logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

રાજ્યના સરહદી અને નવ-નિર્મિત જિલ્લા મથક થરાદ શહેરમાં, સર્કિટ હાઉસ નજીક આઈકોનિક રોડ પર ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય અને અભૂતપૂર્વ ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં થરાદ વિસ્તારના હજારો નાગરિકો, વિદ્યાર્થીઓ, યુવાનો અને વડીલોએ વહેલી સવારે ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સામૂહિક યોગાભ્યાસનું સફળ આયોજન રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ જિલ્લા વહીવટી તંત્ર વાવ-થરાદના સંયુક્ત ઉપક્રમે "Yoga for Healthy Ageing" (સ્વસ્થ જીવન માટે યોગ) થીમ અંતર્ગત થયું હતું. આ પ્રસંગે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ સ્વયં ખૂબ જ સરળ શૈલીમાં 'ૐ કાર મંત્ર'નું ઉચ્ચારણ અને તેના વૈજ્ઞાનિક મહત્વની સમજ આપી મંત્ર શીખવ્યા હતા. ઉજવણીની ખાસ વિશેષતા એ રહી કે, ઉપસ્થિત હજારો નાગરિકોએ થરાદના 'T' (Tharad) અક્ષરના આકારમાં સુવ્યવસ્થિત બેઠક વ્યવસ્થા જાળવીને યોગ કર્યા, જે સમગ્ર વિસ્તાર માટે ગૌરવપૂર્ણ આકર્ષણનું કેન્દ્ર બન્યું. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ આ પ્રસંગે આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, દેશના સીમાવર્તી ડિસ્ટ્રિક્ટ એવા થરાદના આંગણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી થઈ રહી છે અને નવા જિલ્લાના નિર્માણ પછી પ્રથમવાર હજારોની સંખ્યામાં નગરજનો અને જિલ્લાવાસીઓ ઉત્સાહપૂર્વક જોડાયા છે. તેમણે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોની સરાહના કરતા ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રીએ યોગને વૈશ્વિક કક્ષાએ લઈ જઈને 'વિશ્વની ધરોહર યોગ છે' તે વાત વિશ્વ સમક્ષ સચોટ રીતે મૂકી છે. યુનાઈટેડ નેશન્સ (UN) દ્વારા પણ તેનો સહર્ષ સ્વીકાર કરાતા યોગ આજે પૂરા વિશ્વમાં જન-જન સુધી પહોંચ્યો છે અને લોકોના જીવનનો અભિન્ન ભાગ બની ગયો છે. આ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી કલ્પેશકુમાર શર્મા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા, નિવાસી અધિક જિલ્લા કલેક્ટરશ્રી તુષાર જાની, અગ્રણી શ્રી નરેશજી ઠાકોર, સ્થાનિક વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, સામાજિક અને રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

4 hrs ago
user_સોમાભાઈ. જે. રાવળ
સોમાભાઈ. જે. રાવળ
ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
4 hrs ago
d211fbb2-2971-4f34-a5d0-8c1f9bc5b0eb

રાજ્યના સરહદી અને નવ-નિર્મિત જિલ્લા મથક થરાદ શહેરમાં, સર્કિટ હાઉસ નજીક આઈકોનિક રોડ પર ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય અને અભૂતપૂર્વ ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં થરાદ વિસ્તારના હજારો નાગરિકો, વિદ્યાર્થીઓ, યુવાનો અને વડીલોએ વહેલી સવારે ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સામૂહિક યોગાભ્યાસનું સફળ આયોજન રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ જિલ્લા વહીવટી તંત્ર વાવ-થરાદના સંયુક્ત ઉપક્રમે "Yoga for Healthy Ageing" (સ્વસ્થ જીવન માટે યોગ) થીમ અંતર્ગત થયું હતું. આ પ્રસંગે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ સ્વયં ખૂબ જ સરળ શૈલીમાં 'ૐ કાર મંત્ર'નું ઉચ્ચારણ અને તેના વૈજ્ઞાનિક મહત્વની સમજ આપી મંત્ર શીખવ્યા હતા. ઉજવણીની ખાસ વિશેષતા એ રહી કે, ઉપસ્થિત હજારો નાગરિકોએ થરાદના 'T' (Tharad) અક્ષરના આકારમાં સુવ્યવસ્થિત બેઠક વ્યવસ્થા જાળવીને યોગ કર્યા, જે સમગ્ર વિસ્તાર માટે ગૌરવપૂર્ણ આકર્ષણનું કેન્દ્ર બન્યું. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ આ પ્રસંગે આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, દેશના સીમાવર્તી ડિસ્ટ્રિક્ટ એવા થરાદના આંગણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી થઈ રહી છે અને નવા જિલ્લાના નિર્માણ પછી પ્રથમવાર હજારોની સંખ્યામાં નગરજનો અને જિલ્લાવાસીઓ ઉત્સાહપૂર્વક જોડાયા છે. તેમણે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોની સરાહના કરતા ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રીએ યોગને વૈશ્વિક કક્ષાએ લઈ જઈને 'વિશ્વની ધરોહર યોગ છે' તે વાત વિશ્વ સમક્ષ સચોટ રીતે મૂકી છે. યુનાઈટેડ નેશન્સ (UN) દ્વારા પણ તેનો સહર્ષ સ્વીકાર કરાતા યોગ આજે પૂરા વિશ્વમાં જન-જન સુધી પહોંચ્યો છે અને લોકોના જીવનનો અભિન્ન ભાગ બની ગયો છે. આ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી કલ્પેશકુમાર શર્મા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા, નિવાસી અધિક જિલ્લા કલેક્ટરશ્રી તુષાર જાની, અગ્રણી શ્રી નરેશજી ઠાકોર, સ્થાનિક વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, સામાજિક અને રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

More news from ગુજરાત and nearby areas
  • વાવ થરાદ જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદના આગમનથી ખેડૂતો અત્યંત ખુશખુશાલ નજરે પડી રહ્યા છે.
    1
    વાવ થરાદ જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદના આગમનથી ખેડૂતો અત્યંત ખુશખુશાલ નજરે પડી રહ્યા છે.
    user_વાધેલા પાંચાજી આર
    વાધેલા પાંચાજી આર
    Congregation ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    10 hrs ago
  • ગુજરાતમાં અસાણા ખાતે સસ્તા અનાજની દુકાન ચલાવતા ઈશ્વરભાઈ મકવાણાનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં તેઓ એક ગ્રાહકને ઓછું અનાજ આપતા જોવા મળે છે. જ્યારે ગ્રાહકે તેમને પૂરતું અનાજ આપવા કહ્યું, ત્યારે ઈશ્વરભાઈ મકવાણાએ સ્પષ્ટ શબ્દોમાં 'આલવાનું નથી આલવાનું' કહીને અનાજ આપવાનો ઇનકાર કર્યો હતો.
    1
    ગુજરાતમાં અસાણા ખાતે સસ્તા અનાજની દુકાન ચલાવતા ઈશ્વરભાઈ મકવાણાનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં તેઓ એક ગ્રાહકને ઓછું અનાજ આપતા જોવા મળે છે. જ્યારે ગ્રાહકે તેમને પૂરતું અનાજ આપવા કહ્યું, ત્યારે ઈશ્વરભાઈ મકવાણાએ સ્પષ્ટ શબ્દોમાં 'આલવાનું નથી આલવાનું' કહીને અનાજ આપવાનો ઇનકાર કર્યો હતો.
    user_Pravin Thakor
    Pravin Thakor
    Photographer ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    18 hrs ago
  • સુરતમાં પાટીદાર સમાજની લોકગાયિકા રિદ્ધિ રાજપરાને લઈને એક મોટો વિવાદ ઊભો થયો છે. આ વિવાદને કારણે સોશિયલ મીડિયા પર ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ઘટનાના પગલે એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે સમાજ દ્વારા રિદ્ધિ રાજપરાને સ્ટેજ પર ‘નો એન્ટ્રી’ આપવાનો નિર્ણય લેવાયો છે. આ વિવાદની સાથે જ કડક કાયદા બનાવવાની માગ પણ ઉઠી છે.
    1
    સુરતમાં પાટીદાર સમાજની લોકગાયિકા રિદ્ધિ રાજપરાને લઈને એક મોટો વિવાદ ઊભો થયો છે. આ વિવાદને કારણે સોશિયલ મીડિયા પર ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

આ ઘટનાના પગલે એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે સમાજ દ્વારા રિદ્ધિ રાજપરાને સ્ટેજ પર ‘નો એન્ટ્રી’ આપવાનો નિર્ણય લેવાયો છે. આ વિવાદની સાથે જ કડક કાયદા બનાવવાની માગ પણ ઉઠી છે.
    user_Rabari Vikram
    Rabari Vikram
    ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    22 hrs ago
  • બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાલનપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ, વાહનવ્યવહાર અને ક્લાયમેટ ચેન્જ રાજ્ય મંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને તથા રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના માર્ગદર્શન હેઠળ 'યોગ ફોર હેલ્ધી એજિંગ' થીમ સાથે કરવામાં આવી. આ પ્રસંગે રાજ્ય મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું કે, ૧૨ વર્ષ પહેલાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વિશ્વને યોગ વિષે ભવ્ય ઓળખ મળી હતી અને યુનાઇટેડ નેશન્સમાં તેમની અપીલ બાદ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સત્તાવાર જાહેરાત થઈ હતી. તેમણે ઉમેર્યું કે, આજે આ વૈશ્વિક અભિયાનને સફળતાપૂર્વક ૧૨ વર્ષ પૂર્ણ થયા છે અને વડાપ્રધાન દ્વારા પશ્ચિમ બંગાળની પવિત્ર ધરતી પરથી વર્ચ્યુઅલી માધ્યમથી સમગ્ર દેશને એકતાના તાંતણે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મંત્રીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, આજે વિશ્વભરમાં ૧૭૭થી વધુ દેશો આ યોગ દિવસની ઉજવણીમાં જોડાઈ રહ્યા છે, જે ભારત માટે ગૌરવની બાબત છે, અને ગુજરાતમાં મુખ્યમંત્રીના ગતિશીલ નેતૃત્વ હેઠળ દરેક જિલ્લામાં આ પર્વ ઉત્સાહપૂર્વક મનાવવામાં આવી રહ્યું છે. રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈએ આ પ્રસંગે જણાવ્યું કે, આજે સમગ્ર વિશ્વભરમાં યોગને શારીરિક અને માનસિક સુખાકારી માટે સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત થયું છે. આધુનિક જીવનશૈલીમાં સંતુલન લાવવા, સ્વસ્થ જીવન જીવવા અને સમગ્ર પૃથ્વી તથા માનવજાતિના કલ્યાણ માટે આ વર્ષે "Yoga for Healthy Ageing" (સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ) અને "સ્વસ્થ જીવન માટે યોગ" ના અનોખા સંદેશ સાથે આ ઉત્સવનું સફળ આયોજન કરાયું હતું. મંત્રી, સાંસદ, પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બે, નિવાસી અધિક જિલ્લા કલેકટર સી.પી.પટેલ સહિત જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ, વિવિધ વિભાગના કર્મચારીઓ, શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર ઉપસ્થિત રહી સામૂહિક યોગાભ્યાસ કરી શાંતિનો દિવ્ય અનુભવ કર્યો હતો.
    4
    બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાલનપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ, વાહનવ્યવહાર અને ક્લાયમેટ ચેન્જ રાજ્ય મંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને તથા રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના માર્ગદર્શન હેઠળ 'યોગ ફોર હેલ્ધી એજિંગ' થીમ સાથે કરવામાં આવી.

આ પ્રસંગે રાજ્ય મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું કે, ૧૨ વર્ષ પહેલાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વિશ્વને યોગ વિષે ભવ્ય ઓળખ મળી હતી અને યુનાઇટેડ નેશન્સમાં તેમની અપીલ બાદ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સત્તાવાર જાહેરાત થઈ હતી. તેમણે ઉમેર્યું કે, આજે આ વૈશ્વિક અભિયાનને સફળતાપૂર્વક ૧૨ વર્ષ પૂર્ણ થયા છે અને વડાપ્રધાન દ્વારા પશ્ચિમ બંગાળની પવિત્ર ધરતી પરથી વર્ચ્યુઅલી માધ્યમથી સમગ્ર દેશને એકતાના તાંતણે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મંત્રીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, આજે વિશ્વભરમાં ૧૭૭થી વધુ દેશો આ યોગ દિવસની ઉજવણીમાં જોડાઈ રહ્યા છે, જે ભારત માટે ગૌરવની બાબત છે, અને ગુજરાતમાં મુખ્યમંત્રીના ગતિશીલ નેતૃત્વ હેઠળ દરેક જિલ્લામાં આ પર્વ ઉત્સાહપૂર્વક મનાવવામાં આવી રહ્યું છે.

રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈએ આ પ્રસંગે જણાવ્યું કે, આજે સમગ્ર વિશ્વભરમાં યોગને શારીરિક અને માનસિક સુખાકારી માટે સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત થયું છે. આધુનિક જીવનશૈલીમાં સંતુલન લાવવા, સ્વસ્થ જીવન જીવવા અને સમગ્ર પૃથ્વી તથા માનવજાતિના કલ્યાણ માટે આ વર્ષે "Yoga for Healthy Ageing" (સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ) અને "સ્વસ્થ જીવન માટે યોગ" ના અનોખા સંદેશ સાથે આ ઉત્સવનું સફળ આયોજન કરાયું હતું. મંત્રી, સાંસદ, પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બે, નિવાસી અધિક જિલ્લા કલેકટર સી.પી.પટેલ સહિત જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ, વિવિધ વિભાગના કર્મચારીઓ, શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર ઉપસ્થિત રહી સામૂહિક યોગાભ્યાસ કરી શાંતિનો દિવ્ય અનુભવ કર્યો હતો.
    user_Gangaram thakor
    Gangaram thakor
    Deodar, Banas Kantha•
    6 hrs ago
  • પાલનપુરમાં રાજ્યના મંત્રી પ્રવીણભાઈ માળીની અધ્યક્ષતામાં “પી.એમ. કિસાન ઉત્સવ દિવસ સહ મિલેટ મેળો” સફળતાપૂર્વક સંપન્ન થયો. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના તારકેશ્વર ખાતેથી પીએમ-કિસાન યોજનાનો ૨૩મો હપ્તો દેશભરના જમીન ધારક ખેડૂતોના આધાર લિંક અને ડીબીટી ઇનેબલ ખાતામાં સીધો જમા કરવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં કુલ ૨.૪૫ લાખ ખેડૂતોને ૨૩મા હપ્તા તરીકે ₹૪૯.૦૮ કરોડની સહાય ચૂકવાઈ. આ કાર્યક્રમ, બનાસકાંઠાના ખેડૂતોમાં મિલેટના વાવેતરનો વિસ્તાર વધારવા અને મૂલ્ય વર્ધન દ્વારા આવક વધારવાની પ્રેરણા આપવાના હેતુથી પાલનપુરના નવા ગંજ બજાર સ્થિત 'ધી બનાસકાંઠા જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ' ખાતે યોજાયો હતો. જેમાં મંત્રી પ્રવીણભાઈ માળીની અધ્યક્ષતા અને પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. મંત્રી પ્રવીણભાઈ માળીએ આધુનિક પિયત પદ્ધતિઓ અપનાવવા હાકલ કરી હતી અને જણાવ્યું હતું કે, જે પ્રગતિશીલ ખેડૂતો તળાવ, નહેર કે ડેમના પાણીથી સિંચાઈ કરશે, તેમને પ્રોત્સાહન રૂપે સરકાર દ્વારા વધારાનું સ્પેશિયલ વીજ કનેક્શન આપવામાં આવશે. મંત્રી માળીએ જળ સંચય અને વરસાદી પાણીના રિચાર્જ પર ભાર મૂકતા ખેડૂતોને આ વર્ષે એકજૂટ થઈને વરસાદનું પાણી ફિલ્ટર કરી પોતાના જૂના ટ્યુબવેલ અને બોરવેલમાં ઉતારવા આહવાન કર્યું હતું. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે સિંચાઈ વ્યવસ્થા સુદ્રઢ કરવા લીધેલા ઐતિહાસિક નિર્ણયોની વિગતો આપતા જણાવ્યું કે, મુખ્ય પાઇપલાઇનની બંને બાજુ ૩ કિલોમીટરની મર્યાદામાં આવતા તળાવો ભરવાની નીતિમાં સુધારો કરીને હવે આ મર્યાદા ૭ કિલોમીટર સુધી વિસ્તારી દેવાઈ છે, જેથી વધુ તળાવો ભરી શકાશે. આ તળાવો ભરવા પૂરતા નથી, પરંતુ ખેડૂતો ત્યાંથી પોતાના ખેતર સુધી પાઇપલાઇન નાખીને ખેતી માટે પાણીનો સીધો ઉપયોગ કરી શકે તેવું આયોજન સરકાર દ્વારા કરાયું છે. તેમણે ડીસા તાલુકાના પ્રગતિશીલ ખેડૂતોનું ઉદાહરણ આપતા જણાવ્યું કે, તેમણે પરસ્પર સહયોગથી તળાવ પર ડીપી, મીટર રૂમ અને સીસીટીવી ગોઠવીને આધુનિક રિમોટ કંટ્રોલ સિસ્ટમ વિકસાવી છે, જેનાથી ખેડૂતો ઘરે બેઠા જ મોબાઈલથી મોટર ચાલુ કરી પાણી પોતાના ખેતર સુધી મેળવે છે. મંત્રીશ્રીએ ભૂગર્ભ જળની ગુણવત્તા (ક્ષાર, નાઈટ્રેટ, પોટેશિયમ અને સોડિયમયુક્ત) અને તેને ખેંચવાના ઊંચા ખર્ચ સામે તળાવના સપાટી પરના પાણીના ફાયદા સમજાવ્યા. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના 'ટીપે ટીપું પાણી બચાવવા'ના સંકલ્પને દોહરાવતા ખેડૂતોને ખુલ્લા પાણીથી પિયત પદ્ધતિ બંધ કરી માઈક્રો-ઈરીગેશન એટલે કે ફુવારા પદ્ધતિ અપનાવવા અપીલ કરી. તેમણે ઈઝરાયલ પદ્ધતિની જેમ પ્રેશરથી સીધું જ ફુવારા માટે પાણી આપવાનો એક આધુનિક પાયલોટ પ્રોજેક્ટ નક્કી થયાની જાણ કરી, જેનો લાભ દાંતીવાડાના કમાન્ડ એરિયા એટલે કે કેનાલ વિસ્તારના ખેડૂતોને ટૂંક સમયમાં મળશે. આ પ્રસંગે મંત્રી અને મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સહાય વિતરણ પણ કરાઈ હતી. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
    2
    પાલનપુરમાં રાજ્યના મંત્રી પ્રવીણભાઈ માળીની અધ્યક્ષતામાં “પી.એમ. કિસાન ઉત્સવ દિવસ સહ મિલેટ મેળો” સફળતાપૂર્વક સંપન્ન થયો. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના તારકેશ્વર ખાતેથી પીએમ-કિસાન યોજનાનો ૨૩મો હપ્તો દેશભરના જમીન ધારક ખેડૂતોના આધાર લિંક અને ડીબીટી ઇનેબલ ખાતામાં સીધો જમા કરવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં કુલ ૨.૪૫ લાખ ખેડૂતોને ૨૩મા હપ્તા તરીકે ₹૪૯.૦૮ કરોડની સહાય ચૂકવાઈ.

આ કાર્યક્રમ, બનાસકાંઠાના ખેડૂતોમાં મિલેટના વાવેતરનો વિસ્તાર વધારવા અને મૂલ્ય વર્ધન દ્વારા આવક વધારવાની પ્રેરણા આપવાના હેતુથી પાલનપુરના નવા ગંજ બજાર સ્થિત 'ધી બનાસકાંઠા જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ' ખાતે યોજાયો હતો. જેમાં મંત્રી પ્રવીણભાઈ માળીની અધ્યક્ષતા અને પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. મંત્રી પ્રવીણભાઈ માળીએ આધુનિક પિયત પદ્ધતિઓ અપનાવવા હાકલ કરી હતી અને જણાવ્યું હતું કે, જે પ્રગતિશીલ ખેડૂતો તળાવ, નહેર કે ડેમના પાણીથી સિંચાઈ કરશે, તેમને પ્રોત્સાહન રૂપે સરકાર દ્વારા વધારાનું સ્પેશિયલ વીજ કનેક્શન આપવામાં આવશે.

મંત્રી માળીએ જળ સંચય અને વરસાદી પાણીના રિચાર્જ પર ભાર મૂકતા ખેડૂતોને આ વર્ષે એકજૂટ થઈને વરસાદનું પાણી ફિલ્ટર કરી પોતાના જૂના ટ્યુબવેલ અને બોરવેલમાં ઉતારવા આહવાન કર્યું હતું. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે સિંચાઈ વ્યવસ્થા સુદ્રઢ કરવા લીધેલા ઐતિહાસિક નિર્ણયોની વિગતો આપતા જણાવ્યું કે, મુખ્ય પાઇપલાઇનની બંને બાજુ ૩ કિલોમીટરની મર્યાદામાં આવતા તળાવો ભરવાની નીતિમાં સુધારો કરીને હવે આ મર્યાદા ૭ કિલોમીટર સુધી વિસ્તારી દેવાઈ છે, જેથી વધુ તળાવો ભરી શકાશે. આ તળાવો ભરવા પૂરતા નથી, પરંતુ ખેડૂતો ત્યાંથી પોતાના ખેતર સુધી પાઇપલાઇન નાખીને ખેતી માટે પાણીનો સીધો ઉપયોગ કરી શકે તેવું આયોજન સરકાર દ્વારા કરાયું છે. તેમણે ડીસા તાલુકાના પ્રગતિશીલ ખેડૂતોનું ઉદાહરણ આપતા જણાવ્યું કે, તેમણે પરસ્પર સહયોગથી તળાવ પર ડીપી, મીટર રૂમ અને સીસીટીવી ગોઠવીને આધુનિક રિમોટ કંટ્રોલ સિસ્ટમ વિકસાવી છે, જેનાથી ખેડૂતો ઘરે બેઠા જ મોબાઈલથી મોટર ચાલુ કરી પાણી પોતાના ખેતર સુધી મેળવે છે.

મંત્રીશ્રીએ ભૂગર્ભ જળની ગુણવત્તા (ક્ષાર, નાઈટ્રેટ, પોટેશિયમ અને સોડિયમયુક્ત) અને તેને ખેંચવાના ઊંચા ખર્ચ સામે તળાવના સપાટી પરના પાણીના ફાયદા સમજાવ્યા. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના 'ટીપે ટીપું પાણી બચાવવા'ના સંકલ્પને દોહરાવતા ખેડૂતોને ખુલ્લા પાણીથી પિયત પદ્ધતિ બંધ કરી માઈક્રો-ઈરીગેશન એટલે કે ફુવારા પદ્ધતિ અપનાવવા અપીલ કરી. તેમણે ઈઝરાયલ પદ્ધતિની જેમ પ્રેશરથી સીધું જ ફુવારા માટે પાણી આપવાનો એક આધુનિક પાયલોટ પ્રોજેક્ટ નક્કી થયાની જાણ કરી, જેનો લાભ દાંતીવાડાના કમાન્ડ એરિયા એટલે કે કેનાલ વિસ્તારના ખેડૂતોને ટૂંક સમયમાં મળશે. આ પ્રસંગે મંત્રી અને મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સહાય વિતરણ પણ કરાઈ હતી. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
    user_Jagdish soni
    Jagdish soni
    પત્રકાર દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    19 hrs ago
  • જિલ્લા કક્ષાએ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરે યોગના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે યોગ માત્ર શારીરિક વ્યાયામ નથી, પરંતુ શરીર, મન અને ચેતનાના સુભગ સમન્વયની એક સંપૂર્ણ જીવનશૈલી છે.
    1
    જિલ્લા કક્ષાએ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરે યોગના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે યોગ માત્ર શારીરિક વ્યાયામ નથી, પરંતુ શરીર, મન અને ચેતનાના સુભગ સમન્વયની એક સંપૂર્ણ જીવનશૈલી છે.
    user_પ્રહલાદભાઈ ઠાકોર પાટણ
    પ્રહલાદભાઈ ઠાકોર પાટણ
    રાધનપુર, પાટણ, ગુજરાત•
    4 hrs ago
  • વન અને પર્યાવરણ, વાહનવ્યવહાર અને ક્લાયમેન્ટ ચેન્જ મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી દ્વારા જગોસર તળાવનું લોકાર્પણ કરવામાં આવ્યું.
    1
    વન અને પર્યાવરણ, વાહનવ્યવહાર અને ક્લાયમેન્ટ ચેન્જ મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી દ્વારા જગોસર તળાવનું લોકાર્પણ કરવામાં આવ્યું.
    user_Baldev Thakor
    Baldev Thakor
    Local News Reporter કાંકરેજ, બનાસકાંઠા, ગુજરાત•
    5 hrs ago
  • બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના અસાણા ગામમાં આવેલી કંટ્રોલ (રેશન) દુકાનમાં લાભાર્થીઓને નિયમ મુજબનું સંપૂર્ણ અનાજ આપવામાં આવતું નથી. અહીં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને તેમના હક કરતાં ઓછું અનાજ આપવામાં આવી રહ્યું છે, જેના કારણે તેમને અન્યાયનો સામનો કરવો પડી રહ્યો છે. આ પ્રકારની અનિયમિતતા સામે લડવા માટે એક જાગૃત નાગરિકે વીડિયો ઉતાર્યો છે. જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે જ્યાં પણ આવી ઘટનાઓ બનતી હોય, ત્યાં દરેક નાગરિકે આવા વીડિયો ઉતારીને ગરીબોને પૂરતું અનાજ મળી રહે તે સુનિશ્ચિત કરવું જોઈએ. આ વીડિયો સંબંધિત અધિકારીઓને ફોરવર્ડ કરવા અથવા જનરલ ગ્રુપમાં શેર કરવા વિનંતી કરવામાં આવી છે. સંબંધિત અધિકારીઓને પણ નમ્ર વિનંતી કરાઈ છે કે આ બાબતની તાત્કાલિક તપાસ કરીને જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને તમામ લાભાર્થીઓને તેમનો હકનો જથ્થો સંપૂર્ણ આપવામાં આવે. આ મામલે ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે ગરીબોના હકનું અનાજ ગરીબોને જ મળવું જોઈએ, અને તેમાં કોઈ પણ પ્રકારની કપાત સ્વીકાર્ય નથી.
    1
    બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના અસાણા ગામમાં આવેલી કંટ્રોલ (રેશન) દુકાનમાં લાભાર્થીઓને નિયમ મુજબનું સંપૂર્ણ અનાજ આપવામાં આવતું નથી. અહીં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને તેમના હક કરતાં ઓછું અનાજ આપવામાં આવી રહ્યું છે, જેના કારણે તેમને અન્યાયનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પ્રકારની અનિયમિતતા સામે લડવા માટે એક જાગૃત નાગરિકે વીડિયો ઉતાર્યો છે. જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે જ્યાં પણ આવી ઘટનાઓ બનતી હોય, ત્યાં દરેક નાગરિકે આવા વીડિયો ઉતારીને ગરીબોને પૂરતું અનાજ મળી રહે તે સુનિશ્ચિત કરવું જોઈએ. આ વીડિયો સંબંધિત અધિકારીઓને ફોરવર્ડ કરવા અથવા જનરલ ગ્રુપમાં શેર કરવા વિનંતી કરવામાં આવી છે. સંબંધિત અધિકારીઓને પણ નમ્ર વિનંતી કરાઈ છે કે આ બાબતની તાત્કાલિક તપાસ કરીને જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને તમામ લાભાર્થીઓને તેમનો હકનો જથ્થો સંપૂર્ણ આપવામાં આવે.

આ મામલે ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે ગરીબોના હકનું અનાજ ગરીબોને જ મળવું જોઈએ, અને તેમાં કોઈ પણ પ્રકારની કપાત સ્વીકાર્ય નથી.
    user_વાધેલા પાંચાજી આર
    વાધેલા પાંચાજી આર
    Congregation ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.