જૂનાગઢ પાણી પુરવઠા બોર્ડ અને મહાનગરપાલિકા ના દ્વારા મહાશિવરાત્રીના મેળામાં ભાવિકો માટે પીવાના પાણીની વ્યવસ્થા માટે સંયુક્તપણે પુરુષાર્થ : ૭૧ ફરિયાદોનું તાત્કાલિક નિવારણ કરાયું હતું જૂનાગઢ તા.૧૮, મહાશિવરાત્રિ મેળો-૨૦૨૬ દરમિયાન યાત્રાળુઓને પૂરતું અને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ રહે તે માટે જૂનાગઢ પાણી પુરવઠા બોર્ડ દ્વારા વ્યાપક આયોજન અને સુચારૂ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ માટે પાણી સમિતિ ના અધ્યક્ષ તરીકે કાર્યપાલક ઇજનેર દ્વારા મેળા દરમિયાન સંકલન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, મહાશિવરાત્રીના મેળા દરમિયાન મહાનગરપાલિકાને આશરે ૯૫ જેટલી ૫૦૦૦ લીટર ક્ષમતાવાળી પાણીની ટાંકી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, ગત વર્ષે ૬૦ ટાંકી હતી. જૂનાગઢ ભવનાથ ખાતે મીની કુંભરૂપ મેળાને ધ્યાનમાં રાખીને વધારાની સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી. પાર્કિંગ વિસ્તાર અને પદયાત્રાના માર્ગો પર પેગોડા, પાણીના જગ પોઈન્ટ અને ટાંકીના સ્થળો પૂર્વ આયોજન મુજબ નક્કી કરવામાં આવ્યા હતાં, જેથી દરેક જગ્યાએ યાત્રાળુઓને નિકટમાં પાણી ઉપલબ્ધ રહે. મેળો શરૂ થતા પહેલા પાણી પુરવઠાની જિલ્લા લેબોરેટરી દ્વારા વોટર સેમ્પલ લેવામાં આવ્યા અને IS ૧૦૫૦૦ ધોરણ મુજબ તપાસ પણ કરવામાં આવી હતી. મેળા દરમિયાન પાણીની ગુણવત્તા જાળવવા માટે કુલ ૪૦૦થી વધુ સેમ્પલનું પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. જેમાં ક્લોરિનેશન યોગ્ય હોવાનું નોંધાયું હતું. પીવાના પાણીના પોઈન્ટ પર સમયસર રીફિલિંગ અને દેખરેખ માટે પાંચ ટુ-વ્હીલર અને ૨૧ ફિલ્ડ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી હતી. સેન્ટ્રલ કંટ્રોલ રૂમમાં રાઉન્ડ ધ ક્લોક મોનીટરીંગ દ્વારા સતત સંકલન જાળવવામાં આવ્યું હતું. મેળા દરમ્યાન કુલ ૭૧ ફરિયાદો મળી હતી તેનું તાત્કાલિક નિવારણ કરવામાં આવ્યું હતું. પાણી પુરવઠા બોર્ડ અને મહાનગર પાલિકા ટીમના સંકલિત પ્રયાસથી સમગ્ર મેળામાં પાણીની વ્યવસ્થા સફળ અને સુચારૂ રહી હતી. શ્રદ્ધાળુઓ તરફથી પણ સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
જૂનાગઢ પાણી પુરવઠા બોર્ડ અને મહાનગરપાલિકા ના દ્વારા મહાશિવરાત્રીના મેળામાં ભાવિકો માટે પીવાના પાણીની વ્યવસ્થા માટે સંયુક્તપણે પુરુષાર્થ : ૭૧ ફરિયાદોનું તાત્કાલિક નિવારણ કરાયું હતું જૂનાગઢ તા.૧૮, મહાશિવરાત્રિ મેળો-૨૦૨૬ દરમિયાન યાત્રાળુઓને પૂરતું અને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ રહે તે માટે જૂનાગઢ પાણી પુરવઠા બોર્ડ દ્વારા વ્યાપક આયોજન અને સુચારૂ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ માટે પાણી સમિતિ ના અધ્યક્ષ તરીકે કાર્યપાલક ઇજનેર દ્વારા મેળા દરમિયાન સંકલન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, મહાશિવરાત્રીના મેળા દરમિયાન મહાનગરપાલિકાને આશરે ૯૫ જેટલી ૫૦૦૦ લીટર ક્ષમતાવાળી પાણીની ટાંકી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, ગત વર્ષે ૬૦ ટાંકી હતી. જૂનાગઢ ભવનાથ ખાતે મીની કુંભરૂપ મેળાને ધ્યાનમાં રાખીને વધારાની સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી. પાર્કિંગ વિસ્તાર અને પદયાત્રાના માર્ગો પર પેગોડા, પાણીના જગ પોઈન્ટ અને ટાંકીના સ્થળો પૂર્વ આયોજન મુજબ નક્કી કરવામાં આવ્યા હતાં, જેથી દરેક જગ્યાએ યાત્રાળુઓને નિકટમાં પાણી ઉપલબ્ધ રહે. મેળો શરૂ થતા પહેલા પાણી પુરવઠાની જિલ્લા લેબોરેટરી દ્વારા વોટર સેમ્પલ લેવામાં આવ્યા અને IS ૧૦૫૦૦ ધોરણ મુજબ તપાસ પણ કરવામાં આવી હતી. મેળા દરમિયાન પાણીની ગુણવત્તા જાળવવા માટે કુલ ૪૦૦થી વધુ સેમ્પલનું પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. જેમાં ક્લોરિનેશન યોગ્ય હોવાનું નોંધાયું હતું. પીવાના પાણીના પોઈન્ટ પર સમયસર રીફિલિંગ અને દેખરેખ માટે પાંચ ટુ-વ્હીલર અને ૨૧ ફિલ્ડ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી હતી. સેન્ટ્રલ કંટ્રોલ રૂમમાં રાઉન્ડ ધ ક્લોક મોનીટરીંગ દ્વારા સતત સંકલન જાળવવામાં આવ્યું હતું. મેળા દરમ્યાન કુલ ૭૧ ફરિયાદો મળી હતી તેનું તાત્કાલિક નિવારણ કરવામાં આવ્યું હતું. પાણી પુરવઠા બોર્ડ અને મહાનગર પાલિકા ટીમના સંકલિત પ્રયાસથી સમગ્ર મેળામાં પાણીની વ્યવસ્થા સફળ અને સુચારૂ રહી હતી. શ્રદ્ધાળુઓ તરફથી પણ સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
- મધુવન ગીફ્ટ કેશોદ 99 244 74 853 આંબાવાડી કાપડ બજાર કેશોદ અમારા whatsapp ગ્રુપમાં જોડાઈ 100 થી 500 પ્રોડક્ટ જીવન જરૂરિયાતની રાહત દરે મેળવો1
- Post by પુજારા ન્યુઝ નેટવર્ક1
- કેશોદ શહેરમાં કઠોળ આત્મનિર્ભરતા મિશન અંતર્ગત તુવેરની સરકારી ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે કેશોદ માર્કેટિંગ યાર્ડ ખાતે શિવ ઉત્પાદન સહકારી મંડળી તથા અર્જુન જુથ સેવા સહકારી મંડળી દ્વારા ખેડૂતો માટે તુવેરના પાકની નોંધણી અને ખરીદીની પ્રક્રિયા શરૂ થતા ખેડૂતોમાં રાહત અને આનંદની લાગણી ફેલાઈ છે આ યોજના હેઠળ સરકાર દ્વારા નક્કી કરાયેલ આધારભૂત ભાવ (MSP) મુજબ તુવેરની ખરીદી કરવામાં આવી રહી છે જેના કારણે ખેડૂતોને તેમની મહેનતનું યોગ્ય મૂલ્ય મળી રહે તેવી આશા વ્યક્ત થઈ રહી છે છેલ્લા કેટલાક સમયમાં બજારમાં ભાવમાં આવતી ચઢાવ ઉતારને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સીધી ખરીદીની વ્યવસ્થા કરવામાં આવતા ખેડૂતોને વચેટિયાઓથી મુક્તિ મળશે અને પારદર્શક વ્યવહાર સુનિશ્ચિત થશે કેશોદ માર્કેટિંગ યાર્ડ ખાતે સવારે વહેલી કલાકોથી જ ખેડૂતો પોતાના તુવેરના જથ્થા સાથે પહોંચ્યા હતા યાર્ડમાં તોલકાંટા, ગુણવત્તા ચકાસણી અને રસીદ આપવાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે અધિકારીઓ દ્વારા જણાવ્યું હતું કે નોંધાયેલા ખેડૂતોને પ્રાથમિકતા આધારે ખરીદી કરવામાં આવશે અને રકમ સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે કઠોળ આત્મનિર્ભરતા મિશનનો મુખ્ય હેતુ દેશમાં કઠોળ ઉત્પાદન વધારવો, ખેડૂતોને પ્રોત્સાહન આપવું અને આયાત પર નિર્ભરતા ઘટાડવી છે આ અંતર્ગત તુવેર, ચણા અને મગફળી સહિતના પાકોની ખરીદી અને સંગ્રહ માટે વિવિધ કેન્દ્રો પર વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે ખેડૂત આગેવાનો દ્વારા જણાવાયું કે સમયસર ખરીદી શરૂ થવાથી ખેડૂતોને બજારમાં ઓછા ભાવનો ભોગ બનવો નહીં પડે સાથે જ તેઓએ ખરીદીની પ્રક્રિયા ઝડપી અને સરળ બનાવવાની માંગ પણ કરી હતી જેથી લાંબી લાઈનો અને વિલંબ જેવી સમસ્યાઓ ઊભી ન થાય સ્થાનિક પ્રશાસન દ્વારા પણ ખેડૂતોએ શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે પાક લાવવા અપીલ કરવામાં આવી છે આગામી દિવસોમાં તુવેરની આવકમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કેશોદમાં તુવેર ખરીદીના આ પ્રારંભથી ખેડૂતોમાં નવી આશા જાગી છે અને કૃષિ ક્ષેત્રે સકારાત્મક માહોલ સર્જાયો છે. સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ5
- માંગરોળમા આગામી તહેવારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી શાંતિ સમિતિની બેઠક યોજાઈ જૂનાગઢ જિલ્લાના માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે આજે શાંતિ સમિતિની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. [00:12] આગામી દિવસોમાં આવતા હોળી અને રમઝાનના પવિત્ર તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી આ બેઠક બોલાવવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડા અને માંગરોળ ડીવાયએસપી (DySP) ના માર્ગદર્શન હેઠળ, પીઆઈ દેસાઈની અધ્યક્ષતામાં આ મીટિંગ યોજાઈ હતી. [00:29] આ બેઠક દરમિયાન તહેવારોમાં શાંતિપૂર્ણ માહોલ જળવાય રહે તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત, સ્થાનિક નાગરિકોના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા અને યોગ્ય સલાહ-સૂચનો પણ આપવામાં આવ્યા હતા. [00:37] આ શાંતિ સમિતિની બેઠકમાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. [00:45] પોલીસ તંત્ર દ્વારા તમામ નાગરિકોને એકબીજાના તહેવારોમાં શાંતિ અને ભાઈચારો જાળવવા માટે ખાસ અપીલ કરવામાં આવી હતી.1
- ગીરગઢડા તાલુકાના ખિલવાડ ગામ નજીક ગત રાત્રિએ એક સિંહ પરિવાર શિકારની શોધમાં લટાર મારતો જોવા મળ્યો હતો. આ સિંહ પરિવારમાં સિંહ બાળ પણ સામેલ હતા. સિંહપ્રેમીઓએ આ દૃશ્યો પોતાના મોબાઇલમાં કેદ કર્યા હતા.1
- ઉપલેટા મામલતદાર તેમજ તંત્ર દ્વારા ગણોદ ગામમા વાડી વિસ્તાર મા બુલડોઝર ફેરવી સરકારી જમીન ખુલ્લી કરાઈ ઉપલેટા મામલતદાર તેમજ તંત્ર દ્વારા પાંચ બુલડોઝર તેમજ પાંચ રોટાવેટર લઈ ગણોદ ગામમા ધામા ઉપલેટા તંત્ર દ્વારા ગણોદ ગામે ખેતી વિસાયક જમીન તેમજ ગેરકાયદેસર વાડા કરેલ તંત્ર દ્વારા રોટાવેટર તેમજ બુલડોઝર ફેરવી દેવાયેલ ઉપલેટા ના ગણોદ ગામે સરકાર હસ્તક ની સર્વ નંબર 784 પૈકી ની જમીન ઉપર 31 દબાણ કારો દ્વારા દબાણ કરાયેલ ઉપલેટા મામલતદાર દ્વારા નોટિસ આપીયા બાદ પણ જમીન ખાલી નો કરાતા ઉપલેટા મામલતદાર ટિમ દ્વારા દબાણ દૂર કરાયું ધોરાજી નાયબ કલેકટર ઉપલેટા મામલતદાર રેવન્યુ સ્ટાફ પોલીસ સ્ટાફ સાથે જેસીબી રોટાવેટર ફેરવી દબાણ દૂર કરાયું દબાણ કર્તા ઓએ સરકારી જમીન ઉપર ઘઉં નું વાવેતર કરેલ હોઈ તંત્ર દ્વારા રોટાવેટર ફેરવીદેવાયું ઉપલેટા તંત્ર દ્વારા ગણોદ મા સરકારી કુલ જમીન હેં 48-01-01 ચો. મી. (300 વીઘા થી વધુ જમીન ઉપર નું દબાણ દૂર કરાયું ઉપલેટા તંત્ર દ્વારા 17 કરોડ થી વધુની કિંમત ની જમીન ખાલી કરવાઈ ઉપલેટા મામલતદાર દ્વારા દબાણ કારો ને 4.42.030 રૂપિયા નો દંડ ફટકારેલ બાઈટ... નિખિલ મહેતા મામલતદાર ઉપલેટા3
- છેલ્લા 4 દિવસથી ગેર કાયદેસર રીતે રાજકોટમાં રહેતી બાંગ્લાદેશની ચાર મહિલાની SOG પોલીસે કરી ધરપકડ, રાજકોટ નાંઆજીડેમ વિસ્તાર અને કોઠારીયા સોલ્વન્ટ વિસ્તાર માં રહેતી બાંગલાં દેશી મહિલા ની પોલીસ કરી ધરપકડ હાલ પોલીસ દ્વારા 4 મહિલાને ડિકોટ કરવાની કવાયત કરી શરૂ.1
- મધુવન ગીફ્ટ કેશોદ 99244 74 853 રાજુભાઈ વિઠલાણી કેશોદ અમારા whatsapp ગ્રુપમાં જોડાઈ ૧૦૦ થી ૩૦૦ પ્રોડક્ટ રાહત દરે મેળવો જેમાં બ્રાન્ડેડ પ્રોડક્ટ પણ ખરી તો રાહ કે નહીં જુઓ છો આજે જ અમારા whatsapp ગ્રુપમાં જોડાવો1