logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

પલસાણાના બલેશ્વર ગામની અવધ સંગ્રીલા સોસાયટીમાં અંદાજે ₹25 લાખની અગાઉ થયેલી ચોરીનો ભેદ હજુ ઉકેલાયો નથી, ત્યારે ફરી એક ચોરીની ઘટના સામે આવી છે. અજાણ્યા તસ્કરોએ સોસાયટીના એક બંધ મકાનને નિશાન બનાવી ₹4.75 લાખની રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ નોંધાઈ છે, જેના કારણે રહેવાસીઓમાં ફરી ચિંતા વ્યાપી છે. ફરિયાદ મુજબ, સોસાયટીના રહેવાસી જશવંતલાલ સાહબ પાંડે 19 એપ્રિલે સવારે 10:30 થી બપોરે 3:00 વાગ્યા દરમિયાન તેમનું ઘર નંબર 195 બંધ રાખીને બહાર ગયા હતા. આ સમયગાળામાં કોઈ અજાણ્યો શખ્સ તેમના ઘરમાં પ્રવેશ્યો અને ઘરમાં રાખેલી ₹4.75 લાખની રોકડ રકમ ચોરી કરીને નાસી છૂટ્યો હતો. આ અંગે જશવંતલાલ પાંડેએ 30 મેના રોજ પલસાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અગાઉની મોટી ચોરીનો ભેદ ન ઉકેલાયા બાદ ફરીથી આ સોસાયટીમાં ચોરી થતાં રહિશોમાં સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે, કારણ કે સોસાયટીમાં CCTV કેમેરા અને અન્ય સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં તસ્કરો સક્રિય બન્યા છે. પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર વી. એ. દેસાઈના માર્ગદર્શન હેઠળ, પોલીસે CCTV ફૂટેજ અને અન્ય તકનિકી પુરાવાઓના આધારે આ અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવા માટે સઘન તપાસ હાથ ધરી છે.

7 hrs ago
user_Hetalkumar manharbhai mis
Hetalkumar manharbhai mis
પલસાણા, સુરત, ગુજરાત•
7 hrs ago
de2f4ec7-5dca-4ff0-90a5-859ae802fa39

પલસાણાના બલેશ્વર ગામની અવધ સંગ્રીલા સોસાયટીમાં અંદાજે ₹25 લાખની અગાઉ થયેલી ચોરીનો ભેદ હજુ ઉકેલાયો નથી, ત્યારે ફરી એક ચોરીની ઘટના સામે આવી છે. અજાણ્યા તસ્કરોએ સોસાયટીના એક બંધ મકાનને નિશાન બનાવી ₹4.75 લાખની રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ નોંધાઈ છે, જેના કારણે રહેવાસીઓમાં ફરી ચિંતા વ્યાપી છે. ફરિયાદ મુજબ, સોસાયટીના રહેવાસી જશવંતલાલ સાહબ પાંડે 19 એપ્રિલે સવારે 10:30 થી બપોરે 3:00 વાગ્યા દરમિયાન તેમનું ઘર નંબર 195 બંધ રાખીને બહાર ગયા હતા. આ સમયગાળામાં કોઈ અજાણ્યો શખ્સ તેમના ઘરમાં પ્રવેશ્યો અને ઘરમાં રાખેલી ₹4.75 લાખની રોકડ રકમ ચોરી

17a98367-256d-4a67-977c-23ae66009483

કરીને નાસી છૂટ્યો હતો. આ અંગે જશવંતલાલ પાંડેએ 30 મેના રોજ પલસાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અગાઉની મોટી ચોરીનો ભેદ ન ઉકેલાયા બાદ ફરીથી આ સોસાયટીમાં ચોરી થતાં રહિશોમાં સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે, કારણ કે સોસાયટીમાં CCTV કેમેરા અને અન્ય સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં તસ્કરો સક્રિય બન્યા છે. પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર વી. એ. દેસાઈના માર્ગદર્શન હેઠળ, પોલીસે CCTV ફૂટેજ અને અન્ય તકનિકી પુરાવાઓના આધારે આ અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવા માટે સઘન તપાસ હાથ ધરી છે.

More news from ગુજરાત and nearby areas
  • સુરતના રિંગરોડ પર આવેલી બેગમવાડીના ઓમ શંકર માર્કેટમાં સવાર દરમિયાન વેપારીઓએ બજાર બંધ રાખી વિરોધ પ્રદર્શન કર્યું. વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે માર્કેટમાં સાત દુકાનોના તાળા તોડી નાખવામાં આવ્યા હતા, જેના કારણે તેમણે આ વિરોધ નોંધાવ્યો હતો.
    1
    સુરતના રિંગરોડ પર આવેલી બેગમવાડીના ઓમ શંકર માર્કેટમાં સવાર દરમિયાન વેપારીઓએ બજાર બંધ રાખી વિરોધ પ્રદર્શન કર્યું. વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે માર્કેટમાં સાત દુકાનોના તાળા તોડી નાખવામાં આવ્યા હતા, જેના કારણે તેમણે આ વિરોધ નોંધાવ્યો હતો.
    user_VIDHATA TIMES
    VIDHATA TIMES
    ઉધના, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • કેશોદ શહેર નજીક કેશોદ-બડોદર ગામ વચ્ચે આવેલા રેલવે ગેટ નંબર 99ના સમયપત્રકને લઈને ખેડૂતો, પશુપાલકો અને ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિક લોકોનો આરોપ છે કે આ રેલવે ગેટ સામાન્ય રીતે સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લો રહે છે, પરંતુ સાંજે 7 વાગ્યા પછી તેને સવારે 7 વાગ્યા સુધી સતત બંધ રાખવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન ટ્રેનોની અવરજવર ઓછી હોવા છતાં, વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતો અને પશુપાલકોને ગેટ બંધ રહેવાથી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ ગેટ કેશોદથી બડોદર-ફાગલી જતી મુખ્ય સડક પર હોવાથી, દરરોજ વાહનચાલકો અને રાહદારીઓને પણ ભારે અગવડ પડી રહી છે. ગ્રામજનોનું કહેવું છે કે રેલવે સિસ્ટમ દ્વારા યોગ્ય વિકલ્પો અથવા વ્યવસ્થાપન અપનાવવામાં ન આવવાને કારણે આ મુશ્કેલીઓ વધી રહી છે.
    1
    કેશોદ શહેર નજીક કેશોદ-બડોદર ગામ વચ્ચે આવેલા રેલવે ગેટ નંબર 99ના સમયપત્રકને લઈને ખેડૂતો, પશુપાલકો અને ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

સ્થાનિક લોકોનો આરોપ છે કે આ રેલવે ગેટ સામાન્ય રીતે સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લો રહે છે, પરંતુ સાંજે 7 વાગ્યા પછી તેને સવારે 7 વાગ્યા સુધી સતત બંધ રાખવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન ટ્રેનોની અવરજવર ઓછી હોવા છતાં, વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતો અને પશુપાલકોને ગેટ બંધ રહેવાથી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ ગેટ કેશોદથી બડોદર-ફાગલી જતી મુખ્ય સડક પર હોવાથી, દરરોજ વાહનચાલકો અને રાહદારીઓને પણ ભારે અગવડ પડી રહી છે.

ગ્રામજનોનું કહેવું છે કે રેલવે સિસ્ટમ દ્વારા યોગ્ય વિકલ્પો અથવા વ્યવસ્થાપન અપનાવવામાં ન આવવાને કારણે આ મુશ્કેલીઓ વધી રહી છે.
    user_भारत 24 Exp news,
    भारत 24 Exp news,
    પલસાણા, સુરત, ગુજરાત•
    4 hrs ago
  • એક દોઢ વર્ષના માસૂમ બાળકને મારી નાખનાર વ્યક્તિ પોતે પાણી માટે તરસતો જોવા મળ્યો હતો. આ હત્યારો એકતરફી પ્રેમમાં પાગલ હતો. તેણે માસૂમ બાળકની માતાને લગ્ન માટે પણ પ્રસ્તાવ મૂક્યો હતો, જે કદાચ આ કરતૂતનું મૂળ કારણ છે.
    1
    એક દોઢ વર્ષના માસૂમ બાળકને મારી નાખનાર વ્યક્તિ પોતે પાણી માટે તરસતો જોવા મળ્યો હતો. આ હત્યારો એકતરફી પ્રેમમાં પાગલ હતો. તેણે માસૂમ બાળકની માતાને લગ્ન માટે પણ પ્રસ્તાવ મૂક્યો હતો, જે કદાચ આ કરતૂતનું મૂળ કારણ છે.
    user_Prasar sandesh news
    Prasar sandesh news
    રિપોર્ટર ચોરાસી, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • સુરતના ઉધના મગદલ્લા રોડ પર એક અનોખી ઘટના બની હતી, જ્યાં એક યુવતીના જીવનમાં 'એક ફૂલ દો માલી' જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ યુવતીના નવા પ્રેમી સામે તેનો જુનો પ્રેમી અચાનક આવી ગયો હતો, જેના કારણે જાહેરમાં મહાભારત જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
    1
    સુરતના ઉધના મગદલ્લા રોડ પર એક અનોખી ઘટના બની હતી, જ્યાં એક યુવતીના જીવનમાં 'એક ફૂલ દો માલી' જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ યુવતીના નવા પ્રેમી સામે તેનો જુનો પ્રેમી અચાનક આવી ગયો હતો, જેના કારણે જાહેરમાં મહાભારત જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
    user_Prasar sandesh news
    Prasar sandesh news
    રિપોર્ટર ચોરાસી, સુરત, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.