Shuru
Apke Nagar Ki App…
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક ઘટના સામે આવી છે.
आई देल पब्लिक न्यूज
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક ઘટના સામે આવી છે.
More news from ગુજરાત and nearby areas
- સુરત પોલીસે ઈચ્છાપોર વિસ્તારમાં બનેલા એક હત્યાના કેસને ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે અને મૃતકની પત્નીની ધરપકડ કરી છે. ઈચ્છાપોર વિસ્તારમાં રહેતા રાજારત ઉર્ફે રાજુભાઈ યાદવનું 23 જૂને શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું, જેને પોલીસે હત્યાનો મામલો ગણાવ્યો હતો. પોલીસની સઘન પૂછપરછ અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે આ મામલો ઉકેલાયો હતો. તપાસમાં સામે આવ્યું કે, વારંવાર થતા ઝઘડાઓથી કંટાળીને પત્નીએ જ પોતાના પતિની હત્યા કરી હતી.1
- વિશ્વ ડ્રગ્સ દિવસના સંદર્ભમાં સુરત પોલીસ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં CP સાહેબ સાથે સુરતના લોકો પણ જોડાયા હતા.1
- સુરતમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં લોહીના સંબંધોને લજવીને સગાં બહેન અને બનેવીએ પોતાના જ અનાથ ભાઈની કરોડો રૂપિયાની કિંમતી મિલકત પચાવી પાડી છે. આ ગુનાહિત કૃત્યને અંજામ આપવા માટે, તેઓએ પિતાનું વસીયતનામું છુપાવ્યું અને બોગસ ભાડા કરારો પણ ઊભા કર્યા હતા. આટલેથી ન અટકતા, તેમણે ભાઈની સહી કે સંમતિ વિના બેંક અને LICમાંથી લાખો રૂપિયા પણ સેરવી લીધા. જ્યારે ભાઈએ પોતાના હકની માંગણી કરી, ત્યારે બહેન અને બનેવીએ તેને ટાંટિયા તોડી જાનથી મારી નાખવાની ધમકી આપી. આ ઘટના પૈસા અને મિલકત માટે સંબંધોની કિંમત ભૂલી જવાના ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.1
- સુરતમાં મોહરમના પવિત્ર માસની 9મી તારીખ, જેને 'કત્લની રાત' તરીકે ઓળખવામાં આવે છે, તે નિમિત્તે પરંપરાગત તાજિયાના ભવ્ય જુલૂસ કાઢવામાં આવ્યા હતા. આ અવસરે, અકિદતમંદો દ્વારા મરસિયા અને 'યા હુસૈન'ના નારા લગાવવામાં આવ્યા હતા. આ જુલૂસમાં આકર્ષક રોશનીથી શણગારેલા તાજિયા અને સવારીઓ જોવા મળી હતી.1
- સુરતના લિંબાયત વિસ્તારમાં સિરાતુન્નબી કમિટિ અને લીંબાયત તાજીયા કમિટિ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કોમી એકતા અને ભાઈચારગીનો સંદેશ આપવાનો હતો. આ પ્રસંગે સર્વ સમાજના આગેવાનો અને કોર્પોરેટર શ્રીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.1
- સુરત જિલ્લાના લિંબાયત વિસ્તારમાં મોહરમના નવમા ચાંદના અવસર પર એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું. આ કાર્યક્રમમાં તમામ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ દિવસે લિંબાયત વિસ્તારમાં તાજીયા કાઢવામાં આવ્યા હતા, અને ત્યારબાદ તેમને ઔપચારિક રીતે વિદાય આપવામાં આવી હતી.1
- સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં બજરંગ દળના એક કાર્યકર પર જીવલેણ હુમલો થતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. સૂત્રો અનુસાર, અજાણ્યા હુમલાખોરોએ યુવકની પીઠમાં ચાકુ વડે અનેક ઘા માર્યા હતા અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ ઘટના બાદ, ઘાયલ યુવકને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ બનાવની જાણ થતા જ ડીંડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસ ફરાર આરોપીઓની શોધખોળ કરી રહી છે. હાલમાં, આ હુમલા પાછળનું કારણ જાણવા માટે તપાસ ચાલુ છે.1
- સુરતના પાંડેસરા વિસ્તારમાં ખાવા-પીવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલી અને ઝઘડાએ ગંભીર સ્વરૂપ ધારણ કરતાં એક મિત્રએ પોતાના જ મિત્રની ચાકુના ઘા ઝીંકી ક્રૂરતાપૂર્વક હત્યા કરી દીધી છે. આ ઘટનામાં અમોલ નામના યુવક પર તેના સાથી યુવક શનિએ 'તું મને છોડીને કેમ ભાગી ગયો' તેમ કહીને ઘાતકી હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા અમોલને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે પાંડેસરા પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.1
- શ્રી શરદ શાહ શૈક્ષણિક સંકુલ ખાતે ગોધરા સાર્વજનિક શિક્ષણ મંડળ સંચાલિત ડૉ. ચમનલાલ મહેતા પ્રાથમિક શાળા, અનાજ મહાજન પ્રાથમિક શાળા, અને રોટરી ઇંગ્લિશ મિડિયમ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે "બેટી બચાવો, બેટી ભણાવો" થીમ આધારિત ભવ્ય પ્રવેશોત્સવ-2026નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગોધરા સાર્વજનિક શિક્ષણ મંડળના પ્રમુખ શ્રી ભૂપેશભાઈ શાહ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. વિશિષ્ટ મહેમાન તરીકે શ્રીમતી નીતાબેન શાહ, પ્રિન્સિપાલ, શ્રી શરદ શાહ કોલેજ, ગોધરા પણ જોડાયા હતા. કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થના, દીપ પ્રાગટ્ય અને સ્વાગત ગીતથી થયો હતો, જ્યારે નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક, પુષ્પવર્ષા અને તાળીઓના ગડગડાટથી ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે ખાસ કરીને બાળિકાઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે "બેટી બચાવો, બેટી ભણાવો" નો સંદેશ આપવામાં આવ્યો. પ્રવેશોત્સવ દરમિયાન, વર્ષ 2024-25 માં ધોરણ-1 માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, રાજ્ય, રાષ્ટ્રીય અને નેશનલ કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં મેડલ તથા સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને સન્માનચિહ્ન અર્પણ કરીને બિરદાવવામાં આવ્યા. વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત, સાંસ્કૃતિક કાર્યક્રમો, નૃત્ય, અભિનય, દેશભક્તિ રજૂઆતો અને અન્ય સર્જનાત્મક કાર્યક્રમો પ્રસ્તુત કરાયા હતા. કાર્યક્રમમાં રોબો કોડિંગ અને વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓનું પણ નિદર્શન કરવામાં આવ્યું. મુખ્ય મહેમાન શ્રી ભૂપેશભાઈ શાહે તેમના ઉદ્બોધનમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ, સંસ્કાર અને સર્વાંગી વિકાસ પર ભાર મૂક્યો. વિશિષ્ટ મહેમાન શ્રીમતી નીતાબેન શાહે બાળ શિક્ષણ અને ખાસ કરીને બાળિકાઓના શિક્ષણના મહત્વ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સંસ્થાના પ્રમુખ શ્રી ભૂપેશભાઈ શાહના માર્ગદર્શન હેઠળ થયું હતું. કાર્યક્રમમાં ડૉ. ચમનલાલ મહેતા પ્રાથમિક શાળાના આચાર્ય ડૉ. ઉમેશભાઈ વણઝારા, અનાજ મહાજન પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી મોહસીનભાઈ, શિક્ષકગણ, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે સૌએ "દરેક બાળક શાળામાં – દરેક બાળક શિક્ષિત" અને "બેટી બચાવો, બેટી ભણાવો" ના સંકલ્પ સાથે નવા શૈક્ષણિક વર્ષની ઉત્સાહભેર શરૂઆત કરી.1