રાધનપુરમાં ૪ કરોડના ખર્ચે આહીર સમાજના ભવ્ય શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ શિક્ષણ એ સમાજના વિકાસનો મજબૂત પાયો છે, શૈક્ષણિક સંકુલ નવી તકો ઊભી કરશે: અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી શિક્ષણથી સમાજનો સર્વાંગી વિકાસ શક્ય, આ સંકુલ વિદ્યાર્થીઓને દિશા આપશે:મંત્રી ત્રિકમભાઈ છાંગા રાધનપુર ખાતે વઢીયાર આહીર કેળવણી મંડળ દ્વારા આશરે ૪ કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત ભવ્ય શૈક્ષણિક સંકુલ સમાજને અર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના રાજ્ય મંત્રી ત્રિકમભાઈ છાંગા અને પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાની વિશેષ ઉપસ્થિતિમાં લોકાર્પણ સમારોહ યોજાયો હતો. વઢીયાર, ચોરાડ અને વાગડ આહીર સમાજ દ્વારા શિક્ષણના વ્યાપને વિસ્તૃત કરવાનો ઉદ્દેશ્ય રાખીને રાધનપુર મુકામે આ શૈક્ષણિક સંકુલનું નિર્માણ સમાજના દાતાઓના સહયોગથી કરવામાં આવ્યું છે. આ સંકુલ સમાજના વિદ્યાર્થીઓ માટે ગુણવત્તાસભર શિક્ષણના નવા દ્વાર ખુલશે. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાએ ૫૧ લાખ રૂપિયાનું દાન આપ્યું હતું અને સમાજને શિક્ષણને સર્વોપરી સ્થાન આપવા અપીલ કરી હતી. ઉપરાંત પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ ૩૧ લાખ રૂપિયાનું દાન આપીને સંસ્થાને પ્રોત્સાહન આપ્યું હતું. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજના વિકાસનો પાયો છે અને આ સંકુલ દ્વારા અનેક વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવાની નવી તકો પ્રાપ્ત થશે. તેમણે મંડળના આ પ્રયત્નને સમાજના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવ્યો હતો. ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્ય મંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજના સર્વાંગી વિકાસ માટેનું સૌથી શક્તિશાળી સાધન છે. આ સંકુલના નિર્માણથી વિદ્યાર્થીઓને નવી દિશા અને આગળ વધવાની પ્રેરણા મળશે, જે સમાજને પ્રગતિના માર્ગે દોરી જશે. સમારોહ દરમિયાન સંસ્થા માટે દાન આપનાર દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા, પૂર્વ ધારાસભ્ય રાધનપુર રઘુભાઈ દેસાઈ, સમાજના આગેવાનો, યુવાઓ અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રાધનપુરમાં ૪ કરોડના ખર્ચે આહીર સમાજના ભવ્ય શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ શિક્ષણ એ સમાજના વિકાસનો મજબૂત પાયો છે, શૈક્ષણિક સંકુલ નવી તકો ઊભી કરશે: અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી શિક્ષણથી સમાજનો સર્વાંગી વિકાસ શક્ય, આ સંકુલ વિદ્યાર્થીઓને દિશા આપશે:મંત્રી ત્રિકમભાઈ છાંગા રાધનપુર ખાતે વઢીયાર આહીર કેળવણી મંડળ દ્વારા આશરે ૪ કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત ભવ્ય શૈક્ષણિક સંકુલ સમાજને અર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી મુખ્ય મહેમાન તરીકે
ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના રાજ્ય મંત્રી ત્રિકમભાઈ છાંગા અને પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાની વિશેષ ઉપસ્થિતિમાં લોકાર્પણ સમારોહ યોજાયો હતો. વઢીયાર, ચોરાડ અને વાગડ આહીર સમાજ દ્વારા શિક્ષણના વ્યાપને વિસ્તૃત કરવાનો ઉદ્દેશ્ય રાખીને રાધનપુર મુકામે આ શૈક્ષણિક સંકુલનું નિર્માણ સમાજના દાતાઓના સહયોગથી કરવામાં આવ્યું છે. આ સંકુલ સમાજના વિદ્યાર્થીઓ માટે ગુણવત્તાસભર શિક્ષણના નવા દ્વાર ખુલશે. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાએ ૫૧ લાખ
રૂપિયાનું દાન આપ્યું હતું અને સમાજને શિક્ષણને સર્વોપરી સ્થાન આપવા અપીલ કરી હતી. ઉપરાંત પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ ૩૧ લાખ રૂપિયાનું દાન આપીને સંસ્થાને પ્રોત્સાહન આપ્યું હતું. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજના વિકાસનો પાયો છે અને આ સંકુલ દ્વારા અનેક વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવાની નવી તકો પ્રાપ્ત થશે. તેમણે મંડળના આ પ્રયત્નને સમાજના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવ્યો હતો. ઉચ્ચ અને તાંત્રિક
શિક્ષણ રાજ્ય મંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજના સર્વાંગી વિકાસ માટેનું સૌથી શક્તિશાળી સાધન છે. આ સંકુલના નિર્માણથી વિદ્યાર્થીઓને નવી દિશા અને આગળ વધવાની પ્રેરણા મળશે, જે સમાજને પ્રગતિના માર્ગે દોરી જશે. સમારોહ દરમિયાન સંસ્થા માટે દાન આપનાર દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા, પૂર્વ ધારાસભ્ય રાધનપુર રઘુભાઈ દેસાઈ, સમાજના આગેવાનો, યુવાઓ અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
- Post by Pooja patel1
- *देखो, दूध की एक भी बूंद नहीं डाली गई है, यूरिया खाद से दूध बनाया गया है और उस दूध से कुल्फी आइसक्रीम बनाई गई है, अब आप अपने बच्चों को क्या खिला रहे हो, अपनी आँखों से देखो कि बड़ी-बड़ी फैक्ट्रियों में आइसक्रीम और कुल्फी कैसे बनती है!*♦️1
- Post by Gujarat crime news1
- દિયોદર તાલુકાના વખા ગામે માતાજીની ભવ્ય રમેલ યોજાઈ હજારોની સંખ્યામાં ભક્તો દર્શન અર્થ ઉમટ્યા •વર્ષો જૂના મંદિરે કાર્યક્રમમાં માતાજીને ધ્વજા રોહન કરાયું ચૈત્ર મહિનામાં ભક્તો દ્વારા માતાજી ની આરાધના સાથે ભવ્ય ઉત્સવ ઉજવતા હોય છે જેમાં દિયોદર તાલુકાના વખા ગામે વર્ષો જૂના શ્રી જોગણી માતાજી ના મંદિરે ત્રણ ગામો ની ભવ્ય રમેલ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો ચૌત્ર સુદ ૧૧ ને રવિવારે સાંજે હજારો ની સંખ્યામાં ભક્તો ની હાજરીમાં ભવ્ય રમેલ યોજાયેલ જેમાં રમેલ માં ઉપસ્થિત ભુવાજીઓ ને યુવક મંડળ દ્વારા કુમકુમ તિલક કરી શાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવેલ રમેલ માં ભુવાજી ઓ દ્વારા આશિર્વચન પાઠવવામાં આવેલ અને સોમવારે વહેલી સવારે તેલફૂલ નું પણ આયોજન થયેલ જેમાં વખા, ગોળીયા,નવા ગામના સમસ્ત ગ્રામજનો દ્વારા આ ઉત્સવ માં ભાગ લઈ કાર્યક્રમ ને સફળ બનાવેલ આ પ્રસંગે પ્રદીપભાઈ શાહ,ચીનુભાઈ ઠાકોર ,મંદિર ના ભુવાજી જગદીશભાઈ ઠાકોર,બળવંતજી ઠાકોર ,શંભુજી ઠાકોર,માલાભાઈ પટેલ,દિનેશભાઈ માળી,પાબુજી ઠાકોર ગોદા,તેમજ જોગમાયા યુવક મંડળ ના સભ્યો હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવેલ1
- Post by Thakor sahab Asana1
- Post by Ghadiya ajamal Thakor ખેડા ભાખર1
- Post by Thakor Suresh1
- Post by Pooja patel1