12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે, વિજાપુર શહેર ભાજપ દ્વારા આશ સેકન્ડરી સ્કૂલ અને પટેલ પાર્ટી પ્લોટ ખાતે યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર હાજરી આપી યોગાભ્યાસ કર્યો હતો. "સ્વસ્થ જીવન માટે યોગ"ના મહાસંકલ્પ સાથે આયોજિત આ કાર્યક્રમમાં યોગના વિવિધ આસનો અને પ્રાણાયામની તાલીમ આપવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ સૌને યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવી, તંદુરસ્ત અને નિરોગી સમાજના નિર્માણ માટે યોગ અપનાવવાની અપીલ કરી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ અગનભાઈ બારોટ, એપીએમસીના ચેરમેન રાજુભાઈ પટેલ, જિલ્લા ભાજપ મંત્રી તથા જિલ્લા યોગ દિવસના ઇન્ચાર્જ રાજેશભાઈ પટેલ, જીલ્લા સદસ્ય જીજ્ઞેશ ભાઈ પટેલ, યોગેશભાઈ પટેલ, શહેર ભાજપ મહામંત્રી અશોકભાઈ ખમાર, વિજાપુર નગરપાલિકા ઉપપ્રમુખ બિનાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તથા શહેર યોગ દિવસના ઇન્ચાર્જ હિતેન્દ્રસિંહ પરમાર, નગરપાલિકાના દંડક જયવીરભાઈ બારોટ, પૂર્વ મહામંત્રી ભરતભાઈ પટેલ, તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી પ્રિતેશભાઈ પટેલ સહિત નગરપાલિકાના ચેરમેનો, સદસ્યો, આશ સેકન્ડરી સ્કૂલના આચાર્ય ચેતનભાઈ પટેલ, સ્ટાફગણ, યોગ ટ્રેનર દિપિકાબેન પટેલ અને ભાજપ સંગઠનના અન્ય હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે, "યોગ અપનાવીએ... સ્વસ્થ ગુજરાત, સમર્થ ગુજરાત બનાવીએ"ના સંદેશ સાથે સૌને નિયમિત યોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.
12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે, વિજાપુર શહેર ભાજપ દ્વારા આશ સેકન્ડરી સ્કૂલ અને પટેલ પાર્ટી પ્લોટ ખાતે યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર હાજરી આપી યોગાભ્યાસ કર્યો હતો. "સ્વસ્થ જીવન માટે યોગ"ના મહાસંકલ્પ સાથે આયોજિત આ કાર્યક્રમમાં
યોગના વિવિધ આસનો અને પ્રાણાયામની તાલીમ આપવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ સૌને યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવી, તંદુરસ્ત અને નિરોગી સમાજના નિર્માણ માટે યોગ અપનાવવાની અપીલ કરી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ અગનભાઈ બારોટ, એપીએમસીના ચેરમેન રાજુભાઈ પટેલ, જિલ્લા ભાજપ મંત્રી
તથા જિલ્લા યોગ દિવસના ઇન્ચાર્જ રાજેશભાઈ પટેલ, જીલ્લા સદસ્ય જીજ્ઞેશ ભાઈ પટેલ, યોગેશભાઈ પટેલ, શહેર ભાજપ મહામંત્રી અશોકભાઈ ખમાર, વિજાપુર નગરપાલિકા ઉપપ્રમુખ બિનાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તથા શહેર યોગ દિવસના ઇન્ચાર્જ હિતેન્દ્રસિંહ પરમાર, નગરપાલિકાના દંડક જયવીરભાઈ બારોટ, પૂર્વ મહામંત્રી ભરતભાઈ પટેલ, તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી પ્રિતેશભાઈ
પટેલ સહિત નગરપાલિકાના ચેરમેનો, સદસ્યો, આશ સેકન્ડરી સ્કૂલના આચાર્ય ચેતનભાઈ પટેલ, સ્ટાફગણ, યોગ ટ્રેનર દિપિકાબેન પટેલ અને ભાજપ સંગઠનના અન્ય હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે, "યોગ અપનાવીએ... સ્વસ્થ ગુજરાત, સમર્થ ગુજરાત બનાવીએ"ના સંદેશ સાથે સૌને નિયમિત યોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.
- વિજાપુર તાલુકાના મહાદેવપુરા ખાતે આવેલા શ્રી વૈજનાથ મહાદેવ વાડીમાં પી.એમ. કિસાન ઉત્સવ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂત પરિવારોને 13મા હપ્તાની સીધી સહાય DBT દ્વારા વિતરિત કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન, 10 ખેડૂતોને ₹1 લાખની સબસિડીવાળા ટ્રેક્ટરના ઓર્ડર પણ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ અંતર્ગત મિલેટ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ખેતીવાડી અધિકારી રાહુલ કે. પટેલ, બાગાયત અધિકારી મહેસાણાના હાર્દિક પ્રજાપતિ, એસોસિયેટ રિસર્ચ સાયન્ટિસ્ટ એમ. પી. ચૌધરી અને વિસ્તરણ અધિકારી ઇન્ચાર્જ વિઠ્ઠલભાઈ પ્રજાપતિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, જિલ્લા સદસ્ય કનકસિંહ વિહોલ, નરવીરસિંહ વિહોલ, તાલુકા સદસ્ય વિષ્ણુસિંહ વિહોલ અને રમેશજી ઠાકોર પણ મુખ્ય હાજર રહ્યા હતા. આ ભવ્ય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી હતી અને સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી.1
- સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી શહેર વિસ્તારમાં હડકાયા કુતરાનો ત્રાસ વ્યાપી ગયો છે.1
- ગુજરાતના કડી તાલુકામાં છેલ્લા 10 દિવસમાં 4 હત્યાઓની ઘટનાઓ બનતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ મામલે બેચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. ઠાકોરે આ હત્યાની ઘટનાઓને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી અને પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.1
- મોડાસામાં ખાદ્ય સુરક્ષાના ભંગનો એક ગંભીર મામલો સામે આવ્યો છે, જ્યાં ડી-માર્ટના એક પેકેટમાંથી ગરોળી મળી આવતા ભારે હાહાકાર મચી ગયો છે. આ ઘટનાનો વિડિઓ વાયરલ થતાં લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે અને સવાલ ઉઠી રહ્યો છે કે શું ખરેખર ડી-માર્ટમાંથી ખાદ્ય સામાન ખરીદવો સુરક્ષિત છે, અથવા તે ખાવો કે ફેંકી દેવો.1
- શ્રી કે આર કટારા આર્ટ્સ કૉલેજ, શામળાજી ખાતે ૨૧ જૂનના વિશ્વ યોગ દિવસને ધ્યાનમાં રાખીને, ૨૦ જૂન, ૨૦૨૬ ના રોજ યોગ અને પ્રાણાયામનું આયોજન કરવામાં આવ્યું હતું. કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. અજયભાઈ કે. પટેલના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં, શારીરિક શિક્ષણના અધ્યાપક ડૉ. અજીતસિંહ ચૌહાણે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વમાં યોગનું મહત્વ કેવી રીતે સમજાવ્યું છે અને વિશ્વને યોગ સાથે જોડ્યું છે તે ઉદાહરણો સહિત સમજાવ્યું હતું. તેમણે સ્વાસ્થ્ય માટે યોગા જ શ્રેષ્ઠ છે તે બાબત પર વિશેષ ભાર મૂક્યો હતો. આ રીતે આર્ટ્સ કૉલેજ, શામળાજીમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.2
- વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના તાંદલજા વિસ્તારમાં ક્રિકેટર યુસુફ પઠાણને વર્ષો અગાઉ ફાળવવામાં આવેલ પ્લોટની હવે હરાજી કરવામાં આવશે. મળતી માહિતી મુજબ, સ્થાયી સમિતિની બેઠકમાં મનપા હસ્તકના કુલ 7 પ્લોટોની હરાજી દ્વારા વેચાણ કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. આ હરાજીમાં ટીપી-22 તાંદલજા વિસ્તારનો એફપી નંબર-90 ધરાવતો 978 ચોરસ મીટરનો પ્લોટ પણ શામેલ કરવામાં આવ્યો છે, જે અગાઉ યુસુફ પઠાણને ફાળવવામાં આવ્યો હતો. સ્થાયી સમિતિના અધ્યક્ષે જણાવ્યું હતું કે સંબંધિત પ્લોટ મનપાની માલિકીનો હોવાથી, મહાનગરપાલિકા નિયમ મુજબ તેની હરાજી કરીને વેચાણ કરવાની સત્તા ધરાવે છે. મનપા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા કુલ 7 પ્લોટોના વેચાણ માટે હાથ ધરવામાં આવનાર આ હરાજી પ્રક્રિયાના નિર્ણય બાદ રાજકીય તેમજ રમતગમત વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.1
- વિજાપુર નગરપાલિકા ખાતે શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ નેતૃત્વમાં "વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ" થીમ હેઠળ એક ભવ્ય જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ડૉ. સી.જે. ચાવડાના હસ્તે કુલ ₹43 લાખથી વધુની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ છેવાડાના માનવી સુધી તમામ સરકારી યોજનાઓના લાભ સરળતાથી પહોંચાડવાનો છે. આ શિબિરનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી થયો હતો, ત્યારબાદ શાબ્દિક સ્વાગત પ્રવચન, મહાનુભાવોનું બુકેથી સ્વાગત, લાભાર્થી વિતરણ, શહેર ભાજપ પ્રમુખ અગ્નિભાઈ બારોટ અને ધારાસભ્ય ડૉ. સી.જે. ચાવડાનું પ્રાસંગિક ઉદ્બોધન અને આભાર વિધિ સાથે કુલ 47 મિનિટમાં કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ કાર્યક્રમમાં મિલેટ આધારિત પૌષ્ટિક વાનગીઓનો સ્ટોલ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો, જ્યાં ધારાસભ્ય ડૉ. સી. જે. ચાવડાએ વિવિધ મિલેટ વાનગીઓ ચાખીને તેની પ્રશંસા કરી હતી. આરોગ્ય વિભાગના સ્ટોલ પર જિલ્લા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલે પોતે લોહીની તપાસ કરાવી લોકોને આરોગ્ય પ્રત્યે જાગૃત રહેવાનો સંદેશ આપ્યો હતો. તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ચેતન પ્રજાપતિ અને તાલુકા હેલ્થ સુપરવાઇઝર મુકેશ ચોહાણ સહિત આરોગ્ય વિભાગનો સમગ્ર સ્ટાફ સેવારત રહ્યો હતો. શિબિર દરમિયાન વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થીઓને સહાય આપવામાં આવી. પી.એમ. સ્વનિધિ યોજના હેઠળ 10 લાભાર્થીઓને સહાયના ચેક અર્પણ કરાયા, જેમાં ચંદ્રિકાબેન ઝાલા, સુનીલ પપ્પુભાઈ દેવીપૂજક, વિજયકુમાર રાવળ અને અરવિંદભાઈ રામુભાઈ દેવીપૂજકને ₹15-15 હજાર; શાંતાબેન હાલુજી ભીલ, રેખાબેન શૈલેશકુમાર વાલ્મિકી અને ભાવેશકુમાર દશરથભાઈ ભોઈને ₹25-25 હજાર; તથા પલ્લવીબેન જ્યોતિષકુમાર બારોટ, અલ્કાબેન જીતેન્દ્રસિંહ રાઠોડ અને રાજેશભાઈ રમણભાઈ દરજીને ₹50-50 હજારની સહાય મળી. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ભોઈ મંજુલાબેન, મહેશકુમાર મદનલાલ બારોટ, ભરતકુમાર મગનલાલ ગુર્જર, વ્હોરા સાલ્મા ઈબ્રાહીમભાઈ, કડિયા નયનાબેન ભરતભાઈ, સેનમા સુનીલભાઈ કાળાભાઈ, રાવલ ઉષાબેન બાબુભાઈ, રાવલ વિજયકુમાર ગોરધનભાઈ, રાવલ સંજયકુમાર બકાભાઈ અને કુરેશી સહીસ્તાબાનું ઝાવેદહુસેન સહિત 10 લાભાર્થીઓને પ્રત્યેકને ₹4 લાખ રૂપિયાની સહાયના મંજૂરીપત્રો એનાયત કરાયા હતા. આયુષ્માન ભારત યોજના અંતર્ગત રાજેશભાઈ અરજનભાઈ ઠાકોરને ₹13,500, કનુભાઈ વી દેવીપૂજકને ₹1,800 અને શૈલી રાજેન્દ્રકુમાર મોદીને ₹14,000 રૂપિયાની સહાય મળી, જ્યારે આયુષ્માન વયવંદના યોજના હેઠળ તૂરી ભીખાભાઈ જીવાભાઈને ₹5,400, પરમાર ડાહ્યાભાઈને ₹2,700 અને નાયી ચીમનલાલ સાંકળચંદને ₹5,400 રૂપિયાની સહાય આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ધારાસભ્ય ડૉ. સી. જે. ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, ભાજપ મંત્રી રાજુભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ હાર્દિક પટેલ, શહેર ભાજપ પ્રમુખ અગ્નિભાઈ બારોટ, નગરપાલિકા પ્રમુખ, સભ્યો તેમજ મોટી સંખ્યામાં અધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના સ્વાગત પ્રસંગે ધારાસભ્ય ડૉ. સી.જે. ચાવડાનું સ્વાગત મામલતદાર અને ચીફ ઓફિસર દ્વારા, પ્રમુખશ્રી કામિનીબેન બી પટેલનું શ્રીમતિ રીયાબેન મહેતા દ્વારા, ઉપ-પ્રમુખશ્રી બીનાબેન પી પટેલનું શ્રીમતિ નીકેતાબેન પટેલ દ્વારા, કારોબારી ચેરમેનશ્રી હિતેન્દ્રસિંહ પરમારનું શ્રી દિનેશભાઈ પટેલ દ્વારા અને પક્ષના નેતા ગૌરવભાઈ દેસાઈનું શ્રી સુમીતભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આકાશ પટેલ સહિત નગરપાલિકા સ્ટાફ દ્વારા સુચારૂ આયોજન સાથે સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. રાજ્યભરમાં ચાલી રહેલા આવા જનકલ્યાણ શિબિરો મોદી સરકારના છેલ્લા 12 વર્ષના ગરીબ કલ્યાણ અને સેવાના સંકલ્પને પ્રતિબિંબિત કરે છે.1
- ખેડબ્રહ્મા નગરપાલિકામાં એક વિચિત્ર પરિસ્થિતિ સામે આવી છે, જ્યાં શહેરના મુખ્ય હોદ્દેદારો – જેમાં નગરપાલિકાના પ્રમુખ, ટાઉન પ્લાનિંગ (TP) ચેરમેન અને આરોગ્ય સમિતિના ચેરમેનનો સમાવેશ થાય છે – તેમના પોતાના જ મતવિસ્તારોમાં વિકાસના કામો ખોરંભે પડ્યા છે અથવા ધીમી ગતિએ ચાલી રહ્યા છે. આખા શહેરના વિકાસની ધુરા સંભાળનારા અને સ્વચ્છતા તથા નગર નિયોજનની જવાબદારી જેના શિરે છે, તેવા સત્તાના કેન્દ્ર સમાન લોકોના વિસ્તારોની જ આ સ્થિતિ છે. જો સત્તાધીશોના પોતાના જ વોર્ડમાં વિકાસની ગતિ અને દિશા સ્પષ્ટ ન હોય, તો સામાન્ય નાગરિકોના વિસ્તારોની હાલત કેવી હશે તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. એવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે ક્યાંક નગરપાલિકાના પ્રમુખનો મનસ્વી સ્વભાવ તો આ વિકાસને અવરોધી રહ્યો નથી ને. આ સમગ્ર મામલે હવે જનતા સત્તા પર બેઠેલા જવાબદારોને સીધા સવાલો પૂછી રહી છે, કે આ કેવા પ્રકારનો વિકાસ છે અને તેની દિશા કઈ તરફ છે.1