logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

દાહોદ ખુટખેડા ગામે દસ દસ મિનિટે MGVCL નો વિજ પુરવઠો બંધ થતાં અને લાંબા સમય સુધી રીપેરીંગ નું કામ ન કરતા ગ્રામ જનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.

2 hrs ago
user_Limdabara News
Limdabara News
Local News Reporter દાહોદ, દાહોદ, ગુજરાત•
2 hrs ago

દાહોદ ખુટખેડા ગામે દસ દસ મિનિટે MGVCL નો વિજ પુરવઠો બંધ થતાં અને લાંબા સમય સુધી રીપેરીંગ નું કામ ન કરતા ગ્રામ જનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.

More news from ગુજરાત and nearby areas
  • આ રહ્યું G Live 24 News માટે અસરકારક અને સમાચાર શૈલીનું ગુજરાતી લખાણ: 🚨 સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં મેઘરાજાની તોફાની બેટિંગ, સમગ્ર નગર જળબંબાકાર 🚨 ડાકોર, તા. 1 ઓગસ્ટ: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે પડેલા ધોધમાર વરસાદને કારણે સમગ્ર નગર પાણીમાં ગરકાવ થઈ ગયું. સતત વરસેલા વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઢીંચણ સમા પાણી ભરાઈ જતાં સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. વિશ્વવિખ્યાત શ્રી રણછોડરાયજી મંદિર શ્રી રણછોડરાયજી મંદિર બહાર પણ વરસાદી પાણી ભરાઈ જતાં દર્શનાર્થે આવતા ભક્તો અને સ્થાનિક લોકો માટે અવરજવર મુશ્કેલ બની હતી. નગરના રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં લોકોના ઘરો અને દુકાનો સુધી પાણી પહોંચવાની સ્થિતિ ઊભી થઈ હતી. સ્થાનિકોમાં એવો આક્રોશ જોવા મળ્યો કે દર વર્ષે વરસાદ પહેલાં કરવામાં આવતી પ્રિમોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે આખું ડાકોર નગર ભગવાન ભરોસે હોય તેવી સ્થિતિ સર્જાઈ હોવાનું લોકો કહી રહ્યા છે. પ્રશાસન દ્વારા વહેલી તકે પાણીના નિકાલ અને અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી નગરજનો માંગ કરી રહ્યા છે.
    1
    આ રહ્યું G Live 24 News માટે અસરકારક અને સમાચાર શૈલીનું ગુજરાતી લખાણ:

🚨 સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં મેઘરાજાની તોફાની બેટિંગ, સમગ્ર નગર જળબંબાકાર 🚨

ડાકોર, તા. 1 ઓગસ્ટ: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે પડેલા ધોધમાર વરસાદને કારણે સમગ્ર નગર પાણીમાં ગરકાવ થઈ ગયું. સતત વરસેલા વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઢીંચણ સમા પાણી ભરાઈ જતાં સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.

વિશ્વવિખ્યાત શ્રી રણછોડરાયજી મંદિર શ્રી રણછોડરાયજી મંદિર બહાર પણ વરસાદી પાણી ભરાઈ જતાં દર્શનાર્થે આવતા ભક્તો અને સ્થાનિક લોકો માટે અવરજવર મુશ્કેલ બની હતી.

નગરના રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં લોકોના ઘરો અને દુકાનો સુધી પાણી પહોંચવાની સ્થિતિ ઊભી થઈ હતી.

સ્થાનિકોમાં એવો આક્રોશ જોવા મળ્યો કે દર વર્ષે વરસાદ પહેલાં કરવામાં આવતી પ્રિમોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે આખું ડાકોર નગર ભગવાન ભરોસે હોય તેવી સ્થિતિ સર્જાઈ હોવાનું લોકો કહી રહ્યા છે.

પ્રશાસન દ્વારા વહેલી તકે પાણીના નિકાલ અને અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી નગરજનો માંગ કરી રહ્યા છે.
    user_Rathod Sandip sinh
    Rathod Sandip sinh
    Local News Reporter કલોલ, પંચમહાલ, ગુજરાત•
    3 hrs ago
  • હાલોલ તાલુકાના મોટી ઉભરવાણ ગામે કોતરના પાણીમા એક વ્યક્તિ તણાઈ જતા નીપજ્યુ મોત હાલોલ તાલુકાના મોટી ઉભરવાણ ગામે કોતરના પાણીમા એક વ્યક્તિ તણાઈ જતા નીપજ્યુ મોત પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં ભારે વરસાદ વચ્ચે વધુ એક કરુણ ઘટના સામે આવી છે.તા.31 જુલાઈ શુક્રવારના રોજ મોટી ઉભરવાણ ગામે કોતરના વધેલા પાણીમાં તણાઈ જતા 46 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું છે.મળતી માહિતી મુજબ, મૃતકનું નામ રેવજીભાઈ કાળુભાઈ રાઠવા હોવાનું જાણવા મળ્યું છે. તેઓ મૂળ ઘોઘંબા તાલુકાના જીંજરી ગામના રહેવાસી હતા અને છેલ્લા એક સપ્તાહથી પોતાની બહેનના ઘરે મોટી ઉભરવાણ ગામે રહેતા હતા.ઘટનાના દિવસે રેવજીભાઈ ગામમાં દુકાને સામાન લેવા ગયા હતા. પરત ઘરે ફરી રહ્યા હતા ત્યારે ભારે વરસાદને કારણે કોતરમાં પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો હતો. પાણીના જોરદાર પ્રવાહમાં તેઓ તણાઈ ગયા હતા અને આગળ નાળામાં ફસાઈ જતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું.ઘટનાની જાણ થતાં પાવાગઢ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.
    1
    હાલોલ તાલુકાના મોટી ઉભરવાણ ગામે કોતરના પાણીમા એક વ્યક્તિ તણાઈ જતા નીપજ્યુ મોત
હાલોલ તાલુકાના મોટી ઉભરવાણ ગામે કોતરના પાણીમા એક વ્યક્તિ તણાઈ જતા નીપજ્યુ મોત
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં ભારે વરસાદ વચ્ચે વધુ એક કરુણ ઘટના સામે આવી છે.તા.31 જુલાઈ શુક્રવારના રોજ મોટી ઉભરવાણ ગામે કોતરના વધેલા પાણીમાં તણાઈ જતા 46 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું છે.મળતી માહિતી મુજબ, મૃતકનું નામ રેવજીભાઈ કાળુભાઈ રાઠવા હોવાનું જાણવા મળ્યું છે. તેઓ મૂળ ઘોઘંબા તાલુકાના જીંજરી ગામના રહેવાસી હતા અને છેલ્લા એક સપ્તાહથી પોતાની બહેનના ઘરે મોટી ઉભરવાણ ગામે રહેતા હતા.ઘટનાના દિવસે રેવજીભાઈ ગામમાં દુકાને સામાન લેવા ગયા હતા. પરત ઘરે ફરી રહ્યા હતા ત્યારે ભારે વરસાદને કારણે કોતરમાં પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો હતો. પાણીના જોરદાર પ્રવાહમાં તેઓ તણાઈ ગયા હતા અને આગળ નાળામાં ફસાઈ જતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું.ઘટનાની જાણ થતાં પાવાગઢ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    8 hrs ago
  • કાલોલ ખાતે મુશળધાર વરસાદ: નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ, જનજીવન અસ્તવ્યસ્ત કાલોલ નગરમાં આજે બપોરના સમયે અચાનક હવામાનમાં પલટો આવ્યા બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી. ટૂંક જ સમયમાં પડેલા મુશળધાર વરસાદને કારણે સમગ્ર કાલોલ નગરમાં પાણી પાણી થઈ ગયું હતું. વરસાદના કારણે નગરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતાં સ્થાનિક જનજીવન પર માઠી અસર પડી હતી અચાનક શરુ થયેલા ધોધમાર વરસાદને કારણે નગરપાલિકા કાર્યાલય પાસે, મહાલક્ષ્મી ચોક, કચેરી રોડ તેમજ મુખ્ય બસ સ્ટેશન જેવા ધમધમતા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા દ્વિચક્રી વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. કેટલાક વાહનો પાણીમાં બંધ પડી જતાં વાહનચાલકો અટવાઈ પડ્યા હતા અને વાહનો ઢસડીને લઈ જવાની ફરજ પડી હતી. નગરના મુખ્ય ચાર રસ્તા અને મુખ્ય બજાર વિસ્તારોમાં પાણીનો નિકાલ ન થતાં વેપારીઓના ધંધા-રોજગારને પણ અસર પહોંચી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ આ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, ત્યારે નગરપાલિકા દ્વારા કરવામાં આવતી પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ફરી એકવાર ખુલ્લી પડી ગઈ છે. હાલમાં પણ વરસાદી પાણી ભરાયેલા હોવાથી વાહનચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અપીલ કરવામાં આવી છે.
    2
    કાલોલ ખાતે મુશળધાર વરસાદ: નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ, જનજીવન અસ્તવ્યસ્ત
કાલોલ નગરમાં આજે બપોરના સમયે અચાનક હવામાનમાં પલટો આવ્યા બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી. ટૂંક જ સમયમાં પડેલા મુશળધાર વરસાદને કારણે સમગ્ર કાલોલ નગરમાં પાણી પાણી થઈ ગયું હતું. વરસાદના કારણે નગરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતાં સ્થાનિક જનજીવન પર માઠી અસર પડી હતી
અચાનક શરુ થયેલા ધોધમાર વરસાદને કારણે નગરપાલિકા કાર્યાલય પાસે, મહાલક્ષ્મી ચોક, કચેરી રોડ તેમજ મુખ્ય બસ સ્ટેશન જેવા ધમધમતા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા દ્વિચક્રી વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. કેટલાક વાહનો પાણીમાં બંધ પડી જતાં વાહનચાલકો અટવાઈ પડ્યા હતા અને વાહનો ઢસડીને લઈ જવાની ફરજ પડી હતી.
નગરના મુખ્ય ચાર રસ્તા અને મુખ્ય બજાર વિસ્તારોમાં પાણીનો નિકાલ ન થતાં વેપારીઓના ધંધા-રોજગારને પણ અસર પહોંચી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ આ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, ત્યારે નગરપાલિકા દ્વારા કરવામાં આવતી પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ફરી એકવાર ખુલ્લી પડી ગઈ છે.
હાલમાં પણ વરસાદી પાણી ભરાયેલા હોવાથી વાહનચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અપીલ કરવામાં આવી છે.
    user_Virendra Mehta
    Virendra Mehta
    Classified ads newspaper publisher Kalol, Panch Mahals•
    22 hrs ago
  • યુરિયાની કાળાબજારી સામે દેવગઢ બારિયાના ખેડૂતોમાં રોષ, મામલતદારને આવેદનપત્ર યુરિયાની કાળાબજારી સામે દેવગઢ બારિયાના ખેડૂતોમાં રોષ, મામલતદારને આવેદનપત્ર #dahod #devgadhbaria #newsupdate #newstoday #news
    1
    યુરિયાની કાળાબજારી સામે દેવગઢ બારિયાના ખેડૂતોમાં રોષ, મામલતદારને આવેદનપત્ર

યુરિયાની કાળાબજારી સામે દેવગઢ બારિયાના ખેડૂતોમાં રોષ, મામલતદારને આવેદનપત્ર
#dahod #devgadhbaria #newsupdate #newstoday #news
    user_Nayan valand
    Nayan valand
    Local News Reporter બાલાસિનોર, મહીસાગર, ગુજરાત•
    10 hrs ago
  • ખડગદા ગામની મુલાકાત લેતાં આમઆદમી પાર્ટી ના નેતા નિરંજન ભાઈ વસાવા હવામાન વિભાગની આગાહી મુજબ 31 મી જુલાઈ અને 1 ઓગસ્ટ ના રોજ ભારે વરસાદથી કેટલીક જગ્યાએ ભ્રષ્ટાચાર ના પોલ ખુલી ગયા છે! છેલ્લા ઘણા સમયથી ખડગદા ગામના બ્રિજ નું બાંધકામ કરવામાં આવી રહ્યું છે ત્યારે બે દિવસ થી વરસાદી માહોલ જામ્યો હોય ગરૂડેશ્વર તાલુકો જળબંબાકાર બન્યો છે, નવનિર્મિત બ્રિજ ના કામને લઈને સરકાર પર આકરા પ્રહારો કરતા આમઆદમી પાર્ટીના નેતા નિરંજન ભાઈ વસાવા શું કહ્યું છે સાંભળો!
    4
    ખડગદા ગામની મુલાકાત લેતાં આમઆદમી પાર્ટી ના નેતા નિરંજન ભાઈ વસાવા 
હવામાન વિભાગની આગાહી મુજબ 31 મી જુલાઈ અને 1 ઓગસ્ટ ના રોજ ભારે વરસાદથી કેટલીક જગ્યાએ ભ્રષ્ટાચાર ના પોલ ખુલી ગયા છે! છેલ્લા ઘણા સમયથી ખડગદા ગામના બ્રિજ નું બાંધકામ કરવામાં આવી રહ્યું છે ત્યારે બે દિવસ થી વરસાદી માહોલ જામ્યો હોય ગરૂડેશ્વર તાલુકો જળબંબાકાર બન્યો છે, નવનિર્મિત બ્રિજ ના કામને લઈને સરકાર પર આકરા પ્રહારો કરતા આમઆદમી પાર્ટીના નેતા નિરંજન ભાઈ વસાવા શું કહ્યું છે સાંભળો!
    user_Journalist
    Journalist
    Video Creator ગરુડેશ્વર, નર્મદા, ગુજરાત•
    13 min ago
  • વિરપુર-બારોડા કેનાલ પાસે ભારે પવનમાં કન્ટેનર હાઉસ ઉડી ખાડામાં ખાબક્યું, એક મજૂરનું મોત, પાંચ ઈજાગ્રસ્ત વિરપુર તાલુકામાં શુક્રવારે મોડી રાત્રે ભારે પવન, વીજળીના કડાકા-ભડાકા અને ધોધમાર વરસાદ વચ્ચે એક કરુણ દુર્ઘટના સર્જાઈ હતી. વિરપુર-બારોડા કેનાલ પાસે આવેલ સીમ વિસ્તારમાં કામ કરી રહેલા મજૂરો માટે રાખવામાં આવેલા કન્ટેનર હાઉસમાં કુલ છ મજૂરો હાજર હતા. અચાનક ભારે પવનના ઝાપટાથી કન્ટેનર હાઉસ ઉખડીને બાજુમાં આવેલા પાણી ભરેલા ખાડામાં ખાબક્યું હતું.આ દુર્ઘટનામાં એક મજૂરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય પાંચ મજૂરોને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સૌપ્રથમ વિરપુર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે તેમની સ્થિતિ ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે તમામને લુણાવાડા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.પ્રાથમિક માહિતી મુજબ, કન્ટેનર હાઉસમાં રહેલા તમામ છ મજૂરો મૂળ જુનાગઢ જિલ્લાના રહેવાસી હતા અને મજૂરી કામ માટે વિરપુર તાલુકામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને સ્થાનિક તંત્ર ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ભારે વરસાદ અને પવનને કારણે સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો... રીપોર્ટર- વિપુલ જોષી વિરપુર
    1
    વિરપુર-બારોડા કેનાલ પાસે ભારે પવનમાં કન્ટેનર હાઉસ ઉડી ખાડામાં ખાબક્યું, એક મજૂરનું મોત, પાંચ ઈજાગ્રસ્ત
વિરપુર તાલુકામાં શુક્રવારે મોડી રાત્રે ભારે પવન, વીજળીના કડાકા-ભડાકા અને ધોધમાર વરસાદ વચ્ચે એક કરુણ દુર્ઘટના સર્જાઈ હતી. વિરપુર-બારોડા કેનાલ પાસે આવેલ સીમ વિસ્તારમાં કામ કરી રહેલા મજૂરો માટે રાખવામાં આવેલા કન્ટેનર હાઉસમાં કુલ છ મજૂરો હાજર હતા. અચાનક ભારે પવનના ઝાપટાથી કન્ટેનર હાઉસ ઉખડીને બાજુમાં આવેલા પાણી ભરેલા ખાડામાં ખાબક્યું હતું.આ દુર્ઘટનામાં એક મજૂરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય પાંચ મજૂરોને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સૌપ્રથમ વિરપુર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે તેમની સ્થિતિ ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે તમામને લુણાવાડા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.પ્રાથમિક માહિતી મુજબ, કન્ટેનર હાઉસમાં રહેલા તમામ છ મજૂરો મૂળ જુનાગઢ જિલ્લાના રહેવાસી હતા અને મજૂરી કામ માટે વિરપુર તાલુકામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને સ્થાનિક તંત્ર ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ભારે વરસાદ અને પવનને કારણે સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો...
રીપોર્ટર- વિપુલ જોષી વિરપુર
    user_રીપોર્ટર- વિપુલ જોષી
    રીપોર્ટર- વિપુલ જોષી
    Photographer વીરપુર, મહીસાગર, ગુજરાત•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.