સુરત ગ્રામ્ય જિલ્લાના પલસાણામાં પોલીસે મોટી સફળતા મેળવી છે. પલસાણા પોલીસ અને એલ.સી.બી.ની સંયુક્ત ટીમે વિસ્તારમાં થયેલી ચાર ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી કુલ રૂ. 4,34,300 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. તાજેતરમાં પલસાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મકાનોના બારી-દરવાજાના ગ્રીલ તોડી કિંમતી સામાનની ચોરીના અનેક બનાવો બન્યા હતા. આ ઘટનાઓની ગંભીરતાને ધ્યાનમાં લઈને સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ અને સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી., પેરોલ ફલો સ્ક્વોડ અને સ્થાનિક પોલીસની અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ CCTV ફૂટેજની મદદથી આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. મળેલી બાતમીના આધારે બલેશ્વરના બિલાલનગર વિસ્તારમાં ખાનભાઈની ચાલમાં દરોડો પાડી પાંચ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં કિશોરભાઈ રતિલાલ ઉર્ફે રતુભાઈ દેવીપૂજક, હરેશભાઈ ગોપાળભાઈ દેવીપૂજક, કાજલબેન હરેશભાઈ દેવીપૂજક, ફિરોઝ સાદીક અંસારી અને ભુરીબેન રતિલાલ દેવીપૂજકનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રિન્સ ઉર્ફે રામદાસ રતિલાલ દેવીપૂજક હાલ વોન્ટેડ છે. આરોપીઓના રહેઠાણમાંથી ટીવી, સ્પીકર, પ્રોજેક્ટર, મોબાઇલ ફોન, પંખા, ગાદલા, સાડીઓ, રસોડાના વાસણો, એમ્પ્લીફાયર સહિતનો ચોરીનો સામાન તેમજ એક ઓટો રિક્ષા મળી આવી હતી, જે પોલીસે કબ્જે કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ આરોપીઓએ પલસાણા વિસ્તારમાં નોંધાયેલા ચાર ઘરફોડ ચોરીના ગુનાઓ આચર્યા હતા. તેમણે સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ મોબાઇલ તથા અન્ય નાની-મોટી ચોરીઓમાં પોતાની સંડોવણી હોવાની કબૂલાત આપી છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગે વધુ તપાસ ચાલુ છે. આ સફળ કામગીરીમાં એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી. પાંચાણી, પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર બી.ડી. ઝીલરિયા સહિત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
સુરત ગ્રામ્ય જિલ્લાના પલસાણામાં પોલીસે મોટી સફળતા મેળવી છે. પલસાણા પોલીસ અને એલ.સી.બી.ની સંયુક્ત ટીમે વિસ્તારમાં થયેલી ચાર ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી કુલ રૂ. 4,34,300 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. તાજેતરમાં પલસાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મકાનોના બારી-દરવાજાના ગ્રીલ તોડી કિંમતી સામાનની ચોરીના અનેક બનાવો બન્યા હતા. આ ઘટનાઓની ગંભીરતાને ધ્યાનમાં લઈને સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ અને સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી., પેરોલ ફલો સ્ક્વોડ અને સ્થાનિક પોલીસની અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ CCTV ફૂટેજની મદદથી આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. મળેલી બાતમીના આધારે બલેશ્વરના બિલાલનગર વિસ્તારમાં ખાનભાઈની ચાલમાં દરોડો પાડી પાંચ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં કિશોરભાઈ રતિલાલ ઉર્ફે રતુભાઈ દેવીપૂજક, હરેશભાઈ ગોપાળભાઈ દેવીપૂજક, કાજલબેન હરેશભાઈ દેવીપૂજક, ફિરોઝ સાદીક અંસારી અને ભુરીબેન રતિલાલ દેવીપૂજકનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રિન્સ ઉર્ફે રામદાસ રતિલાલ દેવીપૂજક હાલ વોન્ટેડ છે. આરોપીઓના રહેઠાણમાંથી ટીવી, સ્પીકર, પ્રોજેક્ટર, મોબાઇલ ફોન, પંખા, ગાદલા, સાડીઓ, રસોડાના વાસણો, એમ્પ્લીફાયર સહિતનો ચોરીનો સામાન તેમજ એક ઓટો રિક્ષા મળી આવી હતી, જે પોલીસે કબ્જે કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ આરોપીઓએ પલસાણા વિસ્તારમાં નોંધાયેલા ચાર ઘરફોડ ચોરીના ગુનાઓ આચર્યા હતા. તેમણે સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ મોબાઇલ તથા અન્ય નાની-મોટી ચોરીઓમાં પોતાની સંડોવણી હોવાની કબૂલાત આપી છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગે વધુ તપાસ ચાલુ છે. આ સફળ કામગીરીમાં એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી. પાંચાણી, પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર બી.ડી. ઝીલરિયા સહિત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
- પ્રાથમિક શિક્ષક મહાસંધ દ્વારા સુરતમાં વસ્તી ગણતરીના કાર્યને લઈને ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ઉધના ખાતે આવેલા ઝાંસી કી રાણી ગાર્ડનમાં મોટી સંખ્યામાં શિક્ષકો એકઠા થયા હતા અને તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. શિક્ષકોને તેમના ઘર અને શાળાથી 7 કિલોમીટરથી લઈને 21 કિલોમીટર સુધી દૂરના બ્લોક વસ્તી ગણતરીના કાર્ય માટે ફાળવવામાં આવ્યા છે, જેના કારણે શિક્ષકો મૂંઝવણમાં છે કે તેઓ શાળાનું કામ કરે કે વસ્તી ગણતરીનું કાર્ય સંભાળે.1
- સુરત ગ્રામ્ય જિલ્લાની પલસાણા પોલીસ અને એલ.સી.બી. ટીમે સંયુક્ત કામગીરી કરીને પલસાણા વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના કુલ ચાર ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી કુલ 4,34,300 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તાજેતરમાં પલસાણા પોલીસ સ્ટેશનની હદમાં અલગ-અલગ જગ્યાઓએ મકાનોમાં બારી-દરવાજાની ગ્રીલ તોડીને કિંમતી સામાનની ચોરીના બનાવો બન્યા હતા. આ બનાવોને સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ દ્વારા ગંભીરતાથી લેવામાં આવ્યા હતા.1
- સુરતના સચિન GIDC વિસ્તારમાં આવેલી પાર્થ પબ્લિક સ્કૂલથી માત્ર ૨૦ ડગલાં દૂર અને સચિન GIDC પોલીસ ચોકીની બિલકુલ બાજુમાં દારૂ અને ડ્રગ્સનો વેપાર નિર્ભયપણે ધમધમી રહ્યો છે. અહીં ખાખીનો ડર હોવા છતાં ક્રિમિનલો બેફામ ફરે છે, જ્યારે પોલીસ પોતે ‘મૂકપ્રેક્ષક’ બનીને આ તમાશો જોઈ રહી હોવાનો અને કાયદો દારૂ તસ્કરોના પગ તળે કચડાઈ રહ્યો હોવાનો આક્ષેપ છે. આ વિસ્તારમાં એવી ચર્ચા છે કે સામાન્ય જનતા ભલે પરેશાન હોય, પરંતુ પોલીસ ચોકીના કથિત એડમિનિસ્ટ્રેટર ઘનશ્યામભાઈ માટે અહીં ‘બધું સલામત’ જેવું વાતાવરણ છે. એક્સાઈઝ એક્ટ મુજબ શાળાના ૧૦૦ મીટરના દાયરામાં કોઈ પણ નશીલા પદાર્થોનું વેચાણ ન થવું જોઈએ, ત્યારે આ જગ્યાએ માત્ર ૨૦ મીટર દૂર ‘મૃત્યુનો કૂવો’ કોણે ખોદવા દીધો તે સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે. સચિન GIDCની ગલીઓ અને ખૂણેખૂણે અત્યારે ફક્ત ‘નરેશભાઈ’ નામની જ ચર્ચા છે. લોકોમાં એવી વાત ચાલી રહી છે કે, જો આ વિસ્તારમાં કોઈ ગેરકાનૂની ધંધો કે દારૂની દુકાન શરૂ કરવી હોય, તો પોલીસ સ્ટેશન પર નહીં, પરંતુ 'નરેશભાઈના ઓફિસ'માં લાઈન લગાવવી પડે છે. દુકાન ચલાવનાર ભલે મુકેશભાઈ હોય, પરંતુ કથિત રીતે તેમને આશ્રય આપનાર નરેશભાઈ જ હોવાનું કહેવાય છે. સચિન પોલીસ સ્ટેશનમાં દારૂ સંબંધિત વહીવટ અને પરવાનગીની બધી ફાઈલો નરેશભાઈના ટેબલ પરથી પસાર થાય છે કે કેમ, અને આ 'નરેશબ્રાન્ડ' સેટિંગ પાછળ કયા મોટા લોકો છે તેવા ગંભીર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. દરરોજ સેંકડો માસૂમ બાળકો આ રસ્તેથી પસાર થાય છે, અને યુવાન છોકરાઓ દારૂ તથા ગાંજાના કારણે બરબાદ થઈ રહ્યા છે, જેનાથી ભાવિ પેઢીના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. આસપાસના લોકો, મહિલાઓ અને વાલીઓનો ગુસ્સો હવે હદ વટાવી ગયો છે. તેમણે સ્પષ્ટ ધમકી આપી છે કે, “જો આ સ્ટોલ તરત જ હટાવવામાં નહીં આવે, તો અમને કાયદો હાથમાં લેવાની ફરજ પડશે. અમારી આવનારી પેઢીને બરબાદ થતી જોવાને બદલે, અમે રસ્તાઓ પર ઉતરીને ઉગ્ર આંદોલન કરીશું.” હવે ન્યૂઝ ચેનલોના કેમેરા અને અખબારોની શાહી સચિન GIDC પોલીસ સ્ટેશન અને મોટા અધિકારીઓ પર કેન્દ્રિત છે. સુરતના બહાદુર પોલીસ કમિશનર આ 'નરેશ-મુકેશ-ઘનશ્યામ' ત્રિપુટીની કથિત મિલીભગતનો પર્દાફાશ કરે છે કે પછી શિક્ષણના મંદિર પર દારૂના કાળા ડાઘ લાગેલા રહેશે, તે જોવું રહ્યું. આ ઘટનાને કારણે સચિન GIDC પોલીસની શાખ ધૂળમાં મળી રહી છે.1
- ઘરને બાળકોની પહેલી શાળા ગણાવવામાં આવ્યું છે, જ્યાં જો શિસ્તનો અભાવ હોય તો બાળકો બહાર જઈને ખોટા માર્ગે જઈ શકે છે. સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે જો ઘરમાં બાળકો પર પૂરતું ધ્યાન આપવામાં નહીં આવે, તો તેના ગંભીર પરિણામોનો સામનો સમાજને કરવો પડી શકે છે.1
- સુરતના વેલંજા વિસ્તારમાં ૨૬ તારીખે એક વૃદ્ધાને ધમકાવીને તેમના ઝુમખા છીનવી લેવાની ઘટના બની હતી. આ મામલે પોલીસે રિતિક સંજયભાઈ કવિથી અને કાજલબેન જોગિંદ્ર શર્મા નામની મહિલાની ધરપકડ કરી છે. આરોપી પાસે પૈસા ન હોવાથી તે મહિલાની સાથે રિક્ષામાં બેસીને કામની શોધમાં સુરત આવ્યો હતો. સુરતમાં રૂમ ન મળતા, તે ખુલ્લામાં રહી રહ્યો હતો. તેણે રિક્ષામાં બેઠેલી વૃદ્ધાના ઝુમખા છીનવી લીધા હતા, જેના કારણે શિકાયતકર્તાને ઇજા પણ થઈ હતી. પોલીસ દ્વારા પકડાયેલા આરોપી રિતિકભાઈ વિરુદ્ધ અગાઉ ચોટીલા અને અમરોલી પોલીસ સ્ટેશનોમાં પણ ગુના નોંધાયેલા છે. આ ધરપકડ સાથે સુરતના ઉતરાણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો ગુનો પણ ઉકેલાઈ ગયો છે.1