*સાવરકુંડલામાં હઝરત ઉતાવળા પીર (ર.અ.)નો વાર્ષિક ઉર્સ મુબારક સંપન્ન: હિન્દુ-મુસ્લિમ એકતાનો અનોખો સંગમ જોવા મળ્યો* *બોધરીચાણી રોડ પર ઉતાવળા પીરના ઉર્સમાં હિન્દુ-મુસ્લિમ શ્રદ્ધાળુઓનો ભવ્ય સંગમ* સાવરકુંડલા નજીક બોધરીચાણી રોડ પર આવેલ અલ્લાહના વલી હઝરત ઉતાવળા પીર (ર.અ.) નો વાર્ષિક ઉર્સ મુબારક રવિવારના રોજ અત્યંત ભક્તિભાવ અને શાન-ઓ-શૌકત સાથે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે માત્ર મુસ્લિમ બિરાદરો જ નહીં, પરંતુ મોટી સંખ્યામાં હિન્દુ ધર્મપ્રેમી જનતાએ પણ હાજરી આપી હતી, જે સાવરકુંડલાની ગંગા-જમના તહેઝીબ અને કોમી એકતાનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. પીર બાપુ ના ઉર્સની ઉજવણીના ભાગરૂપે સવારથી જ દરગાહ શરીફ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો પ્રારંભ થયો હતો જેમાં સવારે પવિત્ર ઉર્સના પ્રારંભે સમૂહમાં દરૂદ શરીફ પઢીને દેશની શાંતિ અને પ્રગતિ માટે દુઆ કરવામાં આવી હતી. ત્યારબાદ બપોરે ૧૧:૦૦ વાગ્યાથી દરગાહ શરીફ પર નિયાઝ (પ્રસાદી) નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરગાહ ની આજુબાજુ ના વાડી વિસ્તાર તેમજ સાવરકુંડલા શહેર ના ભાઈઓ-બહેનોએ જોડાઈને પ્રસાદીનો લાભ લીધો હતો. આ પવિત્ર અવસરે ઉભરાયેલી માનવ મહેરામણ અને બંને સમુદાયના લોકોની હાજરીએ સાબિત કર્યું કે આસ્થા કોઈ સરહદોને જાણતી નથી. દરગાહ શરીફ ખાતે હિન્દુ-મુસ્લિમ સમાજના લોકોએ સાથે મળીને દુઆ માંગી હતી અને એકબીજાને ઉર્સની મુબારકબાદી પાઠવી હતી. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ઉર્સ કમિટી તેમજ નજમુદિન જાદવ અને તેમની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. આસ્થાના આ મહાપર્વમાં જોડાયેલા તમામ શ્રદ્ધાળુઓનો આયોજકોએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
*સાવરકુંડલામાં હઝરત ઉતાવળા પીર (ર.અ.)નો વાર્ષિક ઉર્સ મુબારક સંપન્ન: હિન્દુ-મુસ્લિમ એકતાનો અનોખો સંગમ જોવા મળ્યો* *બોધરીચાણી રોડ પર ઉતાવળા પીરના ઉર્સમાં હિન્દુ-મુસ્લિમ શ્રદ્ધાળુઓનો ભવ્ય સંગમ* સાવરકુંડલા નજીક બોધરીચાણી રોડ પર આવેલ અલ્લાહના વલી હઝરત ઉતાવળા પીર (ર.અ.) નો વાર્ષિક ઉર્સ મુબારક રવિવારના રોજ અત્યંત ભક્તિભાવ અને શાન-ઓ-શૌકત સાથે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે માત્ર મુસ્લિમ બિરાદરો જ નહીં, પરંતુ મોટી સંખ્યામાં હિન્દુ ધર્મપ્રેમી જનતાએ પણ હાજરી આપી હતી, જે સાવરકુંડલાની ગંગા-જમના તહેઝીબ અને કોમી એકતાનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. પીર બાપુ ના ઉર્સની ઉજવણીના ભાગરૂપે સવારથી જ દરગાહ શરીફ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો પ્રારંભ થયો હતો જેમાં સવારે પવિત્ર ઉર્સના પ્રારંભે સમૂહમાં દરૂદ શરીફ પઢીને દેશની શાંતિ અને પ્રગતિ માટે દુઆ કરવામાં આવી હતી. ત્યારબાદ બપોરે ૧૧:૦૦ વાગ્યાથી દરગાહ શરીફ પર નિયાઝ (પ્રસાદી) નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરગાહ ની આજુબાજુ ના વાડી વિસ્તાર તેમજ સાવરકુંડલા શહેર ના ભાઈઓ-બહેનોએ જોડાઈને પ્રસાદીનો લાભ લીધો હતો. આ પવિત્ર અવસરે ઉભરાયેલી માનવ મહેરામણ અને બંને સમુદાયના લોકોની હાજરીએ સાબિત કર્યું કે આસ્થા કોઈ સરહદોને જાણતી નથી. દરગાહ શરીફ ખાતે હિન્દુ-મુસ્લિમ સમાજના લોકોએ સાથે મળીને દુઆ માંગી હતી અને એકબીજાને ઉર્સની મુબારકબાદી પાઠવી હતી. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ઉર્સ કમિટી તેમજ નજમુદિન જાદવ અને તેમની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. આસ્થાના આ મહાપર્વમાં જોડાયેલા તમામ શ્રદ્ધાળુઓનો આયોજકોએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
- ગીર એટલેકે જંગલ ના રાજાઓ ઠંડીનો મૌસમ માણવા હાઇવે પર ચડી આવ્યા. અમરેલીજિલ્લાના જંગલોમાં વસવાટ કરતા સિહો રોડ પર લટાર મારતા નજરે ચડ્યા. દ્ર્શ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા વાહન ચાલકો સિંહોનું અનોખું રૂપ જોયું....1
- રાજુલાના ભેરાઈ રોડ ઉપર દબાણના આક્ષેપો સાથેનો એક વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે રાજુલાના ભેરાઈ રોડને પોળો કરવાની વાત ચાલી રહી છે એવામાં આ વિડીયો વાયરલ થતાં જ ચર્ચાઓ એ જોડ પકડ્યું છે1
- રાજુલાની 10 વર્ષની હેતવી રાયચાએ સુરત રાજ્યકક્ષાની એથલેટિક ટૂર્નામેન્ટમાં ટોપ-8માં સ્થાન મેળવી શહેરનું નામ રોશન કર્યું રાજુલા શહેરમાં રહેતા રાયચા પરિવાર માટે ગૌરવની વાત સામે આવી છે. રાજુલાના દિપકભાઈ રાયચાની પુત્રી હેતવી દિપકભાઈ રાયચા (ઉંમર 10 વર્ષ) એ સુરત ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની એથલેટિક ટૂર્નામેન્ટમાં ઊંચીકૂદ (High Jump) U-11 કેટેગરીમાં ટોપ-8માં સ્થાન મેળવી 8મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિથી હેતવી રાયચાએ સમગ્ર રાયચા પરિવાર, તેમજ સમગ્ર રઘુવંશી સમાજ તેમજ રાજુલા શહેરનું નામ ઉજાગર કર્યું છે. મળતી માહિતી મુજબ 9 જાન્યુઆરી 2026ના રોજ ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી દ્વારા રાજ્ય કક્ષાની એથલેટિક ટૂર્નામેન્ટનું આયોજન સુરત ખાતે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ખાતે કરવામાં આવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં હેતવી રાયચાએ ઉત્તમ રમત પ્રદર્શન કરી ટોપ-8માં સ્થાન મેળવ્યું અને રાજ્ય કક્ષાએ મેડલ પોતાના નામે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે હેતવી રાયચાએ અગાઉ પણ ખેલ મહાકુંભમાં શાનદાર પ્રદર્શન કરી અનેક મેડલ જીત્યા છે, તેમજ અમદાવાદમાં યોજાયેલા ખેલ મહાકુંભના ડિસ્ટ્રિક્ટ લેવલમાં પણ ટોપ-8માં સ્થાન મેળવ્યું હતું. હાલ હેતવી અમદાવાદ ખાતે ગ્લોબલ મિશન ઇન્ટર નેશનલ સ્કૂલ (સંસ્કાર ધામ) માં અભ્યાસ કરી રહી છે તેમજ ત્યાં તાલીમ પણ મેળવી રહી છે. હવે આગળ હેતવી રાયચા નેશનલ લેવલ પર પણ આવું જ ઉત્તમ પ્રદર્શન કરી વધુ સફળતા મેળવે તેવી શુભેચ્છાઓ સાથે સમગ્ર પરિવાર તેમજ શાળા પરિવાર દ્વારા તેને અભિનંદન પાઠવવામાં આવ્યા છે હેતવી રાયચાના કોચ પ્રવીણ સોલંકી (રાહી સ્પોર્ટ્સ એકેડેમી) તેમજ જણાવ્યું કે આજના આ સમયમાં દીકરીઓ દીકરાથી કંઈ કમ નથી તે આ હેતવી રાયચા એ સાબિત કરી બતાવ્યું છે2
- બેંકીંગ, અમરેલી...... જાફરાબાદ...... ભાવનગર- સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માત...... જાફરાબાદના હેમાળ અને છેલણા ગામ વચ્ચે ફોર વ્હીલર કાર પલ્ટી મારી...... સુરત થી સોમનાથ જતી ફોર વ્હીલર કારને નડ્યો અકસ્માત......... નેશનલ હાઈવેની ઘોર બેદરકારી આવી સામે........ હાઇવે પર માટીનો પાળો હોવાથી ફોર વ્હીલર કાર મારી પલ્ટી... ૪ લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી....... આ ધટના પગલે આસપાસના સ્થાનિકોએ કારમાંથી સવારોને બહાર કાઢયા....... ભાવનગર -સોમનાથ નેશનલ હાઇવે પર અવારનવાર અકસ્માતોની ધટના વધી....... બાઈટ ૧:- હર્ષદભાઇ પડસાલા, (સ્થાનિક) રિપોર્ટર..કરશન પરમાર નાગેશ્રી જાફરાબાદ2
- જય સોમનાથ1
- PM મોદી સાહેબનીસોમનાથ એન્ટ્રી1
- શાપુર ખાતે સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.. 598 લોકોએ કેમ્પનો લીધો લાભ.. 20 બોટલ રક્ત એકત્ર કરાયું.. વંથલી તાલુકાના શાપુર પટેલ સમાજ ખાતે સામાજિક વનીકરણ રેન્જ આયોજિત અને શાપુર ગ્રામ પંચાયતના સહકારથી વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ નિદાન કેમ્પમાં હૃદયરોગ, હાડકા,જનરલ સર્જન, કાન નાક ગળા, ડાયાબિટીસ,ફેફસા ,ચામડી,આંખ, દાંત, સ્ત્રી રોગ નિષ્ણાંત,બાળ રોગ નિષ્ણાંત જેવા નામાંકિત ડોક્ટરોએ સેવા આપી હતી આ કેમ્પમાં ૫૯૮ જેટલા લોકોએ આ નિદાન કેપ્મનો લાભ લીધો હતો જેમાં તપાસ દરમિયાન સ્થળ પર જ જરૂરિયાત મંદ લોકોને દવા આપવામાં આવી હતી આ તકે રક્તદાન કેમ્પમાં ૨૦ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું આ રક્ત થેલેસેમીયા પીડિત બાળકો માટે ઉપયોગ લેવામાં આવશે આ કેમ્પને સફળ બનાવવા આર.એફ. ઓ. સુત્રેજા, રાઉન્ડ ફોરેસ્ટર સી.એમ.ચૌહાણ વનખાતાના કર્મચારીઓ ,ગ્રામ પંચાયતના સરપંચ ટીનુભાઇ ફળદુ, મેડિકલ ઓફિસર ડો. નીલમ પોલરા, ડો. સતિષ પરમાર શાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી તેમજ આ આરોગ્ય કેમ્પમાં સેવા આપનાર તમામ ડોક્ટરો તેમજ કર્મચારીઓનો વનવિભાગના આર. એફ. ઓ.સુત્રેજા તેમજ સરપંચ ટીનુભાઈ ફળદુએ આભાર વ્યકત કર્યો હતો અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ4
- motivational video1