પાટણ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગઃ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ: રાધનપુર, સમી, હારીજ પંથકમાં વરસાદ પાટણ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગઃ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા; અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં પ્રસરી ઠંડક પાટણ: હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે પાટણ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. શુક્રવારે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું. પાટણ શહેર સહિત સમી, હારીજ, રાધનપુર અને સાંતલપુર પંથકમાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો. પાટણ શહેરમાં ધોધમાર વરસાદ વરસતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં રસ્તાઓ પર ચોમેર પાણી જ પાણી જોવા મળ્યું હતું. સમી, હારીજ અને રાધનપુર પંથકમાં પણ બપોર બાદ અચાનક કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. ત્યારબાદ પવન સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો. સાંતલપુર પંથકમાં પણ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદ વરસતાં લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી હતી. વરસાદી માહોલથી સમગ્ર પાટણ જિલ્લામાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. અનેક સ્થળોએ બાળકો વરસાદમાં નાહવાની મજા માણતા જોવા મળ્યા હતા. બીજી તરફ વરસાદના આગમનથી ખેડૂતોમાં આશા સાથે ચિંતાનું મોજું પણ જોવા મળ્યું છે. સમયસર અને સારો વરસાદ થાય તો ખેતી માટે ફાયદો થવાની આશા ખેડૂતોમાં જાગી છે, પરંતુ ભારે વરસાદ અને પવનને કારણે પાકને નુકસાન થવાની ભીતિ પણ ખેડૂતોમાં જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે જિલ્લામાં વરસાદી માહોલ વધુ સક્રિય બનતાં વહીવટી તંત્ર પણ સાવચેત બન્યું છે. આગામી દિવસોમાં વરસાદની સ્થિતિને પગલે નીચાણવાળા વિસ્તારો અને સંવેદનશીલ સ્થળોએ તંત્ર દ્વારા તકેદારી રાખવી જરૂરી બની છે. રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
પાટણ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગઃ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ: રાધનપુર, સમી, હારીજ પંથકમાં વરસાદ પાટણ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગઃ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા; અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં પ્રસરી ઠંડક પાટણ: હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે પાટણ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. શુક્રવારે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા ભારે પવન સાથે વરસાદનું
આગમન થયું હતું. પાટણ શહેર સહિત સમી, હારીજ, રાધનપુર અને સાંતલપુર પંથકમાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો. પાટણ શહેરમાં ધોધમાર વરસાદ વરસતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં રસ્તાઓ પર ચોમેર પાણી જ પાણી જોવા મળ્યું હતું. સમી, હારીજ અને રાધનપુર પંથકમાં પણ બપોર બાદ અચાનક કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા.
ત્યારબાદ પવન સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો. સાંતલપુર પંથકમાં પણ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદ વરસતાં લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી હતી. વરસાદી માહોલથી સમગ્ર પાટણ જિલ્લામાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. અનેક સ્થળોએ બાળકો વરસાદમાં નાહવાની મજા માણતા જોવા મળ્યા હતા. બીજી તરફ વરસાદના આગમનથી ખેડૂતોમાં આશા સાથે ચિંતાનું મોજું
પણ જોવા મળ્યું છે. સમયસર અને સારો વરસાદ થાય તો ખેતી માટે ફાયદો થવાની આશા ખેડૂતોમાં જાગી છે, પરંતુ ભારે વરસાદ અને પવનને કારણે પાકને નુકસાન થવાની ભીતિ પણ ખેડૂતોમાં જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે જિલ્લામાં વરસાદી માહોલ વધુ સક્રિય બનતાં વહીવટી તંત્ર પણ સાવચેત બન્યું છે. આગામી દિવસોમાં વરસાદની સ્થિતિને પગલે નીચાણવાળા વિસ્તારો અને સંવેદનશીલ સ્થળોએ તંત્ર દ્વારા તકેદારી રાખવી જરૂરી બની છે. રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
- રાધનપુર શહેરમાં વરસાદ વચ્ચે ટ્રાફિક પોલીસની પ્રશંસનીય કામગીરી રાધનપુર શહેરમાં વરસાદ વચ્ચે ટ્રાફિક પોલીસની પ્રશંસનીય કામગીરી રાધનપુર શહેરમાં વરસાદી માહોલ વચ્ચે ટ્રાફિક પોલીસ દ્વારા ફરજ પ્રત્યેની નિષ્ઠા અને જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. ભારે વરસાદ વચ્ચે પણ ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને વાહનચાલકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ટ્રાફિક પોલીસના કર્મચારીઓ ખડેપગે ફરજ બજાવતા જોવા મળ્યા હતા. ચાલુ વરસાદમાં ટ્રાફિક વ્યવસ્થા સંભાળતા મનુભાઈ દેસાઈ, તુસારભાઈ ઠાકોર સહિતના સ્ટાફે રસ્તા પર રહી વાહનોનું યોગ્ય સંચાલન કરાવ્યું હતું. વરસાદને કારણે માર્ગો પર પાણી ભરાવા અને વાહનોની અવરજવર વધવા છતાં પોલીસ સ્ટાફ દ્વારા ટ્રાફિકને સુવ્યવસ્થિત રાખવા સતત કામગીરી કરવામાં આવી હતી. વરસાદમાં પલળીને પણ પોતાની ફરજ નિભાવતા ટ્રાફિક પોલીસના કર્મચારીઓની કામગીરીની સ્થાનિક વાહનચાલકો અને નગરજનો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. ફરજ પ્રત્યેની આ નિષ્ઠા બદલ ટ્રાફિક પોલીસ સ્ટાફને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ2
- *સમી તાલુકાના દાદર ગામના અજમલભાઈ ચૌધરીના અપહરણ અને મારપીટ મામલે ન્યાયની ગર્જના"1
- Cm bhupendra patel |યુવાનોના ભવિષ્ય સાથે રમત કરનારાઓ સાવધાન, હવે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે કાર્યવાહી1
- સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જયંતી નિમિત્તે 'સમરસતા સંકલ્પ અભિયાન' સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જયંતી નિમિત્તે 'સમરસતા સંકલ્પ અભિયાન' હેઠળ 'અંબાજીથી જગન્નાથ મંદિર(અમદાવાદ)' સુધી યોજાશે ભવ્ય કળશ યાત્રા. 📍શુભારંભ તારીખ: 1 ઓગસ્ટ, 2026 - શનિવાર સમય: સવારે 8:30 કલાકે સ્થળ: ગબ્બર ચોક, અંબાજી1
- ભાભર તાલુકાના અધિકારી ઓ સાથે ડિઝાસ્ટર લાયઝન અધિકારી દ્વારા સમીક્ષા વિડિઓ કોમફ્રેશ બેઠક યોજાઈ... હવામાન વિભાગ ની આગાહી ને લઈ વહીવટી તંત્ર સાબદું બન્યું છે તેમજ વહીવટી તંત્ર દ્વારા લોકોને સલામતી માટે પગલા લેવામાં આવી રહા છે ત્યારે વાવ થરાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હવામાન વિભાગની આગાહીને લઈને વરસાદી આપત્તિ પહોંચી વળવા માટે જિલ્લા કલેકટર દ્વારા વાવ થરાદ જિલ્લા ના તાલુકાઓમાં નાયબ કલેકટરો ની તાલુકા વાઇઝ ડિઝાસ્ટર લાયઝન અધિકારીની નિમણૂક કરવામાં આવી છે આજ રોજ ભાભર મામલતદાર કચેરી મુકામે સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં નાયબ કલેક્ટર રાજેન્દ્ર ઠાકોર ભાભર તાલુકાના ડિઝાસ્ટર લાયઝન અધિકારી દ્વારા ભાભર તાલુકાના અધિકારી ઓ સાથે વીડિયો કોન્ફ્રેશ થી વરસાદી આપતી ને પહોંચી વળવા આગોતરી કામગીરી અંગે ની મીટીંગ યોજાઈ હતી તેમજ જરૂરી ચૂચના ઓ આપવામાં આવી હતી બેઠક માં ભાભર મામલતદાર , તાલુકા વિકાસ અધિકારી,તેમજ ચીફ ઓફિસર રૂબરૂ ઉપસ્થિત રહા હતા તેમજ નાયબ કલેક્ટર રાજેન્દ્ર ઠાકોર દ્વારા લોકો ને અપીલ કરવામાં આવી હતી આગાહી ને પગલે લોકો એ બિન જરૂરી બહાર નીકળવું નહીં નીચાણ વાળા વિસ્તારો ના લોકો એ સલામત સ્થળે જતું રહેવું પોતાના પશુ ને બાંધી ને રાખવા નહીં પૂરતું કરિયાણું ખાધ સામગ્રી રાખવી સહિત ની જરૂરી ચૂચના આપવામાં આવી હતી1
- દિયોદર વિસ્તારમાં સંભવિત ભારે વરસાદને પગલે વહીવટી સજ્જ ઈમરજન્સી બેઠક યોજાઈ દિયોદર વિસ્તારમાં સંભવિત ભારે વરસાદને પગલે વહીવટી સજ્જ ઈમરજન્સી બેઠક યોજાઈ ધારાસભ્ય કેશાજી ચૌહાણ અને પ્રાંત અધિકારી ડી. એન. કાછડ ની ઉપસ્થિતિમાં પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરાઈ; વીજળી અને આરોગ્ય સેવાઓ સતત ચાલુ રાખવા સૂચના વાવ-થરાદ જિલ્લાના દિયોદર પંથકમાં હવામાન વિભાગ દ્વારા સંભવિત અતિભારે વરસાદની આગાહીને પગલે સ્થાનિક વહીવટી તંત્ર સંપૂર્ણ પણે હાઈએલર્ટ મોડ પર આવી ગયું છે. વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ભાગરૂપે દિયોદર પ્રાંત કચેરી ખાતે તાત્કાલિક અસર થી એક સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. પ્રાંત અધિકારી ડી. એન. કાછડ ના અધ્યક્ષસ્થાને અને સ્થાનિક દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં વિસ્તારના તમામ બિન-સચિવાલયી અને લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં સંભવિત આફત સામે તંત્રની પૂર્વ તૈયારીઓ અંગે વિગતવાર ચર્ચા-વિચારણા કરી જરૂરી રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો. અતિભારે વરસાદ અને વાવાઝોડા જેવી સ્થિતિમાં પણ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાય નહીં અને જો ક્યાંક ખામી સર્જાય તો તાત્કાલિક ધોરણે તેનું નિવારણ કરી વીજળી કાર્યરત રાખવા વીજ કંપનીના અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી હતી ઈમરજન્સી સ્થિતિમાં આરોગ્ય વિષયક સેવાઓ તાત્કાલિક મળી રહે તે માટે પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રો પર જરૂરી દવાઓ, એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમ તૈયાર રાખવા આદેશ કરાયા છે. વાવ-થરાદ જિલ્લાના દિયોદર પંથકના સરહદી અને નીચાણવાળા વિસ્તારો પર સતત નજર રાખવા તેમજ જરૂર પડે ત્યાં સ્થળાંતર અને રાહત-બચાવ કામગીરી માટે ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. બેઠકના અંતે વહીવટી તંત્ર અને ધારાસભ્યશ્રી દ્વારા પ્રજાજનોને અપીલ કરવામાં આવી છે કે, અતિભારે વરસાદની શક્યતાઓને જોતાં lતમામ નાગરિકોએ સાવચેતી રાખવી અને બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળવું. કોઈ પણ ઈમરજન્સી સ્થિતિમાં તંત્રનો સંપર્ક કરવા અને અફવાઓ થી દૂર રહેવા પણ જણાવાયું છે.2
- વાવ થરાદ જિલ્લામાં ચાંદીપુરા વાયરસ નું પોઝીટીવ કેસ નુ નિવેદન આવ્યા બાદ એક બાળકી નું મોત અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ1
- વડાપ્રધાન નરેન્દ્રમોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે યુવાનોના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૃઢ નેતૃત્વમાં સંસદમાં જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026નું પસાર થવું એ દેશના કરોડો યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવાની એક ઐતિહાસિક પહેલ છે. સમગ્ર ગુજરાત આ સુધારાને આવકારે છે. માનનીય વડાપ્રધાનશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે યુવાનોના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. આ કાયદો એ જ સંકલ્પનું જીવંત પ્રતિબિંબ છે. પેપર લીક માફિયાઓ સામે કઠિન સજા, આકરા દંડ, ફાસ્ટ ટ્રેક કોર્ટ અને ટેકનોલોજી આધારિત સુરક્ષાથી હવે પરીક્ષા પ્રણાલી વધુ પારદર્શક અને વિશ્વસનીય બનશે. આદરણીય મોદીજી યુવાનોને 'નવા ભારત'ના સાચા નિર્માતા માને છે અને અમૃતકાળમાં યુવાધનને મેરિટના આધારે સમાન તક આપીને 'વિકસિત ભારત @ 2047’ ના વિઝનને સાકાર કરવા સંકલ્પબદ્ધ છે. માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર પણ 'મેરિટ ફર્સ્ટ'ના સિદ્ધાંત સાથે યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે કટિબદ્ધ છે.1