સાવરકુંડલા GIDCના વિકાસને વેગ આપવા કાનજીબાપુ ઉપવન ખાતે ધારાસભ્ય મહેશ કસવાળાની આગેવાનીમાં બેઠક યોજાઈ સાવરકુંડલા શહેરમાં મંજૂર થયેલી GIDCના વિકાસને વધુ ગતિ મળે તેમજ સ્થાનિક ઉદ્યોગકારોને જરૂરી માળખાકીય અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ બને તે માટે કાનજીબાપુ ઉપવન ખાતે સાવરકુંડલા-લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશ કસવાળાની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં વિવિધ એસોસિએશનના હોદ્દેદારો તેમજ GIDCના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન સાવરકુંડલાના સ્થાનિક ઉદ્યોગકારોની જરૂરિયાતો, GIDC વિસ્તારમાં માળખાકીય સુવિધાઓ, વિકાસકાર્યો, જરૂરી વ્યવસ્થાઓ સહિતના વિવિધ મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સ્થાનિક સ્તરે ઉદ્યોગોના વિકાસને પ્રોત્સાહન મળે, નવા ઉદ્યોગો માટે અનુકૂળ વાતાવરણ ઊભું થાય અને ઉદ્યોગકારોને જરૂરી સુવિધાઓ સરળતાથી મળી રહે તે દિશામાં બેઠકમાં સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા. ધારાસભ્ય મહેશ કસવાળાએ સંબંધિત અધિકારીઓ સાથે વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરી જરૂરી સૂચનો તથા માર્ગદર્શન આપ્યું હતું. સાવરકુંડલામાં GIDCના વિકાસ સાથે રોજગારીની નવી તકો ઊભી થાય અને સ્થાનિક ઉદ્યોગોને વેગ મળે તે માટે સંકલિત પ્રયાસો કરવા અંગે બેઠકમાં ભાર મૂકાયો હતો.
સાવરકુંડલા GIDCના વિકાસને વેગ આપવા કાનજીબાપુ ઉપવન ખાતે ધારાસભ્ય મહેશ કસવાળાની આગેવાનીમાં બેઠક યોજાઈ સાવરકુંડલા શહેરમાં મંજૂર થયેલી GIDCના વિકાસને વધુ ગતિ મળે તેમજ સ્થાનિક ઉદ્યોગકારોને જરૂરી માળખાકીય અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ બને તે માટે કાનજીબાપુ ઉપવન ખાતે સાવરકુંડલા-લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશ કસવાળાની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં વિવિધ એસોસિએશનના
હોદ્દેદારો તેમજ GIDCના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન સાવરકુંડલાના સ્થાનિક ઉદ્યોગકારોની જરૂરિયાતો, GIDC વિસ્તારમાં માળખાકીય સુવિધાઓ, વિકાસકાર્યો, જરૂરી વ્યવસ્થાઓ સહિતના વિવિધ મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સ્થાનિક સ્તરે ઉદ્યોગોના વિકાસને પ્રોત્સાહન મળે, નવા ઉદ્યોગો માટે અનુકૂળ વાતાવરણ ઊભું થાય અને ઉદ્યોગકારોને જરૂરી સુવિધાઓ સરળતાથી મળી રહે તે
દિશામાં બેઠકમાં સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા. ધારાસભ્ય મહેશ કસવાળાએ સંબંધિત અધિકારીઓ સાથે વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરી જરૂરી સૂચનો તથા માર્ગદર્શન આપ્યું હતું. સાવરકુંડલામાં GIDCના વિકાસ સાથે રોજગારીની નવી તકો ઊભી થાય અને સ્થાનિક ઉદ્યોગોને વેગ મળે તે માટે સંકલિત પ્રયાસો કરવા અંગે બેઠકમાં ભાર મૂકાયો હતો.
- વડોદરાના માંજલપુર ગણપતિ બાપાના દર્શને ભક્તોનો મહાસાગર... ત્રણ દિવસમાં અંદાજે ૧ થી ૧.૫ લાખ ભક્તોએ કર્યા દર્શન; ભવ્ય ડેકોરેશન અને સુવ્યવસ્થિત આયોજન બન્યું આકર્ષણનું કેન્દ્ર... વડોદરાના માંજલપુર ગણપતિ બાપાના દર્શને ભક્તોનો મહાસાગર... ત્રણ દિવસમાં અંદાજે ૧ થી ૧.૫ લાખ ભક્તોએ કર્યા દર્શન; ભવ્ય ડેકોરેશન અને સુવ્યવસ્થિત આયોજન બન્યું આકર્ષણનું કેન્દ્ર...1
- મહુવા નગરપાલિકા દ્વારા રક્તદાન કેમ્પ અને ‘સેવા પખવાડિયા/માસ’ની ઉજવણી અંગેનો અહેવાલ સ્થળ: મહુવા નગરપાલિકા, મહુવા તારીખ: ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ વિગત: ૧૭ સપ્ટેમ્બરના રોજ દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે મહુવા નગરપાલિકા દ્વારા એક વિશેષ રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. અહેવાલના મુખ્ય મુદ્દાઓ: રક્તદાન કેમ્પનો પ્રારંભ: વડાપ્રધાનશ્રીના જન્મદિન નિમિત્તે યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં શહેરના અનેક યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પોતાનું રક્તદાન કરી પ્રેરણાદાયી યોગદાન આપ્યું હતું. વક્તવ્યમાં જણાવ્યા અનુસાર, લોહી એ એક અમૂલ્ય વસ્તુ છે અને રક્તદાન દ્વારા કોઈનો કિંમતી જીવ બચાવી શકાય છે. ૨૫ વર્ષના સુશાસનની ઉજવણી: શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સુશાસન (ગુજરાતના મુખ્યમંત્રી કાળથી લઈને દેશના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ)ની ઉજવણીના ભાગરૂપે આખો મહિનો વિવિધ સેવાકીય અને સુખાકારીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જનકલ્યાણકારી યોજનાઓનું પ્રસારણ: ‘સેવા સેતુ’ અને ‘સંકલ્પ’ જેવા કાર્યક્રમો મારફતે તમામ ક્ષેત્રોની સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવી અને દરેક નાગરિક સુધી તેના લાભો જીવંત રાખવા એ તમામ કાર્યકરો તથા જવાબદારોની ફરજ હોવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. વડાપ્રધાનશ્રીના નેતૃત્વની સરાહના: છેલ્લાં ૨૫ વર્ષોમાં દેશમાં સંરક્ષણ ક્ષેત્ર, વિદેશ વેપાર, આર્થિક સમૃદ્ધિ, વિજ્ઞાન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રોમાં જે અભૂતપૂર્વ પ્રગતિ થઈ છે તેની સરાહના કરવામાં આવી હતી. ભારતે વિશ્વના વિકસિત રાષ્ટ્રોની હરોળમાં સ્થાન મેળવ્યું છે અને દેશનું સુકાન એક કુશળ વહીવટકર્તાના હાથમાં છે તે બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.1
- इस्लामीक उग्रवाद से निपटने का अभियान शुरु ।1
- અમરેલીના જાફરાબાદમાં રાત્રીએ બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો..... બેકિંગ, અમરેલી... જાફરાબાદ.... અમરેલીના જાફરાબાદમાં રાત્રીએ બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો..... જાફરાબાદ શહેરના એસટી બસ ફોર વ્હીલર કાર અને મોટરસાયકલ વચ્ચે સર્જાયો અકસ્માત...... અકસ્માતમાં બાઇક સવારને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો.... આ ધટના પગલે લોકોના ટોળેટોળા એકઠા થયા..... સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી.....1
- જસદણમાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો, ૬૯૨ ગ્રામ ગાંજો સહિત રાજકોટ ગ્રામ્ય SOG મોટી કાર્યવાહી જસદણ ખાનપર રોડ સ્થિત પોતાની કબ્જા ભોગવટાની "ડીલક્ષ સીટ કવર" નામની દુકાનમાં ગાંજાનો જથ્થો મળી આવ્યો જસદણમાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો, ૬૯૨ ગ્રામ ગાંજો સહિત ₹૩૮,૫૦૦નો મુદ્દામાલ કબજે: ડીલક્સ સીટ કવર દુકાનમાંથી ગાંજો મળી આવ્યો, અફઝલ સોલંકીની ધરપકડ1
- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને ગુલાબી-સફેદ કમળની ડિઝાઇનવાળા વાઘા સાથે ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે.1
- ધારી પોલીસ વિભાગ દ્વારા નિયમોના ભંગ કરતા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરી. ધારી પોલીસ વિભાગ દ્વારા નિયમોના ભંગ કરતા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરી.1
- ઊનાના નાલીયા માંડવીની ખાડીમાં કારના ડ્રાઇવરૅ સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા પાણીમાં ખાપકી ઊનાના નાલીયા માંડવીની ખાડીમાં કારના ડ્રાઇવરૅ સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા પાણીમાં ખાપકી1