logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સુરતના ઉધના લક્ષીનારાયણ ઈન્ડસ્ટ્રીમાં એક ઈમારતના પાંચમા માળેથી નીચે પટકાતા કામદાર મનિયાભાઈ ધીરાભાઈ ડામોરનું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે કોઈપણ પ્રકારની સેફ્ટી રાખ્યા વિના જ ત્યાં કામદારો પાસે કામ કરાવવામાં આવી રહ્યું હતું, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. નિધન પામેલા મનીયાભાઇ પોતાના પરિવારમાં કમાવનાર એકમાત્ર વ્યક્તિ હતા, જેથી તેમના જવાથી પરિવાર નિરાધાર બન્યો છે. રોષે ભરાયેલા પરિવારજનોએ બિલ્ડીંગ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સેફ્ટી વિના કામ કરાવીને કામદારોનો જીવ જોખમમાં મુકવા બદલ જવાબદારો સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરવા માટે અપીલ કરવામાં આવી છે. પરિવારજનોએ આ મામલે યોગ્ય વળતર આપવાની પણ માંગ કરી છે. પરિવારે ચીમકી ઉચ્ચારતા સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી કોન્ટ્રાક્ટર વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે, ત્યાં સુધી તેઓ લાશનો સ્વીકાર કરશે નહીં અને મૃતદેહનું પીએમ (પોસ્ટમોર્ટમ) પણ કરાવવા દેવામાં આવશે નહીં.

2 hrs ago
user_Super fast news channel
Super fast news channel
પલસાણા, સુરત, ગુજરાત•
2 hrs ago

સુરતના ઉધના લક્ષીનારાયણ ઈન્ડસ્ટ્રીમાં એક ઈમારતના પાંચમા માળેથી નીચે પટકાતા કામદાર મનિયાભાઈ ધીરાભાઈ ડામોરનું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે કોઈપણ પ્રકારની સેફ્ટી રાખ્યા વિના જ ત્યાં કામદારો પાસે કામ કરાવવામાં આવી રહ્યું હતું, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. નિધન પામેલા મનીયાભાઇ પોતાના પરિવારમાં કમાવનાર એકમાત્ર વ્યક્તિ હતા, જેથી તેમના જવાથી પરિવાર નિરાધાર બન્યો છે. રોષે ભરાયેલા પરિવારજનોએ બિલ્ડીંગ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સેફ્ટી વિના કામ કરાવીને કામદારોનો જીવ જોખમમાં મુકવા બદલ જવાબદારો સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરવા માટે અપીલ કરવામાં આવી છે. પરિવારજનોએ આ મામલે યોગ્ય વળતર આપવાની પણ માંગ કરી છે. પરિવારે ચીમકી ઉચ્ચારતા સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી કોન્ટ્રાક્ટર વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે, ત્યાં સુધી તેઓ લાશનો સ્વીકાર કરશે નહીં અને મૃતદેહનું પીએમ (પોસ્ટમોર્ટમ) પણ કરાવવા દેવામાં આવશે નહીં.

More news from ગુજરાત and nearby areas
  • સુરતના સચિન જીઆઈડીસીમાં આવેલી રાનીસતી ક્રિએશન કંપની દ્વારા જાહેર નાળામાં કેમિકલ યુક્ત ઝેરી પાણી વહાવવામાં આવતું હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. પર્યાવરણને નુકસાન પહોંચાડતી આ પ્રવૃત્તિ પર એક જાગૃત નાગરિકની નજર પડતા તેમણે તાત્કાલિક ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)માં લેખિત અને મૌખિક ફરિયાદ કરી હતી. આ ફરિયાદના આધારે જીપીસીબીની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને રાનીસતી ક્રિએશનના પ્લોટ પર તપાસ હાથ ધરી હતી. અધિકારીઓએ નાળામાં વહી રહેલા કેમિકલ યુક્ત પાણીની ગંભીરતાને જોઈને ઘટનાસ્થળેથી જ લાઈવ સેમ્પલ લીધા હતા અને તેને લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા હતા. જોકે, આ સમગ્ર કાર્યવાહી દરમિયાન ઘટનાસ્થળે હાજર જીપીસીબીના અધિકારીઓનું વલણ અત્યંત શંકાસ્પદ રહ્યું હતું. સ્થાનિક પત્રકારોએ જ્યારે અધિકારીઓને કંપની સામે શું કાર્યવાહી થશે અને પ્રાથમિક તપાસમાં શું જાણવા મળ્યું છે તે અંગે પ્રશ્નો પૂછ્યા, ત્યારે અધિકારીઓ મીડિયાના સવાલોના જવાબો આપવાનું ટાળીને કોઈ પણ સત્તાવાર પ્રતિક્રિયા આપ્યા વિના ત્યાંથી રવાના થઈ ગયા હતા. અધિકારીઓની આ રહસ્યમય ચૂપકીદીને કારણે હવે અનેક પ્રકારની ચર્ચાઓ વહેતી થઈ છે કે શું અધિકારીઓ કોઈ દબાણ હેઠળ કામ કરી રહ્યા છે અથવા તો કંઈક છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે? પત્રકારોના સવાલોના જવાબ ન આપીને અધિકારીઓ કોને બચાવવા માંગે છે તેવા સવાલો પણ ઉભા થયા છે. જાગૃત નાગરિકની સતર્કતાથી આ પર્યાવરણીય કૌભાંડ તો ઉજાગર થઈ ગયું છે, પરંતુ હવે જોવાનું એ રહેશે કે જીપીસીબીના ઉચ્ચ અધિકારીઓ આ કેમિકલ માફિયાઓ સામે શું પગલાં ભરે છે.
    1
    સુરતના સચિન જીઆઈડીસીમાં આવેલી રાનીસતી ક્રિએશન કંપની દ્વારા જાહેર નાળામાં કેમિકલ યુક્ત ઝેરી પાણી વહાવવામાં આવતું હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. પર્યાવરણને નુકસાન પહોંચાડતી આ પ્રવૃત્તિ પર એક જાગૃત નાગરિકની નજર પડતા તેમણે તાત્કાલિક ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)માં લેખિત અને મૌખિક ફરિયાદ કરી હતી. આ ફરિયાદના આધારે જીપીસીબીની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને રાનીસતી ક્રિએશનના પ્લોટ પર તપાસ હાથ ધરી હતી. અધિકારીઓએ નાળામાં વહી રહેલા કેમિકલ યુક્ત પાણીની ગંભીરતાને જોઈને ઘટનાસ્થળેથી જ લાઈવ સેમ્પલ લીધા હતા અને તેને લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા હતા.

જોકે, આ સમગ્ર કાર્યવાહી દરમિયાન ઘટનાસ્થળે હાજર જીપીસીબીના અધિકારીઓનું વલણ અત્યંત શંકાસ્પદ રહ્યું હતું. સ્થાનિક પત્રકારોએ જ્યારે અધિકારીઓને કંપની સામે શું કાર્યવાહી થશે અને પ્રાથમિક તપાસમાં શું જાણવા મળ્યું છે તે અંગે પ્રશ્નો પૂછ્યા, ત્યારે અધિકારીઓ મીડિયાના સવાલોના જવાબો આપવાનું ટાળીને કોઈ પણ સત્તાવાર પ્રતિક્રિયા આપ્યા વિના ત્યાંથી રવાના થઈ ગયા હતા. અધિકારીઓની આ રહસ્યમય ચૂપકીદીને કારણે હવે અનેક પ્રકારની ચર્ચાઓ વહેતી થઈ છે કે શું અધિકારીઓ કોઈ દબાણ હેઠળ કામ કરી રહ્યા છે અથવા તો કંઈક છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે? પત્રકારોના સવાલોના જવાબ ન આપીને અધિકારીઓ કોને બચાવવા માંગે છે તેવા સવાલો પણ ઉભા થયા છે. જાગૃત નાગરિકની સતર્કતાથી આ પર્યાવરણીય કૌભાંડ તો ઉજાગર થઈ ગયું છે, પરંતુ હવે જોવાનું એ રહેશે કે જીપીસીબીના ઉચ્ચ અધિકારીઓ આ કેમિકલ માફિયાઓ સામે શું પગલાં ભરે છે.
    user_SKT NEWS
    SKT NEWS
    Local News Reporter પલસાણા, સુરત, ગુજરાત•
    41 min ago
  • કચ્છમાં થયેલી રૂ. 9.40 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે, જેમાં આરોપીની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે.
    1
    કચ્છમાં થયેલી રૂ. 9.40 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે, જેમાં આરોપીની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે.
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    47 min ago
  • સુરત શહેરમાં આકાશી આફત બાદ આવેલા પૂરથી જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું. આ મુશ્કેલ સમયમાં અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે અનેક સેવાભાવી સંસ્થાઓ, સામાજિક આગેવાનો અને સામાન્ય નાગરિકો દિવસ-રાત એક કરી રહ્યા હતા. પરંતુ જ્યાં કોઈનું પણ ધ્યાન ન ગયું, ત્યાં સચિન GIDC પોલીસે માનવતા અને જીવદયાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સુરતમાં પૂરની આ વિકટ પરિસ્થિતિમાં સચિન GIDC પોલીસે ગાયો સુધી આશાનો ચારો પહોંચાડ્યો છે.
    1
    સુરત શહેરમાં આકાશી આફત બાદ આવેલા પૂરથી જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું. આ મુશ્કેલ સમયમાં અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે અનેક સેવાભાવી સંસ્થાઓ, સામાજિક આગેવાનો અને સામાન્ય નાગરિકો દિવસ-રાત એક કરી રહ્યા હતા.

પરંતુ જ્યાં કોઈનું પણ ધ્યાન ન ગયું, ત્યાં સચિન GIDC પોલીસે માનવતા અને જીવદયાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સુરતમાં પૂરની આ વિકટ પરિસ્થિતિમાં સચિન GIDC પોલીસે ગાયો સુધી આશાનો ચારો પહોંચાડ્યો છે.
    user_A12 Guj.News
    A12 Guj.News
    News channel ચોરાસી, સુરત, ગુજરાત•
    1 hr ago
  • સુરતના સચિન વિસ્તારમાં પૂર જેવી ગંભીર સ્થિતિ વચ્ચે સચિન પોલીસે પોતાની જાનની પરવા કર્યા વિના જીવના જોખમે એક મોટું રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યું છે. આ મેગા રેસ્કયુ દરમિયાન પોલીસે પૂર જેવી કપરી પરિસ્થિતિમાં ફસાયેલા તમામ 18 લોકોનો આબાદ બચાવ કરીને તેમને સુરક્ષિત બહાર કાઢ્યા છે.
    1
    સુરતના સચિન વિસ્તારમાં પૂર જેવી ગંભીર સ્થિતિ વચ્ચે સચિન પોલીસે પોતાની જાનની પરવા કર્યા વિના જીવના જોખમે એક મોટું રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યું છે. આ મેગા રેસ્કયુ દરમિયાન પોલીસે પૂર જેવી કપરી પરિસ્થિતિમાં ફસાયેલા તમામ 18 લોકોનો આબાદ બચાવ કરીને તેમને સુરક્ષિત બહાર કાઢ્યા છે.
    user_Gautambhai panpatil
    Gautambhai panpatil
    Photography studio ચોરાસી, સુરત, ગુજરાત•
    1 hr ago
  • સુરતના ઉધનામાં ભારે વરસાદથી સર્જાયેલી પીડા પર એક હૃદયસ્પર્શી ગીત તૈયાર કરવામાં આવ્યું છે. આ ગીતના શબ્દો ડૉ. નિર્મલ વાણીયાવાળા દ્વારા લખવામાં આવ્યા છે, જેને પારસ મ્યુઝિક સ્ટુડિયોમાં સંગીત મઢીને પ્રસ્તુત કરાયું છે. આ ગીત દ્વારા સમાજમાં માનવતા, એકતા અને સેવાભાવનો સંદેશ ફેલાવવામાં આવ્યો છે. તેમાં વરસાદગ્રસ્ત લોકોની વેદના અને તેમને મદદ કરવાની ઉમદા ભાવનાનું અત્યંત ભાવસભર ચિત્રણ કરવામાં આવ્યું છે. હાલમાં આ વિશેષ ગીતને લોકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
    1
    સુરતના ઉધનામાં ભારે વરસાદથી સર્જાયેલી પીડા પર એક હૃદયસ્પર્શી ગીત તૈયાર કરવામાં આવ્યું છે. આ ગીતના શબ્દો ડૉ. નિર્મલ વાણીયાવાળા દ્વારા લખવામાં આવ્યા છે, જેને પારસ મ્યુઝિક સ્ટુડિયોમાં સંગીત મઢીને પ્રસ્તુત કરાયું છે.

આ ગીત દ્વારા સમાજમાં માનવતા, એકતા અને સેવાભાવનો સંદેશ ફેલાવવામાં આવ્યો છે. તેમાં વરસાદગ્રસ્ત લોકોની વેદના અને તેમને મદદ કરવાની ઉમદા ભાવનાનું અત્યંત ભાવસભર ચિત્રણ કરવામાં આવ્યું છે. હાલમાં આ વિશેષ ગીતને લોકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
    user_SURAT TODAY NEWS
    SURAT TODAY NEWS
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    44 min ago
  • સુરતમાં ભારે વરસાદની પીડા અને તેનાથી પ્રભાવિત લોકોની વેદના પર એક હૃદયસ્પર્શી ગીત તૈયાર કરવામાં આવ્યું છે. ડૉ. નિર્મલ વાણીયાવાળાના સુંદર શબ્દોને પારસ મ્યુઝિક સ્ટુડિયોમાં સંગીતથી સજાવવામાં આવ્યા છે. આ ગીત દ્વારા સમાજમાં માનવતા, એકતા અને પરસ્પર સેવાભાવનો એક ઉત્તમ સંદેશ વહેતો કરવામાં આવ્યો છે. ગીતમાં વરસાદગ્રસ્ત લોકોની પીડા અને મુશ્કેલ સમયમાં તેમને મદદ કરવાની ભાવનાનું અત્યંત ભાવસભર ચિત્રણ રજૂ કરાયું છે, જેને લોકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
    1
    સુરતમાં ભારે વરસાદની પીડા અને તેનાથી પ્રભાવિત લોકોની વેદના પર એક હૃદયસ્પર્શી ગીત તૈયાર કરવામાં આવ્યું છે. ડૉ. નિર્મલ વાણીયાવાળાના સુંદર શબ્દોને પારસ મ્યુઝિક સ્ટુડિયોમાં સંગીતથી સજાવવામાં આવ્યા છે. આ ગીત દ્વારા સમાજમાં માનવતા, એકતા અને પરસ્પર સેવાભાવનો એક ઉત્તમ સંદેશ વહેતો કરવામાં આવ્યો છે. ગીતમાં વરસાદગ્રસ્ત લોકોની પીડા અને મુશ્કેલ સમયમાં તેમને મદદ કરવાની ભાવનાનું અત્યંત ભાવસભર ચિત્રણ રજૂ કરાયું છે, જેને લોકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
    user_SURAT TODAY NEWS
    SURAT TODAY NEWS
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    41 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.