Shuru
Apke Nagar Ki App…
વડોદરાના વાઘોડિયા રોડ પર ફાયરિંગની ઘટના બની હતી, જેમાં એક વ્યક્તિના હાથના ભાગમાં ગોળી વાગી હતી. આ ઘટના બાદ ઘાયલ વ્યક્તિને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને હાલ તેમની સારવાર ચાલી રહી છે.
Dharmendra m parmar
વડોદરાના વાઘોડિયા રોડ પર ફાયરિંગની ઘટના બની હતી, જેમાં એક વ્યક્તિના હાથના ભાગમાં ગોળી વાગી હતી. આ ઘટના બાદ ઘાયલ વ્યક્તિને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને હાલ તેમની સારવાર ચાલી રહી છે.
More news from ગુજરાત and nearby areas
- વડોદરાના વાઘોડિયા ચોકડી ખાતે દિવસદહાડે બાઈક સવાર અજાણ્યા શખ્સોએ એક કારનો પીછો કરીને ૩૭ વર્ષીય આશિષ મદનલાલ બાકોલિયા પર ધડાધડ ફાયરિંગ કર્યું હતું. આ ગોળીબારમાં આશિષ બાકોલિયાને ખભામાં ગોળી વાગતાં તેમને ગંભીર ઈજા થઈ હતી. તેમને તાત્કાલિક સારવાર માટે પહેલા એસએસજી હોસ્પિટલ અને ત્યારબાદ એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. ફાયરિંગ કર્યા બાદ હુમલાખોરો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ શહેર-ગ્રામ્ય પોલીસ અને એફએસએલની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસ હાલ સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેક્નિકલ પુરાવાના આધારે આ ફાયરિંગ પાછળનું ચોક્કસ કારણ શોધવા અને હુમલાખોરોને પકડવા માટે કાર્યવાહી કરી રહી છે.1
- મુસ્લિમ બિરાદરો દ્વારા પવિત્ર મોહરમ પર્વની શ્રદ્ધા, આસ્થા અને ભાઈચારાની ભાવના સાથે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ ધાર્મિક પ્રસંગે મુસ્લિમ સમાજના મોટી સંખ્યામાં આગેવાનો, યુવાનો તેમજ વડીલોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.1
- જંબુસર તાલુકાના કહાનવા ગામમાં મુસ્લિમ બિરાદરો દ્વારા પવિત્ર મોહરમ પર્વની શ્રદ્ધા, આસ્થા અને ભાઈચારાની ભાવના સાથે ઉજવણી કરવામાં આવી.1
- Post by Rohit kirtanbhai1
- ભારતીય જનતા પાર્ટી દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન-૨૦૨૬ અંતર્ગત બોચાસણ સ્થિત શ્રી બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ખાતે એક વિશેષ પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. શનિવારે આંકલાવ તાલુકાના આ સત્રમાં સોજીત્રા વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. પોતાના સંબોધનમાં ધારાસભ્યશ્રીએ કેન્દ્રની મોદી સરકાર અને ગુજરાત સરકારની લોકાભિમુખ નીતિઓ તેમજ વિવિધ વિકાસલક્ષી કામોની ઉપલબ્ધિઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે કાર્યકર્તાઓને સરકારની યોજનાઓ જન-જન સુધી પહોંચાડવા માટે આહવાન પણ કર્યું હતું. આ પ્રશિક્ષણ વર્ગમાં સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ, તાલુકા સંગઠનના પ્રમુખશ્રી સહિત પક્ષના અપેક્ષિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.1
- ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ખેડૂતો દ્વારા કેનાલની બાજુમાંથી ડ્રેનેજ લાઈન નાખવા માટે રજૂઆત કરવામાં આવી છે. જોકે, તેમની આ માંગણી પર સરકાર ધ્યાન આપવા કે તેમની વાત સાંભળવા તૈયાર નથી.1
- જંબુસર તાલુકાના કહનવા ગામના મળી વગા વિસ્તારમાં નવા કામનું ખાતમુરત કરવામાં આવ્યું છે.1
- ગરૂડેશ્વરમાં શરત ભંગના કિસ્સામાં પાંચ જેટલા સરકારી અધિકારીઓના મકાનો પર "દાદાનું બુલડોઝર" ફરી વળ્યું છે. આ કાર્યવાહી વહેલી સવારે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી, જેને એક મોટી કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી છે. સામાન્ય જનતાના મકાનો પર કાર્યવાહી થયા બાદ હવે અધિકારીઓના બંગલાઓ પર બુલડોઝર ફળી વળ્યું છે. અધિકારીઓના મકાનો પર શરત ભંગના મામલે જ આ પગલું લેવામાં આવ્યું છે, જેમાં ફરી એકવાર "દાદાનું બુલડોઝર" ચાલ્યું છે.2
- વડોદરા શહેરમાં વરસાદી કાસની ચાલી રહેલી કામગીરીને લઈને કોન્ટ્રાક્ટરો અને નગરપાલિકા પર ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આક્ષેપ છે કે વડોદરા શહેર નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરોને કરાર આપી દેવામાં આવ્યા હોવા છતાં, કોન્ટ્રાક્ટરો 'મસ્ત મલાઈ ખાઈને બેસી ગયા' છે અને તેમણે વડોદરા શહેરના નાગરિકોના જીવ જોખમમાં મૂકી દીધા છે. શહેરના વાઘોડિયા રોડ પર પરિવાર ચાર રસ્તાથી સવિતા હોસ્પિટલ સુધી, તેમજ વૃંદાવન ચાર રસ્તા અને ડભોઈ રીંગ રોડ પર મોટા ભુવાઓ પડ્યા છે. આ બેદરકારીભરી સ્થિતિ માટે નગરપાલિકા કે કોન્ટ્રાક્ટરોમાંથી કોણ જવાબદાર છે, તેવો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે.1