ખાંભા તાલુકાના ત્રાકુડા અને વાંકિયા ગામે પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ *ખાંભા તાલુકાના ત્રાકુડા અને વાંકિયા ગામે પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ* *પ્રાકૃતિક કૃષિના ફાયદા અને ઉત્પાદનોના માર્કેટીંગ વિશે ખેડૂતોને માહિતી આપવામાં આવી* *અમરેલી તા. ૦૯ માર્ચ, ૨૦૨૬ (સોમવાર) -* ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, અમરેલી દ્વારા ખાંભા તાલુકાના ત્રાકુડા અને વાંકિયા ગામે ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં ૧૦૦ જેટલા ખેડૂત ભાઈઓ બહનોએ ભાગ લઈ અને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ, પ્રાકૃતિક કૃષિમાં સંક્લિત રોગ વ્યવસ્થાપન અને જંતુનાશકો વિશે માહિતી મેળવી હતી. કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના માસ્ટર ટ્રેનરશ્રી, વૈશાલી બહેન ચાવડા તેમજ ટી.પી.એમશ્રી ઉર્વશી બહેન ગજેરાએ માર્ગદર્શન આપ્યું હતું. જેમાં વૈશાલી બહેન દ્વારા પ્રાકૃતિક ખેતીના પાંચ આધારસ્તંભો, વિવિધ પાકોની નવી અને સુધારેલી જાતો, ખેતી પદ્ધતિ, પોષણ વ્યવસ્થાપન તથા ઉત્પાદન ખર્ચ ઘટાડવાના ઉપાયો અને પ્રાકૃતિક કૃષિના માર્કેટીંગ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ખેડૂતોને વિવિધ પાકોમાં ઉપયોગમાં લેવાતી પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ અંગે પ્રાયોગિક રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, દશપર્ણી અર્ક, નીમાસ્ત્ર જેવી ઇનપુટ્સની તૈયારી અને ઉપયોગ અંગે સીધી માહિતી આપવામાં આવી હતી. પ્રાકૃતિક ખેતી દ્વારા રોગ તથા જીવાત નિયંત્રણ, જમીનની જીવંતતા વધારવી, ખર્ચ ઘટાડવો તેમજ પર્યાવરણ સંરક્ષણ જેવા વિષયો પર પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રકારની તાલીમોથી પ્રાકૃતિક ખેતીને વધુ વેગ મળશે અને ખેડૂતોને ટકાઉ, ખર્ચ ઘટાડતી તથા પર્યાવરણ મિત્ર ખેતી તરફ આગળ વધવાની પ્રેરણા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. તેમ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ- અમરેલીના માર્કેટીંગ મેનેજરશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે. રિપોર્ટર...કરશન પરમાર જાફરાબાદ
ખાંભા તાલુકાના ત્રાકુડા અને વાંકિયા ગામે પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ *ખાંભા તાલુકાના ત્રાકુડા અને વાંકિયા ગામે પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ* *પ્રાકૃતિક કૃષિના ફાયદા અને ઉત્પાદનોના માર્કેટીંગ વિશે ખેડૂતોને માહિતી આપવામાં આવી* *અમરેલી તા. ૦૯ માર્ચ, ૨૦૨૬ (સોમવાર) -* ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, અમરેલી દ્વારા ખાંભા તાલુકાના ત્રાકુડા અને વાંકિયા ગામે ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં ૧૦૦ જેટલા ખેડૂત ભાઈઓ બહનોએ ભાગ લઈ અને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ, પ્રાકૃતિક કૃષિમાં સંક્લિત રોગ
વ્યવસ્થાપન અને જંતુનાશકો વિશે માહિતી મેળવી હતી. કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના માસ્ટર ટ્રેનરશ્રી, વૈશાલી બહેન ચાવડા તેમજ ટી.પી.એમશ્રી ઉર્વશી બહેન ગજેરાએ માર્ગદર્શન આપ્યું હતું. જેમાં વૈશાલી બહેન દ્વારા પ્રાકૃતિક ખેતીના પાંચ આધારસ્તંભો, વિવિધ પાકોની નવી અને સુધારેલી જાતો, ખેતી પદ્ધતિ, પોષણ વ્યવસ્થાપન તથા ઉત્પાદન ખર્ચ ઘટાડવાના ઉપાયો અને પ્રાકૃતિક કૃષિના માર્કેટીંગ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ખેડૂતોને વિવિધ પાકોમાં ઉપયોગમાં લેવાતી પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ અંગે પ્રાયોગિક રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, દશપર્ણી અર્ક, નીમાસ્ત્ર
જેવી ઇનપુટ્સની તૈયારી અને ઉપયોગ અંગે સીધી માહિતી આપવામાં આવી હતી. પ્રાકૃતિક ખેતી દ્વારા રોગ તથા જીવાત નિયંત્રણ, જમીનની જીવંતતા વધારવી, ખર્ચ ઘટાડવો તેમજ પર્યાવરણ સંરક્ષણ જેવા વિષયો પર પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રકારની તાલીમોથી પ્રાકૃતિક ખેતીને વધુ વેગ મળશે અને ખેડૂતોને ટકાઉ, ખર્ચ ઘટાડતી તથા પર્યાવરણ મિત્ર ખેતી તરફ આગળ વધવાની પ્રેરણા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. તેમ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ- અમરેલીના માર્કેટીંગ મેનેજરશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે. રિપોર્ટર...કરશન પરમાર જાફરાબાદ
- અમરેલી જિલ્લા ભાજપ સંગઠન ના નવનિયુક્ત પ્રભારી અભયસિંહ ચૌહાણજી ની અધ્યક્ષતામાં જાફરાબાદ તાલુકા અને શહેર ભાજપની સંગઠનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠકમાં અમરેલી જિલ્લા ભાજપ સંગઠનના નવનિયુક્ત પ્રભારી અભયસિહ ચૌહાણ નું સાલ તથા પુષ્પગુચ્છ તેમજ કોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું. જેમાં આગામી સંગઠનાત્મક માર્ગદર્શન જિલ્લા ભાજપના મહામંત્રી ચેતનભાઇ શિયાળ અને નવું નિયુક્ત સંગઠન પ્રભારી અભયસિંહ ચૌહાણ આપ્યું હતું. તેમજ જવાબદાર કાર્યકર્તાઓને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ની તૈયારીઓ માં લાગી જવાની હાંકલ કરેલ. આ બેઠકમાં અમરેલી જિલ્લા ભાજપ ટીમના હોદ્દેદારોઓ, તાલુકા/ શહેર ભાજપ ટીમ, જીલ્લા પંચાયતના સભ્યો, મહિલા ટીમ , તેમજ જાફરાબાદ તાલુકાના સરપંચશ્રીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર..કરશન પરમાર જાફરાબાદ3
- Post by Dharmik Parmar1
- બેંકીંગ, અમરેલી..... રાજુલા... T-20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યું ભારત......... T-20 વર્લ્ડ કપમાં ભારતની જીત મેળવ્યા બાદ રાજુલામાં ક્રિકેટ પ્રેમીઓમાં ખુશીનો માહોલ........ રાજુલા પોલીસ અને માર્કેટિંગ યાર્ડ ખાતે ક્રિકેટ પ્રેમીઓએ ભારતની જીતનો જશ્ન મનાવ્યો........ ઢોલ નગારા અને ત્રિરંગા સાથે લોકોએ કરી જીતની ઉજવણી........ ઇન્ડીયા ઇન્ડિયા, ભારત માતા કી જય અને વંદે માતરમ્ ના નારાઓ લગાવ્યા...... T-20 વર્લ્ડ કપમાં ભારત ઐતિહાસિક જીતની ઉજવણી કરતા રાજુલા શહેરજનો.........1
- T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમે શાનદાર જીત મેળવી દેશનું ગૌરવ વધારતા દેશભરમાં ખુશીની લહેર ફેલાઈ છે. આ ઐતિહાસિક જીતની ઉજવણી અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં પણ ઉમંગ અને ઉત્સાહ સાથે કરવામાં આવી હતી. ભારતની જીત નિશ્ચિત થતા જ રાજુલા શહેરના વિવિધ વિસ્તારોમાં યુવાનો અને ક્રિકેટ પ્રેમીઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. શહેરમાં ઢોલ-નગારા વાગતા હતા અને લોકો તિરંગા લહેરાવી “ભારત માતા કી જય” અને “હિંદુસ્તાન જિંદાબાદ” જેવા દેશભક્તિના નારા લગાવી આનંદ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. કેટલાક વિસ્તારોમાં ફટાકડાઓ ફોડીને જીતનો જશ્ન મનાવવામાં આવ્યો હતો. નાના બાળકો થી લઈને યુવાનો અને વડીલો સુધી સૌ કોઈ ભારતની જીતને લઈને ખુશી વ્યક્ત કરી રહ્યા હતા. શહેરમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો અને લોકોએ એકબીજાને મીઠાઈ ખવડાવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ રીતે T20 વર્લ્ડ કપમાં ભારતની શાનદાર જીત બાદ રાજુલા શહેરમાં દેશપ્રેમ અને આનંદનો માહોલ છવાઈ ગયો હતો1
- महाराष्ट्र Update1
- અમરેલી કોર્ટ ને બૉમ્બ થી ઉડાવી દેવાની મળી હતી ધમકી1
- ૩૫૦થી વધુ ઝુંપડાઓને દૂર કરવામાં આવ્યા, પાંચેક એકર જેટલી દબાણ યુક્ત જગ્યા ખુલ્લી કરાવાશે, ૨૦થી વધુ જેસીબી, ૫૦થી વધુ ટ્રેક્ટર અને ફાયર ફાયર સહિતનો કાફલો રેલવે પોલીસ, આરપીએફ, માલવીયાનગર પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ સહિત ૪૦૦થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત1
- અમરેલી ના કાર્ય સીલ ધારાસભ્ય દ્વારા અમરેલી ટાવર ને રેનોવેશન માટે કરાયું ખાત મુહર્ત1