*સંજેલી તાલુકાના વિવિધ વિસ્તારોમાં ગણેશ ચતુર્થી નિમિત્તે ભવ્ય ગણેશ સ્થાપના* ભક્તોમાં ભારે ઉત્સાહ, ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના જયઘોષથી ગુંજી ઉઠ્યો સમગ્ર વિસ્તાર સંજેલી તાલુકામાં ગણેશ ચતુર્થીના પાવન પર્વની ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. તાલુકાના વિવિધ વિસ્તારોમાં ગણેશજીની ભવ્ય પ્રતિમાની સ્થાપના કરવામાં આવતા સમગ્ર પંથકમાં ધાર્મિક માહોલ સર્જાયો હતો. સંજેલીના હોળી ફળિયા, દરબારગઢ, ઇટાડી ચોકડી તેમજ ચમારીયા હોળી ફળિયા સહિતના વિસ્તારોમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. ગણેશ સ્થાપનાના પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને શ્રદ્ધાભેર ગણપતિજીની પૂજા-અર્ચના કરી હતી. ગણેશજીની સ્થાપના દરમિયાન ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વિવિધ સ્થળોએ ધાર્મિક વિધિ-વિધાન સાથે ગણેશજીની આરતી અને પૂજા કરવામાં આવી હતી. આ પ્રસંગે ગણપતિ બાપ્પા મોરિયા ના જયઘોષથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. ગણેશ ચતુર્થીના પર્વને લઈને બાળકો, યુવાનો તેમજ વડીલોમાં પણ ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. ગણેશજીની સ્થાપનાથી સંજેલી તાલુકાના વિવિધ વિસ્તારોમાં ભક્તિમય અને ઉત્સવપૂર્ણ વાતાવરણ છવાઈ ગયું હતું..
*સંજેલી તાલુકાના વિવિધ વિસ્તારોમાં ગણેશ ચતુર્થી નિમિત્તે ભવ્ય ગણેશ સ્થાપના* ભક્તોમાં ભારે ઉત્સાહ, ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના જયઘોષથી ગુંજી ઉઠ્યો સમગ્ર વિસ્તાર સંજેલી તાલુકામાં ગણેશ ચતુર્થીના પાવન પર્વની ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. તાલુકાના વિવિધ વિસ્તારોમાં ગણેશજીની ભવ્ય પ્રતિમાની સ્થાપના કરવામાં આવતા સમગ્ર પંથકમાં ધાર્મિક માહોલ સર્જાયો હતો. સંજેલીના હોળી ફળિયા, દરબારગઢ, ઇટાડી ચોકડી તેમજ ચમારીયા હોળી ફળિયા સહિતના વિસ્તારોમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. ગણેશ સ્થાપનાના પ્રસંગે મોટી
સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને શ્રદ્ધાભેર ગણપતિજીની પૂજા-અર્ચના કરી હતી. ગણેશજીની સ્થાપના દરમિયાન ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વિવિધ સ્થળોએ ધાર્મિક વિધિ-વિધાન સાથે ગણેશજીની આરતી અને પૂજા કરવામાં આવી હતી. આ પ્રસંગે ગણપતિ બાપ્પા મોરિયા ના જયઘોષથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. ગણેશ ચતુર્થીના પર્વને લઈને બાળકો, યુવાનો તેમજ વડીલોમાં પણ ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. ગણેશજીની સ્થાપનાથી સંજેલી તાલુકાના વિવિધ વિસ્તારોમાં ભક્તિમય અને ઉત્સવપૂર્ણ વાતાવરણ છવાઈ ગયું હતું..
- વરસાદી પાણી થી વિસ્તાર પાણી પાણી : અમદાવાદ ના વટવા વિસ્તારમાં માં આવેલા વાંદરવટ તળાવ ગઈકાલે પડેલા ભારે વરસાદ થી ઓવરફ્લો થતા એનું ગંદુ પાણી પીડી.પંડ્યા કોલેજ થી ગુજરાત ઓફસેટ કંપની તરફ જતો રોડ આજે ભી જોવા મળી રહ્યું છે, ઘણા વાહનો બંધ પડેલા જોવા મળી રહ્યાં છે. લોકો નુ કહેવું છે કે એ.એમ.સી દ્વારા તળાવ નું પાણી રોકવાના પગલાં તાત્કાલિક ધોરણે ભરવામાં આવે. લોકો ના વાહનો ને નુકસાન થઈ રહ્યુંછે. જતા આવતા લોકો ને મુશ્કેલી.પડી રહી છે.1
- નટુભાઈ સર્કલ પાસે મહેતા પરિવારના ઘરે ગણપતિ બાપાનું ભક્તિભાવપૂર્વક આગમન નટુભાઈ સર્કલ પાસે મહેતા પરિવારના ઘરે ગણપતિ બાપાનું ભક્તિભાવપૂર્વક આગમન નટુભાઈ સર્કલ નજીક પસાભાઈ પાર્ક સ્થિત સાંતમ એપાર્ટમેન્ટમાં ગુનેન્દ્ર મહેતા પરિવાર દ્વારા છેલ્લા દસ વર્ષથી ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે પણ ગણેશજીના આગમન પ્રસંગે આરતી, પૂજા-અર્ચના કરી મંગલકામનાઓ કરવામાં આવી હતી. આસપાસના રહિશોએ પણ આરતીનો લાભ લીધો હતો. ગલગોટાના ફૂલોથી બાપાનો સુંદર શણગાર કરાયો છે. પરિવાર દ્વારા મ્યુઝિક અને લાઈવ કોન્સેપ્ટનું આયોજન કરાયું છે. દોઢ દિવસ બાદ એપાર્ટમેન્ટમાં જ વિસર્જન કરવામાં આવશે.1
- ઇસનપુર-ઘોડાસર બ્રિજ પાસે ક્રાઇમ બ્રાન્ચનો સપાટો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી! ઇસનપુર-ઘોડાસર બ્રિજ પાસેથી ક્રેટા કાર (GJ01WB0247) માંથી 1812 બોટલ વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો. દારૂ, કાર સહિત કુલ રૂ. 14.64 લાખનો મુદ્દામાલ જપ્ત, 2 શખ્સોની ધરપકડ. પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો.1
- અમદાવાદના વસ્ત્રાલમાં તક્ષશિલા સ્કૂલ પાસે ફાયરિંગની ઘટનાને પગલે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. વસ્ત્રાલમાં મિલકત વિવાદે લીધો ઉગ્ર વળાંક, ફાયરિંગથી એક વ્યક્તિ ઈજાગ્રસ્ત અમદાવાદના વસ્ત્રાલમાં તક્ષશિલા સ્કૂલ પાસે ફાયરિંગની ઘટનાને પગલે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે પ્રમોદ પ્રજાપતિ અને પવન પ્રજાપતિની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, પ્રમોદ, પવન અને તેમના નાના ભાઈ આશિષ પ્રજાપતિ વચ્ચે વડીલોપાર્જિત બે મકાનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. આશિષ પ્રજાપતિએ બંને મકાન પોતાના નામે કરાવી લીધા હોવાનો આક્ષેપ છે. પ્રમોદ અને પવન દ્વારા મિલકતમાં 33-33 ટકા હિસ્સાની માંગ કરવામાં આવી હતી. વિવાદનું સમાધાન કરવા ભાઈઓ એકત્ર થયા હતા. દરમિયાન બોલાચાલી બાદ પ્રમોદ પ્રજાપતિએ કથિત રીતે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં રાજેન્દ્ર પ્રજાપતિને ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. પ્રમોદ અને પવન બંને આર્મીમાં ફરજ બજાવતા હોવાનું જણાવાયું છે. રામોલ પોલીસે લાયસન્સવાળું હથિયાર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.1
- સોજીત્રાના તાલુકાના ભડક્દ ગ્રામ્ય વિસ્તારમાંથી મોટરોની ચોરી થવાનો બનાવ1
- દેવગઢ બારિયામાં ગણેશ ચતુર્થીના પાવન પર્વે ભવ્ય બર્ડ રેસિડન્સ અને ચબૂતરાનું લોકાર્પણ દેવગઢ બારિયામાં ગણેશ ચતુર્થીના પાવન પર્વે ભવ્ય બર્ડ રેસિડન્સ અને ચબૂતરાનું લોકાર્પણ ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે જીવદયા, પર્યાવરણ સંરક્ષણ અને પક્ષીપ્રેમનું અનોખું ઉદાહરણ પૂરું પાડતા ભવ્ય બર્ડ રેસિડન્સ અને ચબૂતરાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અનેક પ્રયાસો બાદ પક્ષીઓને કાયમી અને સુરક્ષિત આશ્રય મળી રહે તેવા ઉમદા હેતુ સાથે આ જીવદયા કાર્ય સાકાર થયું છે. આ બર્ડ રેસિડન્સ અને ચબૂતરાનું નિર્માણ સ્વર્ગસ્થ પરેશભાઈ મજમુદારની સ્મૃતિને ચિરંજીવ રાખવા અને તેમના 80મા જન્મદિવસ નિમિત્તે કરવામાં આવ્યું છે. પક્ષીઓને સુરક્ષિત આશ્રય ઉપરાંત નિયમિત દાણા અને આહાર મળી રહે તેવા હેતુથી તેમના પરિવારજનો દ્વારા આ સેવાકાર્યમાં આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો. લોકાર્પણ પ્રસંગે રાજમાતા ઉર્વશીદેવી બાપુરાજ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સેવાકાર્યના પ્રેરણાસ્ત્રોત અને આયોજનમાં પૂર્વ નગરપાલિકા પ્રમુખ નીલ સોની અને ડો. ચાર્મી સોનીનો મહત્વનો ફાળો રહ્યો હતો. આ પ્રસંગે વિવિધ સામાજિક મંડળો, સંસ્થાઓ, નગરપાલિકાના સદસ્યો, સામાજિક અગ્રણીઓ, પત્રકારો તેમજ જીવદયા અને પ્રકૃતિપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનો અને નગરજનોએ પક્ષીઓ માટે કરવામાં આવેલા આ સેવાકાર્યને બિરદાવ્યું હતું. લોકાર્પણ બાદ ઉપસ્થિત જીવદયા પ્રેમીઓ, પ્રકૃતિપ્રેમીઓ અને નગરજનો માટે પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. બર્ડ રેસિડન્સ અને ચબૂતરાના નિર્માણથી પક્ષીઓને સુરક્ષિત આશ્રય મળવાની સાથે જીવદયા અને પર્યાવરણ જાગૃતિનો સુંદર સંદેશ પણ આપવામાં આવ્યો છે.1
- દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જનસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ સાંજે ૭:૦૦ કલાકે ગુજરાતના દરેક પરિવાર દ્વારા ‘આશીર્વાદનો દીપ’ પ્રગટાવવા ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અપીલ કરોડો દિવડાની ઝળહળતી જ્યોતથી લોકપ્રિય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના દીર્ઘાયુ, સ્વાસ્થ્ય અને સુખમય જીવન માટે શુભકામનાઓ પાઠવીએ - શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા --- *આવો, સૌ સાથે મળી ‘વિકસિત ભારત–૨૦૪૭’ના સંકલ્પને વધુ મજબૂત બનાવીએ અને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના જનસેવા થી રાષ્ટ્રસેવાના ૨૫ વર્ષ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ* *- શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા*1
- Makka madina madina Sharif subhanallah mashallah Dua mein yaad1
- વડોદરાના માંજલપુર વિસ્તારમાં મારામારી અને વાહનમાં તોડફોડની ઘટનામાં માંજલપુર પોલીસે ગણતરીના સમયમાં ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા છે.1