વેજલપુર મનરેગાના રૂ 95લાખના 25 કામોમાં ગેરરીતી અને ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે કાલોલ તાલુકા પંચાયત સદસ્ય દ્વારા તપાસની માગ કરતુ આવેદન આપ્યું કાલોલ તા ૧૧/૦૮/૨૫ કાલોલ તાલુકા પંચાયતની વેજલપુર બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર તરીકે જીતેલા સલીમ મહંમદ કાઠીયા દ્વારા આજ રોજ તાલુકા વિકાસ અધિકારી અને જીલ્લા વિકાસ અધિકારી ની લેખિત રજૂઆત કરી આવેદન પત્ર આપી પુરાવા સાથે રજુઆત કરી છે કે વેજલપુર વિસ્તારમાં મનરેગા યોજના અંતર્ગત કુલ ૨૫ કામો માં કોન્ટ્રાકટર તેમજ મનરેગા યોજનાના અમલી અધિકારીઓ, ગ્રામ સેવક, ભેગા મળીને ગેરરીતી કરી સામૂહિક કૌભાંડ આચર્યું છે કુલ 25 કામ ના 76.49લાખ રૂપિયા ચૂકવાયા છે તથા મજૂરી પેટે રૂ 18.77 લાખ ચૂકવાયા છે જેમા ઘણી વિસંગતતા જોવા મળે છે મદની સોસાયટીમાં બ્લોકનું કોઈ પણ કામ કર્યા વિના લાગતા વળગતા જોબ કાર્ડ ધારકોના ખાતામાં પૈસા જમા કરાવી દીધા છે અને સામગ્રી ના નાણાં માલ સપ્લાય કરનાર એજન્સી ના ખાતે ચૂકવી દેવામાં આવ્યા છે. રોહિતવાસ ખરસાલિયા માં એસ્ટિમેટ મુજબની કામગીરી કરી નથી, હાઇવે થી મહાદેવના મંદિર તરફ નદી તરફના રસ્તા ઉપર ચાર ભાગમાં સીસી રોડનું કામ મંજૂર થયેલ હતું તે સીસી રોડ મનરેગા યોજનાના એસટી મોજ મુજબ કરેલા નથી તેમ જ હલકા પ્રકારનું મટીરીયલ વાપરેલ છે અને બે ભાગમાં સીસી રોડ કરેલ છે અને ચાર ભાગની સામગ્રી ના પૈસા મટીરીયલ સપ્લાય કરનાર એજન્સીના ખાતામાં રૂપિયા પડી ગયા છે. ભ્રષ્ટાચારને કારણે વૈજનાથ મંદિરના દર્શન કરવા જતા દર્શનાર્થીઓને પણ ખૂબ જ તકલીફ પડી રહી છે. ગર્લ્સ હાઇસ્કુલ ખાતે એસ્ટીમેટ મુજબનું કામ કરવામાં આવ્યું નથી જેમાં માપ ખોટું બતાવેલ છે અને ખાનગી મજૂરોથી અને મશીનરીથી કામ કરાવી લાગતા વળગતા મળતીયા નાં ખાતામાં પૈસા જમા કરાવી મસ્ટરો ભરી મોટું કૌભાંડ કર્યું છે. સમગ્ર બાબતે મનરેગા યોજના ની ગાઈડલાઈન તથા એસટીમેટ અને વહીવટી મંજૂરી મુજબ સરકારશ્રીના માપતાલ મુજબ કામો થયા છે કે કેમ તેની ચકાસણી અરજદાર અને પંચોની રૂબરૂ વિડીયોગ્રાફી કરી તપાસ કરવાની માંગ કરતા ચકચાર મચી જવા પામી છે.
વેજલપુર મનરેગાના રૂ 95લાખના 25 કામોમાં ગેરરીતી અને ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે કાલોલ તાલુકા પંચાયત સદસ્ય દ્વારા તપાસની માગ કરતુ આવેદન આપ્યું કાલોલ તા ૧૧/૦૮/૨૫ કાલોલ તાલુકા પંચાયતની વેજલપુર બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર તરીકે જીતેલા સલીમ મહંમદ કાઠીયા દ્વારા આજ રોજ તાલુકા વિકાસ અધિકારી અને જીલ્લા વિકાસ અધિકારી ની લેખિત રજૂઆત કરી આવેદન પત્ર આપી પુરાવા સાથે રજુઆત કરી છે કે વેજલપુર વિસ્તારમાં મનરેગા યોજના અંતર્ગત કુલ ૨૫ કામો માં કોન્ટ્રાકટર તેમજ મનરેગા યોજનાના અમલી અધિકારીઓ, ગ્રામ સેવક, ભેગા મળીને ગેરરીતી કરી સામૂહિક કૌભાંડ આચર્યું છે કુલ 25 કામ ના 76.49લાખ રૂપિયા ચૂકવાયા છે તથા મજૂરી પેટે રૂ 18.77 લાખ ચૂકવાયા છે જેમા ઘણી વિસંગતતા જોવા મળે છે મદની સોસાયટીમાં બ્લોકનું કોઈ પણ કામ કર્યા વિના લાગતા વળગતા જોબ કાર્ડ ધારકોના ખાતામાં પૈસા જમા કરાવી દીધા છે અને સામગ્રી ના નાણાં માલ સપ્લાય કરનાર એજન્સી ના ખાતે ચૂકવી દેવામાં આવ્યા છે. રોહિતવાસ ખરસાલિયા માં એસ્ટિમેટ મુજબની કામગીરી કરી નથી, હાઇવે થી મહાદેવના મંદિર તરફ નદી તરફના રસ્તા ઉપર ચાર ભાગમાં સીસી રોડનું કામ મંજૂર થયેલ હતું તે સીસી રોડ મનરેગા યોજનાના એસટી મોજ મુજબ કરેલા નથી તેમ જ હલકા પ્રકારનું મટીરીયલ વાપરેલ છે અને બે ભાગમાં સીસી રોડ કરેલ છે અને ચાર ભાગની સામગ્રી ના પૈસા મટીરીયલ સપ્લાય કરનાર એજન્સીના ખાતામાં રૂપિયા પડી ગયા છે. ભ્રષ્ટાચારને કારણે વૈજનાથ મંદિરના દર્શન કરવા જતા દર્શનાર્થીઓને પણ ખૂબ જ તકલીફ પડી રહી છે. ગર્લ્સ હાઇસ્કુલ ખાતે એસ્ટીમેટ મુજબનું કામ કરવામાં આવ્યું નથી જેમાં માપ ખોટું બતાવેલ છે અને ખાનગી મજૂરોથી અને મશીનરીથી કામ કરાવી લાગતા વળગતા મળતીયા નાં ખાતામાં પૈસા જમા કરાવી મસ્ટરો ભરી મોટું કૌભાંડ કર્યું છે. સમગ્ર બાબતે મનરેગા યોજના ની ગાઈડલાઈન તથા એસટીમેટ અને વહીવટી મંજૂરી મુજબ સરકારશ્રીના માપતાલ મુજબ કામો થયા છે કે કેમ તેની ચકાસણી અરજદાર અને પંચોની રૂબરૂ વિડીયોગ્રાફી કરી તપાસ કરવાની માંગ કરતા ચકચાર મચી જવા પામી છે.
- Valmik VINODAnand Rural, Gujaratઆભારon 12 August
- User6536Godhra, Panch Mahals🤝on 12 August
- User1079Babra, Amreli👏on 12 August
- NaranbhaiAhmadabad, Gujarat🙏on 11 August
- Abdul I voraGodhra, Panch Mahals🙏on 11 August
- કાલોલની શાંતિનિકેતન ટ્રસ્ટ ના મેનેજીંગ ટ્રસ્ટી ને કાયદેસરની ફરજો બજાવતા અટકાવી ઝપાઝપી કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો. *શૈક્ષણિક સંસ્થાને સમરાંગણ બનાવવા મહિલાઓને આગળ કરી મેનેજીંગ ટ્રસ્ટી ને ધક્કે ચડાવ્યા મીડિયા કર્મી ઉપર પણ હાથ ઉપાડ્યો* કાલોલ તા ૧૮/૧૨/૨૫ કાલોલ ના શામળદેવી રોડ ઉપર આવેલી શાંતિનિકેતન એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી નારણભાઇ પટેલ અને બીજા ચાર ટ્રસ્ટીઓની બહુમતી હોય તેમજ આસિસ્ટન્ટ ચેરીટી કમિશનર કચેરીમાં ફાલ્ગુનભાઈ પટેલ અને વિનય ચૌધરી દ્વારા નારણભાઇ પટેલ અને અન્ય ટ્રસ્ટીઓના નામ કમી કરાવવા ફેરફાર રિપોર્ટ કરવાંમાં આવ્યો હતો જે ફેરફાર રિપોર્ટ આસિસ્ટન્ટ ચેરીટી કમિશનર દ્વારા નામંજૂર કરાયો હતો જેથી ટ્રસ્ટી તરીકે ની કાયદેસર ફરજો બજાવવા માટે નારણભાઇ પટેલ આજ રોજ સવારે શાંતિનિકેતન એજ્યુકેશન ટ્રસ્ટ ની શાળા ખાતે ટ્રસ્ટની ઓફિસમાં પહોંચ્યા હતા જયાં સરીનભાઈ ચૌધરી અને તેમના પુત્ર વિનય ચૌધરી દ્વારા દાદાગીરી કરી કાયદેસરની ફરજો બજાવતા અટકાવી શાળાના મહિલા સ્ટાફ ને બોલાવી ઉશ્કેરણી કરાવી નારણભાઇ પટેલ ને ઘેરાબંધી કરી ટપલી દાવ કર્યો હતો અને ગડદા પાટુ નો માર માર્યો હતો. મહિલાઓ દ્વારા પણ નારણભાઈ પટેલ સાથે ખરાબ વર્તન કર્યું હતુ ત્યા હાજર મીડિયા કર્મી ઉપર પણ ગુસ્સો કાઢી સરીનભાઈ ચૌધરી દ્વારા પાછળથી બોચીના ભાગે થપ્પડ મારી અહીંથી નીકળો એમ કહ્યુ હતુ. વધુમાં મેનેજિંગ ટ્રસ્ટી નારણભાઇ પટેલ જે કાર લઈ આવ્યા હતા તે કારને પણ ઉશ્કેરણી કરાવી તોડફોડ કરાઈ હતી અને ટાયરમાંથી હવા કાઢી નાખી હતી.પોતાના બચાવ માટે અંગરક્ષકો લઈને નારણભાઈ જો ના ગયા હોત તો ખુબ મોટો બનાવ બની જાત તેવુ ચર્ચાઈ રહ્યુ છે મેનેજીંગ ટ્રસ્ટી નારણભાઇ પટેલ અને સાથે ના ચાર લોકોને સ્કુલ કમ્પાઉન્ડમાં બંધક જેવા બનાવી દેવામાં આવ્યા હતા અને અપશબ્દો નો વરસાદ વરસાવ્યો હતો બહાર આવેલ તેમના પુત્ર દ્વારા 112 ને ફોન કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને નારણભાઇ પટેલ સહિત ચાર લોકોને પીસીઆર વાનમાં બેસાડી શાળાના કમ્પાઉન્ડ બહાર લાવવામાં આવ્યા હતા.પોલીસ મથકે બન્ને પક્ષો દ્વારા સામસામી ફરિયાદોની અરજી આપવામાં આવી હોવાની માહિતી મળી રહી છે.3
- શાળામાં બારી ખોલવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીની અદાવતે એક વિદ્યાર્થી સહિત 4 ઈસમોએ ધોરણ 11 ના વિદ્યાર્થી પર જાહેરમાં કર્યો હીચકારો હુમલો.. જુવો હુમલાની સમગ્ર ઘટના આ વીડિયોમાં.. મિત્ર આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં..1
- રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલી બોલેરો ઝડપાઈ, લોકલ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી1
- सोशल मीडिया पर एक मज़ेदार वीडियो तेजी से वायरल हो रहा है, जिसमें एक बिल्ली मुंह में कबूतर दबाकर सड़क पार कर रही होती है। तभी कार सवार व्यक्ति के अचानक हॉर्न बजाने से बिल्ली घबरा जाती है और उसका शिकार छूट जाता है। कबूतर उड़ जाता है, जबकि बिल्ली का गुस्से भरा रिएक्शन लोगों को खूब हंसा रहा है। #ViralVideo #FunnyAnimals #CatVideo #UnexpectedMoment #InternetLaughs #AnimalReels #TrendingNow1
- આજરોજ આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારીએ પોલીસને સાથે રાખી નગરમાં સ્વચ્છતા તપાસ હાથ ધરી હતી. જાહેર માર્ગો પર ગંદકી ફેલાવતા લારી-ગલ્લા ધારકોને કડક સમજૂતી આપી કેટલીક જગ્યાએ નોટિસ ફટકારવામાં આવી હતી. પાલિકાએ જાહેરાત કરી છે કે હવેથી ગંદકી કરનારને પ્રથમ વખત 500 અને બીજી વખત 700 દંડ કરવામાં આવશે, જ્યારે ત્રીજી વખત ભૂલ કરનારની લારી જપ્ત કરી લેવાશે. સરકારના સ્વચ્છતા અભિયાન હેઠળ પાલિકા દ્વારા લેવાયેલા આ કડક પગલાંથી ગંદકી ફેલાવતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.1
- *૧.૦૯ કરોડની છેતરપિંડીના કેસમાં સુરત અને જૂનાગઢથી કરી ચાર આરોપીઓની ધરપકડ*1
- Overall health starts from oral health1
- જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત જિલ્લા સ્તરીય “સશક્ત નારી મેળા”નો શુભારંભ1