. કાલોલ, જી. પંચમહાલ) અને રાજકુમાર દિનેશભાઈ ચૌહાણ (ઉં.વ. ૨૩, ધંધો: મજૂરી/વર્કર, રહે: દાઉધરા ચૌહાણ ફળિયું, તા. ઘોઘંબા, જી. પંચમહાલ) તરીકે થઈ છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹૧૧,૩૪,૬૦૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં કાળા કલરના ૭૨ નંગ સાયલેન્સર જેની કિંમત ₹૧,૨૯,૬૦૦/-, એક લોખંડની ટ્રોલી જેની કિંમત ₹૫,૦૦૦/-, અને આઇસર ટ્રક જેની કિંમત ₹૧૦,૦૦,૦૦૦/-નો સમાવેશ થાય છે. આ સફળતાથી હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સાયલેન્સર ચોરીનો વણશોધાયેલ ગુનો આખરે ઉકેલાઈ ગયો છે.3