રાજુલામાં નેત્ર નિદાન કેમ્પમાં 286 દર્દીઓએ લાભ લીધો રાજુલામાં નેત્ર નિદાન કેમ્પમાં 286 દર્દીઓએ લાભ લીધો ગાયત્રી શક્તિપીઠ ખાતે વિનામૂલ્યે નિદાન અને સારવાર આપવામાં આવી રાજુલા ગાયત્રી શક્તિપીઠ (કૃષ્ણનગર સોસાયટી) ખાતે તારીખ 11 જાન્યુઆરીના રોજ વિનામૂલ્યે નેત્ર નિદાન અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં રાજુલા સહિત આસપાસના વિસ્તારોમાંથી કુલ 286 દર્દીઓએ નેત્ર નિદાન અને સારવારનો લાભ લીધો હતો. કેમ્પ દરમિયાન દર્દીઓને વિનામૂલ્યે નિદાન, દવાઓ તથા જરૂરી તપાસ આપવામાં આવી હતી. જેમાંથી 88 દર્દીઓને ઓપરેશન માટે આગળની પ્રક્રિયા માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ કેમ્પમાં તપાસ કરાયેલા દર્દીઓમાં 170 મહિલાઓ અને 116 પુરુષોનો સમાવેશ થતો હતો. ઓપરેશન માટે પસંદ કરાયેલા દર્દીઓ માટે આવાગમન, રહેવા-જમવાની વ્યવસ્થા, દવાઓ અને સારવાર સહિતની તમામ સુવિધાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે. સુદર્શન નેત્રાલય, અમરેલી દ્વારા આ સેવા પૂરી પાડવામાં આવી હતી. કેમ્પમાં ડો. જીતેશ મુધલિયા, ડો. એ.બી. ભટ્ટ, ડો. હિરલબેન કુંડળા સહિત મડવીયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડો. વિશાલ જોશી, ડો. એસ.કે. જાંગલા અને ડો. નિલમબેન કુંડળા સહિતના તબીબોએ પોતાની સેવાઓ આપી દર્દીઓને રાહત પહોંચાડી હતી. આ કેમ્પનું આયોજન એ.પી.એમ. ટર્મિનલ્સ ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડ, જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ અમરેલી તથા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ – ગાયત્રી શક્તિપીઠ રાજુલાના સંયુક્ત સહયોગથી કરવામાં આવ્યું હતું. કેમ્પનો મુખ્ય હેતુ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે આરોગ્ય સેવા પૂરી પાડવાનો હતો. ગાયત્રી શક્તિપીઠના ટ્રસ્ટીઓ અને ગાયત્રી પરિવારના સભ્યોએ કેમ્પને સફળ બનાવવા માટે નોંધપાત્ર સહકાર આપ્યો હતો, જેના કારણે આ સેવા કાર્ય લોકહિતમાં અસરકારક બન્યું હતું.
રાજુલામાં નેત્ર નિદાન કેમ્પમાં 286 દર્દીઓએ લાભ લીધો રાજુલામાં નેત્ર નિદાન કેમ્પમાં 286 દર્દીઓએ લાભ લીધો ગાયત્રી શક્તિપીઠ ખાતે વિનામૂલ્યે નિદાન અને સારવાર આપવામાં આવી રાજુલા ગાયત્રી શક્તિપીઠ (કૃષ્ણનગર સોસાયટી) ખાતે તારીખ 11 જાન્યુઆરીના રોજ વિનામૂલ્યે નેત્ર નિદાન અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં રાજુલા સહિત આસપાસના વિસ્તારોમાંથી કુલ 286 દર્દીઓએ નેત્ર નિદાન અને સારવારનો લાભ લીધો હતો. કેમ્પ દરમિયાન દર્દીઓને વિનામૂલ્યે નિદાન, દવાઓ તથા જરૂરી તપાસ આપવામાં આવી હતી. જેમાંથી 88 દર્દીઓને ઓપરેશન માટે આગળની પ્રક્રિયા માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ કેમ્પમાં તપાસ કરાયેલા દર્દીઓમાં 170 મહિલાઓ અને 116 પુરુષોનો સમાવેશ થતો હતો. ઓપરેશન માટે પસંદ કરાયેલા દર્દીઓ માટે આવાગમન, રહેવા-જમવાની વ્યવસ્થા, દવાઓ અને સારવાર સહિતની તમામ સુવિધાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે. સુદર્શન નેત્રાલય, અમરેલી દ્વારા આ સેવા પૂરી પાડવામાં આવી હતી. કેમ્પમાં ડો. જીતેશ મુધલિયા, ડો. એ.બી. ભટ્ટ, ડો. હિરલબેન કુંડળા સહિત મડવીયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડો. વિશાલ જોશી, ડો. એસ.કે. જાંગલા અને ડો. નિલમબેન કુંડળા સહિતના તબીબોએ પોતાની સેવાઓ આપી દર્દીઓને રાહત પહોંચાડી હતી. આ કેમ્પનું આયોજન એ.પી.એમ. ટર્મિનલ્સ ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડ, જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ અમરેલી તથા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ – ગાયત્રી શક્તિપીઠ રાજુલાના સંયુક્ત સહયોગથી કરવામાં આવ્યું હતું. કેમ્પનો મુખ્ય હેતુ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે આરોગ્ય સેવા પૂરી પાડવાનો હતો. ગાયત્રી શક્તિપીઠના ટ્રસ્ટીઓ અને ગાયત્રી પરિવારના સભ્યોએ કેમ્પને સફળ બનાવવા માટે નોંધપાત્ર સહકાર આપ્યો હતો, જેના કારણે આ સેવા કાર્ય લોકહિતમાં અસરકારક બન્યું હતું.
- રાજુલાના ભેરાઈ રોડ ઉપર દબાણના આક્ષેપો સાથેનો એક વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે રાજુલાના ભેરાઈ રોડને પોળો કરવાની વાત ચાલી રહી છે એવામાં આ વિડીયો વાયરલ થતાં જ ચર્ચાઓ એ જોડ પકડ્યું છે1
- બેંકીંગ, અમરેલી...... જાફરાબાદ...... ભાવનગર- સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માત...... જાફરાબાદના હેમાળ અને છેલણા ગામ વચ્ચે ફોર વ્હીલર કાર પલ્ટી મારી...... સુરત થી સોમનાથ જતી ફોર વ્હીલર કારને નડ્યો અકસ્માત......... નેશનલ હાઈવેની ઘોર બેદરકારી આવી સામે........ હાઇવે પર માટીનો પાળો હોવાથી ફોર વ્હીલર કાર મારી પલ્ટી... ૪ લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી....... આ ધટના પગલે આસપાસના સ્થાનિકોએ કારમાંથી સવારોને બહાર કાઢયા....... ભાવનગર -સોમનાથ નેશનલ હાઇવે પર અવારનવાર અકસ્માતોની ધટના વધી....... બાઈટ ૧:- હર્ષદભાઇ પડસાલા, (સ્થાનિક) રિપોર્ટર..કરશન પરમાર નાગેશ્રી જાફરાબાદ2
- ગીર એટલેકે જંગલ ના રાજાઓ ઠંડીનો મૌસમ માણવા હાઇવે પર ચડી આવ્યા. અમરેલીજિલ્લાના જંગલોમાં વસવાટ કરતા સિહો રોડ પર લટાર મારતા નજરે ચડ્યા. દ્ર્શ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા વાહન ચાલકો સિંહોનું અનોખું રૂપ જોયું....1
- મુખ્ય સમાચાર1
- PM મોદી સાહેબનીસોમનાથ એન્ટ્રી1
- શાપુર ખાતે સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.. 598 લોકોએ કેમ્પનો લીધો લાભ.. 20 બોટલ રક્ત એકત્ર કરાયું.. વંથલી તાલુકાના શાપુર પટેલ સમાજ ખાતે સામાજિક વનીકરણ રેન્જ આયોજિત અને શાપુર ગ્રામ પંચાયતના સહકારથી વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ નિદાન કેમ્પમાં હૃદયરોગ, હાડકા,જનરલ સર્જન, કાન નાક ગળા, ડાયાબિટીસ,ફેફસા ,ચામડી,આંખ, દાંત, સ્ત્રી રોગ નિષ્ણાંત,બાળ રોગ નિષ્ણાંત જેવા નામાંકિત ડોક્ટરોએ સેવા આપી હતી આ કેમ્પમાં ૫૯૮ જેટલા લોકોએ આ નિદાન કેપ્મનો લાભ લીધો હતો જેમાં તપાસ દરમિયાન સ્થળ પર જ જરૂરિયાત મંદ લોકોને દવા આપવામાં આવી હતી આ તકે રક્તદાન કેમ્પમાં ૨૦ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું આ રક્ત થેલેસેમીયા પીડિત બાળકો માટે ઉપયોગ લેવામાં આવશે આ કેમ્પને સફળ બનાવવા આર.એફ. ઓ. સુત્રેજા, રાઉન્ડ ફોરેસ્ટર સી.એમ.ચૌહાણ વનખાતાના કર્મચારીઓ ,ગ્રામ પંચાયતના સરપંચ ટીનુભાઇ ફળદુ, મેડિકલ ઓફિસર ડો. નીલમ પોલરા, ડો. સતિષ પરમાર શાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી તેમજ આ આરોગ્ય કેમ્પમાં સેવા આપનાર તમામ ડોક્ટરો તેમજ કર્મચારીઓનો વનવિભાગના આર. એફ. ઓ.સુત્રેજા તેમજ સરપંચ ટીનુભાઈ ફળદુએ આભાર વ્યકત કર્યો હતો અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ4
- #ThemissionofSantRampalJiMaharaj अनमोल ज्ञान1
- इरान ताज़ा खबर।1