logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

૧૧ થી ૧૨ ફૂટના મહાકાય અજગરનું દિલધડક રેસ્ક્યુ: બાકરોલની સીમમાં અફરાતફરી વચ્ચે સિદ્ધાંત જીવદયા ટીમે ઉગાર્યો જીવ કાલોલ તાલુકાના બાકરોલ ગામની સીમમાં ૧૧થી ૧૨ ફૂટ લાંબો મહાકાય અજગર આવી ચડતાં સ્થાનિકોમાં ભારે દહેશત અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, વન વિભાગ અને સ્થાનિક જીવદયા પ્રેમીઓની સમયસૂચકતાને કારણે અજગરનું સફળતાપૂર્વક સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ઘટનાની મળતી વિગતો અનુસાર, બાકરોલ ગામની સીમમાં આવેલા અજબસિંહ રામસિંહ ગોહિલના ખેતર અને ઘર નજીક રવિવારે સાંજના સમયે અચાનક એક વિશાળકાય અજગર દેખાયો હતો. આશરે ૧૧થી ૧૨ ફૂટ લાંબા અજગરને જોઈને ખેતર માલિક અને આસપાસના ગ્રામજનો ભયભીત થઈ ગયા હતા. ઘટના અંગે તાત્કાલિક સ્થાનિક સિદ્ધાંત જીવદયા ટીમને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ સિદ્ધાંત જીવદયા ટીમની ટુકડી ત્વરિત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વન વિભાગના RFO દિનેશભાઈ ભાભોર તેમજ અશોકભાઈના માર્ગદર્શન અને સૂચના હેઠળ ટીમે અત્યંત સાવચેતી અને કુશળતાપૂર્વક રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી. ભારે જહમત બાદ અજગરને કોઈપણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વગર સુરક્ષિત રીતે પકડી પાડવામાં આવ્યો હતો. રેસ્ક્યુ બાદ આ મહાકાય અજગરને માનવ વસવાટથી દૂર તેના કુદરતી આવાસમાં સુરક્ષિત રીતે મુક્ત કરી દેવાયો હતો. સિદ્ધાંત જીવદયા ટીમની હિંમત, સતર્કતા અને વન વિભાગના સમયસરના માર્ગદર્શનના કારણે અજગરનો જીવ પણ બચ્યો હતો અને માનવ વસવાટ પર તોળાતું સંભવિત જોખમ પણ ટળ્યું હતું, જેને પગલે ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

2 days ago
user_Virendra Mehta
Virendra Mehta
Classified ads newspaper publisher Kalol, Panch Mahals•
2 days ago
3cea0e9d-4103-4656-8f59-52a7e585e844

૧૧ થી ૧૨ ફૂટના મહાકાય અજગરનું દિલધડક રેસ્ક્યુ: બાકરોલની સીમમાં અફરાતફરી વચ્ચે સિદ્ધાંત જીવદયા ટીમે ઉગાર્યો જીવ કાલોલ તાલુકાના બાકરોલ ગામની સીમમાં ૧૧થી ૧૨ ફૂટ લાંબો મહાકાય અજગર આવી ચડતાં સ્થાનિકોમાં ભારે દહેશત અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, વન વિભાગ અને સ્થાનિક જીવદયા પ્રેમીઓની સમયસૂચકતાને કારણે અજગરનું સફળતાપૂર્વક સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ઘટનાની મળતી વિગતો અનુસાર, બાકરોલ ગામની સીમમાં આવેલા અજબસિંહ રામસિંહ ગોહિલના ખેતર અને ઘર નજીક રવિવારે સાંજના સમયે અચાનક એક વિશાળકાય અજગર દેખાયો હતો. આશરે ૧૧થી ૧૨ ફૂટ લાંબા અજગરને જોઈને ખેતર માલિક અને આસપાસના ગ્રામજનો ભયભીત થઈ ગયા હતા. ઘટના અંગે તાત્કાલિક સ્થાનિક સિદ્ધાંત જીવદયા ટીમને જાણ

10a8b20e-ac65-4f71-8232-135364fa0ae7

કરવામાં આવી હતી. માહિતી મળતા જ સિદ્ધાંત જીવદયા ટીમની ટુકડી ત્વરિત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વન વિભાગના RFO દિનેશભાઈ ભાભોર તેમજ અશોકભાઈના માર્ગદર્શન અને સૂચના હેઠળ ટીમે અત્યંત સાવચેતી અને કુશળતાપૂર્વક રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી. ભારે જહમત બાદ અજગરને કોઈપણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વગર સુરક્ષિત રીતે પકડી પાડવામાં આવ્યો હતો. રેસ્ક્યુ બાદ આ મહાકાય અજગરને માનવ વસવાટથી દૂર તેના કુદરતી આવાસમાં સુરક્ષિત રીતે મુક્ત કરી દેવાયો હતો. સિદ્ધાંત જીવદયા ટીમની હિંમત, સતર્કતા અને વન વિભાગના સમયસરના માર્ગદર્શનના કારણે અજગરનો જીવ પણ બચ્યો હતો અને માનવ વસવાટ પર તોળાતું સંભવિત જોખમ પણ ટળ્યું હતું, જેને પગલે ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

More news from Panch Mahals and nearby areas
  • જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કાલોલ પોલીસ સ્ટેશનનું ઈન્સ્પેકશન કરાયુ. તેમજ લોકદરબાર યોજાયો લોકો સાથે સીધો સંવાદ. જિલ્લા પોલીસ અધિક્ષક ડો હરીશ દુધાત દ્વારા આજ  રોજ કાલોલ પોલીસ સ્ટેશન નું ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું આ પ્રસંગે કાલોલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક નવીન આહિર તેમજ પીઆઈ આર ડી ભરવાડ અને પીએસઆઈ એમ આર મોહનીયા તથા પીએસઆઇ એસ આર મકવાણા હાજર રહ્યા હતા .જિલ્લા પોલીસ અધિક્ષકને પી આઈ આર ડી ભરવાડ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતુ ત્યાર બાદ પોલીસ સ્ટાફ દ્વારા પરેડ કરવામા આવી હતી જેનુ પોલીસ અધિક્ષક દ્વારા નિરીક્ષણ કરવામા આવ્યુ હતું ત્યારબાદ પોલીસ સ્ટેશન નું વાર્ષિક ઈન્સપેકસન કરવામા આવ્યુ હતુ. જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા તમામ પોલીસ કર્મચારીઓનું સ્વાસ્થ્ય અને ગણવેશ નું નિરીક્ષણ કરવામા આવ્યુ હતુ અને તમામ રેકર્ડ ની ચકાસણી કરી જરૂરી સૂચનાઓ આપી હતી.ત્યારબાદ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં કાલોલ નાયબ પોલીસ અધિક્ષક નવિન આહિર, એલસીબી પીઆઈ, કાલોલ પીઆઈ આર.ડી. ભરવાડ અને પીએસઆઇ આર એમ મોહનીયા, પીએસઆઇ એસ.આર.મકવાણા સહિત પોલીસ કર્મચારીઓ તેમજ કાલોલ તાલુકા ભાજપ મંડળના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ,કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા અને કાલોલ શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઇ પારેખ‌ સહિત આજુબાજુ ગામના સરપંચ અને તાલુકા તેમજ કાલોલ શહેરના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઇ દુધાતે જણાવ્યું કે કાલોલ સાયબર ક્રાઈમથી સાવધ રહેવા, ડી.જે.ના ઉપયોગમાં સરકારી ગાઈડલાઈન અનુસરવા અને ગેરકાયદેસર નાણાં ધિરાણ કરતા ઈસમો વિરુદ્ધ તાત્કાલિક ફરિયાદ નોંધાવવા, બહાર ગામ જતા સમયે કિંમતી ઘરેણાં ઘરમાં ના રાખવા તેમજ પ્રધાનમંત્રી વીમા યોજના, અટલ પેન્શન યોજના નો લાભ લેવા નાગરિકોને અનુરોધ કરાયો હતો જ્યાં આ લોક સંવાદ સેતુમાં કાલોલ વિસ્તારના બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં નાગરિકોએ કાલોલ ભાથીજી મંદિર પાસેના દબાણો, પોલીસ મહેકમ વધારવા, પકડાયેલા ભંગાર વાહનો,આઉટ પોસ્ટ ની સંખ્યા વધારવા જેવા પ્રશ્નો પૂછ્યા હતા પોલીસ-પ્રજા વચ્ચે સીધો સંવાદ સ્થપાયો હતો.
    4
    જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કાલોલ પોલીસ સ્ટેશનનું ઈન્સ્પેકશન કરાયુ. તેમજ લોકદરબાર યોજાયો લોકો સાથે સીધો સંવાદ.
જિલ્લા પોલીસ અધિક્ષક ડો હરીશ દુધાત દ્વારા આજ  રોજ કાલોલ પોલીસ સ્ટેશન નું ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું આ પ્રસંગે કાલોલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક નવીન આહિર તેમજ પીઆઈ આર ડી ભરવાડ અને પીએસઆઈ એમ આર મોહનીયા તથા પીએસઆઇ એસ આર મકવાણા હાજર રહ્યા હતા .જિલ્લા પોલીસ અધિક્ષકને પી આઈ આર ડી ભરવાડ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતુ ત્યાર બાદ પોલીસ સ્ટાફ દ્વારા પરેડ કરવામા આવી હતી જેનુ પોલીસ અધિક્ષક દ્વારા નિરીક્ષણ કરવામા આવ્યુ હતું ત્યારબાદ પોલીસ સ્ટેશન નું વાર્ષિક ઈન્સપેકસન કરવામા આવ્યુ હતુ. જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા તમામ પોલીસ કર્મચારીઓનું સ્વાસ્થ્ય અને ગણવેશ નું નિરીક્ષણ કરવામા આવ્યુ હતુ અને તમામ રેકર્ડ ની ચકાસણી કરી જરૂરી સૂચનાઓ આપી હતી.ત્યારબાદ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં કાલોલ નાયબ પોલીસ અધિક્ષક નવિન આહિર, એલસીબી પીઆઈ, કાલોલ પીઆઈ આર.ડી. ભરવાડ અને પીએસઆઇ આર એમ મોહનીયા, પીએસઆઇ એસ.આર.મકવાણા સહિત પોલીસ કર્મચારીઓ તેમજ કાલોલ તાલુકા ભાજપ મંડળના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ,કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા અને કાલોલ શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઇ પારેખ‌ સહિત આજુબાજુ ગામના સરપંચ અને તાલુકા તેમજ કાલોલ શહેરના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઇ દુધાતે જણાવ્યું કે કાલોલ સાયબર ક્રાઈમથી સાવધ રહેવા, ડી.જે.ના ઉપયોગમાં સરકારી ગાઈડલાઈન અનુસરવા અને ગેરકાયદેસર નાણાં ધિરાણ કરતા ઈસમો વિરુદ્ધ તાત્કાલિક ફરિયાદ નોંધાવવા, બહાર ગામ જતા સમયે કિંમતી ઘરેણાં ઘરમાં ના રાખવા તેમજ પ્રધાનમંત્રી વીમા યોજના, અટલ પેન્શન યોજના નો લાભ લેવા નાગરિકોને અનુરોધ કરાયો હતો જ્યાં આ લોક સંવાદ સેતુમાં કાલોલ વિસ્તારના બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં નાગરિકોએ કાલોલ ભાથીજી મંદિર પાસેના દબાણો, પોલીસ મહેકમ વધારવા, પકડાયેલા ભંગાર વાહનો,આઉટ પોસ્ટ ની સંખ્યા વધારવા જેવા પ્રશ્નો પૂછ્યા હતા પોલીસ-પ્રજા વચ્ચે સીધો સંવાદ સ્થપાયો હતો.
    user_Virendra Mehta
    Virendra Mehta
    Classified ads newspaper publisher Kalol, Panch Mahals•
    8 hrs ago
  • હાલોલ નગરમાં ઈદે મિલાદુન્નબીની આણંદ ઉત્સાહના વાતાવરણમા ઉજવણી કરાઇ,નગરમા ભવ્ય જુલૂસ નીકળ્યું હાલોલ નગરમાં ઈદે મિલાદુન્નબીની આણંદ ઉત્સાહના વાતાવરણમા ઉજવણી કરાઇ,નગરમા ભવ્ય જુલૂસ નીકળ્યું ઇસ્લામ ધર્મના સ્થાપક અને મહાન પયગંબર હજરત મુહમ્મદ (સ.અ.વ.) સાહેબના જન્મ દીન એટલે ઈદે મિલાદુન્નબીની ઉજવણી આજે બુધવારના રોજ હાલોલ નગર ખાતે ભારે ધાર્મિક વાતાવરણમા આનંદ ઉત્સાહથી કરવામા આવી હતી.હાલોલ નગરમાં છેલ્લા કેટલાક દિવસોથી નગરના વિવિધ વિસ્તારોને રંગારંગ રોશની કરી ઝગમગતું કર્યું હતું.અને નગરની વિવિધ મસ્જિદોમાં ૧૧ દિવસ સુધી મહેફિલે મિલાદનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.જ્યારે આજે બુધવાર ના રોજ ઈદે મિલાદુન્નબીની ઉજવણીને લઈ હાલોલ નગરના મુસ્લીમોમાં ભારે ઉત્સાહ સાથે બિરાદરો અને બાળકોએ અવનવા પોશાક પેહરી ઈદે મિલાદુન્નબીની ઉજવણી કરી હતી.જ્યારે આ ઉજવણી ને લઇ હાલોલ નગરના લીમડી ફળિયા અમીરે મિલ્લત ચોક ખાતેથી ભવ્ય જુલૂસ નીકળ્યું હતું.જે નગરના કસ્બા હુસેની ચોક,રહીમ કોલોની,ખોખર ફળીયા, કરીમ કોલોની,૧૦૧ કોલોની,૫૧ કોલોની,કોથીફલિયા,બાદશાહ બાબાની દરગાહ,પાવાગઢ રોડ,મહમદ સ્ટ્રીટ,કુંભાર વાળા,મોઘાવાલા,ઘોડાપીરની દરગાહ,બોમ્બે હાઉસ થઇ પરત લીમડી ફળિયા ખાતે પહોચ્યું હતું અને સલાતો સલામ બાદ નિયાઝ લંગર તકસીમ કરવામાં આવ્યું હતું.જ્યારે ઈદે મિલાદુન્નબીની ઉજવણીને લઈ નગરમાં ઠેર ઠેર પાણી તેમજ દૂધ કોલ્ડ્રિંક તેમજ વિવિધ ખાણીપીણી ની છબિલો લાગી હતી અને આવનારા તમામ લોકોને તેનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે નગરના વિવિધ વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને શાંતિપૂર્વક માહોલમાં મુસ્લિમ સમાજના લોકોએ ઈદે મિલાદુન્નબીની ઉજવણી કરી હતી.
    1
    હાલોલ નગરમાં ઈદે મિલાદુન્નબીની આણંદ ઉત્સાહના વાતાવરણમા ઉજવણી કરાઇ,નગરમા ભવ્ય જુલૂસ નીકળ્યું

હાલોલ નગરમાં ઈદે મિલાદુન્નબીની આણંદ ઉત્સાહના વાતાવરણમા ઉજવણી કરાઇ,નગરમા ભવ્ય જુલૂસ નીકળ્યું
ઇસ્લામ ધર્મના સ્થાપક અને મહાન પયગંબર હજરત મુહમ્મદ (સ.અ.વ.) સાહેબના જન્મ દીન એટલે ઈદે મિલાદુન્નબીની ઉજવણી આજે બુધવારના રોજ હાલોલ નગર ખાતે ભારે ધાર્મિક વાતાવરણમા આનંદ ઉત્સાહથી કરવામા આવી હતી.હાલોલ નગરમાં છેલ્લા કેટલાક દિવસોથી નગરના વિવિધ વિસ્તારોને રંગારંગ રોશની કરી ઝગમગતું કર્યું હતું.અને નગરની વિવિધ મસ્જિદોમાં ૧૧ દિવસ સુધી મહેફિલે મિલાદનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.જ્યારે આજે બુધવાર ના રોજ ઈદે મિલાદુન્નબીની ઉજવણીને લઈ હાલોલ નગરના મુસ્લીમોમાં ભારે ઉત્સાહ સાથે બિરાદરો અને બાળકોએ અવનવા પોશાક પેહરી ઈદે મિલાદુન્નબીની ઉજવણી કરી હતી.જ્યારે આ ઉજવણી ને લઇ હાલોલ નગરના લીમડી ફળિયા અમીરે મિલ્લત ચોક ખાતેથી ભવ્ય જુલૂસ નીકળ્યું હતું.જે નગરના કસ્બા હુસેની ચોક,રહીમ કોલોની,ખોખર ફળીયા, કરીમ કોલોની,૧૦૧ કોલોની,૫૧ કોલોની,કોથીફલિયા,બાદશાહ બાબાની દરગાહ,પાવાગઢ રોડ,મહમદ સ્ટ્રીટ,કુંભાર વાળા,મોઘાવાલા,ઘોડાપીરની દરગાહ,બોમ્બે હાઉસ થઇ પરત લીમડી ફળિયા ખાતે પહોચ્યું હતું અને સલાતો સલામ બાદ નિયાઝ લંગર તકસીમ કરવામાં આવ્યું હતું.જ્યારે ઈદે મિલાદુન્નબીની ઉજવણીને લઈ નગરમાં ઠેર ઠેર પાણી તેમજ દૂધ કોલ્ડ્રિંક તેમજ વિવિધ ખાણીપીણી ની છબિલો લાગી હતી અને આવનારા તમામ લોકોને તેનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે નગરના વિવિધ વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને શાંતિપૂર્વક માહોલમાં મુસ્લિમ સમાજના લોકોએ ઈદે મિલાદુન્નબીની ઉજવણી કરી હતી.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    10 hrs ago
  • વડોદરા શહેર કોંગ્રેસ જિલ્લા સમિતિ દ્વારા ઈદે મિલાદુન નબી તહેવારમાં જોડાયા
    4
    વડોદરા શહેર કોંગ્રેસ જિલ્લા સમિતિ દ્વારા ઈદે મિલાદુન નબી તહેવારમાં જોડાયા
    user_Husenbhai multani
    Husenbhai multani
    Farmer વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    2 hrs ago
  • સરકારી વિનયન કૉલેજ શહેરા ખાતે સંસ્કૃત વિભાગ દ્વારા રક્ષાબંધનની ભાવસભર ઉજવણી: સ્નેહ અને સંસ્કૃતિનો અનોખો સંગમ સરકારી વિનયન કૉલેજ, શહેરાના સંસ્કૃત વિભાગ દ્વારા તા. ૨૭ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ પવિત્ર રક્ષાબંધન પર્વની ભાવપૂર્ણ અને ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. સ્નેહ, સુરક્ષા અને ભારતીય સંસ્કૃતિના પવિત્ર સંબંધોના પ્રતીક સમાન આ પર્વની ઉજવણીનો પ્રારંભ વૈદિક મંત્ર "યેન બદ્ધો બલી રાજા દાનવેન્દ્રો મહાબલઃ। તેન ત્વામપિ બધ્નામિ રક્ષે મા ચલ મા ચલ॥" ના મંગલોચ્ચારણ સાથે કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન સંસ્કૃત વિભાગના અધ્યાપક ડૉ. શૈલેષ રાઉલજીએ વિદ્યાર્થીઓને રક્ષાબંધન પર્વનો ઐતિહાસિક અને પૌરાણિક સંદર્ભ, આ પર્વ શા માટે ઉજવવામાં આવે છે તેમજ વૈદિક સંસ્કૃતિમાં રક્ષાસૂત્રનું સાચું મહત્વ વિવિધ પ્રેરણાદાયી દ્રષ્ટાંતો દ્વારા ખૂબ જ સચોટ રીતે સમજાવ્યું હતું. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ એકબીજાને સ્નેહપૂર્વક રાખડી બાંધીને આદર, સૌહાર્દ અને પરસ્પર સુરક્ષાનો પવિત્ર સંકલ્પ લીધો હતો. સંસ્કાર, સંસ્કૃતિ અને પવિત્ર સંબંધોની ગરિમા ઉજાગર કરતી આ અવિસ્મરણીય క్షણોથી સમગ્ર કૉલેજ પરિસર ભક્તિ અને સ્નેહના રંગે રંગાયું હતું.
    2
    સરકારી વિનયન કૉલેજ શહેરા ખાતે સંસ્કૃત વિભાગ દ્વારા રક્ષાબંધનની ભાવસભર ઉજવણી: સ્નેહ અને સંસ્કૃતિનો અનોખો સંગમ
સરકારી વિનયન કૉલેજ, શહેરાના સંસ્કૃત વિભાગ દ્વારા તા. ૨૭ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ પવિત્ર રક્ષાબંધન પર્વની ભાવપૂર્ણ અને ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. સ્નેહ, સુરક્ષા અને ભારતીય સંસ્કૃતિના પવિત્ર સંબંધોના પ્રતીક સમાન આ પર્વની ઉજવણીનો પ્રારંભ વૈદિક મંત્ર "યેન બદ્ધો બલી રાજા દાનવેન્દ્રો મહાબલઃ। તેન ત્વામપિ બધ્નામિ રક્ષે મા ચલ મા ચલ॥" ના મંગલોચ્ચારણ સાથે કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન સંસ્કૃત વિભાગના અધ્યાપક ડૉ. શૈલેષ રાઉલજીએ વિદ્યાર્થીઓને રક્ષાબંધન પર્વનો ઐતિહાસિક અને પૌરાણિક સંદર્ભ, આ પર્વ શા માટે ઉજવવામાં આવે છે તેમજ વૈદિક સંસ્કૃતિમાં રક્ષાસૂત્રનું સાચું મહત્વ વિવિધ પ્રેરણાદાયી દ્રષ્ટાંતો દ્વારા ખૂબ જ સચોટ રીતે સમજાવ્યું હતું. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ એકબીજાને સ્નેહપૂર્વક રાખડી બાંધીને આદર, સૌહાર્દ અને પરસ્પર સુરક્ષાનો પવિત્ર સંકલ્પ લીધો હતો. સંસ્કાર, સંસ્કૃતિ અને પવિત્ર સંબંધોની ગરિમા ઉજાગર કરતી આ અવિસ્મરણીય క్షણોથી સમગ્ર કૉલેજ પરિસર ભક્તિ અને સ્નેહના રંગે રંગાયું હતું.
    user_Ganpat Makwana
    Ganpat Makwana
    શેહેરા, પંચમહાલ, ગુજરાત•
    3 hrs ago
  • राहुल गांधी कभी तो प्रियंका से राखी बंधवाते...? उनकी रक्षा का वचन देकर दिखाएं... स्वामी अविमुक्तेश्वरानंद सरस्वती
    1
    राहुल गांधी कभी तो प्रियंका से राखी बंधवाते...? उनकी रक्षा का वचन देकर दिखाएं...

स्वामी अविमुक्तेश्वरानंद सरस्वती
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    6 hrs ago
  • શ્રાવણ માસ નિમિત્તે અટલાદરા BAPS સ્વામિનારાયણ મંદિરે એફીલ ટાવર ની ભવ્ય પ્રતિકૃતિ નીચે હિંડોળા પર્વની ભવ્ય ઉજવણી
    1
    શ્રાવણ માસ નિમિત્તે અટલાદરા BAPS સ્વામિનારાયણ મંદિરે એફીલ ટાવર ની ભવ્ય પ્રતિકૃતિ નીચે હિંડોળા પર્વની ભવ્ય ઉજવણી
    user_THE BEALERT NEWS
    THE BEALERT NEWS
    વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    7 hrs ago
  • કાલોલની એમ. એમ. ગાંધી કોલેજની એન.એસ.એસ.ની વિદ્યાર્થીનીઓએ પોલીસ જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી કાલોલની એમ. એમ. ગાંધી કોલેજની એન.એસ.એસ.ની વિદ્યાર્થીનીઓએ પોલીસ જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી કાલોલ સ્થિત એમ. એમ. ગાંધી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના એન.એસ.એસ. (NSS) વિભાગની વિદ્યાર્થીનીઓ દ્વારા આજે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીનીઓએ કાલોલ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ ત્યાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે રાત-દિવસ ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને રાખડી બાંધીને રક્ષાબંધનની ભાવસભર ઉજવણી કરી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીનીઓએ કાલોલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એમ. આર. મોહનીયા તથા પી.એસ.આઈ. એસ. આર. મકવાણા સહિત ઉપસ્થિત તમામ પોલીસ જવાનોને તિલક કરી રાખડી બાંધી હતી અને તેમના દીર્ઘાયુ તથા સુરક્ષાની પ્રાર્થના કરી હતી. સમાજની સુરક્ષા કાજે સતત તૈનાત રહેતા પોલીસ જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સરાહનીય કાર્યક્રમમાં એન.એસ.એસ. વિભાગના પ્રોગ્રામ ઓફિસર ડૉ. હરેશ સુથાર તેમજ ડૉ. અર્જુનસિંહ ગઢવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીનીઓનું માર્ગદર્શન કર્યું હતું. પોલીસ પરિવારે પણ વિદ્યાર્થીનીઓના આ સ્નેહપૂર્ણ પ્રતિક બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
    2
    કાલોલની એમ. એમ. ગાંધી કોલેજની એન.એસ.એસ.ની વિદ્યાર્થીનીઓએ પોલીસ જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી
કાલોલની એમ. એમ. ગાંધી કોલેજની એન.એસ.એસ.ની વિદ્યાર્થીનીઓએ પોલીસ જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી
કાલોલ સ્થિત એમ. એમ. ગાંધી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના એન.એસ.એસ. (NSS) વિભાગની વિદ્યાર્થીનીઓ દ્વારા આજે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીનીઓએ કાલોલ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ ત્યાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે રાત-દિવસ ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને રાખડી બાંધીને રક્ષાબંધનની ભાવસભર ઉજવણી કરી હતી.
આ પ્રસંગે વિદ્યાર્થીનીઓએ કાલોલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એમ. આર. મોહનીયા તથા પી.એસ.આઈ. એસ. આર. મકવાણા સહિત ઉપસ્થિત તમામ પોલીસ જવાનોને તિલક કરી રાખડી બાંધી હતી અને તેમના દીર્ઘાયુ તથા સુરક્ષાની પ્રાર્થના કરી હતી. સમાજની સુરક્ષા કાજે સતત તૈનાત રહેતા પોલીસ જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સરાહનીય કાર્યક્રમમાં એન.એસ.એસ. વિભાગના પ્રોગ્રામ ઓફિસર ડૉ. હરેશ સુથાર તેમજ ડૉ. અર્જુનસિંહ ગઢવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીનીઓનું માર્ગદર્શન કર્યું હતું. પોલીસ પરિવારે પણ વિદ્યાર્થીનીઓના આ સ્નેહપૂર્ણ પ્રતિક બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
    user_Virendra Mehta
    Virendra Mehta
    Classified ads newspaper publisher Kalol, Panch Mahals•
    8 hrs ago
  • નેપાળ-તિબેટ બોર્ડર પર બુધવારે સવારે અચાનક આવેલા પૂરથી નેપાળના રસૂવા જિલ્લામાં ભારે તબાહી મચી ગઈ. સવારે 9 વાગ્યે ભોટેકોશી નદીમાં અચાનક પાણીનો તેજ પ્રવાહ આવ્યો જેમાં ઘણા વિસ્તારો તેની ઝપેટમાં આવી ગયા. નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 95 લોકોના મોત થયાના સમાચાર છે. નેપાળના પર્યટન વિભાગના જણાવ્યા અનુસાર 500થી વધુ લોકો ગુમ છે. તેમાં 133 ભારતીયો સહિત 300થી વધુ વિદેશી પર્યટકોનો સમાવેશ થાય છે
    1
    નેપાળ-તિબેટ બોર્ડર પર બુધવારે સવારે અચાનક આવેલા પૂરથી નેપાળના રસૂવા જિલ્લામાં ભારે તબાહી મચી ગઈ. સવારે 9 વાગ્યે ભોટેકોશી નદીમાં અચાનક પાણીનો તેજ પ્રવાહ આવ્યો જેમાં ઘણા વિસ્તારો તેની ઝપેટમાં આવી ગયા. નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 95 લોકોના મોત થયાના સમાચાર છે. નેપાળના પર્યટન વિભાગના જણાવ્યા અનુસાર 500થી વધુ લોકો ગુમ છે. તેમાં 133 ભારતીયો સહિત 300થી વધુ વિદેશી પર્યટકોનો સમાવેશ થાય છે
    user_Bhavik Solanki
    Bhavik Solanki
    Local News Reporter વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.