logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સંજેલી-ઝાલોદ રોડ પર રોજબરોજ ગંદકી અને માથા ફાટ દુર્ગંધના કારણે આજુબાજુના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રોડ પર પ્રજાપતિ સમાજનું ખોડિયાર માતાનું મંદિર પણ આવેલું છે અને નગરની બહેનો રોજ કપડાં ધોવા માટે તળાવે જતી હોય છે, ત્યારે આવા રસ્તા પર સફાઈ માટે ધ્યાન ન આપવામાં આવે તે અત્યંત શરમજનક બાબત છે. સંજેલી-ઝાલોદ રોડ પર ભરાતા પાણીના નિકાલ માટે પણ કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી, જેના કારણે આજે પણ લોકો હેરાન થઈ રહ્યા છે. સંજેલી ખાતે આવેલી મેન બજારની બીજી ગલીમાં ગટરોની સફાઈ કરવામાં ન આવતા કચરો રોડ પર જ જમા થાય છે પણ કોઈ સફાઈ થતી નથી. સંજેલીના દીપ્તેશભાઈ દેસાઈ દ્વારા આ બાબતે ૭ દિવસ પહેલા જ સંજેલીના સરપંચ મનાભાઈ ચારેલને ફોન કરીને રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં હજુ સુધી કોઈ સફાઈ કરવામાં આવી નથી.

5 hrs ago
user_Diptesh Desai
Diptesh Desai
Photographer સંજેલી, દાહોદ, ગુજરાત•
5 hrs ago
f59a4746-444d-4cbe-ac21-3e634274da23
c36bbe42-0813-4e89-9e54-682ae4720cb1

સંજેલી-ઝાલોદ રોડ પર રોજબરોજ ગંદકી અને માથા ફાટ દુર્ગંધના કારણે આજુબાજુના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રોડ પર પ્રજાપતિ સમાજનું ખોડિયાર માતાનું મંદિર પણ આવેલું છે અને નગરની બહેનો રોજ કપડાં ધોવા માટે તળાવે જતી હોય છે, ત્યારે આવા રસ્તા પર સફાઈ માટે ધ્યાન ન આપવામાં આવે તે અત્યંત શરમજનક બાબત છે. સંજેલી-ઝાલોદ રોડ પર ભરાતા પાણીના નિકાલ માટે પણ કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી, જેના કારણે આજે પણ લોકો હેરાન થઈ રહ્યા છે. સંજેલી ખાતે આવેલી મેન બજારની બીજી ગલીમાં ગટરોની સફાઈ કરવામાં ન આવતા કચરો રોડ પર જ જમા થાય છે પણ કોઈ સફાઈ થતી નથી. સંજેલીના દીપ્તેશભાઈ દેસાઈ દ્વારા આ બાબતે ૭ દિવસ પહેલા જ સંજેલીના સરપંચ મનાભાઈ ચારેલને ફોન કરીને રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં હજુ સુધી કોઈ સફાઈ કરવામાં આવી નથી.

More news from Gujarat and nearby areas
  • દાહોદ જિલ્લાના સિંગવડ ખાતે આવેલી શ્રીમતી સી.એસ.ભાભોર સ્કૂલ ઓફ નર્સિંગ કોલેજમાં એક ભવ્ય 'ઓથ ટેકિંગ સેરેમની' (શપથ ગ્રહણ સમારોહ) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ પ્રસંગે દાહોદ લોકસભાના સાંસદ જસવંતસિંહ ભાભોર વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નર્સિંગ ક્ષેત્રમાં પ્રવેશ મેળવનારા તમામ વિદ્યાર્થીઓએ માનવસેવા, કરુણા, સમર્પણ અને વ્યવસાયિક નૈતિકતાના મૂલ્યોને અનુસરવા માટેના શપથ ગ્રહણ કર્યા હતા. આ સાથે જ વિદ્યાર્થીઓને ફ્લોરેન્સ નાઇટિંગેલના સેવા, શિસ્ત અને નિષ્ઠાના આદર્શોને પોતાના જીવનમાં ઉતારીને દર્દીઓની નિઃસ્વાર્થ ભાવે સેવા કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ અવસરે વિદ્યાર્થીઓને સંબોધન કરતા સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે નર્સિંગનો વ્યવસાય એ માત્ર રોજગાર મેળવવાનું સાધન નથી, પરંતુ માનવતાની સેવા કરવા માટેનું એક પવિત્ર કાર્ય છે. દર્દીઓ પ્રત્યે સંવેદના, કરુણા અને જવાબદારીની ભાવના રાખીને પોતાની ફરજ બજાવવી એ જ સાચી સેવા છે. તેમણે શપથ ગ્રહણ કરનારા તમામ વિદ્યાર્થી દીકરા-દીકરીઓને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી સમાજના આરોગ્ય ક્ષેત્રમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવા માટે અનુરોધ કર્યો હતો. આ ગૌરવપૂર્ણ અને પ્રેરણાદાયી કાર્યક્રમમાં કોલેજના સંચાલકો, પ્રાધ્યાપકો, મહેમાનો, વાલીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    1
    દાહોદ જિલ્લાના સિંગવડ ખાતે આવેલી શ્રીમતી સી.એસ.ભાભોર સ્કૂલ ઓફ નર્સિંગ કોલેજમાં એક ભવ્ય 'ઓથ ટેકિંગ સેરેમની' (શપથ ગ્રહણ સમારોહ) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ પ્રસંગે દાહોદ લોકસભાના સાંસદ જસવંતસિંહ ભાભોર વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નર્સિંગ ક્ષેત્રમાં પ્રવેશ મેળવનારા તમામ વિદ્યાર્થીઓએ માનવસેવા, કરુણા, સમર્પણ અને વ્યવસાયિક નૈતિકતાના મૂલ્યોને અનુસરવા માટેના શપથ ગ્રહણ કર્યા હતા. આ સાથે જ વિદ્યાર્થીઓને ફ્લોરેન્સ નાઇટિંગેલના સેવા, શિસ્ત અને નિષ્ઠાના આદર્શોને પોતાના જીવનમાં ઉતારીને દર્દીઓની નિઃસ્વાર્થ ભાવે સેવા કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.

આ અવસરે વિદ્યાર્થીઓને સંબોધન કરતા સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે નર્સિંગનો વ્યવસાય એ માત્ર રોજગાર મેળવવાનું સાધન નથી, પરંતુ માનવતાની સેવા કરવા માટેનું એક પવિત્ર કાર્ય છે. દર્દીઓ પ્રત્યે સંવેદના, કરુણા અને જવાબદારીની ભાવના રાખીને પોતાની ફરજ બજાવવી એ જ સાચી સેવા છે. તેમણે શપથ ગ્રહણ કરનારા તમામ વિદ્યાર્થી દીકરા-દીકરીઓને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી સમાજના આરોગ્ય ક્ષેત્રમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવા માટે અનુરોધ કર્યો હતો. આ ગૌરવપૂર્ણ અને પ્રેરણાદાયી કાર્યક્રમમાં કોલેજના સંચાલકો, પ્રાધ્યાપકો, મહેમાનો, વાલીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    1 hr ago
  • એક તરફ કન્યા કેળવણીના મોટા ઉત્સવો યોજાઈ રહ્યા છે, તો બીજી તરફ દાહોદના ધાનપુર તાલુકાની માધ્યમિક શાળામાં પથરામાંથી પાણી ટપકી રહ્યું છે. આ વિકટ પરિસ્થિતિના કારણે શાળાના ૧૦૦થી વધુ બાળકોનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે.
    1
    એક તરફ કન્યા કેળવણીના મોટા ઉત્સવો યોજાઈ રહ્યા છે, તો બીજી તરફ દાહોદના ધાનપુર તાલુકાની માધ્યમિક શાળામાં પથરામાંથી પાણી ટપકી રહ્યું છે. આ વિકટ પરિસ્થિતિના કારણે શાળાના ૧૦૦થી વધુ બાળકોનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે.
    user_Rajendra bhai Bhabhor
    Rajendra bhai Bhabhor
    Farmer દાહોદ, દાહોદ, ગુજરાત•
    17 hrs ago
  • નર્મદા નદી કિનારે ત્રણ દિવસ પહેલા વરસાદ સાથે આવેલા મીની વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે. આ વરસાદ અને વાવાઝોડાના કારણે શિનોર તાલુકાના ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. નર્મદા નદીના કિનારાના આ વિસ્તારોમાં કુદરતી આફતના કારણે મોટું નુકસાન થયું છે.
    1
    નર્મદા નદી કિનારે ત્રણ દિવસ પહેલા વરસાદ સાથે આવેલા મીની વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે. આ વરસાદ અને વાવાઝોડાના કારણે શિનોર તાલુકાના ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. નર્મદા નદીના કિનારાના આ વિસ્તારોમાં કુદરતી આફતના કારણે મોટું નુકસાન થયું છે.
    user_Nayan valand
    Nayan valand
    બાલાસિનોર, મહીસાગર, ગુજરાત•
    22 hrs ago
  • પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ઝેરનામુવાડા ગ્રામ પંચાયત હેઠળ આવેલા વેચાણા ફળિયું અને મોટા કુવા વિસ્તારમાં છેલ્લા આશરે બે વર્ષથી રસ્તાની ગંભીર સમસ્યા યથાવત હોવાના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, રસ્તાના અભાવે નાના બાળકોને શાળાએ જવામાં ભારે મુશ્કેલી પડે છે. આ ઉપરાંત, કોઈ દર્દીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં, ધાર્મિક યાત્રા કરવા કે અન્ય સામાજિક પ્રસંગોમાં અવર-જવર કરવામાં પણ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં આશરે 50 જેટલા પરિવારો વસવાટ કરે છે. રસ્તાની સાથે આ વિસ્તારના લોકો પાણીની અછતનો પણ સામનો કરી રહ્યા છે. અહીં ઊભી કરાયેલી બે પાણીની ટાંકીઓ અને પાઇપ લાઇનનું કામ પૂર્ણ થયા બાદ કેટલીક પાઇપો તથા લોખંડની સીડી ચોરી થઈ ગઈ હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે, જેના કારણે પાણીની પૂરતી સુવિધા મળી રહી નથી. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે અનેક વખત રજૂઆતો કરવા છતાં ગ્રામ પંચાયત દ્વારા આ સમસ્યાઓનું કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. આથી રોષે ભરાયેલા ગ્રામજનોએ જિલ્લા અને તાલુકા કક્ષાના સંબંધિત અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર તપાસ કરી રસ્તા અને પાણીની સમસ્યા વહેલી તકે ઉકેલવા અપીલ કરી છે.
    2
    પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ઝેરનામુવાડા ગ્રામ પંચાયત હેઠળ આવેલા વેચાણા ફળિયું અને મોટા કુવા વિસ્તારમાં છેલ્લા આશરે બે વર્ષથી રસ્તાની ગંભીર સમસ્યા યથાવત હોવાના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, રસ્તાના અભાવે નાના બાળકોને શાળાએ જવામાં ભારે મુશ્કેલી પડે છે. આ ઉપરાંત, કોઈ દર્દીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં, ધાર્મિક યાત્રા કરવા કે અન્ય સામાજિક પ્રસંગોમાં અવર-જવર કરવામાં પણ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં આશરે 50 જેટલા પરિવારો વસવાટ કરે છે.

રસ્તાની સાથે આ વિસ્તારના લોકો પાણીની અછતનો પણ સામનો કરી રહ્યા છે. અહીં ઊભી કરાયેલી બે પાણીની ટાંકીઓ અને પાઇપ લાઇનનું કામ પૂર્ણ થયા બાદ કેટલીક પાઇપો તથા લોખંડની સીડી ચોરી થઈ ગઈ હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે, જેના કારણે પાણીની પૂરતી સુવિધા મળી રહી નથી. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે અનેક વખત રજૂઆતો કરવા છતાં ગ્રામ પંચાયત દ્વારા આ સમસ્યાઓનું કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. આથી રોષે ભરાયેલા ગ્રામજનોએ જિલ્લા અને તાલુકા કક્ષાના સંબંધિત અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર તપાસ કરી રસ્તા અને પાણીની સમસ્યા વહેલી તકે ઉકેલવા અપીલ કરી છે.
    user_Jayvirsinh vikramsinh sol
    Jayvirsinh vikramsinh sol
    કલોલ, પંચમહાલ, ગુજરાત•
    3 hrs ago
  • પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ઝેરનામુવાડા ગ્રામ પંચાયત હેઠળ આવેલા વેચાણા ફળિયું અને મોટા કુવા વિસ્તારમાં છેલ્લા લગભગ બે વર્ષથી રસ્તાની ગંભીર સમસ્યા યથાવત હોવાથી ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રસ્તાના અભાવે નાના બાળકોને શાળાએ જવામાં તેમજ બીમાર દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ધાર્મિક યાત્રા અને સામાજિક પ્રસંગોમાં પણ આશરે 50 પરિવારોની વસ્તી ધરાવતા આ વિસ્તારના લોકોને અવરજવર માટે ભારે હાલાકી ભોગવવી પડે છે. આ ઉપરાંત, અહીં પીવાના પાણીની સુવિધાનો પણ પૂરતો લાભ લોકોને મળી રહ્યો નથી. ગ્રામજનોનો આક્ષેપ છે કે અહીં બે પાણીની ચોકીઓ ઊભી કરીને પાઇપલાઇનનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ ટાંકીઓ સાથે જોડાયેલી પાઇપો અને લોખંડની સીડીની ચોરી થઈ ગઈ હતી. અનેક રજૂઆતો છતાં સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા કોઈ ઉકેલ ન લાવવામાં આવતા ગ્રામજનોમાં ભારે અસંતોષ છે. આથી તેમણે જિલ્લા અને તાલુકા કક્ષાના સંબંધિત અધિકારીઓને સ્થળ પર તાત્કાલિક તપાસ કરી રસ્તા અને પાણીની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા નમ્ર અપીલ કરી છે.
    1
    પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ઝેરનામુવાડા ગ્રામ પંચાયત હેઠળ આવેલા વેચાણા ફળિયું અને મોટા કુવા વિસ્તારમાં છેલ્લા લગભગ બે વર્ષથી રસ્તાની ગંભીર સમસ્યા યથાવત હોવાથી ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રસ્તાના અભાવે નાના બાળકોને શાળાએ જવામાં તેમજ બીમાર દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ધાર્મિક યાત્રા અને સામાજિક પ્રસંગોમાં પણ આશરે 50 પરિવારોની વસ્તી ધરાવતા આ વિસ્તારના લોકોને અવરજવર માટે ભારે હાલાકી ભોગવવી પડે છે.

આ ઉપરાંત, અહીં પીવાના પાણીની સુવિધાનો પણ પૂરતો લાભ લોકોને મળી રહ્યો નથી. ગ્રામજનોનો આક્ષેપ છે કે અહીં બે પાણીની ચોકીઓ ઊભી કરીને પાઇપલાઇનનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ ટાંકીઓ સાથે જોડાયેલી પાઇપો અને લોખંડની સીડીની ચોરી થઈ ગઈ હતી. અનેક રજૂઆતો છતાં સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા કોઈ ઉકેલ ન લાવવામાં આવતા ગ્રામજનોમાં ભારે અસંતોષ છે. આથી તેમણે જિલ્લા અને તાલુકા કક્ષાના સંબંધિત અધિકારીઓને સ્થળ પર તાત્કાલિક તપાસ કરી રસ્તા અને પાણીની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા નમ્ર અપીલ કરી છે.
    user_Rathod Sandip sinh
    Rathod Sandip sinh
    Local News Reporter કલોલ, પંચમહાલ, ગુજરાત•
    18 hrs ago
  • કાલોલ તાલુકાના બોરુ રોડ પર આવેલી ઓમ રેસીડેન્સીના રહીશો છેલ્લા ૨ વર્ષથી વારંવાર થતા વીજકટથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સોસાયટીમાં કાતોલ પંચાયત વિસ્તારના ફીડરમાંથી લાઈન આવતી હોવાથી વારંવાર પાવર કટ ઓફ થાય છે, જેના કારણે રહીશોએ આખી રાત લાઈટ વગર વિતાવવી પડે છે. આ ગંભીર સમસ્યા અંગે સોસાયટીના રહીશો દ્વારા અગાઉ તારીખ ૨૭/૦૮/૨૦૨૪ અને ૩૦/૦૯/૨૦૨૪ ના રોજ અરજીઓ આપવામાં આવી હતી તેમજ તાલુકા સ્વાગતમાં પણ પત્ર નંબર ૫૧/૨૦૨૪ દ્વારા રજૂઆત કરાઈ હતી, પરંતુ આજદિન સુધી કોઈ નક્કર નિરાકરણ આવ્યું નથી. રહીશોનો આક્ષેપ છે કે તેમની સોસાયટીથી માત્ર ૫૦ મીટર દૂર આવેલી ઓમ સાંઈ રેસીડન્સીને કાલોલ ફીડરમાંથી લાઈન અપાઈ છે જ્યાં વીજળી બંધ થતી નથી, જ્યારે તેમની સોસાયટીમાં કાતોલ પંચાયત ફીડર હોવાથી પાવર વારંવાર ગુલ થઈ જાય છે. ચોમાસામાં સામાન્ય વરસાદ કે વાવાઝોડું બંધ થયા પછી પણ આખી રાત વીજળી આવતી નથી. આ ભેદભાવ અને કલાકો સુધી લાઈટો બંધ રહેવા છતાં પૂરું બિલ વસૂલવામાં આવતું હોવાથી, સોસાયટીના પ્રમુખ અશોકભાઈ કે. પરમાર અને રહીશોએ કલેકટર, મામલતદાર તેમજ MGVCLના અધિક્ષક ઈજનેરને લેખિત રજૂઆત કરી છે. જેમાં ચોમાસાના કટ ઓફ સમય નોંધી વીજબીલમાં ૫૦% કાપ આપવા અને કાયમી ધોરણે કાલોલ ફીડર સાથે જોડાણ આપવા માંગ કરી છે. રહીશોએ ચીમકી આપી છે કે જો ૩૦ દિવસમાં આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો તેઓ તમામ પરિવારો સાથે MGVCLની કચેરી ખાતે ભૂખ હડતાળ પર ઉતરશે. હવે તંત્ર આ રજૂઆતને કેટલી ગંભીરતાથી લે છે અને કાયમી ઉકેલ લાવે છે તે જોવાનું રહ્યું.
    3
    કાલોલ તાલુકાના બોરુ રોડ પર આવેલી ઓમ રેસીડેન્સીના રહીશો છેલ્લા ૨ વર્ષથી વારંવાર થતા વીજકટથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સોસાયટીમાં કાતોલ પંચાયત વિસ્તારના ફીડરમાંથી લાઈન આવતી હોવાથી વારંવાર પાવર કટ ઓફ થાય છે, જેના કારણે રહીશોએ આખી રાત લાઈટ વગર વિતાવવી પડે છે. આ ગંભીર સમસ્યા અંગે સોસાયટીના રહીશો દ્વારા અગાઉ તારીખ ૨૭/૦૮/૨૦૨૪ અને ૩૦/૦૯/૨૦૨૪ ના રોજ અરજીઓ આપવામાં આવી હતી તેમજ તાલુકા સ્વાગતમાં પણ પત્ર નંબર ૫૧/૨૦૨૪ દ્વારા રજૂઆત કરાઈ હતી, પરંતુ આજદિન સુધી કોઈ નક્કર નિરાકરણ આવ્યું નથી.

રહીશોનો આક્ષેપ છે કે તેમની સોસાયટીથી માત્ર ૫૦ મીટર દૂર આવેલી ઓમ સાંઈ રેસીડન્સીને કાલોલ ફીડરમાંથી લાઈન અપાઈ છે જ્યાં વીજળી બંધ થતી નથી, જ્યારે તેમની સોસાયટીમાં કાતોલ પંચાયત ફીડર હોવાથી પાવર વારંવાર ગુલ થઈ જાય છે. ચોમાસામાં સામાન્ય વરસાદ કે વાવાઝોડું બંધ થયા પછી પણ આખી રાત વીજળી આવતી નથી. આ ભેદભાવ અને કલાકો સુધી લાઈટો બંધ રહેવા છતાં પૂરું બિલ વસૂલવામાં આવતું હોવાથી, સોસાયટીના પ્રમુખ અશોકભાઈ કે. પરમાર અને રહીશોએ કલેકટર, મામલતદાર તેમજ MGVCLના અધિક્ષક ઈજનેરને લેખિત રજૂઆત કરી છે. જેમાં ચોમાસાના કટ ઓફ સમય નોંધી વીજબીલમાં ૫૦% કાપ આપવા અને કાયમી ધોરણે કાલોલ ફીડર સાથે જોડાણ આપવા માંગ કરી છે. રહીશોએ ચીમકી આપી છે કે જો ૩૦ દિવસમાં આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો તેઓ તમામ પરિવારો સાથે MGVCLની કચેરી ખાતે ભૂખ હડતાળ પર ઉતરશે. હવે તંત્ર આ રજૂઆતને કેટલી ગંભીરતાથી લે છે અને કાયમી ઉકેલ લાવે છે તે જોવાનું રહ્યું.
    user_Virendra Mehta
    Virendra Mehta
    Classified ads newspaper publisher Kalol, Panch Mahals•
    19 hrs ago
  • અરવલ્લી જિલ્લાના મોડાસા કેળવણી મંડળ સંચાલિત કલરવ ઉચ્ચતર પ્રાથમિક વિભાગ ખાતે લોકશાહીના મહાપર્વ સમાન શાળા પંચાયતની બાળ સાંસદ ચૂંટણીનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોમાં લોકશાહી પ્રત્યે જાગૃતિ, નેતૃત્વ અને જવાબદારીની ભાવના વિકસે તે હેતુથી આ વિશેષ પહેલ કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં શાળા મંત્રી, વર્ગમંત્રી, શિસ્ત મંત્રી, રમતગમત મંત્રી, સફાઈ મંત્રી, પ્રાર્થના મંત્રી અને પ્રવાસ મંત્રી સહિતના વિવિધ હોદ્દાઓ માટે ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવાથી લઈને પ્રચાર, મતદાન અને મતગણતરી સુધીની સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ અનોખી પ્રવૃત્તિથી બાળકોમાં નેતૃત્વ ક્ષમતા, શિસ્ત, જવાબદારી અને નિર્ણય લેવાની આવડત વધુ મજબૂત બની છે. આ રીતે વિદ્યાર્થીઓએ પ્રત્યક્ષ અનુભવ દ્વારા "આજનો મતદાર, આવતીકાલનો જવાબદાર નાગરિક" ના સૂત્રને સાકાર કર્યું છે. એક કદમ રાષ્ટ્ર નિર્માણ તરફના ઉદ્દેશ્ય સાથે શાળાના આચાર્ય સેજલબેન ઠેકડી તેમજ સમગ્ર શિક્ષક સ્ટાફે પણ આ ચૂંટણીમાં મતદાન કરીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ સફળ અને પ્રશંસનીય આયોજન બદલ મોડાસા કેળવણી મંડળના પ્રમુખ તેમજ તમામ હોદ્દેદારોએ આચાર્ય અને સમગ્ર શિક્ષક સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. કલરવ સ્કૂલ દ્વારા નાના બાળકોમાં બાળપણથી જ લોકશાહીના મૂલ્યોને આત્મસાત કરાવવાનો આ અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
    3
    અરવલ્લી જિલ્લાના મોડાસા કેળવણી મંડળ સંચાલિત કલરવ ઉચ્ચતર પ્રાથમિક વિભાગ ખાતે લોકશાહીના મહાપર્વ સમાન શાળા પંચાયતની બાળ સાંસદ ચૂંટણીનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોમાં લોકશાહી પ્રત્યે જાગૃતિ, નેતૃત્વ અને જવાબદારીની ભાવના વિકસે તે હેતુથી આ વિશેષ પહેલ કરવામાં આવી હતી.

આ ચૂંટણીમાં શાળા મંત્રી, વર્ગમંત્રી, શિસ્ત મંત્રી, રમતગમત મંત્રી, સફાઈ મંત્રી, પ્રાર્થના મંત્રી અને પ્રવાસ મંત્રી સહિતના વિવિધ હોદ્દાઓ માટે ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવાથી લઈને પ્રચાર, મતદાન અને મતગણતરી સુધીની સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ અનોખી પ્રવૃત્તિથી બાળકોમાં નેતૃત્વ ક્ષમતા, શિસ્ત, જવાબદારી અને નિર્ણય લેવાની આવડત વધુ મજબૂત બની છે. આ રીતે વિદ્યાર્થીઓએ પ્રત્યક્ષ અનુભવ દ્વારા "આજનો મતદાર, આવતીકાલનો જવાબદાર નાગરિક" ના સૂત્રને સાકાર કર્યું છે.

એક કદમ રાષ્ટ્ર નિર્માણ તરફના ઉદ્દેશ્ય સાથે શાળાના આચાર્ય સેજલબેન ઠેકડી તેમજ સમગ્ર શિક્ષક સ્ટાફે પણ આ ચૂંટણીમાં મતદાન કરીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ સફળ અને પ્રશંસનીય આયોજન બદલ મોડાસા કેળવણી મંડળના પ્રમુખ તેમજ તમામ હોદ્દેદારોએ આચાર્ય અને સમગ્ર શિક્ષક સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. કલરવ સ્કૂલ દ્વારા નાના બાળકોમાં બાળપણથી જ લોકશાહીના મૂલ્યોને આત્મસાત કરાવવાનો આ અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
    user_સમાચાર 31 ગુજરાત
    સમાચાર 31 ગુજરાત
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    4 hrs ago
  • દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા મંડળ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન–2026 અંતર્ગત પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દેવગઢ બારિયા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય બચુભાઈ ખાબડ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. આ પ્રશિક્ષણ વર્ગમાં સંગઠનને પાયાના સ્તરેથી વધુ મજબૂત બનાવવા, કાર્યકર્તાઓની ભૂમિકા, બૂથ સ્તરની કામગીરી તેમજ જનસંપર્કને વધુ અસરકારક બનાવવાના મુદ્દાઓ પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ અમલમાં મૂકાયેલી વિવિધ વિકાસલક્ષી અને જનકલ્યાણકારી યોજનાઓને છેવાડાના અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવા માટે કાર્યકર્તાઓને સક્રિય રીતે કાર્ય કરવાની હાકલ કરવામાં આવી હતી. ધારાસભ્ય બચુભાઈ ખાબડે કાર્યકર્તાઓને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, ભાજપની સૌથી મોટી તાકાત તેના સમર્પિત કાર્યકર્તાઓ છે. પ્રશિક્ષણ દ્વારા કાર્યકર્તાઓમાં નેતૃત્વ, સંગઠનશક્તિ અને સેવા ભાવનાનો વધુ વિકાસ થશે, જે આગામી સમયમાં સંગઠનને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે. કાર્યક્રમ દરમિયાન અંત્યોદયના સંકલ્પને સાકાર કરવા, સમાજના અંતિમ વ્યક્તિ સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવા તેમજ સંગઠનને વધુ સશક્ત બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
    1
    દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા મંડળ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન–2026 અંતર્ગત પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દેવગઢ બારિયા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય બચુભાઈ ખાબડ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.

આ પ્રશિક્ષણ વર્ગમાં સંગઠનને પાયાના સ્તરેથી વધુ મજબૂત બનાવવા, કાર્યકર્તાઓની ભૂમિકા, બૂથ સ્તરની કામગીરી તેમજ જનસંપર્કને વધુ અસરકારક બનાવવાના મુદ્દાઓ પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ અમલમાં મૂકાયેલી વિવિધ વિકાસલક્ષી અને જનકલ્યાણકારી યોજનાઓને છેવાડાના અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવા માટે કાર્યકર્તાઓને સક્રિય રીતે કાર્ય કરવાની હાકલ કરવામાં આવી હતી.

ધારાસભ્ય બચુભાઈ ખાબડે કાર્યકર્તાઓને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, ભાજપની સૌથી મોટી તાકાત તેના સમર્પિત કાર્યકર્તાઓ છે. પ્રશિક્ષણ દ્વારા કાર્યકર્તાઓમાં નેતૃત્વ, સંગઠનશક્તિ અને સેવા ભાવનાનો વધુ વિકાસ થશે, જે આગામી સમયમાં સંગઠનને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે. કાર્યક્રમ દરમિયાન અંત્યોદયના સંકલ્પને સાકાર કરવા, સમાજના અંતિમ વ્યક્તિ સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવા તેમજ સંગઠનને વધુ સશક્ત બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.