સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે જિલ્લાકક્ષાની કબડ્ડી, ખો-ખો, વોલીબોલ અને એથલેટીક્સ સ્પર્ધામાં ૧,૫૦૦થી વધુ ખેલાડીઓએ લીધો ઉત્સાહભેર ભાગ જૂનાગઢ : ક્રીડા ભારતી દ્વારા હોકીના જાદુગર અને મહાન ખેલાડી મેજર ધ્યાનચંદજીની જન્મજયંતી નિમિત્તે તા. ૨૩/૦૮/૨૦૨૬ થી તા. ૨૯/૦૮/૨૦૨૬ દરમિયાન “રાષ્ટ્રીય રમત દિવસ ખેલકુદ સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે તા. ૨૫/૦૮/૨૦૨૬ના રોજ સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, ગાંધીગ્રામ, જુનાગઢ ખાતે શાળાકીય રમતોત્સવ અંતર્ગત જિલ્લાકક્ષાની કબડ્ડી, ખો-ખો, વોલીબોલ અને એથલેટીક્સ ભાઈઓની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જિલ્લાકક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં જુનાગઢ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી વિજેતા થયેલા ૧,૫૦૦થી વધુ ખેલાડી ભાઈઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની રમત પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. મોટી સંખ્યામાં ખેલાડીઓની ઉપસ્થિતિથી સમગ્ર સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ રમતગમતના ઉત્સાહથી ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે કલેક્ટર યોગેશ ચૌધરી, વિભાગીય નિયામક વી.એસ. ડાંગર સાહેબ, નીલેશભાઈ સોનારા, સદસ્ય ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ, ડો. વિશાલભાઈ જોશી, સદસ્ય ગુજરાત સાહિત્ય સમિતિ, અશોકભાઈ ગાંધી, મહામંત્રી સૌરાષ્ટ્ર પ્રાંત ક્રીડા ભારતી, ડો. પ્રકાશભાઈ હાથ, ક્રીડા ભારતી જૂનાગઢ તથા જિલ્લા રમત ગમત અધિકારી મનીષકુમાર જીલડીયા ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે કલેક્ટર યોગેશ ચૌધરીએ ખેલાડીઓને પ્રાસંગિક પ્રવચન આપતાં જણાવ્યું હતું કે, “રમતથી મોટું કોઈ એજ્યુકેશન નથી.” રમતગમત વ્યક્તિને માત્ર શારીરિક રીતે જ નહીં, પરંતુ માનસિક રીતે પણ મજબૂત બનાવે છે. મેદાન પર મળતી જીત અને હાર બંનેમાંથી જીવનમાં આગળ વધવાની શીખ મળે છે. અને પોતાની રમત પ્રતિભાને સતત મહેનત દ્વારા નિખારવી જોઈએ. તેમણે મોટી સંખ્યામાં જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ રહેલા ખેલાડીઓને અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે, આજના ખેલાડીઓ આવતીકાલના રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રતિનિધિ બની શકે છે. ખેલાડીઓએ રમતગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી પોતાના પરિવાર, શાળા અને જૂનાગઢ જિલ્લાનું નામ રોશન કરવું જોઈએ. સમગ્ર કાર્યક્રમનું જિલ્લા રમત ગમત અધિકારીશ્રી મનીષકુમાર જીલડીયા તથા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની ટીમ દ્વારા સુવ્યવસ્થિત સંચાલન અને આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાઓના સફળ આયોજનમાં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની ટીમ, રમતગમતના કોચ, વ્યાયામ મંડળ તથા વિવિધ શાળા-સંસ્થાઓના સહયોગથી જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય રમત દિવસ નિમિત્તે આયોજિત આ ખેલકુદ સપ્તાહનો મુખ્ય ઉદ્દેશ બાળકો અને યુવાનોને રમતગમત સાથે જોડવા, નિયમિત વ્યાયામ અને સ્વસ્થ જીવનશૈલી અંગે જાગૃતિ લાવવા તથા મેજર ધ્યાનચંદજીના જીવન અને રમતગમત ક્ષેત્રે તેમના યોગદાનથી નવી પેઢીને પ્રેરણા આપવાનો છે. જે મનીષકુમાર જીલડીયા જિલ્લા રમત ગમત અધિકારી ,જૂનાગઢની અખબારી યાદીમાં જણાવ્યું છે.
સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે જિલ્લાકક્ષાની કબડ્ડી, ખો-ખો, વોલીબોલ અને એથલેટીક્સ સ્પર્ધામાં ૧,૫૦૦થી વધુ ખેલાડીઓએ લીધો ઉત્સાહભેર ભાગ જૂનાગઢ : ક્રીડા ભારતી દ્વારા હોકીના જાદુગર અને મહાન ખેલાડી મેજર ધ્યાનચંદજીની જન્મજયંતી નિમિત્તે તા. ૨૩/૦૮/૨૦૨૬ થી તા. ૨૯/૦૮/૨૦૨૬ દરમિયાન “રાષ્ટ્રીય રમત દિવસ ખેલકુદ સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે તા. ૨૫/૦૮/૨૦૨૬ના રોજ સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, ગાંધીગ્રામ, જુનાગઢ ખાતે શાળાકીય રમતોત્સવ અંતર્ગત જિલ્લાકક્ષાની કબડ્ડી, ખો-ખો, વોલીબોલ અને એથલેટીક્સ ભાઈઓની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જિલ્લાકક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં જુનાગઢ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી વિજેતા થયેલા ૧,૫૦૦થી વધુ ખેલાડી
ભાઈઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની રમત પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. મોટી સંખ્યામાં ખેલાડીઓની ઉપસ્થિતિથી સમગ્ર સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ રમતગમતના ઉત્સાહથી ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે કલેક્ટર યોગેશ ચૌધરી, વિભાગીય નિયામક વી.એસ. ડાંગર સાહેબ, નીલેશભાઈ સોનારા, સદસ્ય ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ, ડો. વિશાલભાઈ જોશી, સદસ્ય ગુજરાત સાહિત્ય સમિતિ, અશોકભાઈ ગાંધી, મહામંત્રી સૌરાષ્ટ્ર પ્રાંત ક્રીડા ભારતી, ડો. પ્રકાશભાઈ હાથ, ક્રીડા ભારતી જૂનાગઢ તથા જિલ્લા રમત ગમત અધિકારી મનીષકુમાર જીલડીયા ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે કલેક્ટર યોગેશ ચૌધરીએ ખેલાડીઓને પ્રાસંગિક પ્રવચન આપતાં જણાવ્યું હતું કે, “રમતથી મોટું
કોઈ એજ્યુકેશન નથી.” રમતગમત વ્યક્તિને માત્ર શારીરિક રીતે જ નહીં, પરંતુ માનસિક રીતે પણ મજબૂત બનાવે છે. મેદાન પર મળતી જીત અને હાર બંનેમાંથી જીવનમાં આગળ વધવાની શીખ મળે છે. અને પોતાની રમત પ્રતિભાને સતત મહેનત દ્વારા નિખારવી જોઈએ. તેમણે મોટી સંખ્યામાં જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ રહેલા ખેલાડીઓને અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે, આજના ખેલાડીઓ આવતીકાલના રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રતિનિધિ બની શકે છે. ખેલાડીઓએ રમતગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી પોતાના પરિવાર, શાળા અને જૂનાગઢ જિલ્લાનું નામ રોશન કરવું જોઈએ. સમગ્ર કાર્યક્રમનું જિલ્લા રમત ગમત અધિકારીશ્રી મનીષકુમાર જીલડીયા
તથા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની ટીમ દ્વારા સુવ્યવસ્થિત સંચાલન અને આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાઓના સફળ આયોજનમાં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની ટીમ, રમતગમતના કોચ, વ્યાયામ મંડળ તથા વિવિધ શાળા-સંસ્થાઓના સહયોગથી જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય રમત દિવસ નિમિત્તે આયોજિત આ ખેલકુદ સપ્તાહનો મુખ્ય ઉદ્દેશ બાળકો અને યુવાનોને રમતગમત સાથે જોડવા, નિયમિત વ્યાયામ અને સ્વસ્થ જીવનશૈલી અંગે જાગૃતિ લાવવા તથા મેજર ધ્યાનચંદજીના જીવન અને રમતગમત ક્ષેત્રે તેમના યોગદાનથી નવી પેઢીને પ્રેરણા આપવાનો છે. જે મનીષકુમાર જીલડીયા જિલ્લા રમત ગમત અધિકારી ,જૂનાગઢની અખબારી યાદીમાં જણાવ્યું છે.
- જૂનાગઢના રામવાડી-૧ સ્થિત મોકેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ભક્તિમય માહોલ : ૪૨ કિલોના દિવ્ય પારદ શિવલિંગના દર્શને ઉમટ્યા શ્રદ્ધાળુઓ જૂનાગઢ : પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ગિરિનારી તીર્થ ક્ષેત્ર જૂનાગઢના ભવનાથ તીર્થ ક્ષેત્રમાં આવેલાં શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. ભવનાથ સ્થિત રામવાડી - ૧ માં બિરાજમાન મોકેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના અવસરે શિવજીની વિશેષ પૂજા-અર્ચના અને અલૌકિક શૃંગાર કરવામાં આવ્યો હતો. ૪૨ કિલોના દિવ્ય પારદ શિવલિંગના દર્શન અને ભવ્ય શણગાર: મોકેશ્વર મહાદેવ મંદિરનું મુખ્ય આકર્ષણ અહીં સ્થાપિત વિશાળ અને દિવ્ય ૪૨ કિલોગ્રામ વજનનું પારદ શિવલિંગ છે. શાસ્ત્રોમાં પારદ શિવલિંગના દર્શન અને પૂજનનું અનંત પુણ્ય અને વિશેષ ધાર્મિક મહત્વ જણાવવામાં આવ્યું છે. શ્રાવણ માસના બીજા સોમવારે આ દિવ્ય પારદ શિવલિંગ તથા સમગ્ર મંદિર પરિસરને વિવિધ પ્રકારે ફૂલો અને તોરણોથી ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શિવભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. સન ૧૯૬૩ થી અવિરત ચાલતું નિશુલ્ક અન્નક્ષેત્ર: સમર્થશ્રી પ્રાગદાસબાપા ગોદડિયા અન્નક્ષેત્ર ટ્રસ્ટ, રામવાડી-૧ અંતર્ગત આસ્થા અને સેવાનું અદ્ભુત સંગમ જોવા મળે છે. અહીં સન ૧૯૬૩ થી નિશુલ્ક અન્નક્ષેત્ર અવિરતપણે કાર્યરત છે, જ્યાં દર્શનાર્થીઓ અને સાધુ-સંતોને મહાપ્રસાદનો લાભ મળે છે. ધાર્મિક આસ્થાની સાથે પર્યાવરણ જતન અને સામાજિક સેવા: સમર્થશ્રી પ્રાગદાસબાપા ગોદડિયા અન્નક્ષેત્ર ટ્રસ્ટ રામવાડી-૧ ના મેનેજીંગ ટ્રસ્ટી ડો. એન. પી. પટેલના માર્ગદર્શન હેઠળ માત્ર ધાર્મિક કાર્યો જ નહીં, પરંતુ સામાજિક અને પર્યાવરણીય ઉત્તરદાયિત્વ પણ ઉત્સાહભેર નિભાવવામાં આવે છે. ડો. એન. પી. પટેલના માર્ગદર્શન હેઠળ છેલ્લા સાત વર્ષથી જૂનાગઢ તેમજ ગાંધીનગર ખાતે 'નેચર ફર્સ્ટ' નામે પ્લાસ્ટિક મુક્તિ અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. આ અભિયાન દ્વારા નાગરિકોમાં પર્યાવરણ જાગૃતિ લાવવાની સાથે પ્રકૃતિના જતનની મહત્વપૂર્ણ કામગીરી થઈ રહી છે. વધુમાં, ટ્રસ્ટના સ્વયંસેવકો છેલ્લા ૭ વર્ષથી નિ:સ્વાર્થ ભાવે મંદિરની વ્યવસ્થા, સ્વચ્છતા અને સજાવટની અવિરત સેવા આપી રહ્યા છે. આ સેવાકીય પ્રવૃત્તિઓ ધાર્મિક આસ્થાની સાથે સમાજમાં એકતા, સેવાભાવ અને પર્યાવરણ પ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે.4
- ઉપલા દાતાર દીપમાળા પ્રસંગે દીપ સે દીપ જ્યોત જલાવી એકતા નો સંદેશ આપવામાં આવ્યો જુનાગઢ કોમી એકતા ના પ્રતિક સમી ઉપલાદાતારની ધાર્મિક જગ્યામાં મહાપર્વ ઉર્સના આજે ત્રીજા દિવસે દાતારની જગ્યા ખાતે દીપમાળા મહેંદી નો કાર્યક્રમ હતો ગુફા ની અંદર જે અખંડ જ્યોત જલી રહી છે એની જ્યોતથી આખી જગ્યામાં ભાવિકો દ્વારા દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા અને આખી જગ્યાને રોશનીથી જળહળી ઉઠી હતી. જગ્યાના મહંત શ્રી ભીમ બાપુ દ્વારા આ દિવસે દીપ સે દીપ જલાઓના સંદેશ સાથે સર્વે જન ની સુખાકારી અને સમગ્ર દેશમાં સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી દીપમાળા ના આ પાવન પ્રસંગે ઉપલા દાતાર ની જગ્યા ના મહંત દ્વારા જગ્યામાં પધારેલા ભાવિક ભક્તોના હાથે દરેક જગ્યાએ દીપ પ્રગટાવી હજારો દીવડા પ્રગટાવ વા આવ્યા હતા અને આખી જગ્યાને રોશની થી જળ હળી ઊઠી હતી. તમામ લાઈટો બંધ કરી અને આ સુંદર મજાનો નજારો ઉપસ્થિત ભાવિકોએ નિહાળીઓ હતો ત્યારબાદ દરેક ભાવિકો માટે ચોખા ઘીનો સિરો નો પ્રસાદ અને ડ્રાય ફ્રુટ મા કાજુ બદામ કીસ મીસ નો પ્રસાદ બધાને અર્પણ કરાયો હતો દાતાર બાપુ મહાપર્વ ઉર્સ નો રવિવાર થીરારંભ થયો છે અને આવતીકાલે વહેલી સવારે પુર્ણાહુતી થશે પાંચ દિવસના આ વર્ષના મેળામાં હજારો ભાવિક ભક્તોએ નાથ જાતના ભેદભાવ વગર દાતાર બાપુના દર્શન કરી મને મહાપ્રસાદ લઈ ધન્ય બન્યા હતા.1
- કણજા ગામમાં ઈદ-એ-મિલાદની ભવ્ય ઉજવણીનિમિત્તે ભવ્ય જુલૂસ કાઢવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. કણજા ગામમાં ઈદ-એ-મિલાદની ભવ્ય ઉજવણી વંથલી તાલુકાના કણજા ગામમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા પવિત્ર ઈદ-એ-મિલાદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે ભવ્ય જુલૂસ કાઢવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. જુલૂસ કણજા ગામથી નીકળી ગામના વિવિધ મુખ્ય માર્ગો અને બજારોમાંથી પસાર થઈ પરત ફર્યો હતો. સમગ્ર જુલૂસ દરમિયાન તહેવારનો માહોલ જોવા મળ્યો હતો અને સમાજના લોકોએ એકબીજાને ઈદ-એ-મિલાદની મુબારકબાદ પાઠવી હતી. ઉજવણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે વંથલી પોલીસ દ્વારા મુખ્ય માર્ગો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો.આ મેટર અખબાર માટે હેડલાઈન + બે ટૂંકા ફકરામાં પણ વધુ ટૂંકું કરી શકાય.3
- શ્રી વીરપુર જુથ સેવા સહકારી મંડળીની ૭૧મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ... શ્રી વીરપુર જુથ સેવા સહકારી મંડળીની ૭૧મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ1
- _ભારત સરકારના યુવા કાર્યક્રમ મંત્રાલય અંતર્ગત: કે કે પારેખ કોમર્સ કોલેજ અમરેલી અને સંઘવી કોલેજ રાજુલા ખાતે ખેલો ઈન્ડિયા સંવાદ યોજાશે_ ભારત સરકાર, યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, અંતર્ગત માય ભારત અમરેલી ,રાકેશ બિસનોઈ, જિલ્લા યુવા અધિકારી, જે પ્રથમ પોસ્ટિંગ હાલમાં જ અમરેલી હાજર થયેલ છે હાલમાં તારીખ 27 /08 /2026 ના રોજ સવારે 10:30 કલાકે થી ભારતના યશસ્વી માનનિય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ખેલો ઇન્ડિયા યુવાઓ સાથે સંવાદ , ખેલ કી બાત પીએમ મોદી કે સાથ, એન એસ એસ ઓફિસર શ્રી તથા પ્રિન્સિપાલ શ્રી ના માર્ગદર્શન હેઠળ એનએસએસ વોલિએન્ટર રૂબરૂ સંવાદમાં ભાગ લેશે ત્યારબાદ સ્પોર્ટ્સ પર્સન સાથે આ અંગે સંવાદ થશે આ સંવાદ માં મેન આશય યુવાઓને નશામુક્ત ભારત તથા શરીર તંદુરસ્ત બનાવી ભાગ લેવા માટે મોટીવેટ કરવાનો છે ,કે કે પારેખ કોમર્સ કોલેજ અમરેલી તથા સંઘવી કોલેજ રાજુલા માં આચાર્યશ્રી તથા એન એસ એસ ઓફિસર તથા વોલિએન્ટર્સ રૂબરૂ માં વડાપ્રધાન શ્રી સાથે સંવાદમાં ભાગ લેશે ત્યારબાદ સ્પોર્ટ્સ પર્સન સાથે આ અંગે સંવાદ થાશે .1
- 🦁GiR GiR1
- ઉનામાં શાનદાર જલસ સાથે ઉજવાઈ બારમી શરીફ અદબ અને એહતેરામ સાથે પવિત્ર તહેવાર ઉનામાં શાનદાર જલસ સાથે ઉજવાઈ બારમી શરી અદબ અને એહતેરામ સાથે પવિત્ર તહેવાર1
- વિપક્ષની રજૂઆતની અસર: બાબરા-લીલવડા-વાંકીયા રોડનું કામ શરૂ... વિપક્ષની રજૂઆતની અસર: બાબરા-લીલવડા-વાંકીયા રોડનું કામ શરૂ...1