જાફરાબાદ થી બાબરકોટ ના પાડીયા સુધી ના મિતિયાળા ના ખેડૂતો ખાતેદારો ની નાયબ કલેકટર ને રજુઆત કરી જાફરાબાદ થી બાબરકોટ ના પાડીયા સુધી ના મિતિયાળા ના ખેડૂતો ખાતેદારો ની નાયબ કલેકટર ને રજુઆત : ચાર નાળા થી જાફરાબાદ સુધી આવતો ફોર લેનીંગ રોડ માં ખેડૂતો ની જમીન વગર વળતરે કપાત કરવાની કામગીરી રોકવા માટે રજુઆત જાફરાબાદ થી બાબરકોટ ના પાડીયા સુધી ના મિતિયાળા ના ખાતે દ્વારો ની નાયબ કલેકટર સાહેબ ને તમામ ખેડૂતો ખાતેદારો ધારદાર મૌખિક અને લેખિત રજૂઆત માં જણાવેલ કે જાફરાબાદ તાલુકાના મોજે મિતિયાળા ગામના ખેતી બિનખેતી જમીનના ખાતેદારો છીએ અને અમારી ખેતી જમીન તે રાજુલા-જાફરાબાદ રોડની બન્ને બાજુએ આવેલ છે. હાલના રોડને અડીને બન્ને બાજુથી આ ફોર લેન રોડ બનાવવા માટે હાલના કબજા ધારકોને રાજુલાના નાયબ કાર્યપાલક ઈજનેરની કચેરી મારફતે અમોને દબાણકર્તા-અનધિકૃત કબજેદારો ગણીને ગેરકાયદેસરની નોટીસો આપવામાં આવી રહેલ છે. નાયબ કાર્યપાલક ઈજનેર-રાજુલા તરફથી આપવામાં આવી રહેલી નોટીસોમાં કોઈ સર્વે નંબરોનો ઉલલેખ નથી કે આ ફોર લેન રોડમાં કેટલી જમીન કપાય છે ? તેનો કોઈ ઉલલેખ કરવામાં આવેલ નથી. જેથી આવી નોટીસો કાયદેસરની ગણાય નહી. તેમ છતાં ખેડુતોને આવી નોટીસો આપવામાં આવી રહેલ છે. રોડ ફોર-લેન બનતો હોઈ તો તે રાજયના વિકાસ માટે અને જાહેર હિત માટે સારી વાત છે. પરંતુ કાયદાનું ઉલ્લંઘન કરીને અને કાયદા વિરૂધ્ધ જે કામગીરી કરવામાં આવે તો તે ગેરકાયદેસર કાર્યવાહી કહેવાય અને આવી કાર્યવાહી જાહેર જનતાને તેના મિલ્કત ધારણ કરવાના અને તેની મિલ્કતને જાળવવાના બંધારણીય હકક નું ખુલ્લું ઉલ્લંધન ગણવામાં આવે છે. અમોએ ફકત બાબરકોટના પાટીયા થી જાફરાબાદની હદ સુધીનો જ ઉલ્લેખ કરેલ છે.પરંતુ આ સર્વે નંબરોમાં વધારો થાય તેવી પુરી શકયતા છે. તેમજ ચારનાળા થી જાફરાબાદ સુધી ઘણા સર્વે નંબરો કપાવાનાની શકયતા છે. તો આ બાબતે આવી સંભવિત કપાત થવાની જમીન ધારકોમાં કચવાટ થઈ રહેલ છે. દેશના કે રાજયના વિકાસ માટે જમીન ધારકોની જમીન કપાત કરવાની હોઈ તો તેના માટે અંગ્રેજોના શાસનકાળમાં પણ તેઓએ ઈ.સ. ૧૮૯૪ માં "જમીન સંપાદન અધિનિયમ" બનાવેલ હતો. અને તે મુજબ જમીન ધારકોને વળતર આપીને જાહેર હિત માટે જમીન સંપાદન કરવામાં આવતી હતી. તેમજ આ કાયદામાં સને ૨૦૧૩ માં નવેસરથી સુધારો કરવામાં આવેલ છે. અને તે મુજબ જ કાર્યવાહી કરવાની થાય છે. કોઈપણ ખાતેદારની ખેતી અથવા બિનખેતીની જમીન કપાત કરવાની કાર્યવાહી કરવાની હોઈ તો, તેના માટે પ્રથમ જમીનનો પ્રારંભિક સર્વે નંબર નક્કી કરી, ત્યારબાદ પ્રાથમિક જાહેરનામુ બહાર પાડવાનું હોય છે. ત્યારબાદ આખરી જાહેરનામ બહાર પાડવાનું હોય છે. જેમાં સર્વે નબંરો તથા કપાત ક્ષેત્ર ફળનો ઉલ્લેખ કરવાનો હોય છે. ત્યારબાદ રાજયમાં વધુ ફેલાવો ધરાવતા છાપામાં જાહેરાત આપવાની હોય છે. જેમાં એક છાપ સ્થાનિક ભાષાનું હોવું જોઈએ. ત્યારબાદ જાહેર જનતા કે જેને ભવિષ્યમાં અસર થવાની છે. તેઓ પાસેથી વાંધા મંગાવવાના હોઈ છે. આ વાંધા ઓની સુનાવણી કરીને આખરી નિર્ણય લેવાનો હોઈ છે. અને જમીનનું વળતર એટલે કે એવોર્ડ જાહેર કરીને જમીન માલિકોને વળતરની ચુકવણી કર્યા બાદ જ જે તે જમીનનો કબજો લેવાનો રહે છે. આવી તમામ કાયદાકીય હકિકત જણાવવાનો અમારો હેતુ એવો છે કે, જમીન ધારકોને યોગ્ય ન્યાય અને વ્યાજબી વળતર મળી રહે તેવા તમામ શકય એટલા પગલા લેવાના અને કાયદાથી દેશના નાગરિકોના હક્કો ના રક્ષણ માટે અને બંધારણથી આપવામાં આવેલા અધિકારોનું રક્ષણ કરવાની જવાબદારી જવાબદાર અધિકારીઓને આપવામાં આવેલી છે. પરંતુ હાલમાં જે રીતે કામગીરી કરવામાં આવે છે તે લોકોના હક્કને રૂંધવાની કામગીરી થતી હોઈ એવું લાગે છે. હાલમાં કોઈ અજાણ્યા માણસો દ્વારા જમીન ધારકોને ખોટી રીતે ધમકાવવા માં આવી રહેલ છે. અને ગેરકાયદેસર નો કબજો લેવાના પ્રયત્નો કરવામાં આવી રહેલ છે. જે લોકશાહી દેશ માટે શરમજનક બાબત છે. આપ સાહેબ જવાબદાર અધિકારી હોઈ જેથી અમો આપ સાહેબને નમ્ર વિનંતી કરીએ છીએ કે, ચારનાળા થી જાફરાબાદ સુધીના ફોરલેન રોડ બનાવવા માટે જે જમીન કપાવવાની સંભાવના છે. તેવા ખેડુતોને યોગ્ય વળતર આપીને જ આગળની કાર્યવાહી કરવી અન્યથા અમો ખેડુતોને એકજુથ થઈને સરકારના આવા અન્યાયકારી વલણ સામે સંઘર્ષ કરવાની ના-છુટકે ફરજ પડશે અને યોગ્ય ન્યાય મેળવવા નામદાર ગુજરાત હાઈકોર્ટ અને જરૂર પડયે નામદાર સુપ્રિમ કોર્ટમાં પણ ન્યાય મેળવવા ધા નાખવાની ફરજ પડશે આ બાબતને લઈને જે કાંઈ નુકશાન જશે તેની જવાબદારી તમામ જવાબદાર અધિકારીઓની રહેશે જેની ગંભીર નોંધ લેવા અરજી તથા મૌખિક રજૂઆતો ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી
જાફરાબાદ થી બાબરકોટ ના પાડીયા સુધી ના મિતિયાળા ના ખેડૂતો ખાતેદારો ની નાયબ કલેકટર ને રજુઆત કરી જાફરાબાદ થી બાબરકોટ ના પાડીયા સુધી ના મિતિયાળા ના ખેડૂતો ખાતેદારો ની નાયબ કલેકટર ને રજુઆત : ચાર નાળા થી જાફરાબાદ સુધી આવતો ફોર લેનીંગ રોડ માં ખેડૂતો ની જમીન વગર વળતરે કપાત કરવાની કામગીરી રોકવા માટે રજુઆત જાફરાબાદ થી બાબરકોટ ના પાડીયા સુધી ના મિતિયાળા ના ખાતે દ્વારો ની નાયબ કલેકટર સાહેબ ને તમામ ખેડૂતો ખાતેદારો ધારદાર મૌખિક અને લેખિત રજૂઆત માં જણાવેલ કે જાફરાબાદ તાલુકાના મોજે મિતિયાળા ગામના ખેતી બિનખેતી જમીનના ખાતેદારો છીએ અને અમારી ખેતી જમીન તે રાજુલા-જાફરાબાદ રોડની બન્ને બાજુએ આવેલ છે. હાલના રોડને અડીને બન્ને બાજુથી આ ફોર લેન રોડ બનાવવા માટે હાલના કબજા ધારકોને રાજુલાના નાયબ કાર્યપાલક ઈજનેરની કચેરી મારફતે અમોને દબાણકર્તા-અનધિકૃત કબજેદારો ગણીને ગેરકાયદેસરની નોટીસો આપવામાં આવી રહેલ છે. નાયબ કાર્યપાલક ઈજનેર-રાજુલા તરફથી આપવામાં આવી રહેલી નોટીસોમાં કોઈ સર્વે નંબરોનો ઉલલેખ નથી કે આ ફોર લેન રોડમાં કેટલી જમીન કપાય છે ? તેનો કોઈ ઉલલેખ કરવામાં આવેલ નથી. જેથી આવી નોટીસો કાયદેસરની ગણાય નહી. તેમ છતાં ખેડુતોને આવી નોટીસો આપવામાં આવી રહેલ છે. રોડ ફોર-લેન બનતો હોઈ તો તે રાજયના વિકાસ માટે અને જાહેર હિત માટે સારી વાત છે. પરંતુ કાયદાનું ઉલ્લંઘન કરીને અને કાયદા વિરૂધ્ધ જે કામગીરી કરવામાં આવે તો તે ગેરકાયદેસર કાર્યવાહી કહેવાય અને આવી કાર્યવાહી જાહેર જનતાને તેના મિલ્કત ધારણ કરવાના અને તેની મિલ્કતને જાળવવાના બંધારણીય હકક નું ખુલ્લું ઉલ્લંધન ગણવામાં આવે છે. અમોએ ફકત બાબરકોટના પાટીયા થી જાફરાબાદની હદ સુધીનો જ ઉલ્લેખ કરેલ છે.પરંતુ આ સર્વે નંબરોમાં વધારો થાય તેવી પુરી શકયતા છે. તેમજ ચારનાળા થી જાફરાબાદ સુધી ઘણા સર્વે નંબરો કપાવાનાની શકયતા છે. તો આ બાબતે આવી સંભવિત કપાત થવાની જમીન ધારકોમાં કચવાટ થઈ રહેલ છે. દેશના કે રાજયના વિકાસ માટે જમીન ધારકોની જમીન કપાત કરવાની હોઈ તો તેના માટે અંગ્રેજોના શાસનકાળમાં પણ તેઓએ ઈ.સ. ૧૮૯૪ માં "જમીન સંપાદન અધિનિયમ" બનાવેલ હતો. અને તે મુજબ જમીન ધારકોને વળતર આપીને જાહેર હિત માટે જમીન સંપાદન કરવામાં આવતી હતી. તેમજ આ કાયદામાં સને ૨૦૧૩ માં નવેસરથી સુધારો કરવામાં આવેલ છે. અને તે મુજબ જ કાર્યવાહી કરવાની થાય છે. કોઈપણ ખાતેદારની ખેતી અથવા બિનખેતીની જમીન કપાત કરવાની કાર્યવાહી કરવાની હોઈ તો, તેના માટે પ્રથમ જમીનનો પ્રારંભિક સર્વે નંબર નક્કી કરી, ત્યારબાદ પ્રાથમિક જાહેરનામુ બહાર પાડવાનું હોય છે. ત્યારબાદ આખરી જાહેરનામ બહાર પાડવાનું હોય છે. જેમાં સર્વે નબંરો તથા કપાત ક્ષેત્ર ફળનો ઉલ્લેખ કરવાનો હોય છે. ત્યારબાદ રાજયમાં વધુ ફેલાવો ધરાવતા છાપામાં જાહેરાત આપવાની હોય છે. જેમાં એક છાપ સ્થાનિક ભાષાનું હોવું જોઈએ. ત્યારબાદ જાહેર જનતા કે જેને ભવિષ્યમાં અસર થવાની છે. તેઓ પાસેથી વાંધા મંગાવવાના હોઈ છે. આ વાંધા ઓની સુનાવણી કરીને આખરી નિર્ણય લેવાનો હોઈ છે. અને જમીનનું વળતર એટલે કે એવોર્ડ જાહેર કરીને જમીન માલિકોને વળતરની ચુકવણી કર્યા બાદ જ જે તે જમીનનો કબજો લેવાનો રહે છે. આવી તમામ કાયદાકીય હકિકત જણાવવાનો અમારો હેતુ એવો છે કે, જમીન ધારકોને યોગ્ય ન્યાય અને વ્યાજબી વળતર મળી રહે તેવા તમામ શકય એટલા પગલા લેવાના અને કાયદાથી દેશના નાગરિકોના હક્કો ના રક્ષણ માટે અને બંધારણથી આપવામાં આવેલા અધિકારોનું રક્ષણ કરવાની જવાબદારી જવાબદાર અધિકારીઓને આપવામાં આવેલી છે. પરંતુ હાલમાં જે રીતે કામગીરી કરવામાં આવે છે તે લોકોના હક્કને રૂંધવાની કામગીરી થતી હોઈ એવું લાગે છે. હાલમાં કોઈ અજાણ્યા માણસો દ્વારા જમીન ધારકોને ખોટી રીતે ધમકાવવા માં આવી રહેલ છે. અને ગેરકાયદેસર નો કબજો લેવાના પ્રયત્નો કરવામાં આવી રહેલ છે. જે લોકશાહી દેશ માટે શરમજનક બાબત છે. આપ સાહેબ જવાબદાર અધિકારી હોઈ જેથી અમો આપ સાહેબને નમ્ર વિનંતી કરીએ છીએ કે, ચારનાળા થી જાફરાબાદ સુધીના ફોરલેન રોડ બનાવવા માટે જે જમીન કપાવવાની સંભાવના છે. તેવા ખેડુતોને યોગ્ય વળતર આપીને જ આગળની કાર્યવાહી કરવી અન્યથા અમો ખેડુતોને એકજુથ થઈને સરકારના આવા અન્યાયકારી વલણ સામે સંઘર્ષ કરવાની ના-છુટકે ફરજ પડશે અને યોગ્ય ન્યાય મેળવવા નામદાર ગુજરાત હાઈકોર્ટ અને જરૂર પડયે નામદાર સુપ્રિમ કોર્ટમાં પણ ન્યાય મેળવવા ધા નાખવાની ફરજ પડશે આ બાબતને લઈને જે કાંઈ નુકશાન જશે તેની જવાબદારી તમામ જવાબદાર અધિકારીઓની રહેશે જેની ગંભીર નોંધ લેવા અરજી તથા મૌખિક રજૂઆતો ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી
- ધારી હોસ્પિટલમાં બેડ ક્ષમતા 30થી વધીને 80 થશે: રૂ. 4.50 કરોડના ખર્ચે મળશે આધુનિક આરોગ્ય સેવાઓ ધારી હોસ્પિટલમાં બેડ ક્ષમતા 30થી વધીને 80 થશે: રૂ. 4.50 કરોડના ખર્ચે મળશે આધુનિક આરોગ્ય સેવાઓ1
- મહુવામાં ગજાનંદ ગ્રુપ દ્વારા ગણપતિ બાપાના દર્શન સાથે જગન્નાથજીની અલૌકિક ઝાંખી ભક્તો માટે ખુલ્લી મુકાઈ1
- ઉનાના રેવદ ગામે ધામધૂમથી ગણેશ સ્થાપના કરાઈ: મહિલાઓએ ધૂન અને ગરબા સાથે બાપ્પાનું સ્વાગત કર્યુ. ઉના તાલુકાના રેવદ ગામે સમસ્ત ગામ દ્વારા ગણેશ ચતુર્થીના પવિત્ર પર્વ નિમિત્તે ધામધૂમથી ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. ગણેશજીના આગમન પ્રસંગે ગામમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે ગામની મહિલાઓ એ ભક્તિભાવપૂર્વક ધૂન બોલાવી હતી. ત્યારબાદ મહિલાઓએ ગરબા રમીને ગણેશજીના આગમનને વધાવ્યું હતું. આખું વાતાવરણ 'ગણપતિ બાપ્પા મોરિયા'ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ગણેશજીના આગમન પ્રસંગે અબીલ -ગુલાલ ઉડાડવામાં આવ્યા હતા. ઢોલ-નગારાના તાલે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગણેશ સ્થાપના પ્રસંગે ગામના યુવાનો, મહિલાઓ અને બાળકો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. આયોજકોએ જણાવ્યું કે, આગામી દિવસોમાં પણ ગણેશ મહોત્સવ દરમિયાન અલગ અલગ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.1
- ગારીયાધાર તાલુકામાં આજે તા ૧૫/૯/૨૦૨૬ હળવા ભારે વરસાદના જાપ્તા ગારીયાધાર તાલુકામાં આજે તા ૧૫/૯/૨૦૨૬ હળવા ભારે વરસાદના જાપ્તા1
- વડોદરાના આજવા રોડ પર ડર અને ભક્તિનો અનોખો સંગમ! શ્રીજી યુવક મંડળ દ્વારા 30 ફૂટ લાંબી હોરર ગુફા તૈયાર : ભૂતો અને ડરામણા દ્રશ્યો વચ્ચે લાઈવ હોરર શો, અંતે બાપ્પાના દર્શનથી મળશે શાંતિનો અનુભવ... વડોદરાના આજવા રોડ પર ડર અને ભક્તિનો અનોખો સંગમ! શ્રીજી યુવક મંડળ દ્વારા 30 ફૂટ લાંબી હોરર ગુફા તૈયાર : ભૂતો અને ડરામણા દ્રશ્યો વચ્ચે લાઈવ હોરર શો, અંતે બાપ્પાના દર્શનથી મળશે શાંતિનો અનુભવ...1
- देश विदेश की ताजा रीपोटे।1
- વિસાવદરમાં કોંગ્રેસને મોટો ઝટકો, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય પ્રભુદાસભાઈ સતાસિયા AAPમાં જોડાયા વિસાવદરમાં કોંગ્રેસને મોટો ઝટકો, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય પ્રભુદાસભાઈ સતાસિયા AAPમાં જોડાયા AAP ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ ખેસ પહેરાવી પ્રભુદાસભાઈ સતાસિયાનું આમ આદમી પાર્ટીમાં કર્યું સ્વાગત વિસાવદરમાં ’આપ’ નું સંગઠન બન્યું વધુ મજબૂત, પ્રજાહિતના કાર્યોથી પ્રેરાઈને નેતાઓ જોડાયા AAP સાથે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાની કામગીરીથી પ્રભાવિત થઈને કોંગ્રેસ છોડી AAPમાં જોડાયો : પ્રભુદાસભાઈ સતાસિયા1
- મહુવામાં જય ખાખી બાપુ ગ્રુપ દ્વારા ગણપતિ બાપ્પાનું ભવ્ય સ્વાગત, ઢોલ-નગારાના તાલે યોજાઈ ભવ્ય શોભાયાત્રા1