વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સફળ, પારદર્શક અને જનકલ્યાણલક્ષી સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે, નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં ૨૦ મી જુલાઈ, ૨૦૨૬ના રોજ ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ અંતર્ગત ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ અંજનાબેન વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત, આત્મનિર્ભર અને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવાના વડાપ્રધાનના સંકલ્પને જનજન સુધી પહોંચાડવાનો, તેમજ દેશના વિકાસમાં ખેડૂતોની મહત્વપૂર્ણ ભૂમિકાને વધુ મજબૂત બનાવવાનો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો, અધિકારીઓ, ખેડૂતો અને નાગરિકોએ વિકસિત ભારતના નિર્માણમાં સક્રિય યોગદાન આપવા માટે સામૂહિક સંકલ્પ લીધા હતા. સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના ૧૨ વર્ષના સુશાસન દરમિયાન વિકાસ અને જન કલ્યાણની અનેક યોજનાઓનો લાભ સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચ્યો છે. તેમણે રસાયણયુક્ત ખેતીના કારણે જમીનની ફળદ્રુપતા, માનવ આરોગ્ય અને પર્યાવરણ સામે ઊભા થયેલા ગંભીર પડકારો અંગે ચિંતા વ્યક્ત કરી, પ્રાકૃતિક ખેતી અપનાવવાને સમયની માંગ ગણાવી હતી. સાંસદે ઉમેર્યું કે, જૂની પરંપરાગત ખેતી પદ્ધતિઓને આધુનિક વૈજ્ઞાનિક અભિગમ સાથે જોડીને કેમિકલમુક્ત અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવું શક્ય બનશે. તેમના મતે, પ્રાકૃતિક ખેતી માત્ર ખેતીની પદ્ધતિ નહીં પરંતુ સ્વસ્થ સમાજ અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણનો આધારસ્તંભ છે, અને તે માનવ આરોગ્ય, જમીન અને પર્યાવરણના સંરક્ષણનો શ્રેષ્ઠ માર્ગ છે. આ પ્રસંગે આયોજિત વિશેષ કૃષિ પ્રદર્શનમાં સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતો દ્વારા પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત વિવિધ પાકો, અનાજ, ફળો તથા શાકભાજીનું આકર્ષક પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું, જેનું ઉપસ્થિત ખેડૂતો અને નાગરિકોએ નિરીક્ષણ કરી પ્રાકૃતિક કૃષિના વિવિધ મોડેલોની જાણકારી મેળવી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK), દેડિયાપાડાના કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને જમીનની ફળદ્રુપતા જાળવવાના ઉપાયો, રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અતિરેક ઉપયોગથી થતા નુકસાન, પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ તથા ઓછા ખર્ચે વધુ ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ સાથે, ખેડૂતોને નવીન કૃષિ ટેકનોલોજી, જૈવિક ઇનપુટ્સ અને ટકાઉ ખેતી પદ્ધતિઓ વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતા વિવિધ વિભાગો અને સંસ્થાઓના સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા હતા. ઉપરાંત, વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે પૂર્વમંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ પ્રેમિલાબેન વસાવા, બાંધકામ સમિતિ ચેરમેન પંકજભાઈ વસાવા, પૂર્વ મંત્રી મોતીલાલ વસાવા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પર્યુષાબેન વસાવા અને શંકરભાઈ વસાવા, પ્રાંત અધિકારી જુહી પાંડે, ડી. કે. શિનોરા (પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્મા પ્રોજેક્ટ), બી.વાય. પંચોલી (ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર), એસ. એ. રાઠવા (જિલ્લા પ્રોજેક્ટ મેનેજર), ચંદ્રેશભાઈ ચૌધરી (મદદનીશ ખેતી નિયામક), ડૉ. એચ.યુ.વ્યાસ (વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, KVK દેડિયાપાડા), ડૉ. વી.કે.પોશીયા, ડૉ. મીનાક્ષી તિવારી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, કૃષિ નિષ્ણાતો, પ્રગતિશીલ ખેડૂતો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સફળ, પારદર્શક અને જનકલ્યાણલક્ષી સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે, નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં ૨૦ મી જુલાઈ, ૨૦૨૬ના રોજ ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ અંતર્ગત ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ અંજનાબેન વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત, આત્મનિર્ભર અને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવાના વડાપ્રધાનના સંકલ્પને જનજન સુધી પહોંચાડવાનો, તેમજ દેશના વિકાસમાં ખેડૂતોની મહત્વપૂર્ણ ભૂમિકાને વધુ મજબૂત બનાવવાનો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો, અધિકારીઓ, ખેડૂતો અને નાગરિકોએ વિકસિત ભારતના નિર્માણમાં સક્રિય યોગદાન આપવા માટે સામૂહિક સંકલ્પ લીધા હતા. સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના ૧૨ વર્ષના સુશાસન દરમિયાન વિકાસ અને જન કલ્યાણની અનેક યોજનાઓનો લાભ સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચ્યો છે. તેમણે રસાયણયુક્ત ખેતીના
કારણે જમીનની ફળદ્રુપતા, માનવ આરોગ્ય અને પર્યાવરણ સામે ઊભા થયેલા ગંભીર પડકારો અંગે ચિંતા વ્યક્ત કરી, પ્રાકૃતિક ખેતી અપનાવવાને સમયની માંગ ગણાવી હતી. સાંસદે ઉમેર્યું કે, જૂની પરંપરાગત ખેતી પદ્ધતિઓને આધુનિક વૈજ્ઞાનિક અભિગમ સાથે જોડીને કેમિકલમુક્ત અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવું શક્ય બનશે. તેમના મતે, પ્રાકૃતિક ખેતી માત્ર ખેતીની પદ્ધતિ નહીં પરંતુ સ્વસ્થ સમાજ અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણનો આધારસ્તંભ છે, અને તે માનવ આરોગ્ય, જમીન અને પર્યાવરણના સંરક્ષણનો શ્રેષ્ઠ માર્ગ છે. આ પ્રસંગે આયોજિત વિશેષ કૃષિ પ્રદર્શનમાં સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતો દ્વારા પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત વિવિધ પાકો, અનાજ, ફળો તથા શાકભાજીનું આકર્ષક પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું, જેનું ઉપસ્થિત ખેડૂતો અને નાગરિકોએ નિરીક્ષણ કરી પ્રાકૃતિક કૃષિના વિવિધ મોડેલોની જાણકારી મેળવી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK), દેડિયાપાડાના કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને જમીનની ફળદ્રુપતા જાળવવાના ઉપાયો, રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અતિરેક ઉપયોગથી થતા નુકસાન, પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ તથા ઓછા ખર્ચે
વધુ ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ સાથે, ખેડૂતોને નવીન કૃષિ ટેકનોલોજી, જૈવિક ઇનપુટ્સ અને ટકાઉ ખેતી પદ્ધતિઓ વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતા વિવિધ વિભાગો અને સંસ્થાઓના સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા હતા. ઉપરાંત, વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે પૂર્વમંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ પ્રેમિલાબેન વસાવા, બાંધકામ સમિતિ ચેરમેન પંકજભાઈ વસાવા, પૂર્વ મંત્રી મોતીલાલ વસાવા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પર્યુષાબેન વસાવા અને શંકરભાઈ વસાવા, પ્રાંત અધિકારી જુહી પાંડે, ડી. કે. શિનોરા (પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્મા પ્રોજેક્ટ), બી.વાય. પંચોલી (ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર), એસ. એ. રાઠવા (જિલ્લા પ્રોજેક્ટ મેનેજર), ચંદ્રેશભાઈ ચૌધરી (મદદનીશ ખેતી નિયામક), ડૉ. એચ.યુ.વ્યાસ (વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, KVK દેડિયાપાડા), ડૉ. વી.કે.પોશીયા, ડૉ. મીનાક્ષી તિવારી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, કૃષિ નિષ્ણાતો, પ્રગતિશીલ ખેડૂતો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
- તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં પાંચ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ વિકાસ કામોને રાજ્યમંત્રી શ્રી ડૉ. જયરામભાઈ ગામીતના હસ્તે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા.1
- તાપી સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ (SOG)ની ટીમે મળેલી બાતમીના આધારે વાલોડ તાલુકાના પુલ ફળિયામાં દરોડા પાડી 154 ગ્રામ ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આ કાર્યવાહી દરમિયાન ગાંજો સપ્લાય કરનાર અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. SOG ટીમને મળેલી ગુપ્ત માહિતીના આધારે, પુલ ફળિયામાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં અબ્દુલ કાદિર ઉર્ફે કાલિયો ગુલામ હુસેન બાંગી (ઉંમર 55 વર્ષ, રહે. પુલ ફળિયું, તાલુકો વાલોડ, જિલ્લો તાપી)ના કબજામાંથી 154 ગ્રામ વનસ્પતિજન્ય ગાંજો મળી આવ્યો હતો. જપ્ત કરાયેલા ગાંજાની બજાર કિંમત ₹7,700 આંકવામાં આવી છે, અને અન્ય મુદ્દામાલ સાથે કુલ ₹13,730નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. આ મામલે ગાંજો સપ્લાય કરનાર આરોપીને વોન્ટેડ જાહેર કરાયા બાદ વાલોડ પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.1
- તિલકવાડા તાલુકાના ઉતાવળી ગામમાં કોંગ્રેસના અનેક ઉમેદવારો અને કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટી (AAP) માં સામેલ થયા છે. આ રાજકીય ઘટના આમ આદમી પાર્ટીના ચૈતરભાઈ વસાવા અને નિરંજનભાઈ વસાવાની ઉપસ્થિતિમાં બની હતી. આ જોડાણમાં બારીયા મહેન્દ્રભાઈ અને બારીયા દિલીપભાઈ સહિત તેમની સંપૂર્ણ ટીમે કોંગ્રેસ છોડી AAP નો ખેસ ધારણ કર્યો હતો, જે ચૈતરભાઈ વસાવાના હસ્તે પહેરાવવામાં આવ્યો હતો.1
- આરકે ન્યૂઝ (RK NEWS) ચેનલ તેના દર્શકોને ચેનલને લાઈક, શેર અને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી કરી રહી છે. ચેનલ દ્વારા વધુમાં જણાવાયું છે કે, નવીનતમ સમાચાર સમયસર મેળવવા માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. કૈયમ શેખ દ્વારા 99792 78677 નંબર પર આરકે ન્યૂઝનો સંપર્ક કરી શકાય છે.1
- સુરત પોલીસે શહેરમાં ૧,૦૦૦થી વધુ આદતન ગુનેગારોને સખત ચેતવણી આપી છે. આ ચેતવણી આપતા પોલીસે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, “કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો”, જે દર્શાવે છે કે કાયદાનું પાલન કરવું તેમના હિતમાં છે.1
- ભરૂચ જિલ્લાના ધામદોડમાં રહેણાંક વિસ્તારની નજીક આવેલા એક ઔદ્યોગિક એકમ સામે સ્થાનિકો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. લોકો ઔદ્યોગિક એકમની રહેણાંક વિસ્તાર પાસેની હાજરીનો વિરોધ કરી રહ્યા છે, જેના કારણે આ વિરોધ પ્રદર્શન થયું હતું.1
- સુરતમાં ઉતરાણ પોલીસે મોટા વરાછાથી આઉટર રિંગ રોડ તરફ આવેલા એક ગોદામ પર દરોડા પાડીને નકલી એરિયલ ડિટરજન્ટ બનાવવાનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. આ ગોદામમાં બ્રાન્ડેડ કંપનીના નામે એરિયલ પાવડરનું ડુપ્લિકેશન કરવામાં આવતું હતું. ઘણા સમયથી અહીં નકલી પાવડર, સ્ટીકરો અને ડબ્બા બનાવવામાં આવી રહ્યા હતા. એરિયલ કંપનીના મેનેજર સાથે મળીને પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં ગોદામમાંથી મોટી સંખ્યામાં નકલી સામાન જપ્ત કરવામાં આવ્યો હતો અને ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી હતી.1
- તાપી જિલ્લામાં એસીબી (ACB) દ્વારા એક સફળ ટ્રેપ ગોઠવીને મફત બિયારણ યોજનાનો લાભ અપાવવા માટે લાંચની માંગણી કરતા એક ગ્રામસેવક અને એક એગ્રો સેન્ટરના સંચાલકને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર, સરકારની મફત બિયારણ સહાય યોજનાનો લાભ અપાવવા બદલ અરજદાર પાસેથી લાંચની માંગણી કરવામાં આવી હતી. આ અંગે ફરિયાદ મળતા જ તાપી એસીબીની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને એક ટ્રેપ ગોઠવી હતી. આ ટ્રેપ દરમિયાન ગ્રામસેવક અને એગ્રો સેન્ટરના સંચાલક બંનેને લાંચ સ્વીકારતી વખતે પકડી લેવાયા હતા. આ કાર્યવાહીથી સરકારી યોજનાઓમાં ભ્રષ્ટાચાર આચરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે. એસીબી દ્વારા બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને આ મામલે વધુ તપાસ હાલમાં ચાલી રહી છે.1