Shuru
Apke Nagar Ki App…
સુરતમાં પિઝાનું રો મટીરીયલ કચરાની જેમ રિક્ષામાં ભરીને લઈ જવામાં આવી રહ્યું હોવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ રિક્ષામાં બેઠેલી એક મહિલા ચંપલ પહેરીને પિઝાના આ કાચા માલ (રો મટીરીયલ) પર જ પગ રાખીને બેઠેલી જોવા મળી રહી છે. આ પ્રકારની ગંદકી જોઈને પિઝા પ્રેમીઓ પણ વિચારમાં પડી જશે કે આખરે કેવા પ્રકારના પૌષ્ટિક પિઝા તેમની થાળીમાં પીરસવામાં આવી રહ્યા છે. સુરતની જનતા ખૂબ જ હોંશે હોંશે આવા પિઝાનું સેવન કરી રહી છે, તેથી સુરતની અંદર રહેતા પિઝા લવર્સે હવે સાવધાન થઈ જવાની જરૂર છે. આ સમગ્ર બાબત અંગે સુરતથી નરેન્દ્ર પટેલે અહેવાલ આપ્યો છે.
Bharat Tv24 News
સુરતમાં પિઝાનું રો મટીરીયલ કચરાની જેમ રિક્ષામાં ભરીને લઈ જવામાં આવી રહ્યું હોવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ રિક્ષામાં બેઠેલી એક મહિલા ચંપલ પહેરીને પિઝાના આ કાચા માલ (રો મટીરીયલ) પર જ પગ રાખીને બેઠેલી જોવા મળી રહી છે. આ પ્રકારની ગંદકી જોઈને પિઝા પ્રેમીઓ પણ વિચારમાં પડી જશે કે આખરે કેવા પ્રકારના પૌષ્ટિક પિઝા તેમની થાળીમાં પીરસવામાં આવી રહ્યા છે. સુરતની જનતા ખૂબ જ હોંશે હોંશે આવા પિઝાનું સેવન કરી રહી છે, તેથી સુરતની અંદર રહેતા પિઝા લવર્સે હવે સાવધાન થઈ જવાની જરૂર છે. આ સમગ્ર બાબત અંગે સુરતથી નરેન્દ્ર પટેલે અહેવાલ આપ્યો છે.
More news from ગુજરાત and nearby areas
- બનારસ પોતાની વિશ્વપ્રસિદ્ધ બનારસી સાડીઓ, ગુલાબી મીનાકારી અને લાકડાના રમકડાં માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. હવે અહીંના સ્થાનિક કારીગરોને એક નવી અને ભવ્ય ઓળખ મળવા જઈ રહી છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના દૂરદર્શી નેતૃત્વ હેઠળ, બનારસમાં એક અત્યંત શાનદાર 'યુનિટી મોલ' (Unity Mall) નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ કોઈ સામાન્ય મોલ નહીં હોય, પરંતુ અહીં દેશભરના 'વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ' (ODOP) અને બનારસની તમામ સ્થાનિક હસ્તકળાઓ માટે એક જ છત નીચે સૌથી મોટું બજાર સજશે. આ ભવ્ય પહેલના કારણે વિશ્વભરમાંથી આવતા પ્રવાસીઓ હવે કોઈપણ વચેટિયા વિના સીધા જ સ્થાનિક કારીગરો પાસેથી તેમની અદભુત કળા ખરીદી શકશે. આ આત્મનિર્ભર બની રહેલી કાશીની એક નવી ઉડાન છે. હર હર મહાદેવ!1
- સુરતના સચિન જીઆઈડીસીમાં આવેલી રાનીસતી ક્રિએશન કંપની દ્વારા જાહેર નાળામાં કેમિકલ યુક્ત ઝેરી પાણી વહાવવામાં આવતું હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. પર્યાવરણને નુકસાન પહોંચાડતી આ પ્રવૃત્તિ પર એક જાગૃત નાગરિકની નજર પડતા તેમણે તાત્કાલિક ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)માં લેખિત અને મૌખિક ફરિયાદ કરી હતી. આ ફરિયાદના આધારે જીપીસીબીની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને રાનીસતી ક્રિએશનના પ્લોટ પર તપાસ હાથ ધરી હતી. અધિકારીઓએ નાળામાં વહી રહેલા કેમિકલ યુક્ત પાણીની ગંભીરતાને જોઈને ઘટનાસ્થળેથી જ લાઈવ સેમ્પલ લીધા હતા અને તેને લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા હતા. જોકે, આ સમગ્ર કાર્યવાહી દરમિયાન ઘટનાસ્થળે હાજર જીપીસીબીના અધિકારીઓનું વલણ અત્યંત શંકાસ્પદ રહ્યું હતું. સ્થાનિક પત્રકારોએ જ્યારે અધિકારીઓને કંપની સામે શું કાર્યવાહી થશે અને પ્રાથમિક તપાસમાં શું જાણવા મળ્યું છે તે અંગે પ્રશ્નો પૂછ્યા, ત્યારે અધિકારીઓ મીડિયાના સવાલોના જવાબો આપવાનું ટાળીને કોઈ પણ સત્તાવાર પ્રતિક્રિયા આપ્યા વિના ત્યાંથી રવાના થઈ ગયા હતા. અધિકારીઓની આ રહસ્યમય ચૂપકીદીને કારણે હવે અનેક પ્રકારની ચર્ચાઓ વહેતી થઈ છે કે શું અધિકારીઓ કોઈ દબાણ હેઠળ કામ કરી રહ્યા છે અથવા તો કંઈક છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે? પત્રકારોના સવાલોના જવાબ ન આપીને અધિકારીઓ કોને બચાવવા માંગે છે તેવા સવાલો પણ ઉભા થયા છે. જાગૃત નાગરિકની સતર્કતાથી આ પર્યાવરણીય કૌભાંડ તો ઉજાગર થઈ ગયું છે, પરંતુ હવે જોવાનું એ રહેશે કે જીપીસીબીના ઉચ્ચ અધિકારીઓ આ કેમિકલ માફિયાઓ સામે શું પગલાં ભરે છે.1
- કચ્છમાં થયેલી રૂ. 9.40 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે, જેમાં આરોપીની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે.1
- સુરત શહેરમાં આકાશી આફત બાદ આવેલા પૂરથી જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું. આ મુશ્કેલ સમયમાં અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે અનેક સેવાભાવી સંસ્થાઓ, સામાજિક આગેવાનો અને સામાન્ય નાગરિકો દિવસ-રાત એક કરી રહ્યા હતા. પરંતુ જ્યાં કોઈનું પણ ધ્યાન ન ગયું, ત્યાં સચિન GIDC પોલીસે માનવતા અને જીવદયાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સુરતમાં પૂરની આ વિકટ પરિસ્થિતિમાં સચિન GIDC પોલીસે ગાયો સુધી આશાનો ચારો પહોંચાડ્યો છે.1
- સુરતના ઉધનામાં ભારે વરસાદથી સર્જાયેલી પીડા પર એક હૃદયસ્પર્શી ગીત તૈયાર કરવામાં આવ્યું છે. આ ગીતના શબ્દો ડૉ. નિર્મલ વાણીયાવાળા દ્વારા લખવામાં આવ્યા છે, જેને પારસ મ્યુઝિક સ્ટુડિયોમાં સંગીત મઢીને પ્રસ્તુત કરાયું છે. આ ગીત દ્વારા સમાજમાં માનવતા, એકતા અને સેવાભાવનો સંદેશ ફેલાવવામાં આવ્યો છે. તેમાં વરસાદગ્રસ્ત લોકોની વેદના અને તેમને મદદ કરવાની ઉમદા ભાવનાનું અત્યંત ભાવસભર ચિત્રણ કરવામાં આવ્યું છે. હાલમાં આ વિશેષ ગીતને લોકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.1
- સુરતના કતારગામમાં આવેલા વાલીનાથ ચોકમાં એક ભયાનક અકસ્માત સર્જાયો છે. અહીં એક કાર બેકાબૂ બની ગઈ હતી અને તેણે અન્ય ત્રણ કારને અડફેટે લીધી હતી.1