બોટાદ શહેરમાં ૧૨ જુલાઈ ૨૦૨૬ (રવિવાર)ના રોજ જરૂરી સમારકામની કામગીરીને કારણે વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. પીજીવીસીએલ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, બોટાદ સીટી અને પાવરહાઉસ અર્બન ફીડરમાં સવારે ૭:૦૦ વાગ્યાથી બપોરે ૨:૦૦ વાગ્યા સુધી એટલે કે કુલ ૭ કલાક માટે વીજ પુરવઠો બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન નાગલપર દરવાજા, જ્યોતિગ્રામ સર્કલ, શાક માર્કેટ, ટાવર રોડ, પોલીસ સ્ટેશન, સરકારી હાઈસ્કૂલ, એસબીઆઈ બેંક, વોરવાડ, લીમડા ચોક, જુનો સિપાઈવાડો, બારોટ શેરી, મંગળપરા, આનંદધામ ગેટ, હરીદર્શન, કુબેરનગર, ઘનશ્યામનગર, કષ્ટભંજન સોસાયટી, માધવપાર્ક, માધવદર્શન, રાધાકૃષ્ણ, રઘુનંદન, અવધ પાર્ક, શિવનગર, ઢાકણીયા રોડ, BAPS સ્વામિનારાયણ મંદિર, ટેલિફોન એક્સચેન્જ, ભગવાનપરા, સોરઠીયા વાડી અને કિરીટભાઈની વાડી સહિતના વિસ્તારોમાં વીજ પ્રવાહ બંધ રહેશે. પીજીવીસીએલે ગ્રાહકોને આગોતરી તૈયારી રાખવા અપીલ કરી છે. જો સમારકામનું કાર્ય વહેલું પૂર્ણ થશે તો કોઈપણ પૂર્વ સૂચના આપ્યા વિના જ વીજ પુરવઠો ફરી શરૂ કરી દેવામાં આવશે.
બોટાદ શહેરમાં ૧૨ જુલાઈ ૨૦૨૬ (રવિવાર)ના રોજ જરૂરી સમારકામની કામગીરીને કારણે વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. પીજીવીસીએલ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, બોટાદ સીટી અને પાવરહાઉસ અર્બન ફીડરમાં સવારે ૭:૦૦ વાગ્યાથી બપોરે ૨:૦૦ વાગ્યા સુધી એટલે કે કુલ ૭ કલાક માટે વીજ પુરવઠો બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન નાગલપર દરવાજા, જ્યોતિગ્રામ સર્કલ, શાક માર્કેટ, ટાવર રોડ, પોલીસ સ્ટેશન, સરકારી હાઈસ્કૂલ, એસબીઆઈ બેંક, વોરવાડ, લીમડા ચોક, જુનો સિપાઈવાડો, બારોટ શેરી, મંગળપરા, આનંદધામ ગેટ, હરીદર્શન, કુબેરનગર, ઘનશ્યામનગર, કષ્ટભંજન સોસાયટી, માધવપાર્ક, માધવદર્શન, રાધાકૃષ્ણ, રઘુનંદન, અવધ પાર્ક, શિવનગર, ઢાકણીયા રોડ, BAPS સ્વામિનારાયણ મંદિર, ટેલિફોન એક્સચેન્જ, ભગવાનપરા, સોરઠીયા વાડી અને કિરીટભાઈની વાડી સહિતના વિસ્તારોમાં વીજ પ્રવાહ બંધ રહેશે. પીજીવીસીએલે ગ્રાહકોને આગોતરી તૈયારી રાખવા અપીલ કરી છે. જો સમારકામનું કાર્ય વહેલું પૂર્ણ થશે તો કોઈપણ પૂર્વ સૂચના આપ્યા વિના જ વીજ પુરવઠો ફરી શરૂ કરી દેવામાં આવશે.
- સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા રાજમહેલ મોલ ખાતે મોડી રાત્રે એક યુવકની હત્યાની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટના મોડી રાત્રે આશરે 12 વાગ્યાની હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાથમિક વિગતો અનુસાર, મૃતક યુવકની ઓળખ રાજ દુબે (ઉંમર આશરે 20 વર્ષ) તરીકે થઈ છે અને તે બાઈક સીઝિંગનું કામ કરતો હતો. હત્યાની આ ઘટના અંગે જાણ થતાં જ ડિંડોલી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને તપાસની કાર્યવાહી શરૂ કરી દીધી છે. જોકે, આ હત્યા કયા કારણોસર કરવામાં આવી છે અને તેનો આરોપી કોણ છે, તે અંગે હજી સુધી કોઈ ખુલાસો થયો નથી. પોલીસની ઊંડી તપાસ બાદ જ આ મામલે વધુ વિગતો બહાર આવશે.4
- જેતપુરના કણકિયા પ્લોટમાં મૈત્રીપૂર્ણ સંબંધમાં જીવવું એક વ્યક્તિ માટે જીવલેણ સાબિત થયું છે. કણકિયા પ્લોટમાં અંબર સિનેમા પાસે રહેતા અને મજૂરી કામ કરતા કમલેશ વાઘેલા જ્યારે બપોરે લંચ સમયે છાશ લેવા બહાર નીકળ્યા, ત્યારે તેમની સાથે રહેતી મહિલાના પુત્ર જયન વાઘેલાએ તેમને રસ્તામાં રોકીને ૫ થી ૬ વાર ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. આ ગંભીર હુમલામાં કમલેશ વાઘેલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મૃતક કમલેશ વાઘેલા નીતા વાઘેલા સાથે દોસ્તીના સંબંધમાં રહેતા હતા. નીતાના પતિના અવસાન બાદ બંને વચ્ચે ઓળખાણ થઈ હતી અને તેઓ સાથે રહેવા લાગ્યા હતા. જોકે, આ સંબંધ નીતાના પુત્ર જયનને બિલકુલ પસંદ ન હતો, જેના કારણે તે સતત નારાજ રહેતો હતો અને રાજકોટમાં અલગ રહેતો હતો. પોતાની માતા વર્ષોથી અન્ય પુરુષ સાથે મૈત્રીપૂર્ણ સંબંધમાં રહેતી હોવાની બાબત સહન ન થતાં જયને કમલેશની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપી જયન વાઘેલા અને તેનો સાથી ધ્રુવ નૈયા અગાઉ પણ એક મર્ડર કેસમાં સંડોવાયેલા હતા. તેઓ એક દિવસ પહેલા જ જેતપુર પહોંચ્યા હતા અને કમલેશ વાઘેલાની હિલચાલ પર સતત નજર રાખી રહ્યા હતા. હત્યામાં વપરાયેલું ચપ્પુ રાજકોટથી જેતપુર આવતી વખતે વીરપુરથી ખરીદવામાં આવ્યું હતું. તક મળતા જ જયને પૂર્વ આયોજિત કાવતરા મુજબ કમલેશ પર હુમલો કરીને તેની હત્યા કરી નાખી હતી. ઘટનાની ગણતરીની કલાકોમાં પોલીસે સપાટો બોલાવીને આરોપી જયન વાઘેલા અને ધ્રુવ નૈયા બંનેની ધરપકડ કરી લીધી છે અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.1
- બોટાદના સાળંગપુરમાં કષ્ટભંજનદેવને દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે. આ ભક્તિમય અવસરે ભગવાન સમક્ષ ફળોનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો છે.1
- અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ઓતારિયા ગામમાં નબળા મોબાઈલ નેટવર્કના કારણે તમામ ડિજિટલ સેવાઓ ઠપ થઈ ગઈ છે, જેના લીધે કટોકટીના સમયે ૧૦૮ ઈમરજન્સી સેવા મેળવવી પણ મુશ્કેલ બની ગઈ છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, નબળા નેટવર્કને કારણે બેંકમાં ડિજિટલ ખાતા ખોલાવવા, ઓનલાઈન એન્ટ્રી કરવી, સરકારી પોર્ટલ પર કામગીરી કરવી અને અન્ય ઓનલાઈન સેવાઓનો લાભ લેવામાં ભારે વિલંબનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનોએ આક્રોશ સાથે જણાવ્યું છે કે, ડિજિટલ ભારતના યુગમાં મોબાઈલ નેટવર્ક જેવી પ્રાથમિક સુવિધા ન હોવી તે ગામના વિકાસમાં સૌથી મોટો અવરોધ છે. આથી, ગ્રામજનો દ્વારા સંબંધિત ટેલિકોમ કંપનીઓ તેમજ જિલ્લા અને રાજ્યના જવાબદાર તંત્રને ઓતારિયા ગામમાં તાત્કાલિક મોબાઈલ ટાવર ઉભો કરી નેટવર્કની આ કાયમી સમસ્યાનો વહેલી તકે નિકાલ લાવવા નમ્ર છતાં દૃઢ અપીલ કરવામાં આવી છે.1
- રાજકોટ જિલ્લાના જસદણ નગરમાં ભાદર નદી પર આશરે રૂ. ૬.૮૦ કરોડના ખર્ચે નવનિર્મિત બે બ્રિજનું શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલા આ બંને બ્રિજ ખુલ્લા મુકાતા જસદણના જૂના બસ સ્ટેન્ડ પાસે અને હુડકો સોસાયટીથી વાજસૂર પરા વિસ્તારના નાગરિકો માટે પરિવહન ઘણું સરળ બન્યું છે. આ પ્રસંગે લાતીપ્લોટ ખાતે યોજાયેલી સભામાં સંબોધન કરતા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું કે ભાદર નદી પર રૂ. ૩૬૧.૬૪ લાખના ખર્ચે ૬૦ મીટર લાંબો અને ૧૦.૫ મીટર પહોળો બ્રિજ (કાળીયા) જૂના બસ સ્ટેન્ડ પાસે બનાવવામાં આવ્યો છે, જેનાથી જસદણ તેમજ આસપાસના ૬૦ ગામના લોકો માટે આવાગમન વધુ સરળ બન્યું છે. જ્યારે બીજો બ્રિજ હુડકો સોસાયટીથી વાજસુર પરા વિસ્તારને જોડવા માટે રૂ. ૩૧૭.૦૭ લાખના ખર્ચે તૈયાર કરાયો છે. ચોમાસા દરમિયાન ભાદર નદીમાં પૂરની સ્થિતિ સર્જાય તો પણ લોકોને કોઈ તકલીફ ન પડે તે રીતે આ બંને બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. જસદણને એક 'વિકસિત નગર' બનાવવાની કટિબદ્ધતા સાથે મંત્રીશ્રીએ ઉમેર્યું કે અગાઉ ખાતરી આપેલા વિકાસકાર્યોમાંથી ૯૦ ટકા કાર્યો પૂર્ણ થઈ ચૂક્યા છે અને બાકીના ૧૦ ટકા મંજૂરીના તબક્કે છે. નગરના છેવાડાના વિસ્તારોમાં પણ વધુ એક બ્રિજ તેમજ રસ્તાનું નિર્માણ પૂર્ણ થવાની તૈયારીમાં છે અને આ વિસ્તારોને ભૂગર્ભ ગટર યોજના સાથે સાંકળી લેવાયા છે. વધુમાં, જસદણમાં ટાઉનહોલ માટે રાજ્ય સરકાર દ્વારા જગ્યા મંજૂર કરી દેવામાં આવી છે, મુખ્ય પ્રવેશદ્વારો પર સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન છે અને સ્થાનિક લાઈબ્રેરી માટે રૂ. ૧ લાખના પુસ્તકો પણ આવી ગયા છે. આ સાથે જ નવી ઉદ્યોગનીતિ સ્થાનિક વેપારીઓ અને નાના ઉદ્યોગકારોના વ્યવસાયને વેગ આપશે. આ કાર્યક્રમની શરૂઆતમાં જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર મેહુલ જોધપુરાએ સ્વાગત પ્રવચન કર્યું હતું.4
- સુરેન્દ્રનગરના યુવા પત્રકાર મહેશભાઈ ઉતેરીયાના જન્મદિવસની આજે ઉજવણી કરવામાં આવી છે.1
- Post by રજની ભાઈ પરીખ1