બોટાદ ધારાસભ્યશ્રી ઉમેશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં 77 મા વન મહોત્સવની ઉજવણી બોટાદ: બોટાદ વિધાનસભાના ધારાસભ્યશ્રી ઉમેશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં સામાજિક વનીકરણ વિભાગ–બોટાદ દ્વારા 77મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. “એક પેડ મા કે નામ 2.0 અભિયાન” અંતર્ગત યોજાયેલા આ જિલ્લા કક્ષાના વન મહોત્સવ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન તા. ૨૫/૦૮/૨૦૨૬, મંગળવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે શ્રી ભાગીરથી ઉત્તર બુનિયાદી વિદ્યાલય, ટાટમ, તા. ગઢડા, જિ. બોટાદ ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પાયલબેન માથોળિયા, નાયબ વન સંરક્ષકશ્રી અગ્નિશ્વર વ્યાસ, IFS, ગઢડા ધારાસભ્યશ્રી શંભુપ્રસાદજી ટુંડિયા, બોટાદ ધારાસભ્યશ્રી ઉમેશભાઈ મકવાણા, બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી એચ.એમ. વોરા, પોલીસ અધિક્ષકશ્રી ધર્મેન્દ્ર શર્મા સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યશ્રી ઉમેશભાઈ મકવાણાએ પોતાના હસ્તે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વૃક્ષો આપણા જીવનનો આધાર છે અને પર્યાવરણનું જતન કરવું આપણી સૌની સામૂહિક જવાબદારી છે. દરેક વ્યક્તિએ “એક પેડ મા કે નામ” અભિયાન સાથે જોડાઈ ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું જતન કરવાનો સંકલ્પ લેવો જોઈએ. સામાજિક વનીકરણ માટે ધારાસભ્યશ્રીની રૂ. ૧૦ લાખની ગ્રાન્ટ બોટાદ ધારાસભ્યશ્રી ઉમેશભાઈ મકવાણાએ પોતાની ધારાસભ્ય ગ્રાન્ટમાંથી સામાજિક વનીકરણ વિભાગ–બોટાદને કુલ રૂ. ૧૦ લાખની ગ્રાન્ટ ફાળવી છે. જેમાં રૂ. ૫ લાખની કિંમતના વૃક્ષોના રક્ષણ માટેના પિંજરા તથા રૂ. ૫ લાખની કિંમતનો પાણીનો ટાંકો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. વૃક્ષારોપણ બાદ વૃક્ષોનું રક્ષણ થાય તેમજ ઉનાળા સહિતના સમયમાં વાવેલા વૃક્ષોને પૂરતું પાણી મળી રહે તે હેતુથી આ સહાય આપવામાં આવી છે. ધારાસભ્યશ્રીની આ પહેલથી બોટાદ જિલ્લામાં વૃક્ષારોપણ સાથે વૃક્ષોના રક્ષણ અને સંવર્ધનને પણ વધુ વેગ મળશે. સામાજિક વનીકરણ વિભાગ–બોટાદ દ્વારા બોટાદ જિલ્લામાં વિવિધ સ્થળોએ મોટા પાયે વૃક્ષારોપણ, વન સંવર્ધન તથા પર્યાવરણ જાગૃતિની કામગીરી કરવામાં આવી રહી છે. “એક પેડ મા કે નામ” અભિયાનને જનઆંદોલનનું સ્વરૂપ આપી વધુમાં વધુ લોકો વૃક્ષારોપણ સાથે જોડાય તે માટે પણ અપીલ કરવામાં આવી હતી. બોટાદ જિલ્લાને વધુ હરિયાળો અને પર્યાવરણમિત્ર બનાવવા માટે સૌ નાગરિકોને વૃક્ષારોપણમાં જોડાવા તથા વાવેલા વૃક્ષોની નિયમિત સંભાળ રાખવા ધારાસભ્યશ્રી ઉમેશભાઈ મકવાણાએ અપીલ કરી હતી. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
બોટાદ ધારાસભ્યશ્રી ઉમેશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં 77 મા વન મહોત્સવની ઉજવણી બોટાદ: બોટાદ વિધાનસભાના ધારાસભ્યશ્રી ઉમેશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં સામાજિક વનીકરણ વિભાગ–બોટાદ દ્વારા 77મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. “એક પેડ મા કે નામ 2.0 અભિયાન” અંતર્ગત યોજાયેલા આ જિલ્લા કક્ષાના વન મહોત્સવ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન તા. ૨૫/૦૮/૨૦૨૬, મંગળવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે શ્રી ભાગીરથી ઉત્તર બુનિયાદી વિદ્યાલય, ટાટમ, તા. ગઢડા, જિ. બોટાદ ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પાયલબેન માથોળિયા,
નાયબ વન સંરક્ષકશ્રી અગ્નિશ્વર વ્યાસ, IFS, ગઢડા ધારાસભ્યશ્રી શંભુપ્રસાદજી ટુંડિયા, બોટાદ ધારાસભ્યશ્રી ઉમેશભાઈ મકવાણા, બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી એચ.એમ. વોરા, પોલીસ અધિક્ષકશ્રી ધર્મેન્દ્ર શર્મા સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યશ્રી ઉમેશભાઈ મકવાણાએ પોતાના હસ્તે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વૃક્ષો આપણા જીવનનો આધાર છે અને પર્યાવરણનું જતન કરવું આપણી સૌની સામૂહિક જવાબદારી છે. દરેક વ્યક્તિએ “એક પેડ મા કે નામ” અભિયાન સાથે જોડાઈ ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું
જતન કરવાનો સંકલ્પ લેવો જોઈએ. સામાજિક વનીકરણ માટે ધારાસભ્યશ્રીની રૂ. ૧૦ લાખની ગ્રાન્ટ બોટાદ ધારાસભ્યશ્રી ઉમેશભાઈ મકવાણાએ પોતાની ધારાસભ્ય ગ્રાન્ટમાંથી સામાજિક વનીકરણ વિભાગ–બોટાદને કુલ રૂ. ૧૦ લાખની ગ્રાન્ટ ફાળવી છે. જેમાં રૂ. ૫ લાખની કિંમતના વૃક્ષોના રક્ષણ માટેના પિંજરા તથા રૂ. ૫ લાખની કિંમતનો પાણીનો ટાંકો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. વૃક્ષારોપણ બાદ વૃક્ષોનું રક્ષણ થાય તેમજ ઉનાળા સહિતના સમયમાં વાવેલા વૃક્ષોને પૂરતું પાણી મળી રહે તે હેતુથી આ સહાય આપવામાં આવી છે. ધારાસભ્યશ્રીની આ પહેલથી બોટાદ જિલ્લામાં વૃક્ષારોપણ સાથે
વૃક્ષોના રક્ષણ અને સંવર્ધનને પણ વધુ વેગ મળશે. સામાજિક વનીકરણ વિભાગ–બોટાદ દ્વારા બોટાદ જિલ્લામાં વિવિધ સ્થળોએ મોટા પાયે વૃક્ષારોપણ, વન સંવર્ધન તથા પર્યાવરણ જાગૃતિની કામગીરી કરવામાં આવી રહી છે. “એક પેડ મા કે નામ” અભિયાનને જનઆંદોલનનું સ્વરૂપ આપી વધુમાં વધુ લોકો વૃક્ષારોપણ સાથે જોડાય તે માટે પણ અપીલ કરવામાં આવી હતી. બોટાદ જિલ્લાને વધુ હરિયાળો અને પર્યાવરણમિત્ર બનાવવા માટે સૌ નાગરિકોને વૃક્ષારોપણમાં જોડાવા તથા વાવેલા વૃક્ષોની નિયમિત સંભાળ રાખવા ધારાસભ્યશ્રી ઉમેશભાઈ મકવાણાએ અપીલ કરી હતી. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
- બોટાદ ઈદ-એ-મિલાદ નિમિત્તે બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યુ આજે ઈદ-એ-મિલાદ નિમિત્તે રાણપુર શહેરમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યુ. રાણપુર શહેરની મુખ્ય બજારમાંથી જુલુસ પસાર થયું હતુ. કાંકરિયાચોરા, આંબલીયા ચોરા, દેસાઈ વોરા ચોરા, મોટાપીર ચોક,રતન ચોક,મેઈન બજાર,બસ સ્ટેશન ચાર રસ્તા થઈને આંબલીયા ચોરા ખાતે આ જૂલુસ પૂરું થયું હતું.જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા જ્યારે ઈદ-એ-મિલાદ ની સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જુલુસના રૂટ ઉપર વિવિધ જગ્યાએ ચા,પાણી,ઠંડાપીણા, આઈસ્ક્રીમ, ચોકલેટ સહિતની વસ્તુઓનું મુસ્લિમ સમાજના લોકો દ્વારા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮4
- લકુલીશ યોગાશ્રમ, જાખણ દ્વારા શાળાના બાળકો માટે "યોગ શિબિર " નું આયોજન કરવામાં આવ્યું. લકુલીશ યોગાશ્રમ, જાખણ દ્વારા શાળાના બાળકો માટે "યોગ શિબિર " નું આયોજન કરવામાં આવ્યું. જેમાં યોગેન્દ્રસિંહ ઝાલા સાહેબના સહયોગ અને જાખણ યોગ વિધાલયના પ્રોફેસર બહેન શ્રી વનીતાબહેનના માર્ગદર્શન હેઠળ યોગીની બહેનો દ્વારા બાળકોને યોગ વિશે પ્રાથમિક માહિતી આપવામાં આવી તેમજ શાળાના આચાર્યશ્રી બળદેવભાઈ સાહેબ તથા ભાવિનભાઈ સાહેબ દ્વારા યોગના ફાયદા અને તેના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું તથા પ્રારંભિક યોગ નિદર્શન અને યોગિક ક્રિયાઓ તથા વિવિધ આસનો કરાવી યૌગિક અનુભવ કરાવવામાં આવ્યો.1
- જસદણ માં અજાણ્યા શખ્સોએ આખલા પર એસિડ નાંખતા સેવા ભાવી ઓ એ સારવાર કરાવી જસદણ માં અજાણ્યા શખ્સોએ આખલા પર એસિડ નાંખતા આખલા ને ઇજા પહોંચી હતી જેને જીવ દયા પ્રેમી દ્વારા તાત્કાલિક ધોરણે સારવાર કરવામાં આવી હતી1
- શૈક્ષણીક સંસ્થા ઓભષ્ટાચાર ના પાર્ટીઓ વ્યભીચાર ના અડ્ડાઓ બની રહ્યા છે.1
- _ભારત સરકારના યુવા કાર્યક્રમ મંત્રાલય અંતર્ગત: કે કે પારેખ કોમર્સ કોલેજ અમરેલી અને સંઘવી કોલેજ રાજુલા ખાતે ખેલો ઈન્ડિયા સંવાદ યોજાશે_ ભારત સરકાર, યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, અંતર્ગત માય ભારત અમરેલી ,રાકેશ બિસનોઈ, જિલ્લા યુવા અધિકારી, જે પ્રથમ પોસ્ટિંગ હાલમાં જ અમરેલી હાજર થયેલ છે હાલમાં તારીખ 27 /08 /2026 ના રોજ સવારે 10:30 કલાકે થી ભારતના યશસ્વી માનનિય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ખેલો ઇન્ડિયા યુવાઓ સાથે સંવાદ , ખેલ કી બાત પીએમ મોદી કે સાથ, એન એસ એસ ઓફિસર શ્રી તથા પ્રિન્સિપાલ શ્રી ના માર્ગદર્શન હેઠળ એનએસએસ વોલિએન્ટર રૂબરૂ સંવાદમાં ભાગ લેશે ત્યારબાદ સ્પોર્ટ્સ પર્સન સાથે આ અંગે સંવાદ થશે આ સંવાદ માં મેન આશય યુવાઓને નશામુક્ત ભારત તથા શરીર તંદુરસ્ત બનાવી ભાગ લેવા માટે મોટીવેટ કરવાનો છે ,કે કે પારેખ કોમર્સ કોલેજ અમરેલી તથા સંઘવી કોલેજ રાજુલા માં આચાર્યશ્રી તથા એન એસ એસ ઓફિસર તથા વોલિએન્ટર્સ રૂબરૂ માં વડાપ્રધાન શ્રી સાથે સંવાદમાં ભાગ લેશે ત્યારબાદ સ્પોર્ટ્સ પર્સન સાથે આ અંગે સંવાદ થાશે .1
- બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બરાનીયા ગામમાં પ્રાથમિક શાળાના શિક્ષક સામે ગંભીર આક્ષેપો થતાં મોટી સંખ્યામાં ગ્રામજનો રાણપુર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા ગ્રામજનોએ શિક્ષક હર્ષદભાઈ ઝાલા વિરુદ્ધ રજૂઆત કરી વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કરી ત્રાસ આપતા હોવાના આક્ષેપો સાથે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ગ્રામજનોના જણાવ્યા મુજબ, બરાનીયા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક હર્ષદભાઈ ઝાલા દ્વારા વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કરવામાં આવતા હોવાના આક્ષેપો છે. આ મામલે ગામલોકોએ અગાઉ શિક્ષક સમક્ષ રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, શિક્ષક દ્વારા ખોટી ફરિયાદ કરવાની ધમકી આપવામાં આવતી હોવાના પણ ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા.આ મામલે મોટી સંખ્યામાં ગ્રામજનો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. શિક્ષક વિરુદ્ધ ફરિયાદ ન થાય ત્યાં સુધી પોલીસ સ્ટેશનમાં બેસી રહેવાનો નિર્ણય પણ ગ્રામજનોએ કર્યો હતો. બીજી તરફ બરાનીયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક હર્ષદભાઈ ઝાલા પણ ગ્રામજનો વિરુદ્ધ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.શિક્ષક હર્ષદ ઝાલાએ ગ્રામજનો દ્વારા કરવામાં આવેલા વિદ્યાર્થીનીઓ સાથે અડપલાના આક્ષેપોને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગામના માજી સરપંચનું ખનીજ ભરેલું ડમ્પર શાળાની પાસેથી પસાર થતું હોવાથી તેમણે તેને રોકવાની ના પાડી હતી. આ બાબતને લઈને પોતાની વિરુદ્ધ ખોટી રજૂઆત કરવામાં આવી રહી હોવાનો શિક્ષકનો દાવો છે... રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮4
- ભાવનગર લઠ્ઠા કાંડ બાદ મીંગલપુર સરપંચનો મહત્વનો નિર્ણય. *ભાવનગર લઠ્ઠા કાંડ બાદ મીંગલપુર સરપંચનો મહત્વનો નિર્ણય.* ભાવનગર લઠ્ઠાકાંડ દરમિયાન ધોલેરા હદ વિસ્તારના મીંગલપુર ગામમાંથી 24 બોટલો મ1
- ધારી ખોડીયાર ડેમ પાસે જુના ડાંગાવદરના રસ્તા પાસે માનવ મૃતદે મળી આવ્યો... ધારી ખોડીયાર ડેમ પાસે જુના ડાંગાવદરના રસ્તા પાસે માનવ મૃતદે મળી આવ્યો.....1