આજરોજ રેડ ક્રોસ આઝાદચોક ખાતે ગિરનારી ગ્રુપ દ્વારા ચકલીના માળા, પાણીના કુંડા તેમજ ગાયોને પાણી પિવા માટેની કુંડી નું વિતરણ કરવામાં આવ્યું. 1. પક્ષીઓનું જતન (ચકલીના માળા અને કુંડા) વધતી જતી ગરમી: ઉનાળામાં તાપમાન વધવાને કારણે પક્ષીઓને પીવાનું પાણી મળવું મુશ્કેલ બને છે. કુંડા દ્વારા તેમને ઘરઆંગણે જ પાણી મળી રહે છે. ચકલી બચાવો અભિયાન: આધુનિક મકાનોમાં પક્ષીઓને માળો બાંધવાની જગ્યા મળતી નથી. કૃત્રિમ માળા આપવાથી ચકલીઓની વસ્તી વધારવામાં મદદ મળે છે. 2. ગૌ-સેવા (ગાયો માટેની કુંડીઓ) રખડતા પશુઓ માટે રાહત: રસ્તા પર ફરતી ગાયો કે અન્ય પશુઓને તરસ છિપાવવા માટે ભટકવું પડતું નથી. સ્વચ્છતા: ખુલ્લા ખાડા કે ગંદા પાણી પીવાને બદલે કુંડીમાં ભરેલું શુદ્ધ પાણી પશુઓના સ્વાસ્થ્ય માટે પણ સારું રહે છે. 3. સામાજિક જાગૃતિ આવા વિતરણ કાર્યક્રમો જોઈને અન્ય લોકો પણ જીવદયાના કાર્યો કરવા પ્રેરાય છે. બાળકોમાં પશુ-પંખીઓ પ્રત્યે પ્રેમ અને કરુણાની ભાવના જાગે છે.
આજરોજ રેડ ક્રોસ આઝાદચોક ખાતે ગિરનારી ગ્રુપ દ્વારા ચકલીના માળા, પાણીના કુંડા તેમજ ગાયોને પાણી પિવા માટેની કુંડી નું વિતરણ કરવામાં આવ્યું. 1. પક્ષીઓનું જતન (ચકલીના માળા અને કુંડા) વધતી જતી ગરમી: ઉનાળામાં તાપમાન વધવાને કારણે પક્ષીઓને પીવાનું પાણી મળવું મુશ્કેલ બને છે. કુંડા દ્વારા તેમને ઘરઆંગણે જ પાણી મળી રહે છે. ચકલી બચાવો અભિયાન: આધુનિક મકાનોમાં પક્ષીઓને માળો બાંધવાની જગ્યા મળતી નથી. કૃત્રિમ માળા આપવાથી ચકલીઓની વસ્તી વધારવામાં મદદ મળે છે. 2. ગૌ-સેવા (ગાયો માટેની કુંડીઓ) રખડતા પશુઓ માટે રાહત: રસ્તા પર ફરતી ગાયો કે અન્ય પશુઓને તરસ છિપાવવા માટે ભટકવું પડતું નથી. સ્વચ્છતા: ખુલ્લા ખાડા કે ગંદા પાણી પીવાને બદલે કુંડીમાં ભરેલું શુદ્ધ પાણી પશુઓના સ્વાસ્થ્ય માટે પણ સારું રહે છે. 3. સામાજિક જાગૃતિ આવા વિતરણ કાર્યક્રમો જોઈને અન્ય લોકો પણ જીવદયાના કાર્યો કરવા પ્રેરાય છે. બાળકોમાં પશુ-પંખીઓ પ્રત્યે પ્રેમ અને કરુણાની ભાવના જાગે છે.
- સુરત લિંબાયત વિસ્તારમાં રહેંણાક મકાનમાં લાગી આગ એક જ પરિવારના 5 સભ્યો ના મોત ફાયર ફાઈટર ઘટના સ્થળે1
- અમરેલી ખાંભા ગીર પંથક માં અનુભવાયો ભૂકંમ્પ નો હળવો આચકો1
- રાજુલા તાલુકાના દીપડિયા ગામે ધારાસભ્ય શ્રી હિરાભાઈ સોલંકી દ્વારા શાળા ના નવા બિલ્ડિંગ નુ ઉદ્ઘાટન કરવામાં આવ્યુ આ પ્રસંગે દીપડીયા ગામ તેમજ ગામના બાળકોને એક અનમોલ ભેટ પ્રાપ્ત થઈ છે. આ કાર્યક્રમમાં બર્બટાણા ગામના સરપંચ અને એડવોકેટ કે.બી. કામળીયા, સંઘના પ્રમુખ રમેશભાઈ ડોબરીયા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વલકુભાઈ, વાવેરા તાલુકા પંચાયત સભ્ય કનુભાઈ ધાખડા, વાવેરાના સરપંચ અશોકભાઈ, દીપડીયા ના સરપંચ પ્રેમજીભાઈ, કમલેશભાઈ મકવાણા, તાલુકા ભાજપ મંત્રી અશોકભાઈ, બર્બટાણા પૂર્વ સરપંચ ભુપતભાઈ, ઉપસરપંચ મનસુખભાઈ તેમજ દીપડીયા ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો. આ નવું શાળા બિલ્ડિંગ ગામના બાળકોના ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે અને શિક્ષણ ક્ષેત્રે નવી દિશા આપશે.4
- જાફરાબાદ તાલુકાના સરકેશ્વર ધામ ખાતે સમસ્ત બારૈયા પરિવાર દ્વારા ડાક ડમરૂ તથા મહાયજ્ઞનું આયોજન કરવામા આવ્યુ જાફરાબાદ તાલુકાના સરકેશ્વર ધામે સમસ્ત બારૈયા પરિવાર દ્વારા તા. 28- 3-2026 ના રાત્રે 9:30 કલાકે ડાક ડમરૂ નું આયોજન કરવામાં આવ્યું અને તારીખ 29-3-2025 ના રોજ સવારે 8:00 કલાકે 427 પાટલા નો મહાયજ્ઞનું આયોજન રાખવામાં આવ્યું છે તથા બપોરના સમયે સર્વ ધર્મપ્રેમી જનતાને મહા પ્રસાદ નો લાભ લીધો હતો રિપોર્ટર..કરશન પરમાર જાફરાબાદ3
- 👗👕 📸 અમારા સ્ટોરમાંથી કપડાં ખરીદો બેબીને પહેરાવો અને Photo / Video પોસ્ટ કરો 📲 અને અમને TAG કરો 🎁 મેળવો Special Discount: 👍 Likes = ₹ Discount 🔁 Shares = 1.5X Discount 📌 100 Likes = ₹100 OFF 📌 100 Shares = ₹150 OFF 🌟 Dress Up • Post • Earn 🌟 👉 Follow કરો: @hirva_cretion3004 📞 Mo: 94087638631
- શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજશ્રીના રૂડા આશીર્વાદથી શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા વડતાલધામ ટેમ્પલ બોર્ડ એવં સંપ્રદાયના મૂર્ધન્ય સંતો દ્વારા તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી ગુરુ પુરાણી શ્રી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી(અથાણાવાળા)ના માર્ગદર્શનથી “શ્રી હનુમાન જયંતી” કૃતજ્ઞતાનો મહામહોત્સવ અંતર્ગત મંગળા-શણગાર આરતી, લોકડાયરો, ભવ્ય રાજોપચાર, પુષ્પવર્ષા, કિંગ ઓફ સાળંગપુરની સમૂહ આરતી અને આતશબાજી, દાદાને દિવ્ય અન્નકૂટ, મારા દાદાને 108 ધજા, વિશ્વશાંતિ મારુતિ યજ્ઞ, હનુમાન જન્મોત્સવ(બર્થ ડે સેલિબ્રેશન) વગેરે અનેકવિધ કાર્યક્રમનું ભવ્યાતિભવ્ય આયોજન તા.01 થી 02 એપ્રિલ 2026ના રોજ કરવામાં આવેલ છે ગુજરાતની સૌથી ભવ્ય શ્રીહનુમાન જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ મહોત્સવમાં 1008 કિલો પુષ્પોથી રાજોપચાર પૂજન, 1 લાખ બલૂન ડ્રોપિંગ, મંદિર પ્રાંગણમાં સમુહ આરતી, મહા અન્નકૂટ અને 151 કિલોની કેક કાપીને દાદાનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાશે. ભક્તો માટે આસ્થા અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન આ ઉત્સવમાં 29 માર્ચથી જ કીર્તન આરાધનાના સૂર રેલાઈ રહ્યા છે જ્યારે મુખ્ય બે દિવસના મહોત્સવમાં હાઈટેક લાઈટ એન્ડ સાઉન્ડ શો, આતશબાજી અને લોકડાયરા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે મહત્વનું છે કે, હનુમાન જયંતીની ઉજવણી માટે મોટી સંખ્યામાં ભક્તો સાળંગપુર હનુમાનજી ખાતે આવશે. આ માટે મંદિર દ્વારા ભક્તોને કોઈ અગવડતા ના પડે એ માટે સુવિધા પૂરી પાડવા તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ સાથે જ ભક્તોને રહેવા જમવા માટે 2000થી વધુ રૂમની વ્યવસ્થા છે. તો મંદિર પરિસરની પાછળ અને શ્રી ગોપાળાનંદ યાત્રિક ભવન સિવાય અન્ય બે મોટા પ્લોટમાં 10 હજાર ફોરવ્હીલ અને 5 હજારથી વધુ ટુવ્હીલર પાર્ક થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે “શ્રી હનુમાન જયંતી”એ દાદાને 8 કિલો સોનાના પ્યોર સ્ટોનના જડતરવાળા વાઘા પહેરાવાશે શ્રી હનુમાન જયંતીના દિવસે સાળંગપુરધામ ખાતે શ્રીહનુમાનજી મહારાજને અર્પણ કરવામાં આવનારા આલૌકિક સુવર્ણ વાઘા 8 કિલો પ્યોર સોનામાંથી બનેલા છે. આ વાઘાને તૈયાર કરવામાં 100 જેટલા સોનીઓ અને 22 ડિઝાઇનર આર્ટિસ્ટની ટીમે સતત 1050 કલાક લાગ્યા હતા. પ્રાચીન અને અર્વાચીન શૈલીવાળા આ વાઘામાં રિયલ ડાયમંડ, રુબિ, એમરલ્ડ સ્ટોન અને સોરોસ્કી હીરા જડવામાં આવ્યા છે. સંતોના માર્ગદર્શન હેઠળ ઝીણવટપૂર્વક તૈયાર થયેલી આ ડિઝાઇનમાં 3ડી વર્ક, બિકાનેરી મીણો, પેન્ટિંગ મીણો અને ફિલિગ્રી વર્ક જેવી બારીક કલાકારીનો ઉપયોગ કરી તેને એક વર્ષના લાંબા સમયગાળા બાદ અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ આયોજિત “શ્રી હનુમાન જયંતી મહામહોત્સવ 01-02 એપ્રિલ – 2026 અંતર્ગત કીર્તન આરાધના:- 29,30, 31 માર્ચ 2026, દરરોજ રાત્રે 7.30થી 9.00 યોજાય છે. જેમાં વિદ્વાન સંગીતના ઉપાસકો દ્વારા શ્રી હનુમાનજી મહારાજને ભાવપૂર્ણ શૈલીથી કીર્તન આરાધના કરી દાદાને પ્રસન્ન કરવામાં આવશે. ભક્તો પોતાની ઉપસ્થિતિ દર્શાવી કીર્તન આરાધનાનો લાભ લઈ શકે છે રાજોપચાર પૂજન:- 01/04/2026, બુધવા,સમય : સવારે 07:30 કલાકે, સાળંગપુરધામના રાજાનું ઐતિહાસિક પૂજન રાજોપચાર પૂજનની વિશેષતા:- ૧૦૦૮ કીલો પુષ્પોથી શ્રી કષ્ટભંજનદેવનો ભવ્ય અભિષેક પવિત્ર બ્રાહ્મણો દ્વારા એવં શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીના હસ્તે ભવ્ય એવં દિવ્ય રાજોપચાર પૂજન સંપન્ન થશે કિંગ ઓફ સાળંગપુર સમુહ આરતી, Light & Sound Show, Fireworks Show, 01 એપ્રિલ 2026, બુધવાર સમય : રાત્રે 08:00 કલાકે, સમુહ આરતીની દિવ્યતા:- કિંગ ઓફ સાળંગપુર ખાતે ભવ્ય Light and Sound Show ઉજવાશે હજારો દિવડાઓથી કિંગ ઓફ સાળંગપુરની સંતો અને ભક્તોની ઉપસ્થિતિમાં આરતી થશે. ઐતિહાસિક આતશબાજીથી કિંગ ઓફ સાળંગપુરનું સ્વાગત કરવામાં આવશે સત્સંગ લોકડાયરો:- LIVE IN SALANGPUR, 01 એપ્રિલ 2026, બુધવાર, સમય : રાત્રે 09:00 કિંગ ઓફ સાળંગપુરના સાનિધ્યમાં ભક્તિ સંગીતનો લોક ડાયરો શ્રી હનુમાન જયંતી :-02 એપ્રિલ 2026, ગુરુવાર મંગળા આરતી,સમય : સવારે 05:00 કલાકે,આતશબાજીથી શ્રી કષ્ટભંજન દેવનું સ્વાગત કરવામાં આવશે શણગાર આરતી :સમય : સવારે 07:00 કલાકે,શ્રી કષ્ટભંજન દેવ સુવર્ણ વાઘા ધારણ કરી ભક્તોને દર્શન આપશે ઐતિહાસિક હનુમાન જન્મોત્સવ:-શ્રી હનુમાન જયંતી, સમય : સવારે 07:30 કલાકે,1,00,000 બલુન ડ્રોપથી ભક્તોનું સ્વાગત થશે 151 કિલો કેકનું કટિંગ કરી હજારો ભક્તો હનુમાન ભક્તિમાં ડી.જેના તાલે ઝૂમી ઉઠશે વિશ્વ શાંતિ મારુતિ યજ્ઞ:-02/04/2026, ગુરુવાર,સમય : સવારે 07:00 કલાકે, યજ્ઞની ધુમ્રસેરમાં પવિત્રતા અને વૈદિક મંત્રોની ઉર્જાનો સંચાર થશે 1000થી વધારે ભક્તો દાદાના દરબારમાં સમૂહ યજ્ઞમાં બેસવાનો લાભ લેશે મહા અન્નકૂટ, 02 એપ્રિલ 2026, ગુરુવાર,સમય : બપોરે 11:00 કલાકે શ્રી કષ્ટભંજન દેવને વિવિધ વાનગીઓનો અન્નકૂટ અર્પણ કરવામાં આવશે મહા અન્નક્ષેત્ર:-,સમય : બપોરે 10:00 કલાકે,દર્શને આવનાર દરેક ભક્તો માટે મહા અન્નક્ષેત્રમાં પ્રસાદનો લાભ મળશે મહા સંધ્યા આરતી:- 02 એપ્રિલ 2026, ગુરુવાર, સાંજે 07:00 કલાકે,શ્રીકષ્ટભંજનદેવની સંતો - ભક્તો એવં તાસા ગ્રુપ નાસિક ઢોલ તથા હજારો દિવડાઓથી અને ભવ્ય આતશબાજી દ્વારા સામુહિક આરતી કરવામાં આવશે. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- સાબરકાંઠા જિલ્લા માં વાતાવરણ માં અચાનક આવ્યો પલટો1
- માત્ર ₹2499 થી શરૂ થતો કૂલર — હવે ઉનાળાને આપો ઠંડી ચેલેન્જ! ❄️ 👉 અહીં મળશે તમારા ઘર માટેના તમામ ઇલેક્ટ્રોનિક સાધનો: AC TV ફ્રીઝ કૂલર અને અનેક અન્ય પ્રોડક્ટ્સ શ્રેષ્ઠ ભાવમાં 📍 સરનામું: HDFC બેંક સામે, સિનેપ્લસ સિનેમા નીચે, દ્વારકેશ આર્કેડ, સ્વામિનારાયણ માર્ગ, રાજુલા 📞 સંપર્ક: 9712377055 👉 આજે જ મુલાકાત લો અને ખાસ ઓફરનો લાભ મેળવો! 💥1
- ગુજરાત રાજ્યની મહિલાઓની સુરક્ષાનું અભય વચન આપતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન અનેક મહિલાઓના જીવનને નવી દિશા બતાવવામાં મદદરૂપ થાય છે. આવા જ એક કિસ્સામાં ૧૮૧ અભયમ ટીમે બોટાદ જિલ્લાના સાળંગપુર મંદિરે દર્શનાર્થે આવેલી વૃદ્ધાને પરિવાર સાથે મિલાવી હતી બોટાદના સાળંગપુર દાદાના દર્શનાર્થે આવેલ એક વૃદ્ધા માનસિક તણાવમાં અને અસ્વસ્થ જણતા એક જાગૃત નાગરિકે ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇન સંપર્ક સાધ્યો હતો અભયમ ટીમના કાઉન્સિલર જલ્પાબેન સોંડાગર, કોન્સ્ટેબલશ્રી જયશ્રીબેન અને ડ્રાઇવરશ્રી હાર્દિકભાઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા અભયમ ટીમે વૃદ્ધાનું કાઉન્સિલિંગ કરતા જાણવા મળ્યું કે વૃદ્ધ મહિલા શારીરિક રીતે અશક્ત અને માનસિક તણાવને કારણે તેઓ તેમનું નામ અને સરનામું સ્પષ્ટ જણાવી શકતા ન હતા. અભયમ ટીમે ખૂબ જ ધીરજપૂર્વક વૃદ્ધા સાથે વાતચીત કરતા હતા. ટીમે શાંતિપૂર્વક કાઉન્સિલિંગ કરતા વૃદ્ધાએ અભયમ ટીમને તેમના ગામ અથવા નજીકના સગા વિશે થોડી માહિતી આપી હતી. ઉપરાંત, વૃદ્ધાએ જણાવ્યું કે સાળંગપુર કષ્ટભંજન દાદાના દર્શન કરવા તેણીના પતિ સાથે આવી હતી પરંતુ, ભીડના લીધે પતિથી વિખૂટા પડ્યા હતા. આ માહિતી પરથી અને મંદિરમાં ફરજ બજાવતા કાર્યકર્તાઓ તથા ભક્તોની મદદથી મંદિરમાં વૃદ્ધા વિશે સ્પિકર પર અનાઉન્સમેન્ટ કરાવ્યું હતું. જેના પરિણામ સ્વરૂપે વૃદ્ધાને તેના પરિવાર સાથે મેળાપ કરાવ્યો હતો. વૃદ્ધા ભીડમાં ગુમ થયા હોવાથી પરિજનો ચિંતિત હતા. વૃદ્ધ મહિલાને પરિવાર સાથે મિલાવી ત્યારે તેમના પરિવારે અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1